રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 174 કેસ નોંધાયા છે. જેની સામે 268 દર્દીઓ સાજા થયા છે અને હાલ પાંચ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. જોકે, સદનસીબે રાજ્યમાં આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. અમદાવાદમાં સૌથી વધુ 58 કેસ નોંધાયા છે. ત્યારબાદ વડોદરામાં નવા 30 કેસ સામે આવ્યા છે. સુરતમાં 30 કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં 9 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 8 કેસ નોંધાયા છે. રાજકોટમાં 7 કેસ સામે આવ્યા છે. મહેસાણામાં 5 કેસ નોંધાયા છે. વલસાડમાં 4 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 3 કેસ, કચ્છમાં 3 કેસ, આણંદમાં 2 કેસ, અમરેલીમાં 2 કેસ, ભાવનગરમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2…
Author: mohammed shaikh
વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન વધુ 4 નવા દર્દી નોંધાયા છે. RTPCR ટેસ્ટિંગ સેન્ટર ઉપર કુલ 262 લોકોએ કોરોના RTPCR ટેસ્ટ કરાવ્યુ હતું જે પૈકી વલસાડ જિલ્લામાં કુલ 4 કોરોના પોઝીટીવ જાહેર થયા હતા આ સાથે કોરોનાના એક્ટિવ કેસનો આંક 78 ઉપર પહોંચ્યો છે. સાથે છેલ્લા 7 દિવસ પહેલા કોરોના પોઝીટીવ જાહેર થયેલી 9 વર્ષની બાળકી સહિત 5 સંક્રમિત દર્દીઓ સાજા થયા હતા. આ દર્દીઓને જિલ્લા આરોગ્ય વિભાગની સૂચના અને આયુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સારવાર આપવામાં આવી હતી.
યુપીમાં રાતોરાત જાણીતા બની ગયેલા શૂટર્સ અરુણ મૌર્ય, સની સિંહ અને લવલેશ તિવારીએ અતિક અહેમદ અને અશરફની હત્યા કર્યા બાદ હુમલાખોરોને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં નૈની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા પણ અહીં અતીકનો પુત્ર અલી અહેમદ નૈની જેલમાં બંધ હોય જેલમાં પણ ગેંગ વોર થવાની સ્થિતિ જણાતા ત્રણેય શૂટરોને પ્રતાપગઢ જેલમાં લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ પોતાના ભાઈ અને કાકા તેમજ પિતાની હત્યા થતાં જેલમાં બંધ અલી અહેમદ છેલ્લા બે દિવસથી સતત હંગામો મચાવ્યો છે અને રવિવારે તે પોતાના પિતા અતીકના અંતિમ સંસ્કારમાં જવાનો પણ આગ્રહ કરી રહ્યો હતો. પરંતુ પરવાનગી આપવામાં આવી ન હતી. દરમિયાન આજે સોમવારે…
સૌરાષ્ટ્રના બોટાદ રેલવે સ્ટેશન ઉપર બોટાદ-ધાંગધ્રા ડેમુ ટ્રેનમાં આગ લાગતા ભારેદોડધામ મચી જવા પામી હતી. બોટાદ રેલવેના પ્લેટફોર્મ નંબર 7 ઉપર આ ટ્રેન બંધ હાલતમાં હતી ત્યારે ટ્રેનના 3 ડબ્બામાં આગ આગ લાગવાનો બનાવ બન્યો હતો જોકે,ટ્રેનમાં કોઈ પેસેન્જર નહિ હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ઘટના અંગેની જાણ થતાં જ રેલવે વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સાથેજ ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી સ્થળ ઉપર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આ ડેમુ ટ્રેન બોટાદથી સુરેન્દ્રનગર તરફ જવા સાંજે 6 વાગે ઊપડે છે.…
ગૃહરાજ્ય મંત્રીના નામ સાથે ટિપ્પણી કરવા બદલ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી હતી. ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની સુરત ક્રાઈમ બ્રાંચેની ઓફિસ ખાતે લઈ જવાયા હતા. ચૂંટણી દરમિયાન ગોપાલ ઈટાલિયાએ ગૃહરાજ્ય મંત્રીના નામ સાથે ટિપ્પણી કરી હોવાથી તેમને ક્રાઈમ બ્રાંચની ઓફિસે લઈ જવાયા હતા. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, જૂની FIR મામલે તેઓની પૂછપરછ કરવામાં આવી હતી. ભાજપના કોઈ વ્યક્તિએ મારી સામે ફરિયાદ કરી હતી તેમણે ઉમેર્યું કે, મે ભાજપ પ્રદેશ પ્રમુખ અને ગૃહમંત્રી વિષે ટિપ્પણી કરી હતી અને મને ખોટી રીતે હેરાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેમણે કહ્યું કે, વિપક્ષ તરીકે સવાલ ઉઠાવવામાં અમારી ફરજ છે…
