ગાંધીનગર- ગુજરાતમાં કોલ્ડસ્ટોરેજની અછત હોવા છતાં ખેડૂતો ફુલોની ખેતી તરફ વળ્યા છે. અત્યારે ફુલોનો વાવેતર વિસ્તાર વધીને 21000 હેક્ટર થયો છે જે 2008-09માં 11000 હેક્ટર હતો. રાજ્યમાં જો કોલ્ડસ્ટોરેજ અને ગ્રીનહાઉસ બનાવવાનો ખર્ચ ઓછો થાય તો રાજ્યમાં ફુલો માટેનું વાતાવરણ સારૂં છે. રોકડિયો પાક હોવાથી ખેડૂતો ધીમે ધીમે ફુલોની ખેતી તરફ વળી શકે છે. રાજ્યમાં ગ્રીનહાઉસના કારણે ફુલોનું ઉત્પાદન વધ્યું છે. કટ ફ્લાવરના માર્કેટને પણ મોટું બુસ્ટઅપ મળ્યું છે. છેલ્લા 10 વર્ષમાં ફુલોના ઉત્પાદનમાં 100 ટકાનો વધારો નોંધાયો છે. ફુલોમાં સૌથી મોટું બજાર ગુલાબ, મેરીગોલ્ડ, મોગરા અને લીલીનું છે. ખેડૂતો ગુલાબની ખેતીમાં પાછળ પડતાં જાય છે. નિકાસ કરવાના ટાંચા સાધનો…
કવિ: Margi Desai
ગાંધીનગર- ગુજરાતમાં ફરીથી નબળી પડેલી કોંગ્રેસને ભાજપના નેતાઓની નજર લાગી છે. કોંગ્રેસમાંથી ઓછામાં ઓછા 12 ધારાસભ્યો ખેરવવાની ભાજપની યોજના છે જેને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મથાપણ કરી રહ્યાં છે. કોંગ્રેસના એક સિનિયર સદસ્યએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓની તાકાત હોય તો તેમના ધારાસભ્યોને ભાજપમાં જતાં બચાવી લે, અન્યથા તેઓ કેસરિયો ધારણ કરવા જઇ રહ્યાં છે. રાજ્યમાં વિપક્ષના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવા સંકેત મળ્યા છે. રાજ્યમાં 26મી માર્ચે રાજ્યસભાની ખાલી પડનારી ચાર બેઠકોની ચૂંટણી થવાની છે ત્યારે તે પહેલાં ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવે તો નવાઇ પામવા જેવું નથી. કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી સંભાવના એટલા…
હું ભાજપમાં જન્મ્યો છું અને ભાજપમાં જ મરીશ, કોંગ્રેસ સપનાં ના જુએ – નીતિન પટેલ ગાંધીનગર- ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે હું ભાજપમાં જ જન્મ્યો છું અનેભાજપમાં જ મરીશ. કોંગ્રેસે કોઇ ખ્વાબ જોવાની જરૂર નથી. તેમણે વિધાનસભામાં કોંગ્રેસનીટીખળનો જવાબ આપતાં આમ કહ્યું છે. વિધાનસભાની પ્રશ્નોત્તરી સમયે એક પ્રશ્નના ઉત્તરમાં જ્યારે કોંગ્રેસના સભ્યોએ ભાજપનાસભ્યો અંતે કોઇ કોમેન્ટ કરતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે તમારામધ્યપ્રદેશમાં તો કોંગ્રેસના કાંગરા ખરવા માંડ્યાં છે. કોંગ્રેસના સભ્ય વિરજી ઠુમર કહેતા હતા કેદુખી નિતીનભાઇ કોંગ્રેસમાં આવી જાય, તેમને અમે મુખ્યમંત્રી બનાવીશું. વિરજીભાઇ તમારાસપનાં પુરાં થવાના નથી. પ્રદીપસિંહે સભાગૃહમાં વિપક્ષના નેતા પરેશ ધાનાની…
