રાજકોટ મહાપાલિકા દ્વારા સામા કાંઠા વિસ્તારમાં ડીમોલેશન હાથ ધરાયુ હતું.વન વોર્ડ વન રોડ અંતર્ગત દબાણો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી હતી સાથે સાથે સામાકાંઠે આવેલા 6 સૂચિત બાંધકામો પણ તોડવામાં આવ્યા હતા.પટેલ પાર્કમાં ખડકાયેલી 3 દુકાનો અને જય જવાન જય કિશાન સોસાયટી પાસે બની રહેલા મકાન અને ડેલા ના બાંધકામનો કડૂસલો બોલાવવામાં આવ્યો હતો.સામાકાંઠે અનેક બાંધકામો ગેરકાયદે છે અને સૂચિત માટે સામાકાંઠાના અનેક વિસ્તારો કુખ્યાત છે છતાં ત્યાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.રાજનેતાઓની છત્રછાયા હેઠળના બાંધકામોને દૂર કરવાને બદલે દેખાડો કરવા કાર્યવાહી થઇ હતી.ઓટલા છાપરા અને માત્ર 6 જ સૂચિત બાંધકામો તોડવામાં આવ્યા હતા. https://youtu.be/NqfmZUL0Fug
Author: Dipal
વિશ્વ માતૃભાષા દિવસે જ વિદેશથી આવતા ગુજરાતીઓ અચરજ પામી ગયા. માતૃભાષાનો જશ લેતા સાહિત્યપ્રેમીઓને નવાઈ લાગે એવા પણ ઉદાહરણો છાશવારે જોવા મળી રહ્યાં છે. ચૂંટણીના પ્રચાર સાહિત્ય હોય કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોર્ડીંગ્સ, લખાણમાં ખામી ક્યાંકને ક્યાંક જોવા મળી હશે. પરંતુ, નજીવામાં નજીવી બાબતનું જ્યાં ધ્યાન રખાતું હોય અને મંજુરી લેવાની થતી હોય તેવા સ્થળોએ પણ તંત્રની ભુલો બહાર આવે છે. ગુજરાતીઓ કાયમ કહેતા રહે છે, કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ત્યારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઘણા સમય બાદ ગુજરાતી ભાષા વાંચવાના હરખમાં ઉતરેલા ગુજરાતી પ્રવાસીઓને વિશ્વ માતૃભાષા દિવસે જ ગુજરાતીમાં છબરડા જોવા મળ્યાં.એરપોર્ટ પર ઉતરતાની સાથે…
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના પોસ્ટ ગ્રેજ્યુએટ રિસર્ચ સેન્ટર ફોર ગવર્નન્સ સિસ્ટમ્સ અને ગુજરાત યુનિવર્સિટીની બી.કે. સ્કૂલ ઑફ મેનેજમેન્ટના સંયુક્ત ઉપક્રમે ગત સપ્તાહમાં બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ભારતીય નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં વહિવટઃ સુધારણા અને ઉપાયો વિશે દેશ-વિદેશના નિષ્ણાતોએ ચર્ચાવિચારણા કરી હતી. પરિષદમાં 150 સંશોધકોએ પોતપોતાના રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. આયોજન સમિતિ પરિષદમાં કરવામાં આવેલી ભલામણોના આધારે અહેવાલ બનાવીને સરકારને સુપરત કરશે. પરિષદનો ઉદઘાટન સમારોહ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હૉલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) હિમાંશુ પંડ્યાએ નાણાકીય ક્ષેત્રમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે વિગતો રજૂ કરીને તેનાથી સામાન્ય જનતાને કેવી રીતે ફાયદા થયા તેની ભૂમિકા માંડી…
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ પર પાકિસ્તાન સરકારે ગાળિયો કસ્યો છે. પાકિસ્તાન સરકારે હાફિઝ સઈદના આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.પાકિસ્તાને આતંકવાદીની સંપત્તિ જપ્ત કરતા હાફિઝ સઈદની મુશ્કેલી વધી શકે છે.અમેરિકા અને યુરોપના અનેક દેશોની એફએટીએફ પાકિસ્તાન સરકારની કાર્યવાહી પર બાજ નજર રાખી રહ્યું છે. જમાત-ઉદ-દાવા અને ફલાહ ફાઉન્ડેશનની તરણ અેકેડમી, શાળા-હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સેવાઓને બંધ કરવામાં આવી છે.અમેરિકાના દબાણ બાદ પાકિસ્તાને આતંકવાદ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. અા પહેલા પણ અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી સહાય પર રોક લગાવી હતી. સમગ્ર દેશમાં થઈ રહેલા વિરોધના કારણે હવે પાકિસ્તાને હાફિઝ સઈદ ૫ર સિકંજો કસ્યો છે.જમાલ-ઉલ-દાવાની સં૫ત્તિ જપ્તસ કરવામાં અાવી છે.…
ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં બહાર આવી રહેલી ગોબાચારીઓ અંગે મનપા કમિશ્નનરને જાણ હોવા છતાં તટસ્થ તપાસ કે પગલાં લઇ નથી રહ્યા તેવુ લાગી રહ્યુ છે કે કોન્ટ્રક્ટરના હાથ મનપા કમિશ્નર સુધી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં થઇ રહેલા ટન વધારા અને 40 થી 50 ટન દરરરોજ વધુ વજન વધારી મનપાની તીજોરી પર બોજો નંખાઇ રહ્યો છે. જેનો ભાગ આમ જનતાને વેરા પેટે ચુકવવાનો રહે છે. આ વિષય પર સત્ય ડે.com અને સત્ય ડે દૈનિક દ્રારા આ વાતની પૃષ્ટી કરવામાં આવી છે https://youtu.be/OOOW1pqUPu8 કે શું કોન્ટ્રક્ટરોને બ્લેક લીસ્ટ કરીને અને કોન્ટ્રાક્ટરને ફક્ત નોટીસ આપીને સંતોષ મનાઇ રહ્યો છે. આ બધી…
