2015થી ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું. હાર્દિક પટેલ સહિત અનેક યુવા ચહેરાઓ ગુજરાતના રાજકીય ફલક પર જોવા મળ્યા. પાટીદાર અનામત આંદોલન સમગ્ર રીતે ગુજરાતની ભાજપ સરકાર સામે મોટામાં મોટું આંદોલન બનીને રહ્યું છે. ભાજપ દ્વારા આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે તેમાં ઝંપલાવ્યું હતું અને કપિલ સિબ્બલને મોકલી અનામતની ફોર્મ્યુલા રજૂ કરી હતી. ગુજરાત કોંગ્રેસમાં તે વખતે રાજસ્થાનના હાલના મુખ્યમંત્રી અશોક ગેહલોત પ્રભારી હતા અને પાટીદાર અનામત આપી શકાય છે તેવી જાહેરાત તેમણે અનેક વખત કરી છે. હવે જ્યારે અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી છે અને ગુર્જર સમાજ દ્વારા અનામત આંદોલનનું રણશિંગું ફૂંકી દેવામાં આવ્યું છે ત્યારે ગેહલોત સરકાર…
Author: Satya Day News
લોકસભા ચૂંટણી પૂર્વે ફરી એક વાર રાજસ્થાનમાં ગુર્જર આંદોલની આગ ભડકી છે. ગુર્જર સમુદાયના લોકોએ અનામતની માંગને લઈ સવાઈ માધોપુરમાં આંદોલન શરૂ કરી દીધું છે. બયાના, સવાઈ માધોપુર, ગંગા નગરમાં ટ્રેન વ્યવહારને અટકાવી દેવામાં આવ્યો છે. મુંબઈ જતી ગરીબ રથને ભરતપુર પાસે અટકાવી દેવામાં આવી હતી. ગરીબ રથને ત્યાર બાદ મથુરા લઈ જવામાં આવી હતી. ભરતપુર, કરૌલી, સવાઈ માધોપુર, દૌસા અને ટોંકમાં ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. યુપી અને એમપીમાં વધારાની કુમક બોલાવી લેવામાં આવી છે. સ્ટેશન અને રેલવે ટ્રેક પર સુરક્ષા જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. રાજસ્થાનના આઠ જિલ્લામાં સુરક્ષા દળોની 17 બટાલીનને ઉતારી દેવામાં આવી…
(દિલીપ પટેલ દ્વારા): સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ૩.પ૦થી લાખથી પણ વધુ પશુપાલકોની આર્થિક રીતે જીવાદોરી સાબરડેરીના નિયમક મંડળની 16 બેઠકોની ચૂંટણી આગામી 22 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. 23 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. ચુંટણીમાં 110 ઉમેદવારીપત્રો ભરાયા છે. ડેરીમાં સત્તા મેળવવા માટેની લાઈનમાં ધારાસભ્ય, ડેરીના પૂર્વ અને વર્તમાન અધ્યક્ષ તથા પૂર્વ ડીરેક્ટરોએ ઉમેદવારી નોધાવી છે. આ વખતે અગાઉની જેમ બીનહરીફ ચૂંટણી થવાની કોઈ શક્યતા નથી. આ વખતે ખર્ચાળ ચૂંટણી જંગ શરૂ થયો છે. ઝોન વાઈઝ ચૂંટણી પ્રક્રિયા પ્રમાણે એક મતદારે સોળ મત આપવા ફરજિયાત છે. સોળ મત નહીં આપે તો તેનો મત માન્ય ગણવામાં આવશે નહીં. એ રીતે સોળ ડિરેક્ટર્સની ચૂંટણી કરાશે.…
