Author: mohammed shaikh

Screenshot 20220921 163856 Chrome

આજે વિધાનસભામાં સત્ર શરૂ થયાં પહેલાં જ કોંગ્રેસે દેખાવો કરવાનું શરૂ કર્યું હતું,બીજી તરફ ઢોર નિયંત્રણ બિલ બહુમતિના આધારે રદ કરવામાં આવ્યું હતું. આજથી બે દિવસનું ટુંકું વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. આ સત્ર ભૂપેન્દ્ર પટેલની સરકારનું નવું સત્ર છે. જો કે ચૂંટણી બાદ બનનારી સરકારનું સત્ર મળશે. પરંતુ આજે શરૂ થયેલા વિધાનસભાના સત્રમાં કોંગ્રેસે સરકારને જબરદસ્ત ઘેરી હતી. કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં વેલમાં ધસી આવ્યા હતાં. નારા લગાવીને સરકારનો વિરોધ કર્યો હતો. વિરોધ કરનાર ૧૦ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. ગૃહમાં દેખાવો કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોમાં જીગ્નેશ મેવાણી, કનુ બારૈયા, ગેની ઠાકોર, પ્રતાપ દુધાત, વિજયભાઈ, અમરીશ ડેર, બાબુ વાજા,પૂના…

Read More
Screenshot 20220921 114629 Chrome

મુરાદાબાદમાં છોકરીનું અપહરણ કરીને હેવાનોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યા બાદ કિશોરીને નગ્ન કરીને રસ્તા પર દોડાવી!!!બળાત્કારની ઘટના 1 સપ્ટેમ્બરની સાંજે બની છે, આ વિસ્તારની એક પંદર વર્ષની કિશોરી મેળો જોવા ગઈ હતી ત્યારે ભોજપુરના ઈસ્લામનગરના રહેવાસી આરોપી નીતિન, કપિલ, અજય, નૌશે અલી અને ઈમરાનએ બાળકીને મેળામાંથી ઉઠાવી બાઇક પર અપહરણ કર્યું હતું અને આરોપીઑ તેેંનેે સૈયદપુર ખડદરના જંગલમાં લઇ જઈ બાળકી સાથે ગેંગરેપ કર્યો હતો. કિશોરીની બૂમો સાંભળી નજીકના ખેતરોમાં કામ કરતા લોકો આવી જતાં આરોપીઓ ભાગી ગયા હતા પણ કિશોરીને નગ્ન અવસ્થામાં રસ્તા પર છોડતા ગયા હતા જે રોડ ઉપર દોડી રહી હતી આ દરમિયાન કોઈએ વીડિયો બનાવ્યો અને વાયરલ…

Read More
Screenshot 20220921 111639 Chrome

એક મહિનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું આજે નિધન થયું છે. વચ્ચે વચ્ચે કોમેડિયનની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયતમાં સુધારો થતો નહોતો. જ્યારથી રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો ત્યારથી તેઓ બેભાન હતા અને હવે આ ફાની દુનિયા છોડી ગયા છે. 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં જન્મેલા રાજુ શ્રીવાસ્તવના પિતા રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ પ્રખ્યાત કવિ હતા. તેઓ બલાઈ કાકાના નામે કવિતા સંભળાવતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે બાળપણમાં તેમને કવિતા સંભળાવવા માટે કહેવામાં આવતું હતું, તેથી તેઓ તેમના જન્મદિવસ પર કવિતાઓ સંભળાવતા હતા. રાજુ શ્રીવાસ્તવના અમિતાભ…

Read More
Screenshot 20220921 104141 Chrome

કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ નું નિધન થઈ ગયું છે,ગત તા.10 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવ જીમમાં વર્કઆઉટ કરતી વખતે બેભાન થઈ ગયા હતા. ત્યારથી તે સતત ૪૦ દિવસથી વેન્ટિલેટર પર હતા, ચાહકો અને પરિવાર તેના સાજા થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા હતા પણ તેઓની સતત તબિયત બગડતી જતી હતી અને આજે નિધન થયું હતું આ દુઃખદ ઘટના ને લઇ તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. 58 વર્ષીય રાજુનું આજે સવારે નિધન થયુ હતું તેઓની 10 વર્ષમાં ત્રણ વાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 10 વર્ષ પહેલાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં, સાત વર્ષ…

Read More
Screenshot 20220921 103342 Chrome

સુરતમાં અમરોલી, છાપરાભાઠા અને વેડરોડ વિસ્તારમાં માલધારીઓ એકત્ર થયા હતા,આજે માલધારીઓ દ્વારા પોતાના તબેલાઓનું દૂધ નહીં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પણ માલધારીઓનું હજારો લીટર દૂધ એક જ જગ્યાએ એકત્રિત કરીને પીલાણ માટે મશીન લગાડી દૂધ ગરીબોને વિતરણ કરવાનું શરૂ કર્યું હતું. દૂધ પીલાણ દરમિયાન મલાઈ કાઢી ઘી બનાવવામાં આવી રહ્યું છે. આ ઘીના લાડુ બનાવી ગાય અને કૂતરાને ખવડાવીને સરકાર સામે અનોખી રીતે વિરોધ કરવામાં આવનાર છે. માલધારીઓ પોતાની તમામ માંગોને લઈને મક્કમ જોવા મળી રહ્યા છે. માલધારીઓ અન્ય 9 મુદ્દાની માંગોને લઈને માલધારીઓ સરકાર સામે વિરોધ યથાવત રાખશે.

