AIIMS દિલ્હીના આરપી સેન્ટર ફોર ઓપ્થેલ્મિક સ્ટડીએ ગયા બુધવારે પોતાના કોવિડ વોર્ડમાં મ્યુકોમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસની વહેલી તકે તપાસ અને તેને અટકાવવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં કોવિડ વોર્ડમાં જોખમવાળા તમામ દર્દીઓની ઓળખ કરવા અને તેમનામાં બ્લેક ફંગસની પ્રાથમિક તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. ગાઈડલાઈનમાં કોરોના દર્દીઓને પોતાની તપાસ કરાવવા સિવાય તેમની રાખનારાઓને પણ બ્લેક ફંગસના લક્ષણો પર ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. ડૉક્ટરોના અનુસાર, મ્યુકોમાઈકોસિસના કેસ કોરોનાનાં તે દર્દીઓમાં જોવા મળી રહ્યા છે જેમને સ્ટેરોઈડ આપવામાં આવી હતી. ખાસ કરીને તે લોકોમાં જે ડાયાબિટીસ અને કેન્સરથી પીડિત છે. ડૉક્ટરનું કહેવું છે કે, ડાયાબિટીસ અને બ્લેક…
Author: સત્ય ડે - ડેસ્ક ન્યુઝ
ધોરણ.10 માં સરકારે માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલ સંચાલકો હજુ પણ પ્રવેશના મુદ્દે મૂંઝવણમાં છે. સુરતમાં ધોરણ 11 ની સાયન્સ અને સામાન્ય પ્રવાહની 600 જેટલી સ્કૂલોમાંથી 220 સ્કૂલોએ 26 હજાર વિદ્યાર્થીઓના પ્રવેશ ફાઈનલ કર્યા હોવાનું સ્કૂલ સંચાલક મંડળના અધ્યક્ષ દિનકર નાયક અને સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ સવજી હૂડેએ જણાવ્યું હતુ. દરેક સ્કૂલે તેમના વર્ગની ક્ષમતા છે તેનાં કરતા વધુ પાંચ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હજુ પણ 53 હજાર વિદ્યાર્થીઓના પ્રવેશની કામગીરી બાકી છે જેમાં આઈટીઆઈ અને ડિપ્લોમામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. શહેરની સંખ્યાબંધ સ્કૂલો એવી પણ છે…
વૈશાખ મહિનાના સુદ પક્ષની આઠમના રોજ દેવી બગલામુખીનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવે છે. આ કારણે આ તિથિને બગલામુખી જયંતિ તરીકે ઊજવવામાં આવે છે. બગલામુખી માતા ધર્મમાં 10 મહાવિદ્યાઓમાંથી એક છે. કાંગડા જનપદના કોટલા વિસ્તારમાં બગલામુખીનું સિદ્ધ શક્તિપીઠ છે. પોતાની ઈચ્છા પૂરી કરવા માટે લોકો અહીંયા આવે છે. માતા બગલામુખીનું મંદિર જ્વાલામુખીથી 22 કિલોમીટર દૂર વનખંડી નામની જગ્યાએ આવેલું છે. આ રાષ્ટ્રીય માર્ગ પર કાંગડા એરપોર્ટથી પઠાનકોટ તરફ 25 કિલોમીટર દૂર કોટલા વિસ્તારમાં પહાડી પર છે. આ મંદિર પ્રાચીન કોટલા કિલ્લાની અંદર છે. બગલામુખીનું મંદિરમાં હવન કરવાનું વિશેષ મહત્ત્વ છે. તેનાથી મુસીબતોમાંથી છૂટકારો મેળવવાની સાથે બીમારીઓ દૂર થાય છે. તેમજ દુશ્મનો પર…
આ વખતે પંચાંગ ભેદ હોવાના કારણે વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિ બે દિવસ માનવામાં આવી રહી છે એટલે 22 અને 23 મે, બંને દિવસે એકાદશી વ્રત કરવામાં આવશે. તેને મોહિની એકાદશી પણ કહેવામાં આવે છે. વૈશાખ મહિનાના સુદ પક્ષમાં આ તિથિ હોવાના કારણે ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત અને દાન માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. સ્કંદ પુરાણના વૈષ્ણવખંડ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથનથી અમૃત પ્રકટ થયું હતું અને ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરીને અમૃતની રક્ષા કરી હતી. આ એકાદશીનું વ્રત કરનાર લોકોએ એક દિવસ પહેલાં એટલે દશમ તિથિની રાતથી જ વ્રતના નિયમોનું પાલન કરવું જોઇએ. આ…
