ગુજરાતી ફીલ્મ ફ્રેટરનીટી ની સ્થાપના ખુબ મોટા પાયે થવા જઇ રહી છે..સૌ પ્રથમ વખત ગુજરાતી ફીલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ તમામ લોકો એક છત્ર નીચે સંગઠીત થયા..જેમાં નિર્માતા, દિગ્દર્શક, કલાકારો, લેખકો, ટેક્નીશ્યનો, મેકઅપ આર્ટીસ્ટ, પ્રોડક્ષન મેનેજરો, આસીસ્ટન્ટ્સ, મ્યૂઝીક ડાયરેક્ટર્સ, સીંગર્સ, મ્યુઝીશ્યન્સ, આર્ટ ડીરેક્ટર્સ, આર્ટીસ્ટ કોઓર્ડીનેટર્સ, ડ્રેસમેન, ઇક્વીપમેન્ટ સપ્લાયર્સ, ડીસ્ટીબ્યુટર્સ, પબ્લીસીટી ડીઝાઇનર્સ, સ્ટુડીયો હોલ્ડર્સ, કોરીયોગ્રાફર્સ, ડાન્સર્સ, ફાઇટ માસ્ટર્સ, ફાઇટર્સ, લાઇન પ્રોડ્યુસર્સ, કાર્યકારી નિર્માતાઓ, સ્પોટ બોય્ઝ જેવા તમામ લોકો આ ફ્રટરનીટીમાં જોડાઇ શકે છે અને આ કારણે અનેક ફાયદાઓ ભવિષ્યમાં તે મેળવી શકે. આ માટે એક વિશાળ અધીવેશન તારીખ 18 જુન , રવિવાર , સવારે 9 વાગ્યે , ઠાકોરભાઇ દેસાઇ હોલ , લો…
Author: SATYA DESK
મુંબઈ- શનિવારે મહારાષ્ટ્રના પ્રવાસે આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી ફાઈનલ મેચ પહેલાં મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમશે. પરંતુ ભારત પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા નહીં જાય અને પાકિસ્તાનને ભારતમાં રમવાની પરવાનગી આપવામાં આવશે નહીં. અમિત શાહે કહ્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફી આંતરરાષ્ટ્રીય આયોજનનો એક ભાગ છે. અને ભારત ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાંથી પાછળ હટી જાય તેવું શક્ય ન બને. અને જ્યાં સુધી અંદરોઅંદર રમવાની વાત છે, તો એકબીજાના દેશમાં રમવાની વાત હાલના સંજોગોમાં શક્ય નથી. મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા અમિત શાહે પત્રકાર પરિષદને સંબોધતા ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને…
[one_third] ગુજરાતની હરિયાળી ક્રાંતિ અને જળસમસ્યાને તિલાંજલિ આપતી નર્મદા યોજના રાજ્યના ઉજ્જવળ ભાવિના દરવાજા ખોલવાના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. નવી દિલ્હીમાં મળેલી નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની બેઠકમાં સરદાર સરોવર બંધના દરવાજા બંધ કરવાની પરવાનગી મળી ગઈ છે. મુખ્યમંત્રી વિજય માટે ઐતિહાસિક દિવસ અને સુવર્ણ ઘડી ગણાવ્યા છે. દરવાજા બંધ કરવાની પરવાનગી મળતા જ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આજે સવારે કેવડિયા પહોંચીને નર્મદા જળ વધામણા કરવા સાથે જ ડેમના દરવાજા બંધ કરવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. [/one_third] [one_third] સરદાર સરોવર બંધની વર્તમાન ઊંચાઈ એટલે કે ૧૨૧.૨ મીટરે ૧.૨૭ મિલિયન એકર ફૂટ પાણીનો જે સંગ્રહ થઇ શકે છે. ઉંચાઈ પૂર્ણ કક્ષાએ એટલે…
