કવિ: Satya-Day

લંડનની  કોર્ટે ભાગેડુ  વિજય માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. તેને ભારત પરત લાવવામાં આવશે. આ પહેલાં માલ્યાએ કહ્યું હતું કે તે બેંકોના પૈસા પરત આપવા માટે તૈયાર છે. કોર્ટમાં જતા પહેલાં માલ્યાએ કહ્યું કે તેને સેટલમેન્ટ માટેની રજૂઆત કરી હતી. મિશેલના સવાલ પર માલ્યાએ કહ્યું હતું કે તેના પ્રત્યાર્પણનું આ કેસ સાથે કોઈ લેવા દેવા નથી.  પોતાના બચાવમાં માલ્યાએ વધુમાં કહ્યું કે પહેલાં તે સ્પષ્ટ કરી દઉં કે મેં પૈસા ચોર્યાં નથી. મેં કિંગફિશર એરલાયન્સને બચાવવા માટે 4 હજાર કરોડ રૂપિયા તેમાં લગાવ્યા હતા. માલ્યા પર ભારતીય બેંકોના 9,000 કરોડ રૂપિયાનું દેવું છે. તેઓ માર્ચ 2016માં લંડન ભાગી ગયો…

Read More

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જીત પટેલે આજ રોજ ગર્વનર પદેથી રાજીનામુ આપ્યું છે. રઘુનામ રાજન બાદ ગુજરાતી ગવર્નર ઉર્જીત પટેલને ગવર્નરના પદે નિમવામાં આવ્યા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તેમણે પોતાના અંગત કારણોને કારણે રાજીનામું આપ્યું છે. ઉર્જીત પટેલના રાજીનામાને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી નોટબંધીથી લઈને કેન્દ્ર સરકારની નીતીઓને લઈને તેમના સરકાર સામે વિવાદો ચાલી રહ્યા હતા. ઉર્જીત પટેલ પહેલા ગવર્નર રઘુનાથ રાજને પણ આજ રીતે અચાનક રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ આ બીજી આવી ઘટનાને કારણે ખળભળાટ મચી ગયો છે. ઉર્જીત પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ગર્વનરનું પદ તેમના માટે સન્માનની વાત…

Read More

વલભીપુર થી ઘાંઘળી રોડ પર ચમારડી ગામ નજીક એક ટુરિસ્ટ ટ્રાવેલ્સ પલ્ટી મારી ગઇ છે.  જેમાં અંદાજિત 50 લોકો ઘાયલ થયાં છે જ્યારે 3 થી 4 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. ઘાયલોને હાલ 108ની ટીમ મારફતે વલભીપુર CHCમાં લઇ જવામાં આવશે. મળતી વિગતો અનુંસાર વલભીપુર થી ઘાંઘળી રોડ પર ચમારડી ગામ નજીક બપોરના 2 થી 2.30 વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો છે. જેમાં 50 લોકો ઘાયલ થયા છે અને 3 થી 4 લોકોના મોત થયા હોવાની વિગત સામે આવી છે. હાલ તો ઘાયલોને સારવાર માટે વલભીપુર લઇ જવામાં આવ્યા છે. ભાવનગર, બરવાળા અને શિહોરની 108ની ગાડીઓ મારફતે…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી પર અભદ્ર ટીપ્પણીને લઈ વડાપ્રધાનના  પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સુરત શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ પ્રદીપ સિંધવની આગેવાનીમાં સુરતમાં વડાપ્રધાન મોદીના પૂતળનું દહન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદી દ્વારા સોનિયા ગાંધી અંંગે કરાયેલ ટીપ્પણીનો વીડિયો વાયરલ થયા બાદ હરકતમાં આવેલી યુવક કોંગ્રેસે તાનમાં ને તાનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુવક કોંગ્રેસના કાર્યકરોએ મોદી વિરોધી સૂત્રો પોકાર્યા હતા. હાય રે મોદી હાય, સોનિયા ગાંધી ઝીંદાબાદ, રાહુલ ગાંધી ઝીંદાબાદ અને નરેન્દ્ર મોદી મૂર્દાબાદના નારા લગાવ્યા હતા. વડાપ્રધાન મોદીના પૂતળાને લાતો…

Read More

સુરતમાં કડીયા કામ કરતા કારીગરો અને મજૂરો રસ્તા પર ઉતર્યા હતા. મોટી સંખ્યામાં કડીયા અને મજૂરોએ રેલી આકારે નીકળી સુરતના કલેક્ટર ધવલ પટેલને આવેદનપત્ર આપ્યું હતું. વિશ્વ માનવ અધિકારી દિવસ નિમત્તે મજૂર અધિકાર મંચના નેજા હેઠળ નીકળેલી રેલીમાં મોટી સંખ્યમાં મજૂર મહિલાઓ પણ જોડાઈ હતી. મજૂર અધિકાર મંચે આવેદનપત્રમાં સાત મુદ્દા સાથેની માંગ કરી છે. મજૂર અધિકાર મંચે આવેદનપત્રમાં જણાવ્યું કે ગાંધીનગર, અમદાવાદ,સુરત, રાજકોટ અને વડોદરા જેવાં શહેરો ઝડપથી વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. ઘણા બાંધકામો અને કાર્યોમાં મજૂરોની જરૂરિયાત હોય છે.જુદા-જુદા ક્ષેત્રમાં રોકાયેલા ઠેકેદારો મારફત ગુજરાતના છેવાડાના ગામડાઓ તેમજ જુદા-જુદા રાજ્યોમાંથી વતનમાંથી સ્થળાંતર કરીને કામ કરવા કડીયા અને કારીગરો…