ગુજરાતમાં 9 નવી ઔદ્યોગિક વસાહત (GIDC)સ્થાપવા સરકારે 1050.30 હેક્ટર જમીન ફાળવી હતી. જેમાંથી સૌરાષ્ટ્રમાં પાંચ GIDC રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને બે GIDC ભાવનગર નજીક બનાવવાનું નક્કી કરાયું છે. GIDC કારણે લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો સ્થપાશે. ફરી એક વખત સરકારે વચન આપ્યું છે પણ અગાઉ અનેક સ્થળે ચૂંટણીમાં વચનો આપેલાં તે અંગે ભાજપ સરકાર કંઈ કરવા તૈયાર નથી. મોટા ઉદ્યોગ સ્થાપવાનો હોય તો તેના માટે તમામ કામ સરકાર કરી આપે છે. પણ જ્યાં નાના એકમ સ્થપાવાના છે એવા સ્થળે રૂપાણીની સરકાર ધ્યાન આપતી નથી. પાટણના વાગોસણા GIDC માટે 51.46 હેક્ટર, મહેસાણાના ઐઠોર માટે 47 હેક્ટર, આણંદના ઇન્દ્રજણ માટે 40.19 હેક્ટર,…
વર્ષ 2009માં માયાવતીના કાર્યકાળ દરમિયાન બનાવવામાં આવેલી મૂર્તિઓને લઈ સુપ્રીમ કોર્ટે તેમને ઝટકો આપ્યો છે. કોર્ટે માયાવતીને મૂર્તિઓ અને સ્મારકો પાછળ ખર્ચાયેલા રૂપિયા પાછા આપવાનું કહ્યું છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ આ ચૂકાદો 2009માં દાખલ થયેલી જાહેરહિતની અરજીના અનુસંધાને આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિમાં આ કેસને જોતાં કહી શકાય છે કે માયાવતીએ મૂર્તિઓ પાછળ ખર્ચ કરેલા રૂપિયા લોકોને પાછા આપવા પડશે. કારણ કે આ લોકોના રૂપિયા છે. હવે આ અંગે વધુ સુનાવણી બીજી એપ્રિલે કરવામાં આવશે. બસપા સુપ્રીમો માયાવતી 2007થી 2012 દરમિયાન યુપીના સીએમ રહ્યા હતા. આ કાર્યકાળ દરમિયાન તેમણે યુપીમાં અનેક શહેરોમાં હાથી અને પોતાની મૂર્તિઓ…
વિદેશમાં કથિત રીતે ગેરકાયદે સંપત્તિ રાખવાના મામલે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાની ચાર કલાક સુધી પુછપરછ કરી હતી. નવી દિલ્હીની કોર્ટે કેટલાક દિવસ પૂર્વે તેમને તપાસ એજન્સી સમક્ષ હાજર રહેવાનો આદેશ કર્યો હતો. વાડ્રાની પત્ની પ્રિયંકા ગાંધી પણ સફેદ ટોયોટા લેન્ડક્રુઝર કારમાં રોબર્ટ વાડ્રાની સાથે મધ્ય દિલ્હીના જામનદર હાઉસ ખાતે આવેલી EDની ઓફીસે બાહરના દરવાજા સુધી તેમની સાથે હતા. EDની કાર્યવાહીને લોકસભા ચૂંટણી પૂર્વે રાજકીય રીતે કોંગ્રેસના વિરોધમાં જોવામાં આવી રહી છે. ભાજપ આ મુદ્દાનો મહત્તમ લાભ લેવાના પ્રયાસમાં લાગી ગયો છે. યુપીમાં પ્રભારી તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યા રોબર્ટ વાડ્રાના કેસને કોંગ્રેસે બદલાની રાજનીતિના ભાગરૂપે ગણાવી…
ઊનાકાંડના બહાને ગુજરાત, વેમુલાના બહાને આંધ્રપ્રદેશ સહિત દેશભરના શહેરી વિસ્તારો અને ભીમા કોરેગાંવના બહાને મહારાષ્ટ્રમાં જાતિવાદી સંઘર્ષ ભડકાવવામાં આ ગેંગ કેટલેક અંશે સફળ પણ રહ્યાં છે. ભીમ આર્મી, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, કનૈયા કુમાર, ઉમર ખાલિદ જેવાં અનેક મહોરાં છે, જેમને સેક્યુલર જમાતે પોતાનાં હથિયાર બનાવી રાખ્યાં છે અને આ હથિયારો થકી તે પોતાની રાજનૈતિક મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરવા ઘાંઘી બની છે. આ શબ્દો જેમાં લખાયા છે તે, મુકેશભાઈ શાહ 50 વર્ષથી RSS સાથે સંકળાયેલા છે. તેઓ RSSના અખીલ ભારતીય પ્રચાર – પ્રસાર ટોળીના સભ્ય છે. લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ છે. સાધના સાપ્તાહિક સાથે 1998થી જોડાયેલા છે, તંત્રી અને ટ્રસ્ટી…
