જસદણમાં જોરશોરમાં વોટીંગ ચાલી રહ્યું છે ત્યારે હવે ચૂંટણીને ગણતરીના કલાકો જ બાકી છે, તે પહેલા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ પર કેટલાક આરોપો લગાવ્યા છે. જેમાં કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ પોલીસનો ગેર ઉપયોગ કરી રહ્યું છે. ભાડલા ગામે કોંગ્રેસના કાર્યાલય ખાતે સ્થાનીક આગેવાનો પર પોલીસે ડંડાવાળી કરી છે. આ વિશે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ એક મોબાઈલ વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ભાજપ હાર ભાળી ગઈ છે, તેથી હવે તે પોલીસની મદદથી કોંગ્રેસના કાર્યકરોને દબાવવાના પ્રયત્નો કરી રહી છે. આચાર સંહિતાનો નિયમ ફક્ત કોંગ્રેસને જ લાગુ પડતો હોય એવું જોવા…
કવિ: Satya-Day
સુરતના ડૂંભાલ વિસ્તારમાં આવેલા ડૂંભાલ ટેનામેન્ટમાં હેતુફેર કરી મકાનોનાં બદલે દુકાનો ચણી દઈ ધંધો કરતી 14 દુકાનોને સીલ મારવાની કામગીરી સુરત મહાનગરપાલિકાનાં લીંબાયત ઝોન દ્વારા કરવામાં આવી હતી. રહેઠાણ માટે ફાળવવામાં આવેલા આવાસોમાં મકાન માલિકોએ દુકાનો બનાવી દીધી હતી.આ ઉપરાંત કેટલીક દુકાનોએ રસ્તા પર દબાણ કરતાં તેની પણ તોડફોડ કરવામાં આવી હતી. વિગતો મુજબ ડુંભાલ ટેનામેન્ટમાં વર્ષોથી મકાનોને તોડીને દુકાનો બનાવી દેવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષો પહેલાં ગરીબ લોકોને આ આવાસોની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ મકાનને બદલે લોકોએ દુકાનો ચણી દીધી હતી. પાલિકા દ્વારા દુકાનધારકોને નોટીસ આપવામાં આવી હતી પરંતુ માલિકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા…
ગત મોડી રાત્રે પડઘરીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાને જસદણ છોડવાની પોલીસ દ્વારા ફરજ પાડવામાં આવ્યા બાદ આજે મતદાનના દિવસે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ઋત્વિક મકવાણાને જસદણ છોડી દેવાની પોલીસે ફરજ પાડતા ભારે વિવાદ અવે બખેડો સર્જાયો છે. ઋત્વિક મકાવાણા ચોટીલાના કોંગ્રેસના ધારાસભ્ય છે અને કોળી સમાજના આગેવાન છે. જસદણ અને રાજકોટ વચ્ચે પોતાના ખેતરે જઈ રહેલા મકવાણાને આકોટકોટ પોલીસે રસ્તામાં આંતરીને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. ઋત્વિક મકવાણાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ભાજપ સરકાર દ્વારા પોલીસને ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હું મારા ખેતરે(વાડી) તરફ જઈ રહ્યો હતો અને રસ્તામાં મારા ઓળખીતા મકવાણા પરિવારનાં લોકો સાથે વાત…
ગુજરાત વિધાનસભાની જસદણ બેઠક પર આજ સવારથી જ મતદાન શરૂ થયું હતું અને મોતી સંખ્યામાં મતદારો ઉમટી પડ્યા છે. આ તમામ વચ્ચે ડુંગળી-લસણનો યોગ્ય ભાવ ન મળતા નારાજ ખેડૂતોએ ડુંગળી અને લસણના હાર પહેરીને મતદાન કરવા પહોંચી ગયા હતા. જસદણ વિસ્તારના ખેડૂતોએ ચાલું વર્ષે ડુંગળી અને લસણનું પુષ્કળ વાવેતર કર્યું હતું. પરેતું પાકના યોગ્ય ભાવ ન મળતા તેઓ રોષે ભરાયા હતા. આ ચુંટણી પ્રચાર દુમિયાન ખેડૂતોએ લોકોને ડુંગળી અને લસણ ફ્રી માં આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે પાકના પુરતા ભાવ આપવા માટે સરકાર સામે માંગણી કરી હતી.
