ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આયોજીત આઇસીસી વનડે વર્લ્ડકપ માટેની ટિકીટોનું વેચાણ ૨૧ માર્ચથી શરૂ થઇ જશે. આ વર્ષે વર્લ્ડકપ માટેની ૮ લાખ ટિકીટ વેચાણ માટે મુકવામાં આવી છે, જેની સામે ૩૦ લાખ લોકોઍ ઍપ્લાય કર્યુ છે. આઇસીસીની વેબસાઇટ પર પહેલા આવો અને પહેલા મેળવોના આધારે ટિકીટ આપવામાં આવશે. ટિકીટ ઍ લોકોને જ મળશે જેમણે ટિકીટ ખરીદવા માટે પહેલાથી ઍપ્લાય કર્યુ હોય. વર્લ્ડકપ માટે સૌથી વધુ ડિમાન્ડ ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકીટની છે. ખાસ વાત ઍ છે કે ફાઇનલ કરતાં વધુ લોકો આ મેચ જાવા માગે છે. આ મેચની ટિકીટ માટે ૪ લાખથી વધુ લોકોઍ ઍપ્લાય કર્યુ છે. જ્યાં ૧૬મી…
કવિ: Sports Desk
ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણીવાર વર્લ્ડકપ માટે ચોંકાવનારા નિર્ણયો કરવામાં આવે છે અને ઍવો જ ઍક નિર્ણય ૨૦૧૯ના વર્લ્ડકપમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ તેમજ પસંદગીકારો લઇ શકે છે અને તે છે તમિલનાડુના અોરલાઉન્ડર વિજય શંકરને વર્લ્ડકપમાં ચોથા ક્રમે અજમાવવાની વિચારણા. આ પહેલા ૨૦૦૩ના વર્લ્ડકપમાં વીવીઍસ લક્ષ્મણના સ્થાને ટીમે દિનેશ મોંગીયાને તક આપી હતી, જે સ્પિન બોલિંગ અોલરાઉન્ડર હતો. ભારતમાં રમાયેલા ૨૦૧૧ના વર્લ્ડકપમાં યુવરાજે પાંચમા બોલર તરીકેને ભૂમિકા નિભાવીને ૧૫ વિકેટ ખેરવી હતી. આ બાબતોને ધ્યાને લઇને બોર્ડ શંકર બાબતે આવો નિર્ણય કરે તેવી સંભાવના છે. જા કે ચોથા ક્રમ માટે શંકરને સૌથી વધુ પડકાર અંબાતી રાયડુ તરફથી મળશે, રાયડુ હાલ આઉટ ઓફ…
આઇપીઍલમાં રમનારા ભારતીય ટીમના વર્લ્ડકપના લગભગ નક્કી મનાતા ખેલાડીઅોના વર્કલોડ બાબતે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ભારતીય ટીમના માજી કેપ્ટન સૌરવ ગાંગુલીઍ મંગળવારે ઍવું કહ્યું હતું કે થાકની ચિંતા કર્યા વગર ખેલાડીઅોઍ વધુમાં વધુ ક્રિકેટ રમવું જાઇઍ. ગાંગુલીઍ કહ્યું હતું કે મારો તો ઍવો મત છે કે જેટલી તક મળે તેટલું ખેલાડીઅોઍ રમવું જાઇઍ. તેમણે જાકે તાજામાજા રહેવાની પદ્ઘતિ શોધવી પડશે, પણ નહીં રમવું ઍ કોઇ નિરાકરણ નથી ઍવું તેણે ઉમેર્યુ હતું. તેણે કહ્યું હતું કે રમવાની ઘણી તક મળતી નથી અને જેટલી હોય છે, તેનો વધુમાં વધુ ઉપયોગ કરવો જાઇઍ. રમતી સમયે ઇજા થવી સ્વાભાવિક છે અને ઍની કોઇ ગેરન્ટી…
