મધ્ય ગુજરાત ના નડિયાદમાં આવેલી એક ખાનગી સ્કૂલનાં શિક્ષકે કોરોના ની હાડમારી પહેલા ડિસેમ્બર માસ માં 14 વર્ષની વિદ્યાર્થિનીને જેન્સ ટોયલેટ માં ફોસલાવી ને લઈ જઈને માસૂમ બાળા ઉપર બળાત્કાર ગુજારનાર નરાધમ શિક્ષક ને પોલીસે દબોચી લઇ જેલ માં ધકેલી દીધો છે. ડિસેમ્બર માસ માં બનેલી આ ઘટના ની વિગતો મુજબ નડિયાદના પીપલગ ચોકડી પાસે આવેલી યુરો સ્કૂલમાં મનિષ પાઉલભાઈ પરમાર શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શાળામાં શિક્ષક ના નામે આવતા મનિષ ની નજર હંમેશા નાની માસૂમ બાળાઓ ઉપર ટિકી રહેતી હતી અને મનમાં હવસ નો કીડો સળવળતો રહેતો હતો અને આ બધા વચ્ચે તેની નજર સ્કૂલની જ એક 14…
Author: mohammed shaikh
ગુજરાત માં અમદાવાદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં કોરોના વકર્યો છે અને સુરત થી લઈ વલસાડ સંઘ પ્રદેશ માં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે અગાઉ ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યકક્ષના મંત્રીનો ગત બુધવારે કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હાલ અમદાવાદની મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે તેમના પરિવાર ને પણ કોરોના નો ચેપ લાગતા પુત્રનો પણ રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હવે મંગળવારે મંત્રીના પત્ની અને તેમના ધરે કામ કરતી યુવતી પણ સંપર્કમાં આવતા સંક્રમિત બનતા કોવિડ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ છે, ઉમરગામના ધોડીપાડાના વતની અને રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણ પાટકર ગત બુધવારે કેબિનેટની બેઠક માટે ગાંધીનગર ગયા…
આખી દુનિયા માં કોરોના ફેલાવનાર ચાઈના એ બાદ માં અન્ય દેશો ને નબળા પાડી વિશ્વ માં પોતાનું સામ્રાજ્ય ઉભું કરવાની તેની બદ દાનત ઉઘાડી પડી જતા હવે દુનિયા ના લોકોમાં ચીન પ્રત્યે નફરત ફેલાઈ રહી છે ત્યારે ચીન ની પ્રોડક્ટ ના બહિષ્કાર સહિત તેની કોઈપણ વસ્તુ સામે લોકો શંકા ની દ્રષ્ટિ થી જોઈ રહ્યા છે,ભારતે ચાઇનીઝ એપ ઉપર પ્રતિબંધ લગાવ્યા બાદ અમેરિકા અને બ્રિટને પણ ચીનની કંપની હુવાવે પર દેશમાં 5જી નેટવર્ક લગાવવા અંગે પ્રતિબંધિત મૂકી દીધો છે. બ્રિટિશ સરકારે તેની ટેલિકોમ કંપનીઓને 2027 સુધી 5જી નેટવર્કમાંથી હુવાવેનાં તમામ ઉપકરણો હટાવી દેવા જણાવી દીધું છે, અમેરિકા એ તો પહેલે થીજ…
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ના રડાર માં આવી ગયેલા અમદાવાદ અને સુરત ના જાણીતા અરડોર ગ્રૂપનું મસમોટું હવાલા કૌભાંડ બહાર આવતા સનસનાટી મચી ગઇ છે અને આ કૌભાંડ માં સામેલ મોટી ટોપચીઓ ને પકડી પકડી ને અંદર કરી દેવામાં આવતા ચિટર ટોળકી માં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે આ ગ્રુપની રૂ. 204.27 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. વિગતો મુજબ અરડોર ગ્રૂપે બોગસ દસ્તાવેજોને આધારે બેંકો પાસેથી કરોડોની લોન લઈને હવાલા કૌભાંડ આચર્યુ હોવાનું તપાસ માં બહાર આવ્યું છે. આ ચિટર ટોળકી બેંકની કરોડની લોન રિપેમેન્ટ નહોતી કરી તેની સામે ઇડીએ કંપનીના ચેરમેન ભરત શાહ, ડિરેકટર ફેનિલ શાહ અને ગીતા શાહની ધરપકડ…
ગુજરાત માં પ્રદુષણ ફેલાવતી ફેકટરીઓ સામે કુણું વલણ ધરાવતા લાંચિયાઓ ના પાપે જનતા ભોગ બની રહી છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે ત્યારે જામનગરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરજ બજાવતા અને ગાંધીનગરમાં રહેતા ક્લાસ 1 અધિકારી ભાયા સૂત્રેજાને શનિવારે 5 લાખ રોકડ સાથે એસીબીએ ઝડપી લેતા અન્ય લાચિયા તત્વો ફફડી ઉઠ્યા છે. તપાસ દરમ્યાન તેમની પાસેથી લાખ્ખો ની બેનામી સંપત્તિ મળી આવી છે જેનો હિસાબ ન આપી નહિ શકતા તે અંગે પણ તેઓ સામે ગુનો નોંધાયો છે. ગાંધીનગરમાં સેક્ટર-30 ગોલ્ડન પાર્ક સોસાયટીમાં પ્લોટ નં-671/2 ખાતે રહેતાં જીપીસીબીના અધિકારી ભાયા ગીગાભાઈ સૂત્રેજા દર અઠવાડિયે રાજકોટથી ગાંધીનગર આવતા હતા. અધિકારી લાંચની…
