શું કેન્સર અચાનક થાય છે? જાણો તમારા મનમાં ઉઠતા આ સવાલનો ડોક્ટર પાસેથી સાચો જવાબ

4 Min Read

શું કેન્સર અચાનક થાય છે? જાણો નિષ્ણાત ડૉક્ટર પાસેથી આ પાછળનું સાચું કારણ અને બચવાના ઉપાયો

ઘણીવાર આપણી આસપાસ એવું જોવા મળે છે કે સંપૂર્ણ રીતે સ્વસ્થ અને સક્રિય દેખાતી વ્યક્તિને અચાનક સ્ટેજ-3 કે સ્ટેજ-4 કેન્સર હોવાનું નિદાન થાય છે. આવા કિસ્સાઓ સાંભળીને સામાન્ય લોકોના મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે કે  શું કેન્સર શરીરમાં અચાનક જ ફેલાઈ જાય છે? શું તે રાતોરાત થતો રોગ છે કે પછી તેની પાછળ લાંબા સમયથી ચાલતી કોઈ પ્રક્રિયા જવાબદાર છે? આ અંગે તબીબી નિષ્ણાતો અને ઓન્કોલોજિસ્ટ્સનું શું કહેવું છે તે વિસ્તારપૂર્વક સમજીએ.

શું કેન્સર અચાનક થાય છે? તબીબી સત્ય

એપોલો હોસ્પિટલ્સ (દિલ્હી)ના વરિષ્ઠ સલાહકાર અને હેડ એન્ડ નેક ઓન્કોલોજી નિષ્ણાત ડૉ. અક્ષત મલિકના જણાવ્યા અનુસાર, કેન્સર ક્યારેય રાતોરાત કે અચાનક થતો રોગ નથી.

- Advertisement -

ધીમી પ્રક્રિયા: કેન્સર થવાની શરૂઆત શરીરના કોષોમાં (Cells) થતા અસામાન્ય ફેરફારોથી થાય છે. આ ફેરફારો થવામાં અને તેને ગાંઠ (Tumor) નું રૂપ ધારણ કરવામાં મહિનાઓ કે વર્ષોનો સમય લાગે છે.

health.jpg

- Advertisement -

લક્ષણો મોડા દેખાવા: શરૂઆતી તબક્કામાં કેન્સરના કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી, જેથી દર્દીને તેનો ખ્યાલ આવતો નથી. જ્યારે કેન્સર કોષો વધી જાય છે કે શરીરના અન્ય ભાગોમાં ફેલાવા લાગે છે, ત્યારે અચાનક મોટા લક્ષણો સામે આવે છે. આ જ કારણે લોકોને લાગે છે કે કેન્સર અચાનક થયું છે, પરંતુ વાસ્તવમાં તે લાંબા સમયથી શરીરમાં પાંગરી રહ્યું હોય છે.

કેન્સર ખરેખર શું છે?

માનવ શરીરમાં જૂના કોષો નાશ પામે છે અને નવા કોષો બને છે. પરંતુ જ્યારે આ પ્રક્રિયાનું સંતુલન બગડે છે અને અમુક કોષો અનિયંત્રિત રીતે વધવા લાગે છે, ત્યારે તે કેન્સરનું રૂપ લે છે.

ગાંઠનું નિર્માણ: આ અનિયંત્રિત કોષો એકઠા થઈને ગાંઠ (Tumor) બનાવે છે.

- Advertisement -

બિન-કેન્સરગ્રસ્ત અને કેન્સરગ્રસ્ત ગાંઠ: દરેક ગાંઠ કેન્સર નથી હોતી. જે ગાંઠો ફેલાતી નથી તેને ‘બિન-કેન્સરગ્રસ્ત’ (Benign) કહેવાય છે, જ્યારે અનિયંત્રિત રીતે ફેલાતી ગાંઠોને ‘કેન્સરગ્રસ્ત’ (Malignant) કહેવામાં આવે છે.

કેન્સર થવા પાછળના મુખ્ય કારણો અને જોખમી પરિબળો

તબીબી વિજ્ઞાન અનુસાર, કેન્સર કોઈ એક ચોક્કસ કારણસર નથી થતું, પરંતુ તે જીવનશૈલી, આનુવંશિકતા અને પર્યાવરણીય પરિબળોનું મિશ્રણ છે:

તમાકુ અને ધૂમ્રપાન: સિગારેટ, બીડી, ગુટખા અને ચાવવાના તમાકુનું સેવન કેન્સરનું સૌથી મોટું કારણ છે. તે મોં, ગળા, ફેફસાં અને પેટના કેન્સર માટે સીધું જવાબદાર છે.

આનુવંશિકતા (DNA મ્યુટેશન): અમુક કિસ્સાઓમાં કોષોના ડીએનએમાં ફેરફાર જન્મજાત હોય છે. પરિવારમાં કેન્સરનો ઇતિહાસ હોય તો આગામી પેઢીમાં પણ તેનું જોખમ વધી જાય છે.

બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી: શારીરિક પ્રવૃત્તિનો અભાવ, મોટાપો (સ્થૂળતા), જંક ફૂડ અને વધુ પડતા પ્રોસેસ્ડ ખોરાકનું સેવન કોષોમાં અસામાન્ય ફેરફારોને વેગ આપે છે.

health0.jpg

અતિશય દારૂનું સેવન: નિયમિત અને વધુ પ્રમાણમાં લીવર અને પાચનતંત્રના કેન્સરનું જોખમ અનેકગણું વધારી દે છે.

ચોક્કસ વાયરસ અને બેક્ટેરિયા: શરીરમાં રહેલા કેટલાક ચેપ જેમ કે, હેપેટાઇટિસ B અને C, HIV, અને હેલિકોબેક્ટર પાયલોરી જેવા બેક્ટેરિયા પણ સમય જતાં કેન્સરનું કારણ બની શકે છે.

પર્યાવરણીય પ્રદૂષણ અને કિરણોત્સર્ગ: હવાનું પ્રદૂષણ, હાનિકારક રસાયણો, એસ્બેસ્ટોસ અને સૂર્યના વધુ પડતા પારજાંબલી (UV) કિરણો અથવા રેડિયેશનના સંપર્કમાં રહેવાથી પણ કેન્સરનું જોખમ રહે છે.

વધતી ઉંમર: જેમ જેમ ઉંમર વધે છે, તેમ કોષોની પ્રતિકારક ક્ષમતા ઘટે છે અને કોષીય પરિવર્તનનું જોખમ વધે છે.

Share This Article