જેની ઉત્સુકતાથી વિશ્વભરમાં કરોડો ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઇ રહ્યા છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ, થ્રીલર અને દિલધડક આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ આવતીકાલે રવિવારે ઐતિહાસિક ઓવલ મેદાન પર રમાનાર છે. હાઉસફુલના શો વચ્ચે આ મેચ રમાનાર છે. આ મેચમાં શાનદાર દેખાવ કરનાર ખેલાડીની રાતોરાત અનેક ગણી લોકપ્રિયતા વધી જશે. સાથે સાથે તેને ઘણા સમય સુધી યાદ રાખવામાં આવનાર છે. સોશિયલ મીડિયા પર પણ જંગનો માહોલ રહેનાર છે. ભારતે બાંગ્લાદેશને સેમીફાઇનલમાં કચડીને ફાઇનલમાં કૂચ કરી છે. જ્યારે પાકિસ્તાને મોટો અપસેટ સર્જીને પ્રથમ સેમીફાઇનલમાં ફેવરીટ ગણાતી ઇંગ્લેન્ડની ટીમ પર જીત મેળવીને ફાઇનલમાં કૂચ કરી હતી. [one_third] ફાઇનલ મેચ પર ૨…
થોડા જ વર્ષમાં ભારતને એક ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બનાવવાના પ્રયાસના ભાગરૃપ સરકાર ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના ઉત્પાદન અને ડૅટાની સુરક્ષા સહિતની બાબતો માટે ત્રણ નવી નીતિ ઘડી કાઢશે. ભારતની ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીઝના અગ્રણીઓ સાથેની લગભગ અઢી કલાકની બેઠક બાદ આઈટી ખાતાના પ્રધાન રવીશંકર પ્રસાદે શુક્રવારે વિશ્ર્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે આવનારા થોડા જ વર્ષમાં ભારત એક ટ્રિલ્યન ડૉલરનું ડિજિટલ અર્થતંત્ર બની જશે. સરકારના આ મિશનમાં સહકાર આપવાની ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીએ બાંયધરી આપી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન જૂની નીતિઓમાં ધરમૂળથી પરિવર્તન કરી નવી નીતિઓ ઘડી કાઢવામાં આવી હોવાને કારણે ટૂંક સમયમાં જ અમે ટેક્નોલોજી ક્ષેત્ર માટેની નવી નીતિઓ…
જો તમે તમારા ફલેટ માટે બિલ્ડરને હપ્તામાં પૈસા આપતા હો તો ૧લી જુલાઇ બાદથી તમારે ૧ર ટકા જીએસટી આપવો પડશે. અત્યારે તમે ૪.પ ટકાનો સર્વિસ ટેકસ ભરો છો પરંતુ જીએસટી બાદ આ દર ૧ર ટકા થઇ જશે. આ જ પ્રકારે જો તમે ૧લી જુલાઇ બાદ કોઇ એવા પ્રોજેકટમાં ઘર ખરીદતા હોય અને જે પુરો થઇ ચુકયો હોય અથવા તો પુરો થવાની નજીક હોય તો પણ તમારે ૧ર ટકા જીએસટી ચુકવવો પડશે. બિલ્ડર્સનો દાવો છે કે જીએસટી બાદ લાગનારા ટેકસ પર ૭.પ ટકા (૪.પ થી ૧ર ટકા) વધવાનુ કારણ એ છે કે તે જીએસટી લાગુ થયા પહેલા ભરાયેલા ટેકસથી ક્રેડીટ કલેઇમ…