વલસાડ જિલ્લા અને શહેર માં રીતસર દારૂની દુકાનો શરૂ થઈ હોય તેમ ઠેરઠેર દારૂ વેચાઈ રહ્યો છે અને દારૂની હેરફેર પણ વધી ગઈ છે આ અંગે પોલીસ ક્યારેક રેડ કરી સંતોષ માની લે છે પણ પાછું ચાલુ થઈ જાય છે ત્યારે ભીલાડ સરીગામ સરઈ સ્ટેટ હાઇવે પર સોમવારે દારૂ ભરીને જઇ રહેલા પોલીસકર્મી ની ઇકો કારે બાઇક ને ઉડાવતા બે નિર્દોષ ના મોત થઈ ગયા હતા જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં વલસાડ સિવિલ માં સારવાર હેઠળ છે.જોકે ઘટના બાદ ગભરાયેલા પોલીસ કર્મી દારૂ ભરેલી ઇક્કો કાર છોડી ભાગી ગયા હતા તેવા નારગોલ મરીન પોલીસના કલ્પેશ જાની સામે ભીલાડ…
અમદાવાદમાં કોરોના ની હાડમારી હજુ પણ યથાવત છે અને રોજ નવા કેસો નોંધાઇ રહયા છે તેવે સમયે સુરત સહિત દક્ષિણ ગુજરાત માં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સંક્રમણ આગળ વધતું રોકવા અમદાવાદ માં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે અમદાવાદ માં ગીતામંદિર, રાણીપ અને કૃષ્ણનગર એસટી બસ મથકે આવતા પેસેન્જરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મ્યુનિ. હેલ્થ વિભાગની ટીમોએ 1 હજારથી વધુ પેસેન્જરોનું ચેકિંગ કર્યું હતું જેમાંથી 22 પેસેન્જરો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. કોરોના પોઝિટિવ આવેલા મોટાભાગના પેસેન્જરો વડોદરા, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાત તરફથી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોઝિટિવ આવેલા આ તમામ દર્દીઓમાંથી શહેરના લોકોને…
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારમાં લો-પ્રેશરની અસર ને લઇ રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસો દરમિયાન રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે તેમ હવામાન વિભાગ ના સૂત્રો નું કહેવું છે. આજે આકાશ મુખ્યત્વે વાદળીયું જોવા મળ્યું હતું ગતરોજ રવિવાર ના દિવસે રાજ્ય માં વરસાદ નોંધાયો હતો અમદાવાદ દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણની સાથે સૌરાષ્ટ્ર કચ્છનાં ગીર-સોમનાથ, પોરબંદર સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી છે. વલસાડ,વાપી, પારડી,કપરાડા અને ધરમપુર તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો. ભાવનગર એન…
દેશ ની લોકશાહી ને જાણે બટ્ટો લાગ્યો હોય તેવું જણાઈ રહયું છે કેટલાક બુઝુર્ગ જાણકારો એવો પણ મત વ્યક્ત કરી રહ્યા છે કે એક દિવસ એવો આવશે કે જેની બોલી વધુ તેની સરકાર અને આઇપીએલ ની રમત જેવું થઈ જશે હાલ માં ધારાસભ્યો ખરીદ વેચાલ પ્રક્રિયા ખુબજ નિરાશાજનક છે. રાજસ્થાનમાં હાલ રાજકકારણ ચરમસીમાએ છે. મોડી રાત્રે રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ અવિનાશ પાંડે, રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલા અને અજય માકને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પાંડેએ કહ્યું કે રાજસ્થાનની ગેહલોત સરકાર સંપૂર્ણ સલામત છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના 109 ધારાસભ્યોએ સમર્થનનાં પત્રો સોંપ્યા છે. રાજસ્થાનના રાજકારણમાં અત્યારે ભૂકંપ આવી ગયો છે. રાજ્યના યુવા…
પત્રકાર જગત માં વધુ એક પીઢ કટાર લેખક અને પદ્મશ્રી એવા આદરણીય નગીનદાસ સંઘવીનું આજે 100 માં વરસ ની જૈફ વયે અવસાન થયું છે. આજે રવિવારે સવારે 11.30 કલાકે શ્વાસ લેવામાં તકલીફ જણાતાં તેઓ ને મહિધરપુરા વિસ્તારમાં આવેલી બુરહાની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં 3.30 કલાકે તેઓ એ અંતિમ શ્વાસ લીધા હતા.ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2020માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ વર્ષ તેમનું જન્મ શતાબ્દી વર્ષ હતું. મુખ્યમંત્રી રૂપાણીએ વરિષ્ઠ કટાર લેખક સમીક્ષક અને વિશ્લેષક તથા વિવેચક પદ્મશ્રી નગીનદાસ સંઘવીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ પાઠવેલા શોક સંદેશમાં સદગત નગીનદાસ…