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપર ગામની 800 એકર સરકારી જમીન ખેત જમીન ટોચમર્યાદા એ.એલ.સી.નું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિઓને નામે કરી આપવાની ગેરરીતિ આચરવાના કેસમાં સુરેન્દ્રનગરના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (આર.એ.સી) ચન્દ્રકાન્ત પંડ્યા, ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટર વી. ઝેડ. ચૌહાણ અને ઇન્ચાર્જ મામલતદાર જે. એલ. ઘાડવીને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કરવાની ફરજ સરકારને પડી છે. રૂ. 2000 કરોડનું જમીન કૌભાંડ રાજકોટના નવા હવાઈ મથક પાસે થયું હતું. પત્રકારોની જાગૃતિના કારણે સરકારે તપાસ એ.સી.બી.ને કરવાના આદેશો આપ્યા છે. અધિકારીઓ સામે સેવા શિસ્ત અપીલ નિયમાનુસાર ખાતાકીય તપાસની કાર્યવાહી હાથ ધરી પગલાં લેવાશે. સમગ્ર ઘટનાક્રમ અંગેની વિગતો મુજબ ખેત જમીન ટોચ મર્યાદા કાયદા-1960…
બુલેટ ટ્રેનને બહુ રાજ્ય પ્રોજેક્ટ જાહેર કરી કેન્દ્ર સરકારના જમીન વળતર અંગેના કાયદા લાગુ કરી ખેતીની જમીનની હાલની બજાર કિંમતનાં 400 ટકા રકમ વળતર આપવા અને તેના પર 25 ટકા વધારાનાં વળતરની જોગવાઈ પ્રમાણે ખેડૂતોને વળતર આપવાની માંગણી વડી અદાલતમાં કરવામાં આવી છે. જમીનની બજાર કિંમત મુજબ પુરેપૂરૂ વળતર મળવું જોઈએ. આ બાબતે કોર્ટમાં અનેકવેળા સુનવણી થઈ ચૂકી છે. 7 ફેબ્રુઆરીએ જેનો ચૂકાદો જાહેર થવાનો હતો. પણ તે જાહેર થયો નથી. ચૂકાદો બહુ લાંબો હોવાથી તે હજુ ટાઈપમાં છે. તેથી હવે પછી તે ચૂકાદો જાહેર કરવામાં આવે એવી શક્યતા જોવામાં આવી રહી છે. હાઈકોર્ટના ચૂકાદા પર ખેડૂતોની નજર મંડાયેલી છે.…
અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ સત્તા પર આવ્યો હતો. પણ કોંગ્રેસના નેતા ખોડાજી ઠાકોરની નકારાત્મક નીતિના કારણે 6 સભ્યો ભાજપમાં જતાં રહેતાં કોગ્રેસે સત્તા ગુમાવી દીધા બાદ 7 મહિના થયા છતાં હજુ સુધી વિરોધ પક્ષના નેતા પણ નિયુક્ત કરી શકાયા નથી. આ 6 સભ્યોની સામે પક્ષાંતર હેઠળ કામ ચાલે અને તેઓ સસ્પેન્ડ થાય તેની રાહ કોંગ્રેસ જોઈ રહી છે. તેથી તેમને પરત કોંગ્રેસમાં લાવવા પ્રયાસ કરે છે. વિરોક્ષ પક્ષના નેતા બનવા માટે કોંગ્રેસમાં એકબીજાના ટાંટીયા ખેંચવામાં આવી રહ્યાં હોવાથી પ્રજા લક્ષી કોઈ મુદ્દાઓ જિલ્લા પંચાયતના પ્રમુખ સામે લાવી શકાયા નથી. આજે પણ ખોડાજી ઠાકોર પોતે પોતાના એજન્ટો મારફતે અંગત કામો…