ઍક પ્રસિદ્ધ અટક ધરાવતો હોવાને કારણે તેની સાથે જાડાયેલી આશાઓ બાબતે અર્જુન તેંદુલકર માહિતગાર જ છે પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનું માનવું છે કે ભલે ગમે તેવી સ્થિતિ હોય પણ તેના પુત્ર અર્જુને દરેક સવારે ઉઠીને લક્ષ્યનો પીછો કરવા માટેનું કારણ શોધવું પડશે. ડાબોડી ઝડપી બોલર અર્જુન મુંબઇની અંડર-૧૯ ટીમનું પ્રતિનિધિત્વ કર્યા પછી ભારતની અંડર-૧૯ ટીમ વતી બે ટેસ્ટ મેચ રમ્યો છે. ટી-૨૦ મુંબઇની બીજી સિઝનની હરાજી માટે તે ઉપલબ્ધ રહેશે. સીનિયર લેવલે આ તેની પ્રથમ ટૂર્નામેન્ટ હશે. સચિનને જ્યારે પુછાયું કે શું સીનિયર લેવલે કેરિયર શરૂ કરવા માટે આ યોગ્ય પદ્ધતિ ગણાશે, ત્યારે તેણે જવાબ વાળ્યો હતો કે આ…
‘હો સકતા હૈ આસમાં મે સુરાખ, એક પત્થર તો તબિયત છે ઉછાલો યારો’ આ ઉક્તિને 8 વર્ષના એક નાઇજિરીયન શરણાર્થીએ ચરિતાર્થ કરી છે. ગમે તેવી આકરી પરિસ્થિત હોય પણ જેનો જુસ્સો આસમાને પહોંચતો હોય તે કદી હારતો નથી એ વાત જાણે કે તાની નામના નાઇજિરીયન શરણાર્થીએ ગળે ઉતારી દીધી હોય તેવું કામ તેણે કર્યું છે. 8 વર્ષના આ છોકરડાંએ ન્યૂયોર્કમાં સ્ટેટ ચેસ ચેમ્પિયનશિપમાં ટ્રોફી જીતી લીધી છે. તાનીનો અહીં સુધીનો પ્રવાસ ઘણો આકરો રહ્યો છે, જો કે કદી હાર ન માનવાનો તેનો જુસ્સો અને આકરી મહેનતને જોરે તે ચેસ ચેમ્પિયન બન્યો છે. ન્યુયોર્કના મેનહેટન સ્થિત એક શેલ્ટર હોમમાં રહેતો 8…
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝનની 23 માર્ચથી શરૂઆત થઇ રહી છે અને તમામ ટીમો તેની તૈયારીમાં જોતરાયેલી છે. આ લીગમાં વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનો ભાગ લે છે, પણ જો વાત સૌથી વધુ રન કરવાની હોય ત્યારે તેમાં ટોપ-5 પર ભારતીય બેટ્સમેનોનો કબજો રહ્યો છે. આઇપીએલમાં સૌથી વધુ રન કરનારા ખેલાડીઓ પર એક નજર નાખી લઇએ. 1 સુરેશ રૈનાઃ મેચ 176, રન 4985, 1 સદી, 35 અર્ધસદી ચેન્નઇ સુપર કિંગ્સ વતી રમતો સુરેશ રૈના ધોનીની આગેવાની હેઠળની આ ટીમનો મહત્વનો સભ્ય છે. આઇપીએલની તમામ સિઝન મળીને સર્વાધિક રન કરનારા બેટ્સમેનોની યાદીમાં તે ટોચના સ્થાને બેઠેલો છે. રૈનાએ 176 મેચ રમી છે,…
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝન શરૂ થવા પહેલા તેની સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર ઇન્ડિયા લિમિટેડને બીસીસીઆઇ દ્વારા એક આકરો ઝાટકો આપવામમાં આવ્યો છે. બીસીસીઆઇ દ્વારા આઇપીએલના લાઇવ પ્રસારણ દરમિયાન રાજકીય જાહેરાતો દર્શાવવાની સ્ટાર ઇન્ડિયાની માગ ફગાવી દીધી છે. સ્ટાર ઇન્ડિયા દ્વારા બીસીસીઆઇ પાસે આઇપીએલના પ્રસારણમાં રાજકીય જાહેરાતો દર્શાવવાની મંજૂરી માગી હતી જેને મંગળવારે બીસીસીઆઇએ ફગાવી દીધી હતી. એક અહેવાલ અનુસાર સ્ટાર ઇન્ડિયા ઇચ્છતું હતું કે મીડિયા રાઇટ્સ એગ્રીમેન્ટની કલમ 8.6 (બી)નો અંત લાવી દેવામાં આવે, કે જેથી મેચના પ્રસારણ દરમિયાન રાજકીય જાહેરાતો બતાવવાની મંજૂરી મળી જાય. આ કલમ હેઠલ મેચના પ્રસારણ દરમિયાન રાજકીય અને ધાર્મિક જાહેરાતોના પ્રસારણ પર રોક મુકાયેલી…