ગાંધીનગર- ગુજરાત ભાજપના રાજ્યસભા માટેના બે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જો કે કોંગ્રેસે હજી તેના બે નામો જાહેર કર્યા નથી. ભાજપ ત્રીજો ઉમેદવાર ઉભો રાખે તો 26મી માર્ચે ચૂંટણી થશે, અન્યથા બન્ને પાર્ટીના બે ઉમેદવારોને વિજેતા જાહેર કરી દેવામાં આવશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને બજેટ સત્ર દરમ્યાન રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ભાજપે ગુજરાત ભાજપ માટે બે નામો જાહેર કર્યા છે જેમાં એક નામ અભય ભારદ્વાજનું છે અને બીજું નામ પૂર્વ ધારાસભ્ય રમિલાબેન બારાનું છે. કોંગ્રેસે હજી કોઇ ઉમેદવાર જાહેર કર્યા નથી. ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ 13મી માર્ચ છે. ભાજપે તેના સત્તાવાર ઉમેદવારો ઉપરાંત…
ગાંધીનગર- ગુજરાતમાં બાળલગ્ન થાય છે તે હકીકત છે પરંતુ સરકાર પગલાં લઇ શકતી નથી, કારણ કે છીંડે ચઢ્યો તે ચોર… એ ઉક્તિ પ્રમાણે કોઇ ફરિયાદ કરે તો બાળલગ્ન અટકી જાય છે પરંતુ લગ્ન થયા પછી કાયદા પ્રમાણે કામ થઇ શકતું નથી. મોટાભાગના કેસોમાં બાળલગ્ન થઇ ચૂક્યાના ચાર-પાંચ વર્ષ પછી ફરિયાદ થઇ હોય છે અને એ સમયે બાળલગ્ન કરનાર યુગલ પુખ્તવયનું બની ચૂક્યું હોય છે. બાળલગ્ન કરવા એ ગુનો છે છતાં કાયદાનું ઉલ્લંઘન કરતાં એવા પરિવારો મોજૂદ છે કે જેમણે કાયદો તોડીને બાળલગ્નો કર્યા છે. એકલા અમદાવાદમાં 20,000 કરતાં વધુ કિસ્સા એવા છે જેમાં બાળવિવાહ થયાં છે. આજે તેમની સામે પગલાં…
ગાંધીનગર- ગુજરાત સરકારમાં કરપ્શનના માત્રા વધારે છે તેવું સરકારી આંકડા સાબિત કરે છે ત્યારે પાંચ કે સાત હજાર લોકોને પૂછીને કરપ્શનની માત્રા નક્કી કરવી એ મૂર્ખામી છે. કેન્દ્રીય પ્રાઇવેટ સંસ્થાનો રિપોર્ટ જોઇને ગુજરાત સરકાર ખૂશ થાય છે પરંતુ હકીકતમાં રાજ્યમાં કરપ્શનની માત્રા એટલી બધી વધી ચૂકી છે કે રોજનો એક કેસ એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાય છે. એટલે કે કોઇને કોઇ સરકારી કચેરીમાં લાંચ લેવાના કેસોની સંખ્યા વર્ષે 270ના આંકડાને ક્રોસ કરે છે. રાજ્ય ગૃહ વિભાગના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં પાંચ વર્ષમાં 1127 અધિકારી તેમજ કર્મચારીઓને લાંચ લેવાના કેસમાં જેલની સજા થઇ છે. એનો મતલબ એ થયો કે…
ગાંધીનગર- ગુજરાતમાં સત્તાથી દૂર ફેંકાયેલી કોંગ્રેસને સત્તાનો નશો પચતો નથી અને વિપક્ષમાં નેતાઓને ફાવતું નથી. ભાજપ અને મોદીના શાસનથી કંટાળેલી દેશની જનતાએ વિવિધ રાજ્યોમાં પરિવર્તનનો નિર્દેશ આપ્યો હતો પરંતુ કોંગ્રેસના સત્તા ભૂખ્યાં નેતાઓ વચ્ચે યાદવાસ્થળી ફાટી નિકળી છે જેનો ચેપ ગુજરાત કોંગ્રેસને પણ લાગી શકે તેમ છે. કોંગ્રેસ શાસિત રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં યાદવાસ્થળી છે. મધ્યપ્રદેશમાં તો જ્યોતિરાદિત્ય સિંઘિયાએ હાલના મુખ્યમંત્રી કમલનાથ સામે બળવો પોકાર્યો છે. રાજસ્થાનમાં પણ અશોક ગેહલોત ને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ નડી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર ત્રિભેટે આવીને ઉભેલી છે. કોંગ્રેસના મંત્રી નહીં બનેલા ધારાસભ્યોને ખરીદવાના રસ્તા ભાજપના નેતાઓએ શોધી કાઢ્યા છે.…