વૈશ્વિક કોરોના મહામારીને કારણે હજારો લોકો સંક્રમિત થયા છે અને સેંકડોએ જાનથી હાથ ધોયા છે. હાલના સમયમાં કોરોનની કોઈ દવા શોધાઈ નથી. ત્યારે પ્રિવેન્ટિવ સ્ટેપ્સ અને વેક્સિન કોરોના સામેની લડતમાં મજબૂત હથિયાર માનવામાં આવી રહ્યાં છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિનને હાલમાં માન્યતાપ્રાપ્ત અપાઈ છે. દેશમાં દરેક નાગરિકને વેક્સિનની જરૂર છે ત્યારે ઉત્પાદન વધારવા પર ભાર અપાઈ રહ્યો છે. હવે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનનું ઉત્પાદન અંકલેશ્વરમાં થવા જઈ રહ્યું છે. ભારત બાયોટેકના કો-ફાઉન્ડર અને જેએમડી સૂચિત્રા એલ્લાએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે અંકલેશ્વરસ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccines માં ઉત્પાદન શરૂ કરશે. જૂનના…
રાજ્ય સરકારે આપેલી છૂટ બાદ રાજકોટની તમામ બજાર ફરીવાર ધમધમતા થયા છે. મીની લોકડાઉન બાદ અલગ અલગ ક્ષેત્રની દુકાનો સવારથી ખુલી છે. જેમા ચા, પાન, કપડા અને હાર્ડવેર સહિતની દુકાનો ખુલી છે. નાના વેપારીઓએ લાંબા સમય બાદ ફરી ધંધા વેપાર ચાલુ કર્યા છે. ત્યારે સરકારની જાહેરાતથી રાજકોટના વેપારીઓમા ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે.રાજ્યમાં આજથી અઘોષિત લોકડાઉનમાં રાહત મળી છે. આજથી વેપારીઓ બજારો ખોલી છે. રાજ્યમાં આજથી લારી, ગલ્લા અને વેપારીઓને 6 કલાક સુધી વેપાર-ધંધા રાખવાની છૂટ મળી છે. બપોરે 3 વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે. 50 ટકા ક્ષમતા…
જીવન વીમો દર વ્યક્તિ માટે જરૂરી બની ગયો છે. મુશ્કેલીના સમયમાં તે તમારી સાથે તમારા પરિવારના પણ ખૂબ કામમાં આવે છે. LIC પોલીસીનું મહત્વ એટલા માટે વધુ હોય છે કારણ કે દુર્ભાગ્યપણે જો કોઇ ઘટનામાં મૃત્યુ થાય તો પરિવારને એક આર્થિક સહાય મળે છે. પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ માટે તો તે વધુ જરૂરી બની જાય છે. તેને જ ધ્યાનમાં લેતા આજે અમે નોકરિયાત વ્યક્તિ માટે 4 બેસ્ટ પોલીસી વિશે જણાવી રહ્યાં છીએ.LICની આ આજીવન વીમા યોજના છે અને તેમાં ફાઇનલ એડિશન બોનસની સુવિધા પણ મળે છે. તેથી તેને પાર્ટનર પોલીસી પણ કહે છે. તેમાં પ્રીમિયમ પેમેન્ટ પીરિયડ બાદ ઇન્શ્યોર્ડ રકમના…
બનાસકાંઠામાં આરોગ્ય વિભાગે 701 આરોગ્ય કર્મીઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરી છે. નેશનલ હેલ્થ કમિશન અંતર્ગત ફરજ બજાવતા આ કર્મચારીઓ સામે એપેડેમિક એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઇ છે. આ ફરિયાદમાં આયુષ ડોકટર, ઓપરેટર, ફાર્માસિસ્ટ સહિત કર્મચારીઓ સામેલ છે. આ કર્મચારીઓએ 16 મેથી 18 મે સુધી પડતર માંગણીઓને લઈ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. કાયમી કરવાની અને પગાર વધારાની માગણીને લઈ હડતાળ પર ઉતર્યા હતા. આ અંગે બનાસકાંઠામાં તાલુકા હેલ્થ ઓફિસરોએ હડતાળ પર ઉતેરલા આ આરોગ્ય કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ સ્ટડી સ્કોટેસડેલના શોધકર્તાઓએ કરી છે. સ્ટડીના લેખલ અને મેયો ક્લિનિકમાં મેડિસિનની એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર જુલિયાના ક્લિંગને સંશોધનમાં ઘણી મહત્ત્વની જાણકારીઓ મળી છે. ડૉક્ટર ક્લિંગે મહિલાઓની યૌન ઈચ્છાને સારી ઉંઘ સાથે જોડી છે. નવી સ્ટડી અનુસાર, વધતી ઉંમરમાં સારી ઉંઘ લેવી યૌન ઈચ્છા વધારવાનો સૌથી કારગર ઉપાય છે. શોધકર્તાઓને જણાયું કે, જે મહિલાઓ પૂરતી ઉંઘ નથી લેતી, તેમનામાં યૌન સમસ્યાઓ થવાની સંભાવના લગભગ બેગણી હતી. જેમ કે, યૌન ઈચ્છા અથવા ઉત્તેજનામાં ઉણપ. આ સ્ટડી 53 વર્ષની ઉંમરની 3400 કરતા વધુ મહિલાઓ પર કરવામાં આવી હતી. તેમાંથી 75% મહિલાઓની ઉંઘવાની આદત સારી નહોતી, જ્યારે 54 ટકા મહિલાઓમાં કોઈક ને કોઈક પ્રકારની યૌન…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત આવશે. વાવાઝોડા બાદની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરશે. કાલે સવારે 11.30 કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચશે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું નિરીક્ષણ કરશે. દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અધિકારીઓ સાથે બેઠક કરશે