હાલ રાજ્યભરમાં રોડ ઉપર રખડતા પશુઓ ને પકડવા અભિયાન ચાલુ છે જેનો માલધારીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે તેવા સમયે વડોદરા ના ફતેગંજમાં ઢોર પાર્ટી ઢોર પકડીને જતી હતી ત્યારે પશુ માલિકે મનપાની ટીમ સાથે માથાકૂટ કર્યા બાદ ઢોર ડબ્બા ના ટ્રેકટર આડે રોડ ઉપર સૂઈ જઈ ટ્રેકટરને આગળ વધતું અટકાવી દેતા ભારે હોબાળો થયો હતો, આ ઘટનામાં ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તેની અટકાયત કરાઈ હતી. ફતેગંજમાં સાંજના સમયે ઢોર પાર્ટી રસ્તે રખડતાં ઢોર પકડવાની કામગીરી ચાલુ હતી ત્યારે ઈએમઈ સર્કલ પાસે રસ્તામાંથી ગાયને ઢોર ડબ્બામાં ચડાવીને જઈ રહી હતી ત્યારે એકાએક તેનો માલિક મેલિયો રબારી ત્યાં આવી…
Author: mohammed shaikh
લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજુને આજે સવારે નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર થશે. રાજુના મૃતદેહને દિલ્હીના દ્વારકાના દશરથપુરથી નિગમબોધ સ્મશાનગૃહમાં લઈ જવામાં આવી રહ્યો છે. ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવના નિધનથી દરેક ચાહકો દુખી છે. ચાહકોથી લઈને પરિવાર અને મિત્રો અંતિમ યાત્રામાં જોડાયા છે કલાકારના નિધનથી, મિત્રો, સંબંધીઓ અને ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના વિજયની શરૂઆત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ દરમિયાન થઈ જેતે સમયે 6 વોર્ડની ચાર-ચાર મળીને 24 બેઠકો પર જીત મેળવવા ઉપરાંત જ્યારે બે વોર્ડમાં ભાજપની પેનલ તોડીને સુરતમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો જીત્યા ત્યારથી ભાજપ માટે આપ એક વિપક્ષની ભૂમિકામાં હોય હવે વિધાનસભાની ચૂંટણી દરમિયાન જો AAP સુરતમાં ગાબડું પાડે તો નુકસાન સૌરાષ્ટ્રમાં થાય એવું અનુમાન છે. આ કારણે જ ભાજપે અત્યારથી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી જેવા કદાવર નેતાઓને સુરતમાંવરાછા-કતારગામમાં ઉતારી દીધા છે. હાલ,આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં વિપક્ષનું મજબૂત સ્થાન જાળવી રાખ્યું છે. સાથે જ સુરતની સાતેક બેઠકો પર AAP મજબૂતીથી…
ઉત્તર પ્રદેશમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે,ઇટાવા જિલ્લામાં બુધવારે રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે જિલ્લામાં ત્રણ જગ્યાએ દિવાલ ધરાશાયી થતાં સાત લોકોના મોત થયા છે. અકસ્માત બાદ પરિવારજનોમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વરસાદના કારણે થયેલા અકસ્માતો પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રથમ દુર્ઘટના સિવિલ લાઇન વિસ્તારના ચંદ્રપુરા ગામમાં સર્જાઈ હતી અહી ટીનશેડ નીચે દાદી સાથે સૂઈ રહેલા ચાર બાળકો ના કાચી દિવાલ પડી જવાથી કરુંણ મોત થયું હતું, જેમાં ચાર ભાઈ-બહેનો સિંકુ (10), અભિ (8), સોનુ (7), આરતી (5) નો સમાવેશ થાય છે, કરૂણતા તો એ છે કે ચાર મૃતક બાળકોના માતા-પિતાનું બે વર્ષ…
કટ્ટર આતંકીઓના કથિત નેટવર્કને તોડવા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ના ૨૦૦ જેટલા અધિકારીઓ દ્વારા આજે ગુરુવારે સવારે 3.30 વાગ્યાથી 10 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડી સંગઠન સાથે જોડાયેલા 100 લોકોની પણ ધરપકડ કરવામાં આવતા સંગઠનના કાર્યકરો કેરળના મલ્લપુરમ અને કર્ણાટકના મેંગલુરુમાં NIA વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. PFIએ નિવેદન જારી કરીને કહ્યું છે કે અવાજ દબાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય એજન્સી અમારા લોકોને હેરાન કરી રહી છે. PFIનું નામ જે રીતે મોટા વિવાદોમાં આવ્યું હતું તેમાં જોવા જઈએ તો જુલાઈમાં પટના પોલીસે ફુલવારી શરીફમાં દરોડા પાડીને આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ…
