મોબાઇલ યુઝર્સને ટુંક સમયમાં ખુશ ખબર મળી શકે છે. મોબાઇલ યુઝર્સના રિચાર્જની વેલિડિટી વધી શકે છે. ભારતીય દૂરસંચાર નિગમ (TRAI)એ આ દિશામાં પગલાં ભર્યા છે. હવે તમારું મગજમાં એ સવાલ ફરી રહ્યો હશે કે કઈ વેલિડિટી. તો જવાબ છે તમારા મોબાઈલ પેકની વેલિડિટી છે, જે 30 નહિ પરંતુ 28 દિવસની મળે છે. સરકાર હવે બદલી 30મ કરવાની તૈયારી કરી રહી છે. દેશની લગભગ તમામ ટેલિકોમ કંપની પ્રીપેડ મોબાઈલ રિચાર્જની વેલિડીડીટી 28 દિવસની ઓફર કરે છે. ગુરુવારે કંપનીઓ દ્વારા ગ્રાહકો માટે રજૂ કરવામાં આવેલ પ્લાન્સમાં ટેરિફની માન્યતા અવધિ અંગે ટ્રાઇએ એક ચર્ચા પેપર બહાર પાડ્યું હતું. વિવિધ ગ્રાહકોની ફરિયાદો અને ચિંતાઓને…
Author: Satya Day
કોરોના કહેર વચ્ચે ગુજરાત પર વધુ એક કુદરતી આફત આવી રહી છે. વાઝોડના એલર્ટના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વાવાઝોડુ સક્રિય થતાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. જૂનાગઢમા જિલ્લા કલેકટર દ્વારા તમામ વિભાગના અધિકારીઓની સંકલન બેઠક બોલાવવામાં આવી. તો વાવાઝોડું ટકરાય તેવી શક્યતાઓ વાળા ૪૦થી વધુ ગામોને અલગ તારવવામાં આવ્યા છે. તો દ્વારકા જિલ્લાના તમામ બંદરોને એલર્ટ કરાયા છે. બીજી તરફ ભાવનગરમાં પણ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બની ગયું છે.દરિયાકાંઠે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.. અમરેલીના જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં એક નંબરનું સિગ્નલ લગાવ્યુ છે. જાફરાબદની મોટાભાગની બોટો મધ દરિયામા છે.…
અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે રહી છે. ગુજરાતમાં આજે 14 મે, 2021 શુક્રવારના રોજ 10990 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે 18 એપ્રિલ, 2021 પછીના સૌથી ઓછા દૈનિક નવા કોરોના કેસ છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 7,35,348 લાખ થઇ ગઇ છે. આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 15365 દર્દીઓ સાજા થયા છે જે નવો રેકોર્ડ છે. આમ આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત નવા દર્દી કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે રહી છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 6,09,031 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી…
મુંબઈ, 14 મે 2021: જિયોફોન દરેક ભારતીયોને ડિજિટલ લાઇફ પૂરી પાડવાના મિશન સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. કોવિડ મહામારીની મહામુશ્કેલીના સમયગાળામાં અમે એટલે કે જિયો દરેક વ્યક્તિ પોતાના સ્વજનો સાથે કનેક્ટેડ રહે એવું ઇચ્છીએ છીએ અને આ સુવિધા દરેક ગ્રાહકને મળે, ખાસ કરીને આપણા સમાજના વંચિત વર્ગને. આ હેતુ સુનિશ્ચિત કરવા, જિયો મહામારીના સમયગાળામાં બે ખાસ પહેલની જાહેરાત કરે છે: હાલ ચાલી રહેલી મહામારીના કારણે જે જિયોફોન ગ્રાહકો રિચાર્જ નથી કરી શકતા તેમને જિયો રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી પ્રતિ મહિને ૩૦૦ મિનિટ ((પ્રતિ દિવસ 10 મિનિટ) આઉટગોઇંગ કોલ્સ સમગ્ર મહામારીના સમયગાળા માટે તદ્દન નિ:શુલ્ક આપશે. આ ઉપરાંત, દરેકને પોસાય તે માટે,…
આજે અખા ત્રીજની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર સોનુ ખરીદવું શુભ માનવામાં આવે છે. જો તમે પણ આ શુભ દીવસે સોનુ ખરીદવા ઇચ્છતા હોવ તો પેટીએમ તમારા માટે ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. આ ઓફર હેઠળ પેટીએમ સોનુ ખરીદવા વાળાને એક્સ્ટ્રા ગોલ્ડ આપી રહ્યું છે. એ ઉપરાંત, Paytm સોનનાની ખરીદી પર કેશબેક ઓફર પણ આપી રહ્યું છે. આ ઓફર 14 મે, 2021 રાત્રે 11.59 સુધી વેલીડ છે. જણાવી દઈએ કે Paytm પર વેચાતું સોનુ 24 કેરેટ 99.9 શુદ્ધતા વાળું છે. અહીં તમારા તરફથી ખરીદવામાં આવતું સોનુ એક સુરક્ષિત લોકરમાં રાખવામાં આવે છે. તમે જયારે ઈચ્છો ત્યારે સોનાની…