–નિયમો માત્ર પ્રજા માટેજ છે કારણકે જો જનતાએ આધાર કાર્ડ,લાયસન્સ,ચૂંટણી કાર્ડ કઢાવવું હોયતો પણ તમામ આધાર પુરાવા આપવા પડે છે,પણ જો લબાડો ખુરશી ઉપર બેસી જાયતો બાપા ની પ્રોપર્ટી હોય તેમ નિયમ વિરુદ્ધ જઈ સરકારી પ્રોપર્ટી પણ ગળસી જવામાં શરમ રાખતા નથી જેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. વલસાડમાં ગેરકાયદે મોટા મોટા કાંડ થયા છે અને કેટલીક ચંડાળ ચોકડીએ ભેગા મળી આવાજ ખેલ ખેલ્યા છે આવા લોકોએ કરોડો કમાઈને જલસા કર્યા છે બીજુ તો બીજું સરકારી જમીનો પણ છોડી નથી તેમાંય કરોડોનું કરી નાખ્યું છે પણ બધું દબાઈ ગયું છે. વલસાડના કબાટમાં આવા કેટલાય ભ્રષ્ટાચારના હાડપિંજર ભરેલા પડ્યા છે તે…
વલસાડ જિલ્લાના કપરડાના માંડવા ગામે ક્વોરી ચાલુ કરવા મુદ્દે પ્રતિષ્ઠાનો સવાલ ઉભો થઇ ગયો છે અને ક્વોરીની નફરત કરનાર જ એક રાજકીય નેતાને જાણે કે રાતોરાત સંચાલક ગમવા માંડ્યો હોય તેમ આ કવોરી ચાલુ કરવા ભારે રસ લઈ રહ્યો હોવાની વાત ચર્ચાનો વિષય બની છે.પેહલા કવૉરીનો વિરોધ કરાવ્યો અને ક્વોરી સંચાલકો ને દબાવ્યા બાદ કથિત વહીવટ કરી લીધા બાદ હવે ક્વોરી ચાલુ કરાવવા મથામણ ચાલુ થઈ છે. બીજી એવી વાત પણ સામે આવી રહી છે કે સરકારના મોટાભાગના પ્રોજેકટ L&T દ્વારા પાર પાડવામાં આવે છે જેનો પેટા કોન્ટ્રાક્ટ ક્વોરી સંચાલકો ને મળ્યો હોવાનું કહેવાય છે. કપરાડા માં ધંધો કરવો હોય…
“યે પબ્લિક હૈ,સબ જાનતી હૈ!” કપરાડાના માંડવા ગામે ક્વોરીની નફરત કરનાર રાજકીય નેતાને અચાનક સંચાલક સાથે LOVE થઈ ગયો!!!?” વલસાડ જિલ્લાના કપરડાના માંડવા ગામે ક્વોરી ચાલુ કરવા મુદ્દે પ્રતિષ્ઠાનો સવાલ ઉભો થઇ ગયો છે અને ક્વોરીની નફરત કરનાર જ એક રાજકીય નેતાને જાણે કે રાતોરાત સંચાલક ગમવા માંડ્યો હોય તેમ આ કવોરી ચાલુ કરવા ભારે રસ લઈ રહ્યો હોવાની વાત ચર્ચાનો વિષય બની છે.પેહલા કવૉરીનો વિરોધ કરાવ્યો અને ક્વોરી સંચાલકો ને દબાવ્યા બાદ કથિત વહીવટ કરી લીધા બાદ હવે ક્વોરી ચાલુ કરાવવા મથામણ ચાલુ થઈ છે.બીજી એવી વાત પણ સામે આવી રહી છે કે સરકારના મોટાભાગના પ્રોજેકટ L&T દ્વારા પાર…
બૂલેટ ટ્રેનનું નામ અવતાંજ વલસાડ જિલ્લાનું ઝરોલી ગામ આજકાલ લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યું છે કારણકે સમગ્ર ગુજરાતમાં ઝરોલી ગામના એક પર્વતમાંથી આરપાર બુલેટ ટ્રેન પસાર થવાની છે. મુંબઇ અમદાવાદ વચ્ચે દોડનારી આ બુલેટ ટ્રેનનો 508 કિમીનો લાંબા રૂટમાં પહાડમાંથી પસાર થતી હોય તેવી ગુજરાતની આ પ્રથમ જગ્યા હશે કે જ્યાંથી પર્વતમાં બનાવેલી ટનલમાંથી ટ્રેન પસાર થશે. યસ, ઉમરગામના ઝરોલીગામે પ્રથમ ટનલ બની રહી છે.જ્યાથી ટ્રેન પસાર થશે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા હાથ ધરાયેલ બુલેટ ટ્રેન પ્રોજેકટ હેઠળ અહીં 350 મીટર લાંબી પર્વતીય ટનલનું કામ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના…
સોમવારથી શરૂ થનારું વિધાનસભાનું એક દિવસનું સત્ર તોફાની બને તેવી શક્યતા છે. પક્ષ અને વિપક્ષ એકબીજા પર પ્રહારો કરશે. આ અંગે બંને પક્ષોએ રણનીતિ તૈયાર કરી છે. દારૂ કૌભાંડ મામલે બંને પક્ષો એકબીજા પર નિશાન સાધે તેવી શક્યતા છે. વિધાનસભામાં AAP સરકાર કેન્દ્રને ભીંસમાં લેવાનો પ્રયાસ કરશે, જ્યારે ભાજપે ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. વાસ્તવમાં, સીબીઆઈએ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે સમન્સ જારી કર્યા પછી, દિલ્હી સરકારે વિધાનસભાનું સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે. તેથી દારૂ કૌભાંડમાં કેન્દ્ર સરકાર દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્યોથી લઈને મુખ્યમંત્રી સુધી તપાસ એજન્સીઓના દુરુપયોગના આરોપ લગાવવાની શક્યતા છે. આમ આદમી…