વલસાડ: લુહેરીમાં પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિ અભિયાન
ધરમપુર તાલુકાના લુહેરી ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કોમ્યુનિટી રિસોર્સ પર્સન બચુભાઈ ગાંવિત અને કૃષિ સખી પટેલ કમળાબેને પ્રાકૃતિક ખેતીની માહિતી આપી હતી, જેમાં તેઓએ ખેડૂતોને જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામ જીવામૃત, બીજામૃત, વાફસા, આચ્છાદન અને જંતુનાશ અસ્ત્રોનું ખૂબ જ મહત્વ છે. જેનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે એવી સમજ આપી તમામ ખેડૂતોને ધરતી અને મનુષ્યના રક્ષણ માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે આહવાના કરવામાં આવ્યું હતુ.
