ઇંગ્લેન્ડમાં એક વ્યક્તિને ટીવી કે કોઈ પણ OTT પ્લેટફોર્મ ગમતા નથી. 47 વર્ષીય જેક હેટકોટના ઘરે ટીવી નથી, ટીવી જગ્યાએ મનોરંજન માટે તેણે પોતાના વિશાળ ઘરને માછલીઘરમાં ફેરવી દીધું છે. જેકના ઘરે 400 માછલીઓ છે. લોકો સોફા પર બેસીને જેમ ટીવી જોતા જોય તેમ જેક સોફામાં બેસીને માછલીઓને જોયા રાખે છે. જેક 10 વર્ષનો હતો ત્યારે તે એક એક્વેરિયમમાં ગયો હતો, ત્યાં તેણે ગોલ્ડ ફિશ જોઈ હતી. એ દિવસથી લઈને અત્યાર સુધી તેને માછલીઓ ઘણી ગમે છે. તે આખો દિવસ માછલીઓને જોવામાં પસાર કરે છે. તે ટીવી જોવાને બદલે 400 માછલીઓ આમ-તેમ ફરતી હોય તે જોવાનું પસંદ કરે છે.પોતાના આ…
Author: સત્ય ડે - ડેસ્ક ન્યુઝ
અમદાવાદ જીલ્લા વિસ્તારમાં પહેલેથી કોરોના કાબુમાં રાખવામાં જીલ્લા વહીવટી તંત્ર સફળ રહ્યું હતું. તેની પાછળ અલગ અલગ માધ્યમથી કોરોના કેસ કાબુમાં રાખવા વેક્સિનેશન અને સારવાર સહિતની બાબતમાં કાળજી સાથે કામગીરી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા મારું ગામ કોરોના મુક્ત ગામ યોજના ચલાવવામાં આવી હતી તે માધ્યમથી અનેક લોકોને આઇસોલેટ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. એક તરફ વાવાઝોડાની સર્વેની કામગીરી ચાલી રહી છે બીજી તરફ કોરોના વકરે નહિ સાથે જ મ્યુકરમાઈકોસીસના કેસ પણ વધે નહી તેની તકેદારી રાખવામાં આવી રહી છે.રાજ્યમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો હતો એવામાં ગ્રામિણ વિસ્તારમાં લોકો કેસ કાબુમાં લેવા માટે સરકારે મારું ગામ…
antigen અને RTPCR જેવી પદ્ધતિઓ દ્વારા કોરોના સંક્રમણની તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય જુદા જુદા અહેવાલોમાં સંક્રમણને ઘણી રીતે શોધી કાઢવાનો દાવો કરવામાં આવ્યો છે. દરમિયાન, એક નવું અધ્યયન બહાર આવ્યું છે, જે મુજબ તાલીમ પામેલા કૂતરાઓ સૂંઘીને કોરોના સંક્રમણ શોધી શકે છે. ફ્રાન્સમાં, કૂતરાઓની ક્ષમતા પરના એક અભ્યાસમાં આ માહિતી બહાર આવી છે.અધ્યયનમાં જાણવા મળ્યું છે કે કોરોના સંક્ર્મણ માટે કરવામાં આવતા ઝડપી પરીક્ષણો કરતા કુતરાઓ દ્વારા ઓળખાયેલા કેસોમાં વધુ ચોકસાઈ જોવા મળી છે. અભ્યાસ મુજબ ચેપને ઓળખવા માટે કૂતરાઓની ચોકસાઈ 97 ટકા નોંધાઇ હતી. ફ્રાન્સમાં આ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમાં 335 લોકો અને 9 કૂતરાઓએ…
કોરોના સામે લડાઈમાં ભવિષ્યના હથિયાર તરીકે અસરકારક વેક્સિનનો ત્રીજો ડોઝ પણ ટૂંક સમયમાં આવી જશે. ભારત બાયોટેક તરફથી દેશમાં બૂસ્ટર ડોઝની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેના માટે AIIMS નવી દિલ્હીમાં સોમવારથી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત 8 અન્ય જગ્યાઓ છે જ્યાં તે લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવશે જેમણે વેક્સિનના પહેલા 2 ડોઝ લીધેલા છે. જેના પરિણામો 6 મહિનામાં સામે આવશે.AIIMSમાં પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના હેડ અને કોવેક્સિનના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટીગેટર ડૉ. સંજય રાયે જણાવ્યું કે બૂસ્ટર ડોઝનું ટ્રાયલ એ જાણવાનું માધ્યમ છે કે કોઈ વ્યક્તિના શરીરમાં કેટલા દિવસ સુધી એન્ટિબોડીઝ બની રહે છે. વૈજ્ઞાનિક તારણો માટે આ ટ્રાયલ…
અનેક લોકોના કોરોના ઇન્સ્યોરન્સ ક્લેમ પાસ નહીં થતા મોંઘવારીનો માર સહન કરવાની સ્થિતિ સર્જાઈ છે.. ગ્રાહક સુરક્ષા પગલા સમિતિમાં અનેક કેસ સામે આવ્યા છે. જેમાં કંપનીઓ દ્વારા અલગ અલગ કારણ આપી ક્લેમ કેન્સલ કર્યા છે અથવા રકમ ઘટાડી દીધી છે. અનેક લોકોએ ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદી કરી કન્ઝ્યુમર એકટ હેઠળ કોર્ટમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.કારણકે કોરોના કેર વચ્ચે સરકારી હોસ્પિટલમાં બેડ મળતા નહોતા એવામાં લોકોને ખાનગી હોસ્પીટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ત્યારે હવે ઇન્સ્યોરન્સ કંપની કલેઇમ પાસ કરવામાં ઠાગા ઠૈયા કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ છે જયંતી ભાઈ પટેલ તેમના પૌત્રને કોરોના થતા…
