જુનાગઢ કેશોદના બાલા ગામ ખાતે આવેલ એસ.બી આઇ બેંકને તાળાબંધી કરવામાં અાવી હતી. ખાતેદારોના ખાતામાં થયેલ ઉચાપત મામલે કરવામા આવી હતી તાળાબંધી. કેશોદના બાલાગામે એસબીઆઈમાં ખાતેદારો સાથે થયેલી ઉચાપત મામલે લોકોએ બેંકને તાળાબંધી કરી છે.
ખાતેદારોએ સવારે બેંક ખાતે સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ મચાવ્યો. ઉચાપત મામલે 6 મહિનામાં 50થી વધુ અરજી કરવામાં આવી છે. જેથી 84 હજારની ઉચાપત કરનાર કેશિયર સુભાષચંદ્ર વિરૂદ્ધ લોકોનો રોષ ફાટી નિક્ળ્યો છે. બેંકના ખાતેદારોનું કહેવુ છે કે, 50 જેટલી અરજી કરવામાં આવી હોવા છતા પોલીસ ફરાર કેશિયરની ધરપકડ કેમ નથી કરતી.