Read More
Screenshot 20220921 100857 Dailyhunt

રાજ્યમાં માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ આજે બંધ રાખી વિરોધ કર્યો છે અને ડેરીના વાહન અટકાવવામાં આવી  રહ્યા ના બનાવો વચ્ચે સુરતમાં સુમુલ ડેરીના ટેમ્પોમાં માલધારીઓ એ તોડફોડ કરી દૂધ રોડ ઉપર ઢોળી દેવાની ઘટના બાદ પલસાણા તાલુકાના ચલથાણ માં સુમુલ પાર્લર પર માલધારી સમાજના 100 જેટલા યુવાનો પહોંચી પાર્લર માલિકને ધમકાવી દૂધના કેરેટ ભરેલી ગાડીઓ લઈ ભાગી છૂટતા ભારે ચકચાર મચી છે. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને જનતાને બાન માં લેવાના પ્રયાસને વખોડી કાઢયો હતો, લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે માલધારી સમાજ દ્વારા ગાંધીનગરમાં શેરથામાં યોજાયેલા સંમલનમાં સરકારને બતાવી દેવા…

Read More
Screenshot 20220921 093835 Chrome

બિહારના સાસારામથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં માલગાડીના 20 વેગન પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માત દીનદયાલ ઉપાધ્યાય રેલ વિભાગના કુમહાઉ સ્ટેશન પાસે થયો હતો. આ દુર્ઘટનાને કારણે ગયા-હાવડા રૂટની અનેક ટ્રેનોને અસર થઈ હતી. રેલ્વે કર્મચારીઓ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે જાનહાનિ થઈ નથી. દુર્ઘટનાની ઘણી તસવીરો પણ સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે કમ્પાર્ટમેન્ટના ભાગો અહીં-તહીં વેરવિખેર થઈ ગયા છે. રેલવે મંત્રાલયે એક ટ્વિટમાં લખ્યું છે કે DDU ડિવિઝનના DDU-ગયા ગ્રાન્ડ ચોર્ડ રેલવે સેક્શનના કુમહાઉ સ્ટેશન પર આજે 21મી સપ્ટેમ્બરે સાંજે 06.30 વાગ્યે માલસામાન ટ્રેનના…

Read More
Screenshot 20220921 091853 Chrome

વડોદરાના વાઘોડિયા GIDCમાં ખાતેના પ્લોટ નંબર 728/29 સ્થિત શ્રી રાધે ક્રિષ્ણ મંડપ કંપનીમાં ભીષણ આગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી, આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા આવી પહોંચેલા લાશ્કરોએ આગ ને માંડ કાબુમાં લીધી હતી. વિગતો મુજબ વાઘોડિયા GIDCમાં લાલાભાઈ ગૌર અને નીલેષભાઈ ગૌરની માલિકીના પ્લોટ નં.728/29માં રાજસ્થાની રાધે ક્રિષ્ણ મંડપ કંપનીમાં ઓચિંતાની આગ લાગતાં અફરા તફરી મચી હતી. સદનશીબે કંપનીમાં કામ કરતા કામદારોની શિફ્ટ છુટ્યા બાદ આગ લાગતાં કામદારો નહિ હોવાથી મોટી જાનહાની ટળી હતી. રાત્રીના લગભગ પોણા અગિયાર વાગે મંડપ ડેકોરેશન માટે ફાઈબર અને પ્લાસ્ટિકના સામાનમાં મંડપ ડેકોરેશનના સામાન સહિત કાપડ અને ગાદલા ભરેલ ગોડાઊનમાં આગ લાગતાં…

Read More
Screenshot 20220921 090913 Chrome

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય જંગ છેડાવાની શક્યતા વચ્ચે હવે અહેવાલ એવા છે કે ગુજરાતમાં કોંગ્રેસ અને NCP ગઠબંધન સાથે ચૂંટણી લડશે. આ અંગે કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠક થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. અગાઉ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ બંને પક્ષોએ ચૂંટણી ગઠબંધનથી જ લડી હતી. ભાજપે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓને પોતાના પક્ષમાં સ્થાન આપી દેતા હવે કોંગ્રેસ માટે ભાજપ સામે સીધો જંગ કરવો શક્ય નથી કારણકે આમ આદમી પાર્ટીએ તે સ્થાન લઇ લીધું છે તેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં NCP અને કોંગ્રેસનું ગઠબંધન થઇ ભાજપ સામે ટકકર લેવા રણનીતિ ગોઠવાઈ…

Read More
Screenshot 20220921 085337 Chrome

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીઓ અગાઉ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુખ્ય જંગ મનાઈ રહ્યો છે ત્યારે ઓવૈસીની AIMIM પાર્ટી ગુજરાતમાં 65 બેઠકો પર જીતવાનો દાવો કર્યો છે. AIMIM ગુજરાતની કુલ 65 બેઠકો પર ઉમેદવાર ઉતારશે. જેમાં AIMIM અમદાવાદની 5 બેઠકો પર ચૂંટણી લડશે. જેમાં દરિયાપુર, જમાલપુર ખાડિયા, વેજલપુરમાં ઉમેદવારો ઉતારશે. ત્યાં જ દાણિલીમડા અને બાપુનગર બેઠક પર AIMIM ઉમેદવાર ઉતારશે. ઓવૈસીની પાર્ટી AIMIMની નજર ગુજરાતમાં મુસ્લિમ વોટબેંક પર છે અને આવા ગુજરાતના 3 જિલ્લા કચ્છ, ભરૂચ, અરવલ્લી અને અમદાવાદમાં જ્યાં મુસ્લિમના બહુમત વિસ્તાર છે તેવા વિસ્તાર માં પાર્ટી જીતની આશા રાખી રહી છે. ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 47 બેઠકો…

Read More