તૈમૂરે જીત્યા બધાના દિલઃ તૈમૂર અલી ખાન બોલિવુડનો સૌથી ક્યુટ સ્ટાર કિડ બની ગયો છે. તેની નવાબી અદાઓ હંમેશા લોકોનું દિલ જીતી લે છે. હાલમાં જ તૈમૂરનો એક સુપર ક્યુટ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે. ચોટીમાં સાવ જુદો લાગે છેઃ આ ફોટામાં તૈમૂર ચોટી સાથે જોવા મળે છે. ચોટી વાળા નવા લૂકમાં તૈમૂર સાવ જુદો જુદો જ લાગે છે. આ સાથે જ તે હાથમાં તેના પિતા સૈફનો ફોટો જોઈ રહ્યો હોય તેવુ દેખાય છે. તૈમૂરને નોર્મલ લાઈફ આપવા માંગે છે સૈફીનાઃ સૈફ અને કરીના અનેક વાર કહી ચૂક્યા છે કે તે તૈમૂરને એક નોર્મલ લાઈફ આપવા માંગે…
Author: Dipal
ચીનની સ્માર્ટફોન ઉત્પાદક શિઓમીએ તાજેતરમાં ભારતમાં તેના બે બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.Redmi Note 5, Note 5 Proનો પ્રથમ સેલ આજથી શરૂ થઈ રહ્યો છે.બંને સ્માર્ટ ફોન્સ કંપનીની વેબસાઇટ અને ઈ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. કિંમતની વાત કરીએ તો Redmi Note 5ની રૂ. 9,999 પ્રારંભિક કિંમત છે, Redmi Note 5 Pro 14,999 રૂપિયા છે.લોન્ચિંગ ઓફર તરીકે, જિઓ તેની સાથે રૂ. 2,200 નો કૅશબેક આપે છે.ગ્રાહકો જિઓ નેટવર્ક પર આ સ્માર્ટફોનમાં 4.5TB 4G ડેટા લઈ શકે છે. Redmi Note 5 બે વેરિયન્ટમાં જોવા મળે છે 3GB રેમ અને 32GB રેમ.બીજાવેરિયન્ટમાં 4 GB રેમ સાથે 64 GB આંતરિક મેમરી હશે.Redmi Note 5માં…
શાહાબાદમાં ફોટોસ્ટેટની દુકાન ચલાવનાર એક 26 વર્ષના યુવકે તેના ઘરમાં જ મોબાઈલ ચાર્જરના વાયરથી ફાંસી લગાવીને જીવ આપી દીધો હતો. મરતા પહેલાં તેણે રૂમની દિવાલો અને ડ્રેસિંગ ટેબલના મિરર પર સુસાઈડ નોટ લખી હતી. તેમાં તેણે મોત માટે પત્ની, સાળા, સાસ, તેના ભાઈ અને ભાભીને જવાબદાર ગણાવ્યા હતા. પોલીસે મૃતકની માતા રમા રાણીના નિવેદનના આધારે દીપકની પત્ની આંચલ, સાળા અતુલ શર્મા, સાસુ હર્ષ લતા, નાના ભાઈ અને તેની પત્ની પર આત્મહત્યાની ઉશકેરણી માટે ફરિયાદ નોંધી છે. સુસાઈટ નોટમાં પત્નીને લખ્યું I LOVE You મૃતક યુવકનું નામ દીપક ગોસ્વામી છે. તેના લગ્ન 3 મહિના પહેલાં જ થયા હતા. સોમવારે બપોરે અંદાજે…
ડોમેન નેમ અને ઈન્ટરનેટ સિક્યોરિટીના ડોમેઈનમાં ગ્લોબલ લીડર કંપની વેરિસાઇને જાહેરાત કરી હતી કે 2017ના ચોથા ક્વાર્ટરમાં લગભગ 17 મિલિયન ડોમેન નામો નોંધાયા હતા.વધુમાં, તમામ ટોચના સ્તરના ડોમેન્સ (TLD) માં ડોમેન રજિસ્ટ્રેશનની કુલ સંખ્યા 33.24 કરોડ સુધી પહોંચી છે.એક નિવેદનમાં, કંપનીએ જણાવ્યું હતું કે વર્ષ 2017 માં, ‘ડોટ કોમ’ અને ‘ડોટ નેટ’ ડોમેન્સની 9 મિલિયન રજિસ્ટ્રેશન થયા 2016 માં અા અાંકડો 88 લાખ હતો. વર્ષ 2017 ના ચોથા ક્વાર્ટરના અંતમાં ડોમેઇન નેમ બેઝ પર ‘ડોટ કોમ’ અને ‘ડોટ નેટ’ TLDની સંયુક્ત ડોમેન નોંધણી આશરે 14.64 કરોડની રહી છે.કંપનીએ જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર, 2017 ના રોજ, ‘ડોટ કોમ’ ડોમેઈન રજીસ્ટ્રેશનની…
અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસનની નવી પાર્ટી ‘મક્કલ નીતિ મૈયમ ”માં જાણીતી અભિનેત્રી શ્રીપ્રિયા સામેલ થઇ છે વીતેલા જમાનાની જાણીતી અભિનેત્રી શ્રીપ્રિયાને નવી પાર્ટીમાં ઉચ્ચસ્તરીય સમિતિમાં સ્થાન અપાયું છે તેણીએ કમલ હસનની કેટલીય ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