Read More

કનકપુર-કનસાડ નગર પાલિકાએ  રાજમાર્ગ, COP અને પાર્કિંગની જગ્યા પર ગેરકાયદેસર બાંધકામને વગર BUC એ આકારણી પણ કરી આપી હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની 25 વર્ષ જુની યોજનાની પ્રાથમિક સુવિધવાળા પ્લોટ પર 300 કરોડના ખર્ચે બંધાયેલા મુખ્યમંત્રી આવાસ યોજના પણ ગેરકાયદે હોવાનું બહાર આવ્યુ છે. તો બીજી બાજુ બિલ્ડરોએ પણ રાજમાર્ગ અને સ્લમ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલા કોમન પ્લોટની જગ્યા પર દબાણ કરી બિલ્ડીંગ બાંધી દીધા હોવાનું RTI માં બહાર આવ્યું છે.  નવાઈની વાત તો એ છે કે ગેરકાયદે બાંધકામને સુડાએ પણ BUC આપી દીધું હોવાનું અને નગર પાલિકાએ આકારણી કરી આપી હોવાનું બહાર આવતા અનેક પ્રશ્નો ઉભા થાય…

Read More

ભારતે એડિલેડ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને ૩૧ રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો છે. પહેલી વખત ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સીરીઝની પહેલી ટેસ્ટ મેચમાં વિજય મેળવ્યો છે. ઑસ્ટ્રેલિયા સામે બીજા દાવમાં વિજય મેળવવા માટે 323 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. પરંતુ પાંચમાં દિવસે ટીમ રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતે ચાર મેચની સીરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. ભારતે જાન્યુઆરી ૨૦૦૮ બાદ પહેલી વખત ઓસ્ટ્રેલિયામાં કોઈ ટેસ્ટ મેચ જીતી છે. ૨૦૦૮માં ભારતે પર્થમાં ઓસ્ટ્રેલિયાને ૭૨ રનથી હરાવ્યું હતું. ચેતેશ્વર પુજરાએ પહેલા દાવમાં ૧૨૩ રન અને બીજા દાવમાં ૭૧ રનોની ધુંઆધાર બેટિંગ કરીને મેન ઓફ ધી મેચનો ખિતાબ મેળવ્યો છે. પુજારાએ ભારત માટે…

Read More

અમદાવાદમાં સીટીએમ પાસે હરિદર્શન ફ્લેટમાં રહેતા ૧૧ વર્ષના બાળકનું હાઈવોલ્ટેજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું. બાળકને કરંટ લાગતા વધુ સારવાર માટે એલ.જી. હોસ્પિટલ લઈ જવાયો હતો. સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું. એલ.જી. હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. પરિવારે બાળકનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. મળતી માહિતી મુજબ સોમવારે સવારે સીટીએમ વિસ્તારમાં આવેલા હરિદર્શન ફ્લેટમાં રહેતા ૧૧ વર્ષીય બાળકનું હાઈવોલ્ટેજ કરંટ લાગતા મોત નિપજ્યું હતું. કરંટ લાગતા બાળકને તાત્કાલીક એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં તબીબોએ તપાસ કરી બાળકને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે હાઈવોલ્ટેજ વિજળી વાયરો ખુલ્લા રહેતા હોવાની વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતા…

Read More

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ની કમાન અલ્પેશ કથીરીયાને સુપરત કરવાના હાર્દિકના નિર્ણયને લઈ અનેક સવાલો ઉભા થયા હતા. અલ્પેશ કથીરીયા ગંભીર છે અને હાર્દિક ગંભીર નથી તેવા પ્રકારની ચર્ચા અંગેનો રિપોર્ટ ‘સત્ય ડે’ દ્વારા પ્રસિદ્વ કરવામાં આવ્યો હતો. ગઈકાલથી મીડિયાનો અલ્પેશ કથીરીયા તરફ એટલો બધો પ્રેમ ઉભરાયો કે જેલમાંથી મૂક્ત થયા બાદ માત્ર અને માત્ર અલ્પેશ કથીરીયા કેવા કપડાં પહેરે છે, શું ખાય છે, કેવી રીતે રહે છે વગેરે-વગેરે ઝીણી-ઝીણી વાતો ટેલિકાસ્ટ કરી. કેટલાકે બ્રેકીંગમાં ચલાવી. વાત એ ન હતી કે અલ્પેશ કથીરીયાને વધુ ફૂટેજ આપવામાં આવ્યા પણ વાત એ છે કે જાણે હાર્દિકનો સફાયો થઈ ગયો હોય અને હવે…

Read More

વડા પ્રધાનના કાર્યાલયના પબ્લિક રિલેશન્સ ઑફિસર અને ગુજરાતના ભૂતપૂર્વ વરિષ્ઠ પત્રકાર જગદીશ ઠક્કરનું સોમવારે સવારે નિધન થયું હતું. 72 વર્ષીય જગદીશ ઠક્કર, 72 પાછલા કેટલાક સમયથી માંદગીવશ હતા. તેમને દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર આપવામાં આવી રહી હતી. વડાપ્રધાન મોદી સાથે તેમણે 17 વર્ષ કામ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ટવિટ કરી કહ્યું કે પીએમઓના પીઆરઓ જગદીશ ઠક્કરના નિધનથી અત્યંત દુખી છું. જગદીશભાઈ એક અનુભવી પત્રકાર હતા અને મેં તેમની સાથે વર્ષો સુધી કામ કર્યું. ગુજરાત અને દિલ્હી સુધી તેમની સાથે કામ કરવાનો અનુભવ આનંદદાયક હતો. તેઓ પોતાની સાદગી અને જોશભર્યા સ્વભાવ માટે જાણીતા હતા. વડાપ્રધાને વધુમાં કહ્યું કે…

Read More