બે દિવસ પહેલા દ્વારકા ખાતે સનાતન ધર્મના આગેવાન એવા મુરારિબાપુ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના પગલે દ્વારિકા જિલ્લાનાં બીજેપીના(BJP) પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકના વિરોધમાં સુરત સાધુ સમાજ સામે આવ્યો છે. તેમણે મુરારિ બાપુના સમર્થન સાથે આ ધારાસભ્ય વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે વિરોધ નોધાવ્યો છે. આ સાથે આજે અમદાવાદમાં પણ નિર્મોહી અખાડાના સાધુ સંતોએ મોરારિબાપુના સમર્થનમાં વિરોધ નોંધાવ્ચો હતો. સુરત આહીર સમાજે કલેકટરને આવેદન આપ્યું હતું. તેમજ દોશીઓ વિરૂદ્ધ શિક્ષાત્મક પગલા ભરવાની માંગ કરી હતી. ઉપરાંત સુરત(Surat) સમસ્ત ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા પણ કલેકટરને આવેદન અપાયું હતું. પભુબાની ધરપકડની માંગ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો. મોરારિબાપુના…
Author: Satya-Day
સરદાર સરોવર(Sardar Sarovar) નર્મદા યોજનામાં મધ્યપ્રદેશમાં હાઈડ્રો પાવર પ્રોજેકટ ચાલુ હોઈ મધ્યપ્રદેશમાંથી પાણી છોડવાના કારણે મોટા પ્રમાણમાં પાણીની(Water) આવક થઈ રહી છે. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતની(North and Central Gujarat) દશ પૈકી આઠ નદીઓમાં(River) નર્મદાના નીર છોડવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે આ વિસ્તારના લાખ્ખો ખેડૂતોને સિંચાઈની સુવિધા અને પશુપાલકોને પશુઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી હયાત એસ્કેપ સ્ટ્રકચરનું સંચાલન કરી હેરણ, દેવ, કરાડ, કુન, વાત્રક, મેશ્વો, સાબરમતી, રૂપેણ, પુષ્પાવતી તથા બનાસ મળી કુલ ૧૦ નદીઓમાં નર્મદાના પાણી છોડવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તે માટે…
ળ પાકિસ્તાન (Pakistan)નો 26/11 ના મુંબઈ હુમલા (26/11 Mumbai Attack)નો મુખ્ય માસ્ટર માઇન્ડ તાહવાહુર હુસેન રાણા (Tahawwur Rana)ની શુક્રવારે લોસ એન્જલસ (Los Angeles)માં ધરપકડ કરવામાં આવી હતી. 59 વર્ષીય તાહવાહુર હુસેન રાણા કેનેડાના શિકાગોનો ઉદ્યોગપતિ છે. તે 14 વર્ષથી અમેરિકાના લોસ એન્જલસ (Los Angeles)ની જેલમાં સજા ભોગવી રહ્યો છે. થોડા દિવસો પહેલા તેને જેલમાંથી મુકત્ત કરવામાં આવ્યો હતો કારણ કે તેને કોરોના વાયરસ થયો છે, અને તેણે ફરિયાદ કરી હતી કે તેની તબિયત સારી નથી. લોસ એન્જલસની જેલે તેની તબિયત સારી ન હોવાના આધારે તેને જેલમાંથી છોડયો હતો. પણ તે જ સમયે ભારતે અમેરિકા(America)ને તાહવાહુર હુસેન રાણાના પ્રત્યાર્પણ (Extradition)ની અરજી…
રાજયમાં કોરોના વાયરસના કહેરની અમદાવાદ શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પર કોરોના વાયરસના વધી રહેલા કહેરને જોતા ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી છે. અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા સંક્રમણના પગલે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા કાઢવી કે નહીં તેને લઇને અસમંજસ છે. સરકાર તરફથી હજી સુધી આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી. તો બીજી તરફ મંદિર અષાઢીબીજની રથયાત્રાને લઇને તૈયારીઓ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે કોરોના મહામારી અને સંક્રમણ વધે નહીં એ માટે રથયાત્રા રદ થવી જોઇએ તેવી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેની અરજન્ટ સુનાવણી હાલ ચાલી રહી હતી. જેમાં હાઈકોર્ટે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા કાઢવા પર રોક લગાવી છે. ત્યારે…
કરોનાના કહેરની વચ્ચે શહેરની ખાનગી સ્કૂલો(Schools) દ્વારા ફી ઉધરાવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેથી વાલી(parents) મંડળે સ્કૂલ દ્વારા ત્રણ માસની વિદ્યાર્થીઓની ફી માફ કરવા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ઘરણા શરૂ કર્યા છે. આ સાથે વાલી મંડળ દ્વારા ધો.1 થી 8 સુધીના બાળકોને ઓનલાઈન ભણતર બંધ કરવા પણ માંગ કરી છે. વાલીઓના હિતમાં નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વાલી મંડળની આ છે ચાર માંગણીઓ ઓનલાઈન શિક્ષણ જે બાળકોને શારીરિક અને માનસિક બીમાર કરે છે, જે ધો.1 થી 8 ધોરણ સુધી ઓનલાઈન શિક્ષણ બંધ થાય વાલીઓ કોરોના મહામારીના લીધે આર્થિક સંકડામણ અનુભવે છે સાથે નવું…
વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. સંક્રમિતોની સંખ્યા ધીમે-ધીમે એક કરોડ તરફ વધી રહી છે. ચાર લાખથઈ વધુ લોકો આ મહામારીનો ભોગ બની ગયા છે. દુનિયાભરના વિજ્ઞાની અને મેડિકલ એક્સપર્ટ્સ ઓ ઘાતક મહામારીને નાથવા માટે અસરકારક રસી શોધવામાં લાગ્યા છે. ત્યારે વિશ્વ આરોગ્ય સંગ્ઠન (WHO)એ ટુંકમાં જ કોવિડ-19 માટેની રસી શોધાઇ જવાની આશા વ્યક્ત કરી છે. ઘણી રસીની ટ્રાયલ ત્રીજા તબક્કામાં પહોંચી ગઇ છે. તેની સાથે WHOએ કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં કોરોના વાઇરસ માટેની વેક્સીનના હજારો ડોઝ ઉપલબ્ધ થઇ જશે વિશ્વભરમાં અત્યાર સુધી 82.4 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે અને 4.46 લાખ લોકો તેને…
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગયા અઠવાડિયાથી ચોમાસાએ દસ્તક આપી છે. છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધા બાદ આગામી 23 જૂન બાદ ફરી વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં ડેવલોપ થયેલી લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવવાની જગ્યાએ ઉત્તર પ્રદેશ તરફ મુવ થઈ હતી. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં મોનસૂન ઓનસેટ તો થયું પણ જોઈએ તેવો વરસાદ આપી શક્યું નથી. છેલ્લા બે દિવસથી વરસાદે સદંતર વિરામ લીધો છે. શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા છે. પણ હવે 23 જૂન બાદ ફરી વરસાદ ધમાકેદાર એન્ટ્રી કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર…
કોરોના સંક્રમણ દરમિયાન લોકડાઇનના સમયગાળાનો કામદારોને પગાર ચૂકવવા મામલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ચૂકાદો આપ્યો છે. તેને પગલે રાજ્યના ચીફ લેબર કમિશનરે સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટના ડેપ્યુટી લેબર કમિશનરોને પરિપત્ર મોકલાવી સુપ્રિમ કોર્ટના 12-6-2020ના ચૂકાદા પ્રમાણે લોકડાઉનના સમયગાળાના 50 દિવસ એટલે કે તારીખ 25-3-2020થી 17-5-2020 સુધીનો પગાર અપાવવા જાણ કરી છે તથા 1 જુલાઇ સુધીમાં રોજેરોજ લોકડાઉનના પગાર સંદર્ભે જિલ્લાવાર વિગતો મોકલવા પણ જણાવ્યું છે. આ પરિપત્રને લીધે ઈએસઆઇ, પીએફ, ગુમાસ્તાધારા અને વ્યવસાય વેરા હેઠળ નોંધાયેલા એકમોના ત્રણથી ચાર લાખ લોકોને લોકડાઉનનો પગાર મળશે. ચીફ લેબર કમિશનરે જે તે કંપનીને પહેલા કર્મચારી અને યુનિયન. એસો. સાથે વાટાઘાટો કરવા જણાવ્યું છે.…
કોરોના કાળને કારણે રાજ્યમાં સરકારી નોકરીઓ માટે ભરતી મોકુફ રાખવામાં આવી છે. જૂન સુધી જીપીએસસીની તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. અને આવતીકાલે ફરીથી નવી તારીખો જાહેર થવાની હતી. પણ ફરી એકવાર જીપીએસસીએ પરીક્ષા આયોજિત કરવાને લઈ અસમર્થતા દર્શાવતાં નવી તારીખોની જાહેરાત નહીં કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને કારણે GPSC દ્વારા 22 માર્ચથી 30 જૂન સુધીમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. ગત સમયે GPSC દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો નક્કી કરીને 20 જૂનના રોજ આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. પણ આજે કોરોના સંક્રમણની હાલની…
વન પ્લાનેટ સિટી ચેલેન્જ ઓપન પ્રતિસ્પર્ધામાં અત્યાર સુધીમાં કુલ 400થી વધુ શહેરોએ વોલેન્ટરીલી કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને આબોહવાની સ્થિતિ સ્થાપકતામાં વધારો કરવા માટેના ધ્યેય સાથે ભાગ લીધો છે. જેમાં ભારતમાંથી 8 શહેર રાજકોટ, નાગપુર, કોચી, પણજી, પુણે, ગુવાહાટી, ગંગટોક અને ઇન્દોરએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટ શહેરે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર( WWF)ના વન પ્લાનેટ સિટી ચેલેન્જ અંતર્ગત ગ્લોબલ કક્ષાએ ફરી એક વખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા 2019-20 નો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ અગાઉ પણ રાજકોટ શહેર વર્ષ 2016 અને 2018માં નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મેળવી ચૂક્યો છે. રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા…