જૂનાગઢ માં સંત કાશ્મીરી બાપુ નું નિધન થતા ભાવિકો માં પ્રસરી ઘેરા શોક ની લાગણી પ્રસરી જવા પામી છે.
જૂનાગઢના સંત કાશ્મીરી બાપુનું 97વર્ષે નિધન થયું છે અને આવતીકાલે સમાધિ આપવામાં આવશે સંત કાશ્મીરી બાપુએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજનીય ગણાતા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જ્યાં તેઓ નું નિધન થઈ ગયું છે. બાપુ ના દેહવિલય ને લઈ ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
કાશ્મીરી બાપુનો પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે અને આવતીકાલે બાપુના દેહને સમાધિ અપાશે.