આજના કળિયુગમાં કેટલીક એવી ઘટનાઓ સામે આવી રહી છે તે જોતા લાગે કે હવે તો હદ થઈ ગઈ છે,વાસનામાં અંધ હવસખોરો સંબંધોની મર્યાદા પણ ભૂલી રહયા છે. જામનગર શહેરના જાણીતા પરિવારમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં સસરાએ પોતાની પુત્રવધુ ઉપર ત્રણથી વધુ વખત બળાત્કાર ગુજાર્યો હોવાઅંગે પોલીસમાં ફરિયાદ થતા ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસે તપાસ બાદ સંપન્ન પરિવારના 65 વર્ષના વૃદ્ધની ધરપકડ કરી છે.
આ ઘટના અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ જામનગર માં
કેતન સોસાયટી બેડમિન્ટર હાઉસ પાસે રહેતા કિરીટભાઈ ખેતાણી નામના વયોવૃદ્ધ સસરા સામે તેમની પુત્રવધૂએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, આજથી એક-સવા વર્ષ પહેલા પોતાના ઘરે અગાસીના ટાંકામાં પાણી નથી તેમ કહેતા પોતે ત્યાં જોવા જતા તેને પાછળથી સસરાએ પકડી લીધી હતી અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી પ્રથમ વખત નીચેના રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ તે સિલસિલો શરૂ થયો હતો અને તે બાદ 3થી 4 વાર અલગ અલગ સમયે સસરો દુષ્કર્મ કરતો રહ્યો હતો, આખરે વાસના ભૂખ્યા સસરાથી કંટાળીને પુત્રવધૂએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વૃદ્ધ સસરા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે આ બનાવે શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે.
જામનગરસીટી B પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.
વિગતો મુજબ ભોગ બનનાર મહિલાનો પતિ છેલ્લા ઘણા સમયથી ગુમ હોય અને પુત્રવધુ તેમજ બાળક, સસરા સાથે રહેતા હોય ત્યારે પુત્રવધુ સાથે એકવાર દુષ્કર્મ કર્યા બાદ ઘરમાંથી કાઢી નાખવાની ધમકી આપી હતી જેના ભયથી મહિલાએ કોઈને જાણ કરી નહી કરતા તે દુષ્કર્મ કરતો રહ્યો હતો, પુત્રવધુની ફરિયાદના આધારે સીટી B પોલીસે દુષ્કર્મ કરનાર ઈસમને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.