હાલમાં MeTooનો વિવાદ ચાલી રહ્યો છે તેવામાં રાજકોટ ખાતે હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. યુવતીએ ફેસબુક ફ્રેન્ડને બોલાવી 12 લાખ રૂપિયા માંગ્યા હોવાનો કિસ્સો ચકચારી બન્યો છે. સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી ત્રણ યુવકો સાથે સાંઠગાંઠ રચીને યુવાનને માર માર્યો, મોબાઈલ લૂંટી લીધો હતો અને 12 લાખની ખંડણી માંગી હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે. વિગત એવી છે કે ફેસબુક પર ફ્રેન્ડશીપ કર્યા બાદ યુવતે સુરેશ નામના યુવકને રાજકોટના રેસકોર્સ ખાતે આવેલા લવગાર્ડન ખાતે મળવા બોલાવ્યો હતો. નીતુ રાવલ નામની યુવતીએ સુરેશને મળવા બોલાવ્યા બાગ તેની સાથે ત્રણ શખ્સો પણ આવ્યા હતા. નીતુ સાથે આવેલા ત્રણેય…
કવિ: Satya-Day
જુલાઈ-2019થી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જારી થનાર ડ્રાઈવિંગ લાયસન્સ અને વ્હીકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી બુક એક જેવા બનશે. ડ્રાઈવિંગનો રંગ, લૂક અને ડિઝાઈન સહિતના ફિચર્સ સાથે નવા ડ્રાઈવિંગ લાયસન્સ લોકોને મળશે. સ્માર્ટ ડીએલ અને આરસીમાં માઈક્રોચીપ તથા ક્યુઆર કોડ હશે. આ કાર્ડમાં મેટ્રો અને એટીએમ કાર્ડની જેમ નિયરફિલ્ડ કોમ્યુનિકેશન(NFC) પણ હશે.આનાથી ટ્રાફિક પોલીસને તરત જ સંપૂર્ણ જાણકારી મળી જશે. જો વાહન હાંકનારે અંગ કર્યું છે તો તેની પણ જાણકારી તેમાં ઈઝીલી મળી જશે. જો ડ્રાઈવર દિવ્યાંગ છે તો ખાસ રીતે તૈયાર કરાયેલી સૂચના કાર્ડમાં ઉપલબ્ધ હશે. પ્રદુષણ નિયંત્રણની સુવિધા માટે ઈમિશનની પણ આરસી બુકમાં સુવિધા હશે.…
સુરત ખાતે આવેલી સ્મીમેર હોસ્પિટલમાં બનેલા રેગિંગના મામલામાં પાંચ રેસિડેન્ડ ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ રેગિંગની ફરિયાદ હોસ્પિટલના ડીનને કરી હતી જેમણે આ મામલો એન્ટી રેગિંગ કંપનીને સોપ્યો હતો. ત્યારબાદ રેસિડેન્ટ ડોક્ટરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વિગતો મુજબ સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડો. મિતેશ, ડો. અંકિત. ડો. શાલીન સહિત પાંચ રેસિન્ડેટ ડોક્ટરો સામે રેગિંગની ફરિયાદ કરવામાં આવી હતી. આ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ડો. રાજનને બે ટર્મ માટે અને ડો. અંકિતને એક ટર્મ માટે સસ્પેન્ડ કરાયા છે. જ્યારે અન્ય ત્રણને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે…
દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્યા પટનાયકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે. ઈ-મેલમાં ધમકી આપવામાં આવી છે કે 2018માં મોદી પર હુમલો કરવામાં આવશે, દિલ્હી પોલીસ કમિશનરના સત્તાવાર મેલ પર આ ધમકી આપવામાં આવી છે. હત્યા કરવાની ધમકી આપતા મેલ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. મેલ કોણે મોકલ્યો અને તેનો ઈરાદો શો છે તે અંગે આગળની તપાસ કરવામાં આવશે. આ ઈમેલ નોર્થ-ઈસ્ટ સ્ટેટમાંથી મોકલાયો છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને તેલાંગાણામાં યોજાનારી ચૂંટણી પૂર્વે મેલ આવતા સિક્યુરીટી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આ તમામ પાંચ રાજ્યોમાં મોદી સભાઓને સંબોધન કરવા જવાના છે. જૂન મહિનામાં પૂણે પોલીસે…
છેલ્લા 12 દિવસથી હર્ષદ ઠક્કર લાપતા થયા છે. હજુ સુધી તેમની કોઈ ભાળ કે જાણકારી મળી નથી. ઠક્કર પરિવાર આ ઘટનાથી હેબતાઈ ગયો છે અને ચિંતામાં ગળાડૂબ છે. માહિતી મુજબ શેરબજાર કડડડભૂસ થતાં હર્ષદ ઠક્કરને ભારે નુકશાન થવા પામ્યું હોવાનું કહેવાય છે. વિગતો મુજ બીજી ઓકટોબરના દિવસે હર્ષદ ઠક્કર તેમની મુંબઈ સ્થિત ઓફિસથી ગૂમ થયા છે. તેમના અપહરણની શંકા પણ નકારી શકાતી નથી. હર્ષદ ઠક્કર આશાપુરા ઈન્ટીમેટ ફેશન લિમિટેડના માલિક છે અને વેલેન્ટાઈન ગ્રુપના સીએમડી છે. સુરત અને વડોદરામાં તેમના ચાર સ્ટોર છે જ્યારેવેલેન્ટાઈનના નામથી દેશભરમાં નેટવર્ક ધરાવતા છે. મુંબઈમાં પાંચ સ્ટોર છે. હર્ષદ ઠક્કર મૂળ કચ્છના જખૌના વતની છે.…
સુરત શહેરમાં સાપ્તાહિકોની સામે અસંખ્ય ફરીયાદોના પરિણામ સ્વરૂપ જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ ડો.ધવલ પટેલ દ્વારા આકરા પગલા ભરવામાં આવે તેવી માહિતી મળી છે. ખાસ કરીને સુરતમાં સાપ્તાહિકનું ટાઈટલ મેળવી કેટલાક સાપ્તાહિકો દ્વારા બ્લેક મેઈલીંગની ફરીયાદો ખડકલો થતાં કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને આવા પ્રકારના સાપ્તાહિકોની યાદી તૈયાર કરવાનું ફરમાન જારી કરવામાં આવ્યું હતું. સુરતમાં નીકળતા વીકલી પૈકી 50 ટકા વીકલીનું રજિસ્ટ્રેશન રદ્ કરવામાં આવે તેવી માહિતી આધારભૂત રીતે મળી રહી છે. વીકલી ન્યૂઝ પેપરમાં ગેરકાયદે બાંધકામ અને દારુ-જુગારનાં અડ્ડાના ફોટો અને આવી ખબરો સિવાય વધારે કશું જોવા મળતું નથી. આ ઉપરાંત ચાર પાનાના ચોપાનીયા કાઢીને રજિસ્ટ્રાર ન્યૂઝ…
સુરતમાં કોંગ્રેસના અગ્રણી અને ભાજપના કાર્યકર સહિત ત્રણની વિરુદ્વ ખંડણીની ફરીયાદ દાખલ થતાં ચકચાર મચી જવા પામી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતા વોયવૃદ્વ મુસ્લિમે ફરીયાદ કરી છે. પોલીસે ફરીયાદના અનુસંધાનમાં તપાસ હાથ ધરી છે. પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે સલાબતપુર, જૂનીઈદગાહ ખાતે રહેતા 80 વર્ષના ઈસ્માઈલ વાડીવાલા નામાના વયોવૃદ્વે નોંધાવેલી ફરીયાદ અનુસાર ઝાંપાબજારમાં રહેતા ઝહુર કુરૈશી, નાનપુરામાં રહેતા ચેતન માછી અને ગુજરાત કોંગ્રેસના મંત્રી તથા રાંદેર વિસ્તારમાં રહેત ફિરોઝ મલેકે ઈસ્માઈલ વાડીવાળા પાસેથી બે લાખ રૂપિયા લઈ લીધા હતા અને બીજા 10 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. ત્રણેય જણાએ ટોળકી બનાવી ઈસ્માઈલ વાડીવાળાના ઘરમાં ધુસી જઈ તેમની દિકરી સલમાને ધાક-ધમકી…