કોંગ્રેસમાં 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના પ્રમુખ માટે ૧૭ ઓકટોબરે ચૂંટણી થવા જઈ રહી છે જેના ઉપર સૌની નજર છે. વંશવાદના આરોપોથી ઘેરાયેલી કોંગ્રેસમાં 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારના પ્રમુખ લગભગ નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે રાહુલ ગાંધી અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા 22 સપ્ટેમ્બરે નોટિફિકેશન જારી થવાની સાથે શરૂ થશે,આ માટે નોમિનેશન 24 થી 30 સપ્ટેમ્બર સુધી રહેશે. 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને બે દિવસ પછી પરિણામ આવશે. પદના પ્રબળ દાવેદાર રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત બુધવારે દિલ્હી પહોંચ્યા અને બે કલાક સુધી સોનિયા ગાંધી સાથે…
કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં બુધવારે મોડી રાત્રે સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ચાઇનીઝ બનાવટની પિસ્તોલ, ગ્રેનેડ અને ગોળીઓ મળી આવી છે. પકડાયેલા બંને આતંકવાદીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.પોલીસે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ ઈમ્તિયાઝ અહેમદ ગની અને વસીમ અહેમદ લોન તરીકે થઈ છે, જેઓ બટિંગુના રહેવાસી હોવાનું ખુલ્યું હતું.
સ્વ. રાજુ શ્રીવાસ્તવના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે,તા.21 સપ્ટેમ્બરના રોજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે નવી દિલ્હીની AIIMS હોસ્પટિલમાં નિધન થતાં તેઓના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે ત્યારે રાજુના અંતિમ સંસ્કાર આજે (22 સપ્ટેમ્બર)ના રોજ દિલ્હીમાં કરવામાં આવશે,રાજુના નિધનના સમાચાર મળતા જ ભાઈ તથા બહેન કાનપુરથી દિલ્હી આવ્યા હતા. AIIMSના હેડ ઑફ ફોરેન્સિક્સ ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવ છેલ્લા ઘણાં દિવસોથી હોસ્પિટલમાં એડમિટ હતા. આજ કારણે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ નવી ટેકનીક વર્ચ્યુઅલ ઓટોપ્સીથી કરવામાં આવ્યું હતું. આ ટેકનિકથી 15-20 મિનિટમાં પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું અને પછી પાર્થિવદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આજે રાજુ…
આતંકવાદીઓની કમર તોડવા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે તામિલનાડુ, કેરળ સહિત 10 રાજ્યોમાં PFI સ્થાનો પર દરોડા પાડ્યા હતા. દેશભરમાં PFI નેતાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે NIA અને EDની ટીમે રાજ્ય પોલીસ સાથે મળીને દસ રાજ્યોમાં દરોડા પાડ્યા અને આ દરમિયાન PFIના 100થી વધુ કેડરની ધરપકડ કરવામાં આવી. NIAએ તામિલનાડુમાં કોઈમ્બતુર, કુડ્ડલોર, રામનાદ, ડીંદુગલ, થેની અને થેંકસી સહિત અનેક સ્થળોએ PFIના પદાધિકારીઓના ઘરોની તપાસ કરી હતી. પુરસાવક્કમ સ્થિત ચેન્નાઈ PFIની સ્ટેટ હેડ ઓફિસ પર પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે. ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના મામલે દેશભરમાં…
ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણીઓ નજીકમાં જાહેર થઈ જશે,ઇલેક્શન કમિશન આગામી 26 અને 27 સપ્ટેમ્બર ના રોજ ગુજરાતની મુલાકાતે આવી શકે છે,સૂત્રોના જણાવતા પ્રમાણે બે સભ્યોનું ઈલેકશન કમિશન રાજકીય પાર્ટી ઓ સાથે અને રાજ્યના તમામ કલેકટરો સાથે પણ બેઠક કરી શકે તેવી વાત વચ્ચે ગમેત્યારે ચૂંટણી ડીકલેર થઈ શકે તેવી વાત હાલ ચર્ચાઈ રહી છે. ગુજરાતમાં અગાઉની વિધાનસભા ચુંટણીઓ દરમ્યાન 2017ની ચૂંટણીની વાત કરવામાં આવેતો ભાજપે 150થી વધારે બેઠકો જીતવાનો લક્ષાંક રાખ્યો હતો, પણ 99 બેઠક મળી હતી. આ વખતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપ તમામ 182 બેઠકો જીતવાનો લક્ષાંક મૂક્યો છે તો કેટલી બેઠક કબજે કરશે તેતો આવનારો સમય કહેશે. હાલમાં…