પારડી નગરમાં સ્વાધ્યાય મંડળ પાસે નિષ્ઠા પાર્ક સોસાયટીમાં બંધ બંગલા માં ગત 15 મે ના રોજ સોનાના દાગીના રોકડ રકમ મળી 1 લાખ થી વધુ મત્તાની ચોરી માત્ર 94 હજાર ની મત્તાની ચોરી થઇ હતી. જે ઘરફોડ ચોરી નો ભેદ પારડી પોલીસે ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી એ ચોરી ના રૂપિયાની બાઈક ખરીદી નોકરી કરતા કંપની ના મિત્રો ને પેંડા ખવડાવ્યા હતા નું કબૂલાત કરી હતી. પારડી સ્વાધ્યાય મંડળ રોડ સ્થિત નિષ્ઠા પાર્ક સોસાયટીમાં ચાર બંગલા ઓને તસ્કરોએ નિશાન લીધા હતા જેમાં એક બંગ્લા 9 તોલા સોનુ સહિત કુલ 94 હજાર રૂપિયાની…
Author: SATYA DESK
ભારતે બાંગ્લાદેશને 9 વિકેટ હાર આપીને આસાન વિજય મેળવી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.ભારતની ટક્કર હવે તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે 18 જુને રવિવારે થશે. બાંગ્લાદેશના 264 રનના જવાબમાં ભારતે 1 વિકેટ ગુમાવી મેચને જીતી લીધી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સદી ફટકારતા 123 રને નોટ આઉટ રહ્યો હતો. વિરાટ કોહલીએ આક્રમક રમત રમતા નોટ આઉટ 96 રન બનાવ્યા હતા. શિખર ધવન 46 રને આઉટ થયો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમિફાઈનલમાં બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 265 રનનો લક્ષ્યાંક આપ્યો છે. બાંગ્લાદેશે 50 ઓવરમાં 7 વિકેટે 264 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મહમદુલ્લાહ 21, મોસાદ્દેક હુસેન 15, મુશ્ફિકુર રહીમ…
અમદાવાદ: પ્રાઇમરી માર્કેટમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે પૂરબહાર તેજીની મોસમ ક્યારે ખીલશે તેનો કોઈને ખ્યાલ નથી પરંતુ અમદાવાદ સ્થિત કંપનીઓના પ્રમોટર્સને બજારમાં વર્તમાન સમય તેમની કંપનીઓના લિસ્ટીંગ માટે બિલકુલ યોગ્ય જણાઇ રહ્યો છે. આગામી દિવસોમાં અમદાવાદની ચારેક કંપનીઓના લિસ્ટીંગ સ્ટોક એક્સચેન્જિસમાં થશે, જેમાંથી એક એરિસ લાઈફ સાયન્સિઝ ૧૬મી એપ્રિલે આઈપીઓ સાથે પ્રવેશી રહી છે. જીટીપીએલ 21 જૂનના રોજ બજારમાં પ્રવેશી રહી છે. અન્ય બે સાહસોમાં શેલ્બી હોસ્પિટલ અને માસ ફાઈનાન્સિયલ સર્વિસિઝ પણ બજારમાં પ્રવેશવા તૈયાર છે. આ તમામ કંપનીઓને સેબીની મંજૂરી મળી ચૂકી છે અને તેઓ કુલ મળીને લગભગ રૂ.3500 કરોડ બજારમાંથી એકત્ર કરશે. ગુજરાતી પ્રમોટર્સ…
[highlight] નવા અભ્યાસમાં ઉપયોગી તારણ સપાટી પર : ચોકલેટ પણ આરોગ્ય ઉપર એવી જ અસર કરે છે જેવી અસર કસરતના કારણે થાય છે : નવા અભ્યાસનું તારણ [/highlight] તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસથી જાણવા મળ્યું છે કે ચોકલેટ એક્સરસાઈઝ કરતા પણ વધારે યોગ્ય છે. ચોકલેટ ખાવાથી વજન વધી જાય છે તેવા અગાઉના અહેવાલોમાં માહિતી આપવામાં આવ્યા બાદ ચોકલેટના ચાહકો ચોકલેટને લઈને હતાશ હતા પરંતુ હવે નવા અભ્યાસથી ચોકલેટના ચાહકોને રાહત થઈ છે. આમા જણાવવામાં આવ્યું છે કે ચોકલેટ ખાવાથી વજન વધી જતું નથી. નવા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ડાર્ક ચોકલેટ ખાવાથી શરીરને એવો જ ફાયદો થાય છે…
નવી દિલ્લી, તા. ૧પઃ દિલ્હી હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતાં કહ્યું છે કે, સેકસને લગતા અપરાધમાં સ્ત્રી સાચું બોલે જ છે તેવું હંમેશાં માની ના લેવાય. હાઈકોર્ટે આ તારણ સાથે બળાત્કારનો આરોપ હતો તે યુવકને છોડી મૂકયો હતો. હાઈકોર્ટે કહ્યું છે કે યુવતી ૩૧ વર્ષની હતી, તે સેકસ સંબંધો વિશે જાણતી હતી તે સંજોગોમાં બળાત્કાર ના કહેવાય. દિલ્હીના છાવલા વિસ્તારની યુવતી એક કંપનીમાં ટ્રેનિંગ લઈ રહી હતી અને આરોપી યુવક ટ્રેનર હતો. બન્ને વચ્ચે ઓળખાણ થઈ પછી ફોન પર વાતો કરવા લાગ્યા. તેમની મિત્રતા ગાઢ બની. અંતે બન્ને એકબીજાને પસંદ કરવા લાગ્યા. બંને વચ્ચેના ,બંધો એકદમ ગાઢ બન્યા અને વાત…