મુંબઈ ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસની નરીમાન પોઈન્ટના રાહેજા સેન્ટરમાં સાયબર રોબરીથી ચકચાર મચી જવા પામી છે. ઈન્ટરનેશનલ હેકર્સએ લૂંટારૂ બનીને 143 કરોડની અધધધ કહી શકાય તેવી સાયબર રોબરીને અંજામ આપ્યો છે. આ અંગે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. બેન્કમાં થયેલી રોબરીએ આખીય બેન્કીંગ સિસ્ટમને અદ્વરતાલ કરી દીધી છે. વિગતો મુજબ સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસમાં ગત પાંચમી ઓક્ટોબરે આ મામલો ધ્યાને આવ્યો હતો. બેન્કના અધિકારીએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે કે ઈન્ટરનેશનલ હેકર્સ દ્વારા બેન્કના અનેક ખાતા હેક કરીને સાયબર રોબરીને અંજામ આપવામાં આવ્યો છે. ભારત અને વિદેશના ખાતા પણ સાયબર રોબર્સની વરુણીમાં આવી ગયા છે. હેક કરવા માટે…
#MeToo એટલે કે જાતીય સતામણી અને લૈંગિક હુમલા કરવા માટેનું સોશિયલ એજીટેશન છે. 2017ના ઓક્ટોબર મહિનામાં #MeTooનો ભારોભાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકામાં આ આંદોલને સોશિયલ મીડિયામા વેગ પકડ્યું હતું. વ્યાપક રૂપે ફેલાયેલા જાતીય શોષણના દુષણની સામે #MeToo હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ હેશટેગ હમણાં-હમણા ખાસ્સું પ્રચલિત થયું છે. નાના પાટેકર,આલોકનાથ, એમજે અકબરથી લઈ સુભાષ ઘાઈ, કૈલાશ ખૈર અને સાજીદ ખાન સુધીની અનેક નામી હસ્તીઓ આની અડફેટે આવી ગઈ છે. #MeToo હેશટેગ હાર્વે વેઈન્સટાઈન સામે લૈગિંગ દુર્વ્યવહાર બાદ સોશિયલ મીડિયામાં તરત ચલણમાં આવ્યું. અમેરિકામાં આ હેશગેટનો ઉપયોગ પહેલી વાર થયો. અમેરિકાની સામાજિક કાર્યકર તારના બર્કેએ 2006માં #MeToo અંગે…
લોકસભા ચૂંટણી માટેની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી અને કોંગ્રેસ વચ્ચે મહારાષ્ટ્રમાં ગઠબંધન છે. આ ગઠબંધનની અસર ગુજરાતમાં પણ પડવાની છે. મહારાષ્ટ્રમાં પવારે કુલ 48 લોકસભા સીટ પૈકી 24 સીટ એટલે કે અડધો-અડધ સીટ કોંગ્રેસ પાસે માંગી છે. 24 સીટ માંગી પવારે કોંગ્રેસને ફિક્સમાં મૂકી દીધી છે. જ્યારે ગુજરાતમાં એનસીપી ઓછામાં ઓછી 4 સીટ માંગી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે. એનસીપીના નેતા જીતેન્દ્ર આવ્હાડે કહ્યું છે કે શરદ પવાર આગામી લોકસભાની ચૂંટણી લડવાની નથી. કોંગ્રેસ સાથેના જોડાણમાં 24 સીટની માંગ કરવામાં આવી છે. શરદ પવારે ઉમેદવાર તરીકે પોતાના નામની ચર્ચા કરવાની સ્પષ્ટ રીતે ના…