કોરોના મહામારી વચ્ચે હવે બ્લેક ફંગસ એક નવું સંકટ બનીને સામે આવ્યું છે. તેની પર સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, બ્લેક ફંગસ સંક્રમણની બીમારી નથી. ઇમ્યુનિટીની ઊણપથી જ બ્લેક ફંગસ થાય છે. તે સાઇનસ, રાઇનો ઓર્બિટલ અને મગજ પર અસર કરે છે. તે નાના આંતરડામાં પણ જોવામાં આવ્યું છે. અલગ-અલગ રંગોથી તેની ઓળખ કરવી એ અયોગ્ય છે.એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, ‘એક જ ફંગસને અલગ-અલગ રંગોના નામથી ઓળખ આપવી એ કંઇ યોગ્ય નથી. તે સંક્રમણ એટલે કે છૂઆછૂતથી નથી ફેલાતું.’ તેઓએ વધુમાં જણાવ્યું કે, સાફ-સફાઇનું ધ્યાન રાખો. ઉકાળેલું પાણી વધારે પીવો.નાકની અંદર દુ:ખાવો-પરેશાની, ગળામાં દુ:ખાવો…
હમણાં સુધી એવું માનવામાં આવતું હતું કે આપણા સૌરમંડળ અને આપણી નજીકના તારા વચ્ચેનો આ વિસ્તાર ખાલી મેદાન જેવો છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ તેના વિશે કેટલીક આશ્ચર્યજનક માહિતી આપી છે. નાસાના બે અવકાશયાન આ વિસ્તારમાંથી પસાર થયા અને ફોટાઓ પૃથ્વી પર મોકલ્યા. માણસ દ્વારા સર્જાયેલી આ પહેલી વસ્તુ છે, જે સૌરમંડળની બહાર ગઈ છે. આ બંને અવકાશયાન અવકાશના અંધકારમાં પૃથ્વીથી અબજો માઇલ દૂરના ક્ષેત્રમાં ફરતા હોય છે. આ બંને અવકાશયાનનું નામ વોયેજર 1 અને વોયેજર 2 છે. હજી સુધી, આ બે અવકાશયાન સિવાય અન્ય કોઈ અવકાશયાન આટલે દૂર સુધી પહોંચ્યું નથી. વોયેજર 1 અને વોયેજર 2 દ્વારા મોકલેલી ફોટાઓ દ્વારા,…
ગુજરાતમાં હાલની સ્થિતિમાં ફંગસથી પીડીત દર્દીઓના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવારમાં Amphotericin B(Lyophillised) ઇન્જેકશન કારગર સાબિત થઇ રહ્યું છે. આ ઇન્જેકશન દર્દીઓને સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા તમામ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નક્કી થયેલ નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી પડતર કિંમતે મળી રહે તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇ.ડી. [email protected] પર મોકલવાના રહેશે.અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ ઓફિશયલ ઇમેલ આઇ.ડી. [email protected] ઉપર દર્દીની માહિતી મોકલી…
સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતકોમાંથી ત્રણ લોકોએ જીવન બચાવના જેકેટ્સ પહેરેલા હતા, અગ્રણી અધિકારીઓ અનુમાન લગાવે છે કે આ લોકો બાર્જ પી -305 જહાજના ક્રૂનો ભાગ હોઈ શકે છે. બાર્જ પી -305 શિપ ચક્રવાત તાઉતેને કારણે અરબી સમુદ્રમાં ગુમ થઈ ગયું હતું. આ મૃતદેહોને જોયા પછી, ભારતીય નૌસેનાએ સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવ્યું છે અને વિશેષ ડાઇવિંગ ટીમો તૈનાત કરી છે.સત્તાવાર માહિતી અનુસાર, તાઉતે તોફાનના તાંડવ વચ્ચે મુંબઇથી 175 કિલોમીટરના દરિયામાં બાર્જ પી -305 પર ફસાયેલા 273 લોકોમાંથી શનિવારની સાંજ સુધીમાં 188 લોકોને નૌકાદળના જવાનો દ્વારા બચાવવામાં આવ્યા હતા. જ્યારે આ સમયગાળા દરમિયાન 66 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તે…
ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાના કારણે અનેક મકાનો અને ઝૂંપડાઓ નાશ પામ્યા છે. ત્યારે મકાનોની સહાય માટે રાજ્ય સરકારે નુકસાનીની રકમ જાહેર કરી છે. મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મકાનો અને ઝૂંપડાઓને નુકસાનીની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રાજ્ય સરકાર દ્વારા 95 હજાર 100 રૂપિયાની સહાય કરાશે જ્યારે કે અંશતઃ નુકસાનીના કિસ્સામાં અસરગ્રસ્તને 25 હજારની સહાય મળશે. તો ઝૂંપડા માટે 10 હજારની સહાય જાહેર કરવામાં આવી છે તેમજ પશુ રાખવાની જગ્યા ગમાણ-વાડાને થયેલા નુકસાન માટે 5 હજારની સહાય જાહેર કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાઉ-તે વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત એવા ભાવનગરના મહુવા…