નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીએ અનેક વખત દેશના ટોચના ડોક્ટરો સાથે વાત કરી હતી. ત્યારે આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના ડોક્ટરો સાથે સીધો સંવાદ કર્યો હતો. શુક્રવારે ડોક્ટરો સાથે સીધો સંવાદ કરતા વડાપ્રધાન મોદી ભાવુક બની ગયા હતા. વડાપ્રધાને કહ્યું કે કોવિડની વિરુદ્ધ ચાલી રહેલી લડાઈમાં આપણે અનેક સ્વજનોને ગુમાવી દીધા છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, કાશીનો એક સેવક હોવાના કારણે દરેક કાશીવાસીઓનો આભાર માનું છું. વિશેષ રૂપથી ડૉક્ટરો, નર્સ અને સ્વાસ્થ્યકર્મીઓ’નો આભાર માનું છું, તેમનું યોગદાન સરાહનીય છે. આ વાયરસે આપણા અનેક સ્વજનોને આપણાથી છીનવી લીધા છે. હું તે તમામ લોકોને મારી શ્રદ્ધાંજલિ આપું છું.…
Author: સત્ય ડે દૈનિક ડેસ્ક
નવી દિલ્હીઃ કોરોનાની કપરી પરિસ્થિતિએ લોકોને બચતનું મહત્વ સમજાવી દીધું છે. હવે લોકો નાની નાની બચતો તરફ વળ્યા છે ત્યારે અનેક કંપનીઓ નાની નાની બચત કરવાના વિકલ્પો આપી રહ્યા છે. ત્યારે પોસ્ટ ઓફિસમાં પણ રોકાણ કરવા માટેના અનેક વિકલ્પો છે. જ્યાં રોકાણ પર તગડુ વ્યાજ મળે છે. સાથે ટેક્સમાં પણ બચત થશે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવી રહ્યાં છીએ જ્યાં રોકાણ પર વીમા પોલીસી સહિત અનેક સુવિધાઓ મળે છે. સાથે જ સ્કીમ અંતર્ગત મેચ્યોરિટી પર તમને એક સાથે 7.25 લાખ રૂપિયા મળશે. પોસ્ટ ઓફિસની આ ખાસ યોજનાનું નામ છે પોસ્ટ ઓફિસ ગ્રામ પ્રિય સ્કીમ છે.…
નવી દિલ્હીઃ ગુજરાતીઓ વેપાર ધંધા માટે હંમેશા આગળ પડતા હોય છે. ગુજરાતી ઉદ્યોગપતિ એવા ગૌતમ અદાણીએ પણ કમાલ કરી બતાવી છે. ગૌતમ અદાણી એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ચીની ઉદ્યોગકાર ઝાંગ શાનશાનને પછડાટ આપી અદાણીએ આ સ્થાન હાંસલ કર્યું છે. વિકાસના મામલે આટલેથી ન અટકતા તેઓ વૈશ્વિક ધનકુબેરોની યાદીમાં પણ 14 માં સ્થાને છે. આ યાદીમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી13માં સ્થાને બિરાજમાન છે. રોકાણકારોએ ગૌતમ અદાણીના બિઝનેસમાં રસ લીધો છે જેના કારણે તેમની સંપત્તિમાં વધારો થયો છે. ગૌતમ અદાણીના પોર્ટથી લઈને પાવર પ્લાન્ટ્સ સુધીના વ્યવસાયમાં છેલ્લા કેટલાક મહિનામાં રોકાણકારોએ ઘણું રોકાણ કર્યું છે, જેથી તેમના શેરમાં…
નવી દિલ્હીઃ કોરોનાની માહામારી વચ્ચે જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યો છો તો સરકાર હજુ પણ આપને બજાર ભાવથી સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. આજે આ સરકારી ઓફરનો છેલ્લો દિવસ છે. અહીં વાંચીલો સંપૂર્ણ માહિતી. નાણાકીય વર્ષ 2021-22 માટે સોવરેન ગોલ્ડ બોન્ડના પહેલા હપ્તા વેચાણ 17 મેથી શરૂ થઈ ચૂક્યું હતું. તે 21 મે એટલે કે આજ સુધી ચાલશે અને સેટલમેન્ટ તારીખ 25 મે 2021 રહેશે. સબ્સક્રિપ્શન પીરિયડ દરમિયાન બોન્ડનો ઇશ્યૂ પ્રાઇઝ 4,777 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે પ્રતિ 10 ગ્રામની કિંમત 47,770 રૂપિયા છે. નોંધનીય છે કે, જો આપ તેના માટે…
અમદાવાદઃ ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી થતી હોવાની ઘટનાઓ સામાન્ય બાબત છે. પરંતુ વિમાનમાં પણ મુસાફરોના સામાનની ચોરી થાય એ ચિંતા જનક બાબત છે. આવી જ એક ઘટના અમદાવાદ એરપોર્ટ ઉપર બની હતી. અહીં એક મહિલા મુસાફરના પર્સમાંથી 30થી 35 હજાર રૂપિયાની ચોરી થઈ હોતી. આ ઘટનાની જાણ સ્ટાફને કરતા તપાસ શરૂ કરી હતી. તપાસમાં ખુલ્યું હતું કે ત્રણ લોડરો અનેકવાર મુસાફરોના સામાનની ચોરી કરતા હતા. આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે શહેરના મોટેરા વિસ્તારમાં રહેતાં સાગરભાઇ હેમનાની છેલ્લા ઘણા સમયથી ઈન્ડિગો ફ્લાઈટમાં એરપોર્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ…
