ફતેહગઢ જિલ્લા જેલમાં રવિવારે હોસ્પિટલમાં કેદીનું સારવાર દરમિયાન મોત થયાના સમાચાર મળતાં જ કેદીઓએ હોબાળો મચાવ્યો હતો. જેલર પર હુમલો કર્યા બાદ અને પથ્થરમારો કર્યા બાદ જેલને આગ ચાંપી દેવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના ફરુખાબાદના ફતેહગઢ સ્થિત જિલ્લા જેલમાં એક કેદીના મોતને લઈને સાથીદારો રોષે ભરાયા હતા. ગુસ્સે થયેલા કેદીઓએ પથ્થરમારો કરીને જેલને આગ ચાંપી દીધી હતી. માહિતી મળતા જ જેલ અને પોલીસ પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. કેદીઓએ જેલર અને અન્ય પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. હુમલામાં 30 પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સાથે જ ઘણા કેદીઓ પણ ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. મળતી…
Author: Shakil Saiyed - Political Editor
નવી દિલ્હી તા .7નવેમ્બર રવિવારે ઉત્તરપ્રદેશ ની ચૂંટણીમાં મોહમ્મદ અલી જિન્ના નો ઉલ્લેખ કરવામાં આવ્યો જિન્ના ના કારણે રાજકીય સમીકરણો બદલાયા સાથેજ વિવાદ પણ સર્જાયો હવે પ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સપા પ્રમુખ અખિલેશ યાદવ પર જોરદાર પ્રહાર કર્યો તેમને નામ લીધા વગરજ યુપીની જનતાને એક સમાચાર આપ્યા મુખ્યમંત્રી યોગીએ ચોખ્ખું કહ્યું કે સરદાર પટેલ અને જિન્ના નું નામ એકસાથે ના લઈ શકાય એક બાજુ દેશને જોડવાનું કામ કર્યું તો બીજી બાજુ ભાગલા કરાવ્યા આ કારણે યોગીએ કહ્યું કે યુપીની જનતાના આવા શરમજનક નિવોળોને ફગાવી દેવા જોઈએ. આવા ઓકોની માનસિકતા સમજાવો આ કેવા લોકો છે સરદાર અને જિન્ના એકસાથે જોડાયા…
તમિલનાડુની એક શાળાના મહેમાનો સાથેની તેમની વાતચીતનો વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે તેમની મુલાકાતે દિવાળીને વધુ ખાસ બનાવી છે. સંસ્કૃતિનો આ સંગમ આપણા દેશની સૌથી મોટી તાકાત છે અને આપણે તેને સાચવવી જોઈએ. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે નવી દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન પર તમિલનાડુના કન્યાકુમારી જિલ્લામાં એક શાળાના જૂથ માટે દિવાળી ડિનરનું આયોજન કર્યું હતું. વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે જો તેઓ વડાપ્રધાન બનશે તો તેઓ સૌથી પહેલા શું કરશે? તમિલનાડુની એક શાળાના મહેમાનો સાથેની તેમની વાતચીતનો વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે તેમની મુલાકાતે દિવાળીને વધુ ખાસ બનાવી છે.…
લો પ્રેશરથી ગુજરાતમાં માવઠાની અસર અરબીસમુદ્રમાં લો પ્રેશર થી ગુજરાતમાં માવઠાની અસરો જોવા મળી હવામાન વિભાગે મુજબ આજે રવિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના રાજ્યમાં વરસાદનુ જોર વધ્યું સુરત,વલસાડ ,ડાંગ ,તાપી ,દાદરાનગર ,રાજકોટ ભાવનગર જૂનાગઢ અનેક જિલ્લાઓમાં માવઠા ની અસર જોવા મળી શકે છે. હવામાન મુજબ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે રાજ્યમાં ઠંડી નું જોર પણ વધી રહ્યું છે અમદાવાદ,ગાંધીનગર તથા ડીશામાં 7કિલોમીટર ઝડપે પવન ફુંકાયો લોકો ઠડી માં ઠર્યા આગામી હજુ તાપમાનનો પારો 3થી4ડીગ્રી નીચે જવાની સંભાવના હવામાન વિભાગે 10નવેમ્બર સુધી રાજ્યમાં ગુજરાત અને કસ્છ ના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાની અસર કસ્છના સહિત વિસ્તરોમાં તાત્કાલિક જરૂરી પગલાં ભર્યા ડિસેમ્બર અને…
સુરતના બારડોલી વિસ્તારમાં ભાઈબીજના તહેવારના દિવસે તાપી નદીમાં નહાવા પડેલા બે ભાઈઓ ડૂબી જતા કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે.આ બન્ને ભાઈઓ ગોડાદરા વિસ્તારના છે.ભાઈ-બીજના તહેવારના દિવસે વાઘેચા તાપી નદીના કિનારે મહાદેવ મંદિરે દર્શન કરવા આવ્યા હતા તે જાણવા મળ્યું છે.સ્થાનિક લોકોએ થોડા કલાકમાં જ એક યુવાનના મૃતદેહને નદીના પેટાળમાંથી શોધી કાઢ્યો હતો.જયારે બીજા યુવાનના મૃતદેહ ન મળતા આજે સવારથી શોધખોળ શરુ કરી હતી. બારડોલી મંદિર દર્શન કરવા ગયા હતા ભાઈઓ બારડોલી ફાયર વિભાગે જણાવ્યું હતું કે આ ઘટના બપોરનીઓ બનેલી છે અને ફાયર વિભાગને જાણ સાંજના કરાઈ હતી.6 જેટલા યુવાનો મંદિરે દર્શન કરવા આવ્યા હતા.દર્શન કર્યા બાદ તેઓ નહાવા માટે…