સુપ્રિમ કોર્ટ સીબીઆઈના જજ જસ્ટીસ લોયાના રહસ્યમય મોત અંગે તપાસ કરવાની અલગ અલગ અરજીઓની સુનવણી શરુ કરી છે.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ જસ્ટીસ લોયાના કેસની તલસ્પર્શી તપાસની માંગ કરી હતી. સીબીઆઈના જજ જસ્ટીસ લોયાના રહસ્યમય મોત મામલે ભાજપના અધ્યક્ષ અમિત શાહને સોહરાબુદ્દીન કેસમાં જસ્ટીસ લોયાના મૃત્યુ બાદ આવેલા જજે નિર્દોષ છોડી મુકવાના મુદ્દે શંકાના દાયરામાં છે. વર્ષ ૨૦૧૪માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનવણી કરી રહેલા સીબીઆઈના જજ બૃજગોપાલ લોયાના મૃત્યુ બાદ આવેલા જજે અમિત શાહને કેસમાં નિર્દોષ જાહેર કરી દીધા હતા. જેની વિરુદ્ધ સીબીઆઈએ આજદિન સુધી અપીલ કરી નથી. જો કે હાલમાં જ સુપ્રીમ કોર્ટ આ કેસની તપાસના આદેશ આપ્યા છે. જેના પગલે…
મેષ- આજના દિવસ આ૫ના તન- મનનું સ્વાસ્થ્ય જળવાશે. ૫રિવારનું વાતાવરણ આનંદભર્યું રહેશે. મિત્ર- સ્નેહીજનોનો મિલા૫ થાય. ૫રંતુ મધ્યાહન સાંજ ૫છી આ૫ના આરોગ્યમાં ગરબડ ઉભી થાય. ૫રિવારજનો સાથે મનદુઃખના પ્રસંગ બને. ખાવા- પીવામાં સંયમ રાખવો. કોઇ સાથે બોલાચાલી ન થાય તે માટે જીભ ૫ર કાબૂ રાખવા. ઘર- ૫રિવાર અને કાર્યક્ષેત્રમાં સમાધાનકારી વલણ અ૫નાવવું. વૃષભ- ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. સ્વજનોનો વિયોગ થાય ૫રંતુ બપોર ૫છી થોડી અનુકુળતા સર્જાશે. કામ કરવામાં થોડો ઉત્સાહ વધશે. આર્થિક લાભ થાય. આ૫નું દ્વિધાપૂર્ણ મન કોઇ એક નિર્ણય ૫ર ન આવતાં મનમાં મૂંઝવણ પેદા કરશે. શરદી, કફ, તાવનો ઉ૫દ્રવ રહે. મિત્રો તથા સગાંસ્નેહીઓ સાથે મિલન થાય. શરીર…
ચાલુ વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસના મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ થયો છે.જેથી નર્મદા ડેમ પર જોઈએ એટલી પાણીની આવક ન થઈ હોવાને લીધે ગુજરાતને મળવા પાત્ર પાણીમાંથી માત્ર 40% જેટલું જ પાણી મળ્યું હતું.આ તમામ પરિસ્થિઓના કારણે ગુજરાત સરકારે અગમચેતીના ભાગરૂપે નર્મદા ડેમનું પાણી 15મી માર્ચ પછી સિંચાઇ માટે નહીં આપવાની અગાઉથી જાહેરાત કરી ખેડૂતોને ઉનાળુ પાક ન લેવા સૂચન પણ કર્યું હતું.તો સરકારના આ નિર્ણય સામે નર્મદા જિલ્લાના ખેડૂતોએ આંદોલન પણ કર્યું હતું.પરંતુ ખેડૂતોનું એ આંદોલન કોઈ રંગ લાવ્યું નથી. ત્યારે બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પહેલી વખત ડેમની જળ સપાટી 110.37 મીટર સુધી નીચી જતી રહી…
પીએનબી કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે જનહિતની અરજીનો સ્વિકાર કર્યો છે. પીએનબી કૌભાંડ મામલે બે અરજી દાખલ કરાઈ છે જેમા એક અરજી વકીલ વિનીત ઢાંડા અને બીજી અરજી વકીલ એમએલ શર્માએ કરી છે. વિનીત ઢાંડાએ કોર્ટમાં કહ્યું કે અગાઉ વિજય માલ્યા કેસ મામલે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક નોટિસ આપવી જોઈએ. અરજીમાં પીએનબી કૌભાંડ મામલે કરોડો રૂપિયોનો ચૂનો ચોપડનાર નિરવ મોદી વિદેશ ભાગી ગયો છે. જેથી નિરવ મોદીને સ્વદેશ પરત લાવવાની માગ કરાઈ છે. સાથે અરજીમાં નાણા મંત્રાલય દ્વારા લોન માટે એક ગાઈડલાઈન તૈયાર કરવાની માગ કરાઈ છે. વિશેષજ્ઞોની એક કમિટી બનાવાવમાં આવે…
માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસે કર્મીએ આત્મહત્યા કરી લીધી છે. આ મહિલાએ માધુપુરા પોલીસ લાઈનમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મ હત્યા કરી લીધી છે. હાલ આ આત્મહત્યાને લઈ શાહીબાગ પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરી છે.