અમેરિકામાં વધુ એક ગુજરાતી વેપારીની હત્યાના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ન્યુયોર્કમાં બોરસદ તાલુકાના એક પટેલ યુવાન પર સ્ટોરમાં જીવલેણ હુમલો કરી લૂટારૂઓએ લૂંટ ચલાવી હતી. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનનું મોત નિપજ્યું છે. આ ઘટનાથી અમેરિકામાં સમગ્ર ગુજરાતીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સાથે લૂંટારીઓને ઝડપીમાં ઝડપી પકડી સજા મળે તે માટે માંગ ઉઠી છે. ન્યૂયોર્ક સિટીમાં સ્ટોર ધરાવતા કિંશુક હરેશભાઈ પટેલ રાત્રિના સમયે સ્ટોર બંધ કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે કેટલાક અશ્વેત લોકોએ તેમની દુકાનમાં આવીને લૂંટ મચાવી હતી. કિંશુક પટેલે તેમને બહાર નીકળી જવાનું કહેતા અશ્વેત લોકો ઉશ્કેરાટમાં આવી જઈને કિંશુકના માથા પર બોથડ પદાર્થના…
નવી દિલ્હીઃ ભારતના પશ્વિમી દરિયાકાંઠાના રાજ્યો ઉપર ત્રાટલેકા તાઉતે વાવાઝોડા બાદ નવું એક વાવાઝોડું બંગાળની ખાડીમાં આકાર લઈ રહ્યું છે. ત્યારે બંગાળની ખાડીમાં ગયેલા માછીમારો અને નાવિકોને તટ ઉપર પાછા ફરવાની અને નજીકના બંદરે સુરક્ષા સાથે હટી જવા માટે ચેતવણી આપવામાં આવી છે. ભારતીય તટરક્ષકે પોત, વિમાન અને અન્ય અડ્ડાને યાસ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ચેતવણી આપવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે આવનારા 72 કલાકમાં વાવાઝોડું મજબૂત થવાની શક્યતા છે. ભારતીય તટરક્ષક બળે કહ્યું કે ભારતીય હવામાન વિભાગના અનુસાર 22 મેના રોજ ઉત્તરી અંડમાન સાગર અને નજીકના પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં ઓછા દબાણની શક્યતા છે. ભારતીય તટરક્ષક બળે કહ્યું કે ભારતીય…
છેલ્લા 11 દિવસ સુધી ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાહિયાળ અથડામણ ચાલતી હતી. જેનો અંત આવ્યો છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વિરામનું એલાન થયો છે. આ લોહિયાળ અથડામણમાં 200થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 11 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધના કારણે ગાઝા પટ્ટી પર ઘમાસાણ મચ્યુ હતુ. 11 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધના કારણે ગાઝા પટ્ટી પર ઘમાસાણ મચ્યુ હતુ. મોટા ભાગે ઈઝરાયલમાં જીવન ઠપ થઈ ગયું અને 200થી વધારે લોકો માર્યા ગયા. ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંઝામિન નેતન્યાહૂની સુરક્ષા કેબિનેટને ગાઝા પટ્ટીમાં 11 દિવસથી ચાલી રહેલા સૈન્ય અભિયાનને રોકવા માટે એકતરફા સંઘર્ષવિરામને મંજૂરી આપી છે. મીડિયામાં આવેલા સમાચારોમાં કહેવામાં આવ્યુ…
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે ઓછો થતો જાય છે ત્યારે દેશમાં રસીકરણ અભિયાન ચાલુ છે. ત્યારે સરકારે રસીકરણ માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરી છે. રસીકરણ અભિયાન અંતર્ગત વેક્સીનની ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લઈ રહેલા લોકોને પરેશાનીનો સામનો ન કરવો પડે. ત્રીજા તબક્કાના અભિયાનમાં 18-44 વર્ષના લોકોનું રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. સરકારે જાહેર કરેલી નવી ગાઈડલાઈન પ્રમાણે રસી લેતા પહેલા કેટલાક કામ ન કરવા જોઈએ. રસી લેતા પહેલા આ છ કામ ન કરવા 1. અપોઇન્ટમેન્ટ લીધા વગર રસીકરણ માટે ન જાઓ. તમામ સ્લોટ્સનું બુકિંગ કોવિન રજિસ્ટ્રેશનના માધ્યમથી થઈ રહ્યું છે. 2. કોઈ પણ વ્યક્તિએ અલગ-અલગ માધ્યમથી પોતાનું રજિસ્ટ્રેશન…
સુરત: સુરતમાં ફરી એકવાર સંબંધોનું ખૂન થયું છે. પતિએ પત્નીને મોતને ઘાત ઉતારી ખૂને ખેલ ખેલ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. અહીં અશ્વિની કુમાર વિસ્તારમાં રહેતા વૃદ્ધા લોકડાઉનને લઈ બેકાર થતા પત્નીની કમાણી પર જીવતા હતા. અને છેલ્લા 10 દિવસથી પૈસા મામલે ઝઘડો થતો હતો.. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી હત્યા કરનાર પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સવારે પત્નીની હત્યા બાદ હત્યારા પતિએ જ પોલીસને જાણ કરી પત્નીના મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. પત્નીની કમાણી ઉપર જીવતા વૃદ્ધ પતિએ લોકડાઉનને…