ધ્રાંગધ્રા ના લોકો છેલ્લા ઘણા સમયથી એલ.ઈ.ડી બલ્બ અને ઉજ્જવલા યોજના હેઠળ મળતી અન્ય વસ્તુઓ મેળવવા માટે દરરોજ જીઈબી ઓફિસે ચપ્પલ ઘસી રહ્યા છે. પરંતુ કચેરી વારંવાર પુછતા બલ્બ ખાલી થઇ ગયા હોવાનુ જણાવે છે આથી ગ્રાહકો ધરમધક્કા સીવાય કશું હાથમાં આવતું નથી.આથી ન છુટકે લોકો બજારમાંથી મોંઘી કિંમતના બલ્બ ખરીદવા મજબૂર થવું પડે છે.
કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના થકી લોકોના ઓછો વિજવપરાશ કરતા તથા સસ્તી કિંમતે એલ.ઈ.ડી બલ્બ અને અન્ય ચીજવસ્તુઓ મળી રહે માટે એલ.ઈ.ડી બલ્બ અને અન્ય વસ્તુઓનું વિતરણની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ ધ્રાંગધ્રા માં જાણે ઉલટી ગંગા વહેતી હોય તેમ ઘણા સમયથી જી.ઈ.બી ઓફિસ બહાર લોકો ને વારંવાર ધક્કા ખાવા પડે છે જેના કારણે સસ્તા એલ.ઇ.ડી બલ્બ લેવા આવતા ગ્રાહકોને ખાલી હાથ પરત ફરવુ પડી રહ્યુ હોવાથી લોકો રોષ જોવા મળી રહ્યો છે અને ન છૂટકે બહારથી મોંધા ભાવના એલ.ઇ.ડી બલ્બ ખરીદવા મજબૂર બનવુ પડે છે.અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રાં માં આવેલ નાની મોટી ફેકટરી તથા કારખાના માં પણ આ સસ્તા એલ.ઇ.ડી બલ્બનો ઉપયોગ કરી વીજવપરાશ ઘટાડવામાં મદદરૂપ થાય છે. આથી આવા બલ્બની મોટી સંખ્યામાં માંગ રહે છે. આમ સરકાર દ્વારા લોકોને પડતી સમસ્યાને ધ્યાને લઇ સત્વરે ધ્રાંગધ્રા શહેર મા આવેલી જી.ઇ.બી ની કચેરી મા એલઇડી બલ્બનું વિતરણ શરૂ કરવામા તેવી શહેરીજનો ની માંગ ઉઠી છે.