કવિ: Satya Day

રાજ્યમાં કોરોના વાયરસના ખૂબ ઘાતક માનવામાં આવતા ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાથી આવેલા જામનગરના 72 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વૃદ્ધાના રિપોર્ટમાં ઓમિક્રોનની હાજરી હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. હાલ જામનગરની ગુરુ ગોવિંદસિંહ હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકાનો ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા જામનગરના મોરકડા ગામના 72 વર્ષીય વૃદ્ધે ગળામાં ખરોચની ફરિયાદ કરી હતી. જે બાદમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વૃદ્ધ હાઈસિસ્કવાળા દેશમાંથી આવ્યા હોવાથી તેમનું સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે પુણે મોકલવામાં આવ્યું હતું. તે સમયે વૃદ્ધને સારવાર માટે જી.જી.હૉસ્પિટલના અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.…

Read More

ન્યૂઝીલેન્ડના સ્પિનર ​​એજાઝ પટેલે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે એક જ દાવમાં દસ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. એજાઝ પટેલની જોરદાર બોલિંગને કારણે ન્યૂઝીલેન્ડે ભારતને પ્રથમ દાવમાં 325 રન પર ઓલ આઉટ કર્યું છે. એજાઝ મુંબઈના જોગેશ્વરીનો રહેવાસી સ્પિનર ​​એજાઝ પટેલનો જન્મ અને ઉછેર છ વર્ષની ઉંમર સુધી મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાં થયો હતો, ત્યારબાદ તેના માતા-પિતા 1996માં ન્યુઝીલેન્ડ ગયા હતા. શુક્રવારે તેના પરિવારના કેટલાક સભ્યો પણ પેવેલિયનમાંથી તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેને અભિનંદન આપતા જોવા મળ્યા હતા. તેના પિતરાઈ ભાઈઓ અને સંબંધીઓ પણ મેચ જોવા માટે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં આવશે. એઝાજ પટેલથી પહેલા આ કરિશ્મા ટેસ્ટ ક્રિકેટમાં અનિલ કુંબલે અને…

Read More

ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન (Farmers Protest)ના એક વર્ષના અંતે કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરી દીધા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે પોતાના હાથ પાછા ખેંચતા આપણને બતાવ્યું છે કે, સારા ઉદ્દેશ્યને પૂરા કરનારા અને ખુબ જ જરૂરી લાગતા કાયદાઓ પણ વિશ્વાસની અછતના કારણે આશંકાના દાયરામાં આવી જાય છે. પાછલા વર્ષે જૂનમાં જ્યારે કોવિડ મહામારીના કારણે અવર-જવર અને સાર્વજનિક સભાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો તે દરમિયાન કેન્દ્ર સરકારે એગ્રી ટ્રેડિંગ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને સ્ટોક હોલ્ડિંગ પર આધારિત ત્રણ કૃષિ કાયદાઓને વટહુકમ દ્વારા લાગૂ કરી દીધા હતા. સરકારે પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં સંસદીય ચર્ચા અથવા પાર્લિટમેન્ટ્રી…

Read More

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે શુક્રવારે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના વડા અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં વૈકલ્પિક વિપક્ષી મોરચામાં જોડાવાનો વિકલ્પ ખુલ્લો છે. અખિલેશ યાદવ આગામી વર્ષની યુપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પડકાર આપવા માટે એક મંચ બનાવવામાં વ્યસ્ત છે, તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં શાસક પક્ષનો સફાયો થઈ જશે. જેમ કે બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જીએ કર્યું હતું. અખિલેશ યાદવે બુંદેલખંડના ઝાંસીમાં પત્રકારોને કહ્યું કે “હું તેમનું સ્વાગત કરું છું. જે રીતે તેમણે બંગાળમાં ભાજપનો સફાયો કર્યો તેવી જ રીતે ઉત્તર પ્રદેશના લોકો પણ ભાજપનો સફાયો કરશે.” જ્યારે પત્રકારે તેમને મમતાના વૈકલ્પિક મોરચા વિશે પૂછ્યું તો…

Read More

ચીનના વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે અમેરિકન લોકશાહી લાંબા સમયથી કોઈ સ્ત્રોત વિનાની નદી અને એક એવું વૃક્ષ છે જેના મૂળ નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે પર પ્રતિક્રિયા આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના યુવાનોએ લોકશાહીમાં વિશ્વાસ ગુમાવી રહ્યાં છે. ચીનની સરકારી સમાચાર ટીવી સીજીટીએન અનુસાર, સર્વેમાં અમેરિકન યુવાનોએ કહ્યું, “માત્ર સાત ટકા લોકો માને છે કે અમેરિકામાં સ્વસ્થ લોકશાહી છે. સર્વેમાં 52 ટકા લોકોએ કહ્યું કે અમેરિકન લોકશાહી સમસ્યારૂપ છે અથવા તો તે નીચે જઈ રહી છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકન લોકશાહી દેશની અંદર લોકોને મૂર્ખ બનાવવા અને વિદેશમાં સરમુખત્યારશાહી સ્થાપિત…

Read More

યુએસ ગુપ્તચર અધિકારીઓનું કહેવું છે કે રશિયા 2022ની શરૂઆતમાં યુક્રેન પર લશ્કરી હુમલો કરી શકે છે. અધિકારીઓનો અંદાજ છે કે આ સૈન્ય કાર્યવાહીમાં 175,000 રશિયન સૈનિકો સામેલ થશે. બિડેન પ્રશાસનના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે એપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે નવી ગુપ્ત માહિતી અનુસાર, અડધા રશિયન સૈનિકો યુક્રેનની સરહદની નજીક વિવિધ ચોકીઓ પર તૈનાત થઈ ચૂક્યા છે. આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે રશિયાએ બિડેન પ્રશાસન પાસેથી બાંયધરી માંગી હતી કે યુક્રેનને નાટો ગઠબંધનમાં સામેલ કરવામાં આવશે નહીં. ઇન્ટેલિજન્સ અધિકારીઓને જાણવા મળ્યું છે કે, સંભવિત હુમલા પહેલા યુક્રેન અને નાટોને બદનામ કરવા માટે રશિયાની માહિતી…

Read More

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,603 નવા કેસ નોંધાયા છે. ભારતમાં હાલમાં 99,974 સક્રિય કેસ છે. જ્યારે રિકવરી રેટ 98.35 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 8,190 લોકો સાજા થયા છે. આમ સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 3,40,53,856 થઈ ગઈ છે. તો બીજી તરફ દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 126.53 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા પ્રકારના જોખમને ધ્યાનમાં રાખીને ભારતમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. દરમિયાન, છેલ્લા ત્રણ દિવસમાં, ઓમિક્રોન વેરિઅન્ટના 12 શંકાસ્પદ લોકોને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ…

Read More

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીના રાજીનામાના લગભગ નવ મહિના બાદ કોંગ્રેસે શુક્રવારે વરિષ્ઠ OBC નેતા જગદીશ ઠાકોરને પાર્ટીના વડા તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાને વિરોધ પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ સ્તરે કામ કરતા નેતા અને ઉત્તર ગુજરાતના ધારાસભ્ય ઠાકોરોની ભૂમિકા ચૂંટણીમાં મહત્વની માનવામાં આવી રહી છે. શુક્રવારે દિલ્હીથી ગુજરાત પરત ફરેલા જગદીશ ઠાકોરે કહ્યું, “મને આપેલી તક માટે હું રાહુલ ગાંધી અને પાર્ટીનો આભાર માનું છું, આગામી વર્ષની ચૂંટણીમાં પાર્ટી જીતે તે માટે અમે બધા સખત મહેનત કરીશું.” , कांग्रेस…

Read More

દક્ષિણ આફ્રિકાના નિષ્ણાતોએ નાના બાળકોમાં COVID-19 સંક્રમણની વધતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપી પ્રસાર વચ્ચે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે દક્ષિણ આફ્રિકામાં સંક્રમણના કુલ 16,055 કેસ અને 25 મૃત્યુ નોંધાયા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેબલ ડિસીઝ (NICD)ના ડૉ. વસીલા જસતે શુક્રવારે આરોગ્ય મંત્રાલયની મીડિયા બ્રીફિંગમાં કહ્યું, “હવે આ લહેરની શરૂઆતમાં અમે તમામ વય જૂથોમાં સંક્રમણમાં ખૂબ જ તીવ્ર વધારો જોઈ રહ્યા છીએ, પરંતુ ખાસ કરીને પાંચ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં આ સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડો. વસીલા જસતે કહ્યું, “અમે અવલોકન કર્યું છે કે ભૂતકાળમાં બાળકો પર કોરોનાની અસર વધુ ન હતી…

Read More

અમદાવાદ: દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલ કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન વેરિઅન્ટ હવે ધીમે ધીમે વિશ્વના અન્ય દેશોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. શુક્રવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે કોરોનાનો આ નવો પ્રકાર 38 દેશોમાં ફેલાઈ ગયો છે. આ દરમિયાન ગઈકાલે શુક્રવારે યુકેથી અમદાવાદ આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. હાલ આ પ્રવાસીને ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત કોવિડ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા યાત્રીઓને પણ કેન્દ્ર સરકારની ગાઇડલાઈન પ્રમાણે તમામ નિયમો પાળવાની સૂચના આપી દેવામાં આવી છે. હાલમાં અમદાવાદ તંત્ર ઓમિક્રોન વેરિઅન્ટને રોકવા માટે અગ્રેસર રીતે કામ કરી રહ્યું છે. એરપોર્ટ પર આંતરાષ્ટ્રીય ફલાઈટ…

Read More