ગાંધીનગર જિલ્લાના ખાત્રજ ખાતે આવેલી દવા બનાવતી તુત્સન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ કંપનીની ઘટના સામે આવી છે.કંપીનીમા ETP પ્લાન્ટની ટાંકીમાં સફાઈ કરવા માટે ઉતારેલા એક મજુરને બચાવવા એક પછી એક ચાર લોકો અંદર ઊતર્યા હતા.એકનો બચાવ ન થતા પાંચેય મજૂરોએ જીવ ગુમાવ્યો હતો.આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને પાંચેયના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કલોલના ખાત્રજ જીઆઈડીસી પ્લોટ નંબર 10, બ્લોક નંબર 58માં તુટસન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ નામની દવા બનાવતી કંપની આવેલી છે. કંપનીના દૂષિત પાણીને રિસાયકલ કરવા માટે અહીં એક ETP પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.…
શનિવારે સવારે થયેલા અકસ્માતના સાક્ષીઓ અને અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો ટેન્કરમાંથી લીક થઈ રહેલું તેલ લેવા પહોંચ્યા હતા. પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્ર સિએરા લિયોનની રાજધાની ફ્રીટાઉનમાં ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ અને આગ લાગવાથી ઓછામાં ઓછા 91 લોકો માર્યા ગયા છે. આ લોકો ટેન્કરમાંથી નીકળતું ઓઈલ ભરવા માટે એકઠા થયા હતા, ત્યારે ઓઈલમાં આગ લાગી અને પછી ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો. જેના કારણે ત્યાં હાજર લોકો તેની પકડમાં આવી ગયા. શનિવારે સવારે થયેલા અકસ્માતના સાક્ષીઓ અને અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો ટેન્કરમાંથી લીક થઈ રહેલું તેલ લેવા પહોંચ્યા હતા. ઉપનગરીય વેલિંગ્ટનમાં એક બસ ટેન્કર સાથે અથડાઈ હતી. તે…
સુરત શહેરના વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે ઘર પાસે રમતી અઢી વર્ષની માસુમ બાળકી ગુમ થઇ ગઈ છે.બાળકીને શોધવા માટે પોલીસ દોડતી થઇ ગઈ છે.છેલ્લા 48 કલાકમાં સુરત પોલીસ DCB સહિતના 100 જવાનોએ બાળકીને શોધવા માટે રાત-દિવસ એક કરી નાખ્યા છે.આ માસુમ બાળકી રમતા રમતા અચાનક ક્યાં જતી રહી છે કે અથવા તેનું અપહરણ થયું છે તેની તેના પરિવારને અને પોલીસને પણ ચિંતા છે. પાંડેસરાના PSI એ જણાવ્યું છે કે આ ઘટના દિવાળીની રાતના થયેલ છે.માસુમ બાળકીના પિતા એક મિલમાં મજૂરી કામ કરે છે.તેમની બે બાળકી છે.એમાં આ મોટી દીકરી છે.દિવાળીના રાતના ઘર પાસે રમતી આ માસુમ દીકરી અચાનક ગુમ…
મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને રાહત મળી છે. હકીકતમાં, મુંબઈની વિશેષ અદાલતે દેશમુખની ED કસ્ટડી વધારવાનો ઇનકાર કરી દીધો છે. કરોડો રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ માટે રાહતના સમાચાર છે. મુંબઈની વિશેષ અદાલતે દેશમુખની ઈડી કસ્ટડીને વધુ લંબાવવાનો ઈન્કાર કરી દીધો છે. તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. અગાઉ અનિલ દેશમુખને નિયમિત આરોગ્ય તપાસ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. કોર્ટે 2 નવેમ્બરે દેશમુખને 6 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલી દીધો હતો. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં 12 કલાકથી વધુ ચાલેલી પૂછપરછ બાદ 1 નવેમ્બરના રોજ મોડી રાત્રે દેશમુખની ધરપકડ…
વડોદરા શહેરમાં મકરપુરા GIDCમાં આવેલી શ્રી સાઈનાથ ઇલેક્ટ્રો પ્લાસ્ટર્સ ફેક્ટરીમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી.આ આગના બનાવમાં ફેટરીમાં રહેતી એક વૃદ્ધા આગમા ભડથું થઇ ગઈ.આ બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે દોડી આવી અને પાણી ચલાવતા આગને કાબુમાં લીધી હતી. વડોદરા મકરપુરા GIDCમાં આવેલી સાંઈનાથ ઇલેક્ટ્રો પ્લાસ્ટર્સ કંપનીમાં આજે વહેલી સવારે આગ લાગી હતી.આ આગએ કંપનીના ચારે બાજુ વિકરાળ સવરૂપ ધારણ કરી લીધું હતું.કંપનીમાં રહેતા 70 વર્ષના સંતુબેન પોતાનો બચાવ કરી શક્ય નહિ અને તે આગમાં લપેટાઈ જતા ભડથું થઇ ગયા હતા. ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ આગમાં બળી જતા સંતુબેન કંપનીમાં છેલ્લા 2 વર્ષથી રહેતા…