રાજકોટમાં આજે લક્ષમીનગર અંડરબ્રિજનું લોકાર્પણ થયું જેમાં CM ભુપેન્દ્ર પટેલ ના હસ્તે લોકાર્પણ થયું પરંતુ રાજકોટમાં આમંત્રણ પત્રિકાના આપ્યા નો એક નવા વિવાદ ઉભો થયો છે ભૂતપૂર્વ CM વિજય રૂપાણીજી ને આ લોકાર્પણ માં બોલાવવામાં આવ્યા નથી આ આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણીજીનું કયાય નામ જ નથી રાજકોટના નાનામૌવા અને 150 ફુટ રિંગરોડથી શહેરને જોડતા એકમાત્ર લક્ષ્મીનગર અંડરપાસનું નવીનીકરણ કરીને ૩૫ કરોડ રૂપિયાના ખર્ચે અંડરબ્રિજ તૈયાર કરવાની જાહેરાત કરાઇ ને રેલવેને આ કામગીરી સોંપવામાં આવી હતી
રાજકોટમાં સૌથી મોટો માથાનો દુખાવો હોય તો તે છે ટ્રાફિકની સમસ્યા,શહેરમાં ચારે તરફ બ્રિજના કામ ચાલી રહ્યા છે,કામ ચાલુ હોય અને રસ્તો બંધ હોય તો સમજી શકાય પરંતુ લોકાર્પણની તારીખ નક્કી ન હોવાથી લક્ષ્મીનગર અંડરબ્રિજનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું હતું જેથી શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો
મહાનગરપાલિકા દ્રારા લક્ષ્મીનગર અંડરબ્રિજના લોકાર્પણ માટે ઓગસ્ટ મહિનો અને ત્યારબાદ ડિસેમ્બરની તારીખો નક્કી કરવામાં આવી .જોકે રેલવે આ કામગીરી પુરૂ કરવામાં આવી નથી.પરિણામે શહેરીજનો ભારે ટ્રાફિકજામનો સામનો કરી રહ્યા હતા .તેમાં પણ ઓફિસ ટાઇમ અને શાળા છૂટવાના સમયે ભારે ટ્રાફિક જામ થતો હતો ત્યારે લોકોએ આ બ્રિજનું કામ તાત્કાલિક પૂર્ણ કરીને શરૂ કરવાની માંગ કરી હતી આ જે આ બ્રિજ લોકાર્પણ CM ભુપેન્દ્ર પટેલ ના હસ્તે થયું હતું .પરંતુ પૂર્વ CM ને આ લોકાર્પણમાં આમંત્રણના આપતા એક વિવાદ ઉભો થયો છે .