ગાંધીનગર- કેન્દ્ર સરકાર ધીમે ધીમે ગુજરાત સરકારને કેન્દ્રીય આવકનો હિસ્સો ઘટાડતી જાય છે. કેન્દ્ર ગુજરાતને થપ્પડ મારી રહી છે પરંતુ ક્યાં અને કેવી રીતે મારે છે તે હાલના નાણાકીય આંકડા દર્શાવે છે. ખુદ સરકારની સત્તાવાર માહિતી પ્રમાણે રાજ્યની મહેસૂલી આવકનો હિસ્સો આગામી વર્ષના અંતે વધીને 76 ટકા થશે જેની સામે કેન્દ્રની આવકનો ફાળો માત્ર 24 ટકા રહેશે. નાણા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી વર્ષમાં રાજ્યની કુલ મહેસૂલી આવકોમાં વધારો થશે જ્યારે કેન્દ્રના કરવેરા અને સહાયક અનુદાનમાં ઘટાડો થશે. રાજયની મહેસૂલી આવકોમાં રાજયના પોતાના કરવેરા અને બિન-કરવેરાની આવકો સાથે કેન્દ્રીય કરવેરામાં હિસ્સો અને કેન્દ્રીય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે સહાયક…
62 નવી ફ્લાઇટ્સ ઉપરાંત, વિસ્તારા હવે મુંબઇથી 10 શહેરો માટે સીધી ફ્લાઇટ્સ ચલાવશે. એરલાઇનના બોઇંગ 737-800 એનએનજી એરક્રાફ્ટ 12 બિઝનેસ ક્લાસ અને 156 ઇકોનોમી બેઠકોની બે-વર્ગની ગોઠવણીમાં કાર્ય કરશે. ફ્લાઈટ નેટવર્કમાં 50% થી વધુ વધારો કરતાં વિસ્તારાએ સોમવારે જાહેરાત કરી હતી કે તેણે આ મહિનાની શરૂઆતથી મુંબઇ અને દિલ્હીને દેશભરના અન્ય શહેરો સાથે જોડીને 62 નવી ફ્લાઇટ્સ ઉમેરી છે. તેણે 48-કલાક ‘ગ્રાન્ડ વિસ્તારા મોન્સુન સેલ’ ની પણ જાહેરાત કરી હતી, જે 18 જૂનથી 0001 કલાકથી શરૂ થશે અને 19 જૂનના રોજ 2359 વાગ્યે સમાપ્ત થશે. સેલ દરમિયાન, મુસાફરો 3 જુલાઇ અને 26 સપ્ટેમ્બર વચ્ચેની તારીખ ની ટિકિટ ખરીદી શકશે, તેમ એરલાઇન્સે…
કેરલમાં એક મહિલા પોલીસ અધિકારી પર છરી દ્વારા આક્રમણ કરી તેના જીવતા બાળી દેવાની ઘટના બહાર આવી છે. શનિવારે આ હુમલા દરમિયાન, મહિલા સ્થળ પરજ મૃત્યુ પામ્યા હતા. મહિલા પોલીસ અધિકારી પાર હુમલો કરનાર ટ્રાફિક પોલીસ છે. આ ઘટના દરમિયાન, આરોપી પણ 50% બાળી જવા પામ્યો છે. આરોપી પોલીસ અધિકારીની ભરતી અલપ્પુઝા મેડિકલ કોલેજની આઇસીયુમાં કરવામાં આવી છે. આ તબક્કે, આ ઘટના પાછળનું કારણ જાહેર થવા પામ્યું નથી. મીડિયા અહેવાલો અનુસાર, સૌમ્ય પુષ્કર્ન (32 વર્ષ) સિવિલ પોલીસ અધિકારી હતા. તેમની પોસ્ટિંગ અલપ્પુઝા જીલ્લાના વેલિકુનમ પોલીસ સ્ટેશનમાં પોસ્ટ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે સૌમ્યા પોલીસ કેડેટ કેમ્પમાંથી ફરજ…