સ્પેનિશ લીગ લા લીગામાં લિયોનલ મેસીની હેટ્રિકની મદદથી બાર્સિલોનાઍ રિયલ બેટિસને 4-1થી હરાવ્યું હતું. મેસી ઉપરાંત બાર્સિલોના વતી લુઇસ સુઆરેઝે ઍક ગોલ કર્યો હતો. મેસીની રિયલ બેટિસ સામે આ ત્રીજી હેટ્રિક હતી જ્યારે લા લીગમાં તેની આ 33મી હેટ્રિક હતી. આ ટુર્નામેન્ટમાં સર્વાધિક હેટ્રિકનો રેકોર્ડ યૂવેન્ટ્સના રોનાલ્ડોના નામે છે, જેણે કુલ 34 હેટ્રિક ફટકારી છે. બાર્સિલોના આ ટુર્નામેન્ટમાં છેલ્લી 16 મેચથી અજેય રહ્યું છે. તે લીગમાં અત્યાર સુધી ૨૮ મેચ રમી ચુક્યું છે. તેમાંથી 20માં તેનો વિજય થયો હતો. જ્યારે 6 મેચ ડ્રો રહી છે અને બે મેચમાં તેનો પરાજય થયો છે. આ સાથે બાર્સિલોના લા લીગાના પોઇન્ટ ટેબલમાં 66…
સુરત શહેરના આંગણે રમાઇ રહેલી મહિલા અંડર-23 ઍલાઇટ-ઍ ગ્રુપની વનડે ટુર્નામેન્ટમાં સોમવારે રમાયેલી બંગાળ વિરુદ્ધ ઉત્તરપ્રદેશ વચ્ચેની મેચમાં ભારતીય ટીમ વતી રમતી દીપ્તિ શર્માઍ ઓપનીંગમાં આવી પોતાની તોફાની બેટિંગ વડે બંગાળને ઉત્તપ્રદેશ સામે 8 વિકેટે જીતાડ્યું હતું. ઉત્તરપ્રદેશે પ્રથમ દાવ લઇને મુસ્કાન મલિકના 71 અને ઍકતાના 91 રનની મદદથી પાંચ વિકેટના ભોગે 191 રન બનાવ્યા હતા. 192 રનનો લક્ષ્યાંક બંગાળે બે વિકેટે જ કબજે કરી લીધો હતો. જેમાં દીપ્તિ શર્માઍ 95 રનની ઇનિંગ રમી હતી જ્યારે રીચાઍ 59 રન બનાવ્યા હતા. સીબી પટેલ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં કર્ણાટકે તમિલનાડુને માત્ર 91 રનમાં જ ઓલઆઉટ કરીને 4 વિકેટના ભોગે લક્ષ્યાંક કબજે…
પુલવામામાં થયેલા ત્રાસવાદી હુમલા પછી પાકિસ્તાન સામે વર્લ્ડકપની મેચ ન રમવાની માગણી ફરી ઍકવાર ઉગ્ર બનવા માંડી છે. માજી ક્રિકેટર ગૌતમ ગંભીરે આગામી વનડે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની મેચ ન રમવાનું પોતાનું વલણ ફરી દોહરાવ્યું છે. ગંભીરે કહી દીધું હતું કે આપણે પાકિસ્તાન સામેની ગ્રુપ સ્ટેજની તો શું ટૂર્નામેન્ટની ફાઇનલ રમવાની આવે તો પણ ન રમવી જાઇઍ. ગંભીરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાઍ પાકિસ્તાન સામે રમવું કે નહીં તે બીસીસીઆઇઍ જ નક્કી કરવાનું છે. પણ હું અંગત રીતે ઍવું માનુ છું કે મારા માટે ઍ બે પોઇન્ટ ઍટલા મહત્વના નથી, જેટલા સૈન્યના જવાનો મહત્વના છે. આપણા માટે…