દુધની પ્રોડક્ટ બનાવતી દેશની નંબર વન કંપની અમુલને બોમ્બે હાઇકોર્ટે ઝટકો આપતા તેની આઇસક્રીમની જાહેરાત પર રોક લગાવી છે.ક્વોલીટી વોલ્સ આઇસક્રીમ બનાવતી હિન્દુસ્તાન યુનીલીવર કંપનીએ કરેલી અરજી અંગે બોમ્બે હાઇકોર્ટે આ નિર્દેશો આપ્યા હતા.હિન્દુસ્તાન લીવરે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે અમુલે પોતાની આઇસક્રીમની જાહેરાતમાં એવું દર્શાવ્યું હતું કે તેમની કંપનીના આઇસક્રીમમાં વેજીટેબલ ઓઇલનો ઉપયોગ થાય છે જે સ્વાસ્થ માટે હાનિકારક છે. હિન્દુસ્તાન લીવરની અરજી પર જસ્ટીસ કથાવાલાએ જણાવ્યું હતું કે તેમણે જાહેરાતની સામગ્રી જોઇ અને તે પરથી જણાય છે કે આ જાહેરાત દ્રારા ફ્રોઝન ફુડની તમામ કેટગરીઓ પર લોકોને નફરત થઇ જાય તેવો ઇરાદો સ્પષ્ટ જણાય છે.જાહેરાતની સ્ટોરીલાઇન…
મહેસાણામાં પાટીદાર યુવાનની કસ્ટોડીયલ ડેથને મામલે બનાવના આટલા દિવસો બાદ પણ યુવાનના અંતિમ સંસ્કાર થયા નથી. કેતનના બનાવમાં પાટીદારો દ્વારા સીબીઆઈ તપાસની માગણી સાથે પાટીદારો રવિવારે કેતનના મૃતદેહને લઈ ગાંધીનગર રાજભવન ખાતે આવવાની જાહેરાત કર્યા બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને કેતનનો મૃતદેહ જ્યાં સાચવવામાં આવ્યો છે ત્યાંથી જ પાટીદારોને ડીટેઈન કરી લેવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે. પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા પાટીદાર નવયુવાન કેતન પટેલના મૃતદેહને 18 જૂને રવિવારે વહેલી સવારે સાત કલાકે ગાંધીનગર ખાતે લાવવામાં આવશે અને તેની અંતિમ યાત્રા મહેસાણાથી વાયા ગોજારિયા આ મૃતદેહ લાવવામાં આવશે. બાબુ માંગુકિયા તેમજ કેતનના પિતાની આ જાહેરાત બાદ પોલીસ હરકતમાં આવી…
વડોદરા: ગુજરાતના ગેંગસ્ટર અબ્દુલ લતીફ પર બનેલી ‘રઇસ’ ફિલ્મના પ્રમોશન માટે નિકળેલા શાહરૂખ ખાન અને તેની પ્રમોશન ટીમ ટ્રેન મારફતે ગત તા. 23 જાન્યુઆરી વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. તે સમયે વડોદરા રેલવે સ્ટેશન ખાતે સર્જાયેલી દુર્ઘટના માટે શાહરૂખ ખાન જવાબદાર હોવાના પુરાવા હોવાનું તપાસ અધિકારીએ કોર્ટને આપેલા રિપોર્ટમાં દર્શાવેલુ છે. જેથી ફરી એક વખત શાહરૂખ ખાનની મુશ્કેલીઓમાં વઘારો થયો છે. વડોદરા રેલવે સ્ટેશન પર સર્જાયેલી દુર્ઘટના અંગે શહેરના એક સામાજીક કાર્યકર દ્વારા કોર્ટમાં શાહરૂખ વિરુદ્ધ ગુનો નોંધવા અરજી કરી હતી. જે અરજીના પગલે કોર્ટે તપાસ અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો. શાહરૂખ ખાન અને તેની પ્રમોશન ટીમ…
ફોટો સિલિકોન વેલીમાં ઊંચા ભાડાને પગલે ગૂગલેપોતાના કર્મચારીઓ માટે સ્ટાર્ટઅપ ફેક્ટરી ઓએસ ને 3 કરોડમાં 300 યુનિટ મોડયુલર મકાન બનાવવા ઓર્ડરઆપ્યો છે આ મોડ્યુલર મકાન સંપૂર્ણપણે ફેકટરીમાં બનેછે અને પછી સાઈટ પર પઝલની માફક એસેમ્બલ કરીદેવાઈ છે તેનો નિર્માણ ખર્ચ 20થી 50 ટકા ઓછો થાયછે