શહેરના પૂર્વના વિસ્તારોમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. ગઇકાલે નરોડામાં દિવસે જાહેરમાં એક યુવકનું મર્ડર થયું હતું. ત્યારે આજે એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. જેમાં લુખ્ખા તત્વો ચાકુની અણીએ લોકોને ડરાવી રહ્યા છે અને હપ્તા ઉઘરાવી રહ્યા છે. https://youtu.be/1NDOZSzJ31U શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે એક તરફ સરકાર દાવો કરે છે કે શહેરમાં શાંતિ છે ત્યારે બીજી તરફ શહેરના પૂર્વના વિસ્તારોમાં જાહેરમાં હત્યા અને લુખ્ખા તત્વોનો આતંક દિવસને દિવસે વધી રહ્યો છે. હાલ શહેરમાં સોશિયલ નેટવર્ક ઉપર એક વીડિયો વાયરલ થયો છે જેમાં લુખ્ખા તત્વો ચાકુની અણીએ લોકોને ડરાવી રહ્યા છે અને…
જ્યારે પુરૂષના પેનિસની વાત આવે ત્યારે તેની સાઈઝનો પ્રશ્ન ખુબ મહત્વનો છે. આ અંગે ફિમેલ સેક્સ એન્ડ રીલેશનશિપ એક્સપર્ટ ટ્રેસી કોક્સ કહે છે કે, આ પ્રશ્ન કઈ રીતે દરેક લોકો માટે સંવેદનશીલ છે. ટ્રેસીનું માનવું છે ‘મારું લિંગ ખુબ નાનું છે?’ તેનો જવાબ ક્યારેય ‘હા’ નથી. ક્યારેય પણ આ ખોટા જવાબને વિશ્વસનીય રીતે રજૂ કરવો જોઈએ. પુરૂષો ખોટી સરખાણી કરે છે સ્ત્રીઓના જીવનનો સૌથી મોટો પ્રશ્ન છે ‘શું હું મોટી લાગી રહી છું?’ જ્યારે પુરૂષનો સૌથી મોટો પ્રશ્ન છે ‘શું મારો પેનિસની સાઈઝ નાની છે?’ પુરૂષો પેનિસના પ્રશ્ને ખુબજ સંવેદનશીલ હોય છે કારણ કે મોટાભાગના પુરૂષો પોતાના પેનિસની લંબાઈથી સંતુષ્ટ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લખનઉ પહોંચ્યા છે. અહીંયા તેમણે ઇંદિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં ‘યુપી ઇન્વેસ્ટર્સ સમિટ-2018’ (UPIS)નો પ્રારંભ કરાવ્યો. સમિટની શરૂઆતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ સ્પીચ આપી. અંબાણીએ કહ્યું, “20,000 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સાથે જિયો એ યુપીના મોટામાં મોટા ઇન્વેસ્ટર્સમાંનું એક છે. 2018 સુધીમાં યુપીના દરેક ગામમાં જિયો હશે.” અંબાણીએ સીએમ યોગીને કર્મયોગી ગણાવ્યા. ઉલ્લેખનીય છે કે, આ સમિટ 2 દિવસો સુધી ચાલશે અને તેમાં દુનિયાભરના 5 હજાર ઉદ્યોગપતિઓ સામેલ થશે. યોગી સરકારનો દાવો છે કે આ સમિટ દ્વારા રાજ્યના 20 લાખ યુવાનોને રોજગાર મળશે. આશા છે કે આ દરમિયાન 900 એમઓયુ પર સહી થશે. આ દરમિયાન પીએમ ઉપરાંત…
સુપ્રીમ કોર્ટ બુધવારે મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરની અરજી પર સુનાવણી કરશે. અરજીમાં તેમણે તેમની સામેના કેસ રદ કરવાની માગણી કરી છે. નોંધનીય છે કે, પ્રિયા અને ફિલ્મના ડિરેક્ટર ઓમલ લુલૂ પર ફિલ્મ ઓરુ અદાર લવના એક ગીત ‘માણિક્ય મલરાય પૂવી’ પર અમુક લોકોએ વાંધો વ્યક્ત કર્યો હતો. આ સંબંધી પ્રિયા પર તેલંગાણાના ફલકનુમા અને મુંબઈમાં કેસ ફાઈલ કર્યો હતો. FIR દાખલ કરનાર લોકોનું કહેવું છે કે, આ ગીતથી મુસ્લિમ સમુદાયના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે.
૧લી જુલાઈ ૨૦૧૮ બાદ તમે નવો મોબાઈલ નંબર લેશો તો તમને ૧૦ને બદલે ૧૩ આંકડાનો મળશે. કેન્દ્રીય સંચાર મંત્રાલયે તમામ રાજ્યોને આ બારામાં નિર્દેશો જારી કરી દીધા છે. બીએસએનએલે પણ આ અંગેની તૈયારી શરૂ કરી દીધી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાછલા દિવસોમાં દિલ્હીમાં યોજાયેલી આ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં જણાવાયુ હતુ કે, ૧૦ અંકોના લેવલમાં હવે નવા મોબાઈલ નંબરની શકયતા રહી નથી. આ કારણે ૧૦ થી વધુ અંકોની સીરીઝ શરૂ કરવામાં આવે અને બાદમાં તમામ મોબાઈલ નંબરોને ૧૩ અંકોના કરી દેવામાં આવે. આ અકીલા બારામાં તમામ સર્કલની દૂરસંચાર સેવા પ્રદાતા કંપનીઓને તેને લાગુ કરવાના નિર્દેશો…