ચાઇલ્ડ સેફગાર્ડિંગ નિયમો હેઠળ નિર્ણય: વૈભવ સૂર્યવંશીને ઇંગ્લેન્ડ પ્રવાસમાં મળશે અલગ ચેન્જિંગ રૂમ

5 Min Read

૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીને ઇંગ્લેન્ડમાં મળશે VVIP ટ્રીટમેન્ટ: ECB અને BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ જગતમાં જ્યારે પણ કોઈ નવો સિતારો ચમકે છે, ત્યારે આખો દેશ તેની પાછળ ઘેલો થાય છે. પરંતુ આ વખતે જે ચર્ચા છે તે માત્ર ભારત પૂરતી સીમિત નથી, છેક ઇંગ્લેન્ડ સુધી તેની ગૂંજ સંભળાઈ રહી છે. વાત થઈ રહી છે માત્ર ૧૫ વર્ષના બિહારના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની. આગામી સમયમાં ભારતની ટીમ આયર્લેન્ડ અને ત્યારબાદ ઇંગ્લેન્ડના પ્રવાસે જઈ રહી છે. આ પ્રવાસ દરમિયાન વૈભવ પર આખી દુનિયાની નજર રહેશે. ખાસ વાત એ છે કે, આ નાની ઉંમરના ખેલાડીની સુરક્ષા અને માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ તેને એક ખાસ પ્રકારે VVIP ટ્રીટમેન્ટ આપવાનો નિર્ણય કર્યો છે.

શું છે સમગ્ર મામલો અને કેમ મળશે VVIP ટ્રીટમેન્ટ?

સામાન્ય રીતે કોઈપણ આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં તમામ ખેલાડીઓ માટે નિયમો એકસરખા હોય છે, પરંતુ વૈભવના કિસ્સામાં ઉંમર એક મોટું પરિબળ બનીને સામે આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણી દરમિયાન વૈભવ સૂર્યવંશી માટે એક અલગ ચેન્જિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવશે.

- Advertisement -

soryavansi.jpg

આ કોઈ ભેદભાવ કે કોઈ વધારાનો ઘમંડ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને ECB ના કડક બાળ સુરક્ષા નિયમો (Child Protection Policy) નો એક ભાગ છે. આ નિયમો અંતર્ગત અંડર-16 (૧૬ વર્ષથી ઓછી ઉંમરના) ખેલાડીઓને સિનિયર ખેલાડીઓથી અલગ ચેન્જિંગ રૂમ અને પ્રાઇવસી આપવી ફરજિયાત હોય છે.

- Advertisement -

રસપ્રદ વાત એ છે કે, હમણાં જ પૂરી થયેલી IPL 2026 ની સિઝન દરમિયાન વૈભવ પોતાની ટીમના બાકીના સિનિયર ખેલાડીઓ સાથે જ ચેન્જિંગ રૂમ શેર કરતો જોવા મળ્યો હતો, કારણ કે ત્યાંના પ્રોટોકોલ અલગ હતા. પરંતુ બ્રિટિશ ધરતી પર કાયદા ખૂબ જ કડક હોવાથી તેને આ ખાસ સુવિધા મળશે, જેને મીડિયા અને ચાહકો ‘VVIP સારવાર’ તરીકે જોઈ રહ્યા છે.

BCCI પણ વૈભવની સંભાળ માટે આગળ આવ્યું

૧૫ વર્ષની ઉંમરે જ્યારે બાળકો બોર્ડની પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે, ત્યારે વૈભવ લાખોની મેદની સામે દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છે. આટલી નાની ઉંમરે વિદેશી ધરતી પર એકલતા કે દબાણ ન અનુભવાય તે માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ એક સંવેદનશીલ અને મોટો નિર્ણય લીધો છે. BCCI વૈભવના માતા-પિતાને પણ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ પર તેની સાથે મોકલવાની ખાસ વ્યવસ્થા કરી રહ્યું છે. બોર્ડનો ઉદ્દેશ્ય એ છે કે વૈભવને ત્યાં ઘર જેવું વાતાવરણ મળે અને તે કોઈ પણ માનસિક દબાણ વગર મુક્તપણે રમી શકે તથા ઇંગ્લેન્ડના વાતાવરણ અને સંસ્કૃતિનો અનુભવ લઈ શકે.

એક નજર પ્રવાસ પર: આયર્લેન્ડ સામેની બે મેચની T20 શ્રેણી પૂરી થયા બાદ ખરી કસોટી ઇંગ્લેન્ડ સામે થશે. ૧ જુલાઈથી શરૂ થઈ રહેલી આ પાંચ મેચોની T20 શ્રેણીમાં ટીમ ઇન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ હશે, પરંતુ ખરા અર્થમાં આ પ્રવાસ વૈભવ સૂર્યવંશીની પ્રતિભાની અગ્નિપરીક્ષા સાબિત થશે.

- Advertisement -

ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ: T20 શ્રેણીનું સંપૂર્ણ સમયપત્રક

મેચ તારીખ સમય (IST) સ્થળ
પહેલી T20 1 જુલાઈ રાત્રે 10:00 વાગ્યે ડરહામ
બીજી T20 4 જુલાઈ સાંજે 07:00 વાગ્યે સ્ટ્રેટફોર્ડ
ત્રીજી T20 7 જુલાઈ રાત્રે 10:00 વાગ્યે વેસ્ટ બ્રિજફોર્ડ
ચોથી T20 9 જુલાઈ રાત્રે 10:00 વાગ્યે બ્રિસ્ટોલ
પાંચમી T20 11 જુલાઈ સાંજે 07:00 વાગ્યે વેસ્ટ એન્ડ

શ્રેયસ અય્યરના નેતૃત્વમાં યુવા બ્રિગેડ તૈયાર

આ પ્રવાસ માટે BCCI એ યુવા અને અનુભવી ખેલાડીઓનું શાનદાર મિશ્રણ પસંદ કર્યું છે. ટીમની કમાન ધાકડ બેટ્સમેન શ્રેયસ અય્યરના હાથમાં છે, જ્યારે તિલક વર્માને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની સંપૂર્ણ ભારતીય ટીમ: શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (ઉપ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા, સૂર્યાંશ શેડગે, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.

Share This Article