ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા બાદ PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: જાણો શું કહ્યું
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સોમવારે સાંજે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલેલા રાજીનામા પત્રમાં ધનખરે સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો છે. તેમના આ પગલાથી બધા આશ્ચર્યચકિત છે અને તમામ પક્ષોના નેતાઓ તેમજ સાંસદો ધનખરના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે. જગદીપ ધનખડના રાજીનામા બાદ હવે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
Shri Jagdeep Dhankhar Ji has got many opportunities to serve our country in various capacities, including as the Vice President of India. Wishing him good health.
श्री जगदीप धनखड़ जी को भारत के उपराष्ट्रपति सहित कई भूमिकाओं में देश की सेवा करने का अवसर मिला है। मैं उनके उत्तम…
— Narendra Modi (@narendramodi) July 22, 2025
શું બોલ્યા PM મોદી?
PM નરેન્દ્ર મોદીએ જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામા બાદ મંગળવારે X (ટ્વિટર) પર ટ્વીટ કર્યું છે. PM મોદીએ ટ્વીટમાં કહ્યું, “શ્રી જગદીપ ધનખડજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક ભૂમિકાઓમાં દેશની સેવા કરવાનો અવસર મળ્યો છે. હું તેમના ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરું છું.”
ધનખડનું રાજીનામું મંજૂર
મળતી માહિતી મુજબ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું મંગળવારે મંજૂર કરી લેવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બંધારણના અનુચ્છેદ 67A હેઠળ તાત્કાલિક પ્રભાવથી ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાની સૂચના આપી દીધી છે.