સુરતની પલસાણા ચોકડી પાસે મોડી રાત્રે 3 વાગ્યાના અરસામાં ટ્રક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 વ્યક્તિના મોત થયા છે અને બે ઘાયલ થયા છે. ઘાયલોને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સચિન વિસ્તારમાં સ્વસ્તિક રેસિડન્સીમાં રહેતા શેખ અને પ્રજાપતિ પરીવારના પાંચ સભ્યો કારમાં શીરડી જવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન પલસાણા ચોકડી પાસે ટ્રક સાથે જોરદાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક માસૂમ બાળકી સહિત ત્રણના મોત નિપજ્યા છે જ્યારે બેને ગંભીર ઈજા થતા સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
કચ્છના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો નોંધાયો છે. આજરોજ સવારે 6.21 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 21 કિમી દૂર નોંધાયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2ની નોંધાઈ છે. ભુકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે હજુ સુધી ભૂકંપને લઇને કોઇપણ પ્રકારના નુકસાન અંગેની જાણકારી પ્રાપ્ત થઇ નથી. જો કે કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે જેના કારણે લોકોમાં ફફડાટ સાથે ભયનો માહોલ જોવા મળે છે. જો કે આ ભૂકંપનો આંચકો સુરેન્દ્રનગરની આસપાસ સુધી અનુભવાયો છે. જેમાં થાન-ચોટીલા સહિતના…
રાજકોટમાં જસદણ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન જોરશોરમાં ચાલી રહ્યું છે ત્યારે જસદણવાસીઓ સહિત અનેક સુરતીઓ 25 બસો ભરીને સુરતથી જસદણ થવા રવાના થઈ હતી, જે આજ રોજ જસદણ પહોંચી છે. સૌરાષ્ટ્રવાસીઓ આજે એક સાથે ફાયનલ મતદાન કરવા માટે સુરતથી જસદણ પહોંચ્યા છે. સુરતના જસદણવાસીઓ પણ આ મતદાનમાં જોડાયા છે. જસદણમાં 35 ટકા કોળી પાટીદારો છે. 20 ટકા લેઉઆ પાટીદારો છે અને 7 ટકા કડવા પાટીદારો છે. જેમાં સૌથી વધું કોળી સમાજનું મતદાન જોવા મળી રહ્યું છે. હવે 23 ડિસેમ્બરના રોજ જીતનો ઝંડો લહેરાશે
જસદણની વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સિટી ઉત્તરમાં 8 ટકા અનો પશ્ચિમમાં 6 ટકા મતદાન થયું છે. કુલ 8 ઉમેદવારો જંગ માટે મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આજે ખરાખરીનો જંગ છે. જસદણમાં એક કલાકમાં સરેરાશ 8 ટકા મતદાન થયું છે અને અત્યાર સુધીમાં કુલ 15 ટકા મતદાન નોંધાયું છે. નોંધનીય છે કે જસદણમાં અત્યાર સુધીમાં કુલ 14 વખત ચુંટણી યોજાઈ છે જેમાં 3 વખત એપક્ષ વિજેતા થયા હતા અને સતત 5 વખત કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળીયા વિજેતા બન્યા હતા. 104 ગામનું એક શહેરમાં મતદાન યોજાયું છે. 23 ડિસેમ્બરના રોજ પરીણામ આવશે.
ગુરુ ચેલા વચ્ચેની લડાઈ શરૂ થઈ ગઈ છે ત્યારે અવસર નાકિયાએ કુંવરઝી પર આરોપો લગાવ્યા કહ્યું હતું કે આજે ચુંટણી આવી અને અમે મેદાનમાં આવ્યા એવું નથી. પહેલી વખત અમે ચુંટણી લડ્યા ત્યારથી અમે કોંગ્રેસમાં છીએ અને કોંગ્રેસમાં રહેવાના છીએ. કોંગ્રેસે અમને ટીકીટ આપી છે અને અમે કોંગ્રેસ સાથે ગદ્દારી કરવાના નથી. અવસર નાકિયાએ જણાવ્યું હતું કે કોળી સમાજનું દર ચુંટણીએ મતદાન બે ચાર હજાર વધતું હોય છે. કુંવરજી ભાઈ જ્યારે ચુંટણી લડતા હતા ત્યારે 40 45 હજાર મતદાન વધતું હતું. ગઈ ચુંટણીમાં તેમનું મતદાન ફક્ત 9 હજાર જ હતું એટલે કે તેમની લીડ ઘટતી જાય છે પોતાની જીત અંગે ચોખવટ…
જસદણની પેટાચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા આવી પહોંચી રહ્યા છે. 18મી તારીખે પ્રચાર શાંત થયા બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા મતદારોને પોતાની તરફ વાળવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે. આજે સવારથી મતકેન્દ્રો પર લોકો પહોંચી રહ્યા છે. અત્યાર સુધી કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયા અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાએ પોતાના મતકેન્દ્રો પર જઈને મતદાન કર્યું હતું. વોટ આપવા જતી વખતે બન્ને ઉમેદવારોની સાથે કાર્યકરો જોવા મળ્યા હતા. જસદણમાં ભાજપે આ વખતે પેટા ચૂંટણીમાં મેગા પ્રચાર કર્યો છે. જેમાં CM, 7 મંત્રી, 38 MLA, 3 કેન્દ્રીય મંત્રીએ પ્રચાર કર્યો…