રશિયાની કોરોના વેક્સીન સ્પુતનિકના એક ડોઝની ભારતમાં લગભગ 1000 રૂપિયા કિંમત આંકવામાં આવી છે. ભારતમાં સ્પુતનિકની આવક કરતી કંપની ડો. રેડીઝ લેબોરેટરીઝે આ પ્રકારની જાણકારી આપી છે. કંપનીએ કહ્યુ હતું કે, આ રસીને સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીએ જરૂરી મંજૂરી આપી છે. આ રસીને ડો. રેડ્ડીઝ લેબે ભારતમાં આયાત કરી છે. ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝે સ્ટોક એક્સચેંન્જને આ પ્રકારની જાણકારી આપી છે. અહીં ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં બે ડોઝ લગાવવાની જરૂર પડશે. કંપનીએ જણાવ્યુ હતું કે, આ વેક્સિનનો એક ડોઝ લેવાનો ખર્ચ 948 રૂપિયા છે, જેના પર 5 ટકા જીએસટી લાગશે. એટલે કે, આ રસી આપને એક હજાર રૂપિયામાં પડશે. ડૉ.રેડ્ડીઝ આ…
અખા ત્રીજના દિવસે સોનું ખરીદવુ અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે પણ કોરોના મહામારીના લીધે સોના-ચાંદીની દુકાનો બંધ છે અને હાલ ઘરની બહાર નીકળવુ જોખમી છે. જો કે તમે તમે ઘરની બહાર ગયા વગર ઘરે બેસીને ફક્ત 1 રૂપિયામાં 24 કેરેટના સોનાની ખરીદી કરી શકો છો. કોરોનાના માહોલમાં તમે ઘરે બેસીને પણ 24 કેરેટ ગોલ્ડની ખરીદી કરી શકો છો. દેશના અનેક જ્વેલર્સ આ ઓફર આપી રહ્યા છે. એક્સપર્ટની માનીએ તો આવનારા મહિનામાં સોનાના ભાવ વધી શકે છે. આવતીકાલે અક્ષય તૃતીયાના દિવસે મોટી સંખ્યામાં લોકો સોનાની ખરીદી કરવાનું પસંદ કરે છે. તો જાણો કઈ રીતે સરળ પ્રોસેસથી તમે ફક્ત 1…
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર એ હાહાકાર મચાવ્યો છે અને લાખો લોકો મોત થયા છે. કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પણ જાણીતા વાયરોલોજિસ્ટ ડો.શાહિદ જમીલે એવો દાવો કર્યો છે કે, બીજી લહેરમાં કેસ ઘટી રહ્યા છે પણ તેનુ પ્રમાણ પહેલી લહેરના મુકાબલે બહુ ધીમુ છે. અત્યારથી એવુ પણ કહી શકાય નહીં કે આપણે કોરોનાની બીજી લહેરના પીક પર પહોંચી ગયા છે. તેમણે દાવો કર્યો હતો કે, બીજી લહેરને ખતમ થતા જુલાઈ સુધીનો સમય લાગી શકે છે. કારણકે કેસ ઘટાડાની ઝડપ બીજી લહેરમાં બહુ ધીમી રહેવાની છે. એક ઓનલાઈન કાર્યક્રમમાં ડો.જમિલે કહ્યુ હતુ કે, કોરોનાની લહેર અત્યાર તેની ચરમસીમાએ છે…
ભારતમાં કોરોા મહામારીનો કેસ ચાલુ રહ્યો છે. દેશમાં ગુરુવારે સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાકમાં 3.62 લાખથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે 4126 લોકોના મોત થયા છે. જો કે કાલની મોતની સરખામણીમાં આજે મોતના આંકડા થોડા ઓછા છે. પણ નવા કેસમાં વધારો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં 24કલાકમાં 362,406 નવા કેસ મળ્યા છે. 4,126 લોકોના મોત થયા છે. 3704099થી વધારે એક્ટિવ કેસ છે. ત્યારે અત્યાર સુધીમાં 19382642 લોકો સાજા થયા છે. ભારતમાં થઈ રહેલી મોતે અમેરિકા અને બ્રાઝિલને પાછળ છોડ્યું છે. અમેરિકા, બ્રાઝિલ બાદ ભારતમાં સૌથી વધારે મોત છે બુધવારે દેશમાં સૌથી વધારે 4205 લોકોના મોત થયા હતા. જે અત્યાર…
ભારતમાં કોરોના વાઈરસના જે સ્ટ્રેન કે વેરિઅન્ટથી બીજી લહેરમાં ભારે વિનાશ વેરાયો છે અને જે સ્ટ્રેન જીવલેણ સાબિત થયો છે તે દુનિયાના અન્ય અનેક દેશોમાં જોવા મળ્યો છે. સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે કોરોનાનો બી.૧.૬૧૭ સ્ટ્રેન સૌથી પહેલા ભારતમાં ગયા વર્ષે ઑક્ટોબરમાં મળ્યો હતો, તે દુનિયાના ૪૪ દેશોમાં ફેલાઈ ગયો છે. આ દેશોમાંથી આ સ્ટ્રેનના ૪૫૦૦ જેટલા સેમ્પલ એકત્ર કરાયા છે. તેને એક ઓપન એક્સેસ ડેટાબેઝ પર અપલોડ કરાયા છે. દરમિયાન કોરોનાના બી.૧.૬૧૭ સ્ટ્રેનને ‘ભારતીય’ કહેવા સામે ભારતે વિરોધ નોંધાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વાઈરસને ‘ભારતીય’ કહ્યો નથી. સ્વાસ્થ્ય સંગઠને કોરોના મહામારી પર તેના સાપ્તાહિક…