1 જુલાઈથી લાગુ થનારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સાથે આયાત-નિકાસમાં વેગ મળે તેવા હેતુથી કેન્દ્ર સરકાર 15 અંકનો જીએસટીઆઇએન આલ્ફા-ન્યૂમેરિક કોડ અમલી બનાવશે. આ કોડમાં પાન નંબર પહેલા રાજ્યનો કોડ અને 3 અંકનો વ્યવસાય કોડ લગાવવામાં આવશે. જેનાથી આયાત-નિકાસકારોને મોટી રાહત મળશે. ફોરેન ટ્રેડ (ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ 1992 તેમજ એફટીપી 2015-20 પ્રમાણે 10 અંકનો કોડ આયાત-નિકાસમાં ફરજિયાત હતો. જો કે હવે જીએસટીઆઇએન નંબર અમલી બનશે. ભાવનગરમાં ડિહાઈડ્રેશન પ્લાન્ટ, શીપ મશીનરી નિકાસ મોટી સંખ્યામાં થાય છે. જેમાં આ 15 આંકડાનો નંબર જરૂરી રહેશે. જો કે જે ધંધાર્થીઓનું ટર્નઓવર આયાત-નિકાસની મર્યાદા આવતું નહીં હોય, તેમના માટે જીએસટીઆઇએન નંબર લેવાનું ફરજિયાત…
પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઘટાડો : પેટ્રોલ લિટરે 1.12 રૂપિયા અને ડીઝલ 1.24 રૂપિયા સસ્તું : આજ મધરાતથી અમલ
[highlight]સુરત શહેર પાછળ કુલ ફંડના 80 ટકા 8 કિલોમીટરના વિસ્તારના વિકાસ માટે ફાળવવામાં આવશે [/highlight] કેન્દ્રની મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાં સ્માર્ટસિટીનો પણ સમાવેશ થાય છે. જો કે આ યોજનાને લઈ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ યોજના પાછળ ફળવાયેલ ફંડ અને ખર્ચનો ડેટા લીક થયો છે. જેમાં સામે આવેલ વિગતો મુજબ સ્માર્ટસિટી બનાવવા માટે ખર્ચ કરવામાં આવતી કુલ રકમ પૈકી ૮૦ ટકા રકમ માત્ર શહેરના ૩ ટકા વિસ્તારને ચમકાવવા પાછળ વપરાઈ રહી છે.સ્માર્ટસિટી યોજના અંતર્ગત ૫૯ શહેરોને સ્માર્ટસિટી બનાવવા માટે કુલ ૧.૩૧ લાખ કરોડ રૂપિયા વાપરવાના છે. જેમાંથી ૧.૦૫ લાખ કરોડ રૂપિયા એરીયા બેઈઝ ડેવલોપમેન્ટ પાછળ ખર્ચાશે. એરીયા બેઈઝ…
નવી દિલ્હી: ઇ-કોમર્સ કંપની સ્નેપડીલ પણ એક ધમાકેદાર ઓફર લઈને આવી છે. સ્નેપ ડીલે અનબોકસ મોનસુન સેલની જાહેરાત કરી છે. આ સેલ અલગ-અલગ ગેજેટ્સ, ઇલેક્ટ્રોનિક્સ પ્રોડકટ સિવાય હોમ એપ્લાયન્સ પર પણ ભારે છૂટ આપી રહ્યું છે. ઇ-કોમર્સ કંપનીનો મોનસુન સેલ 14 અને 15 જૂન દરમિયાન યોજાશે. આ ઓફર કપડાં, મોબાઈલ ડિવાઇઝ, હોમ એપ્લાયન્સ અને બીજી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ પર લાગુ પડશે. અમુક આઇટમો પર સ્નેપડીલ 80% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ ઓફર સ્માર્ટફોન, લેપટોપ, પોર્ટેબલ હાર્ડ ડ્રાઈવ્સ, DSLR કેમેરા, પ્રિન્ટર્સ, ટેલીવિઝન સેટ, હોમ થિયેટર અને સ્માર્ટ ફોન એસેસરીઝ પર પણ લાગુ પડશે.
નવી દિલ્હી: મોદી સરકારે ખેડૂતોના હિતમાં એક વધુ નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે ખેડૂતોને લોનના વ્યાજદર પર વધુ છૂટ મળશે. આ યોજનાનો ફાયદો એવા ખેડૂતોને મળશે જે એક વર્ષમાં લોનની ચુકવણી કરી દેશે. બુધવારે મળેલી કેબીનેટની મિટિંગમાં ખેડૂતોને 9 ટકા પર મળતી લોન હવે માત્ર 4 ટકાના વ્યાજદરથી મળશે. કેન્દ્રિય કેબિનેટ ફોર્મ લોન પર વ્યાજમાં સરકાર 2 ટકાની સબસિડી આપશે . ખેડૂતોની લોન માફીના દરને 3 થી વધારી 5 કરી દેવામાં આવ્યો છે. આ યોજના એક વર્ષમાં લોન ચૂકવનાર ખેડૂતોને જ મળશે. મોદી સરકારના આ નિર્ણયના કારણે હવેથી ખેડૂતોને પહેલા કરતાં વ્યાજના દરમાં વધુ છૂટ મળશે. ત્રણ લાખ સુધીની…