અમદાવાદ, 12 ઓગસ્ટ 2024 Gujarat: મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના કઢૈયા ગામના ખેડૂત ઝવેરભાઈ મંગળભાઈ પટેલની ખેતીની નકલ કરવામાં આવે તો ચોખાના ઉત્પાદનમાં ચોખ્ખો વધારો કરી શકાય તેમ છે. Gujarat: 68 વર્ષના ખેડૂત ઝવેરભાઈ પાસે 1-56-61 હેક્ટર આરે જમીન છે. જેમાં તેઓ ખેતી કરીને ચોખાનું ઉત્પાદન બીજા ખેડૂતો કરતાં સારું લે છે. 1 હેક્ટરે 6 હજાર કિલો ચોખા પાકતાં હતા તો તેમાં 8500 કિલો થવા લાગ્યા હતા. આમ લગભગ 40 ટકાનો વધારો 3 નવી પદ્ધતિથી થયો છે. જેમાં એક એસ.આઈ.આર. , ઈકડનો છોડ, લીલોપડવાસ, ગાળો રાખી – ખાલી પટ્ટો, ક્યારાયમાં પાણી વાળવા માટે સિમેન્ટનું સ્ટક્ચર વિકસિત કર્યાં છે. તેમની નવી પદ્ધતિઓ…
કવિ: દિલીપ પટેલ
Sajid Kothari: 80 અને 90ના દાયકામાં પોરબંદર શહેર અને તેની ખાસ જેલ ભારતમાં કુખ્યાત હતી. Sajid Kothari માફિયાઓ આ શહેરમાં રાજ કરતા અને જેલ બંધ કરવી પડતી હતી. 1029માં પોરબંદર શહેરની સ્થાપના થઈ હતી. ત્યારથી પોરબંદરમાં શાંતિ ઓછી અને અશાંતિ વધારે રહી છે. દ્વારકાના રાજા કૃષ્ણના મિત્ર સુદામા અહીંના હતા એવું હિંદુ શાસ્ત્રો કહે છે. સજ્જુને તેના છૂપા મિત્રોએ મદદ કરવા માટે પોરબંદર મોકલી આપ્યો હોવાનો આરોપ છે. સજ્જુ તે પહેલાં પાસા અને તડીપાર કરાયો હતો. સજ્જુનો ભાઈ પણ વોન્ટેડ હતો. 2018ના એક કેસમાં સજ્જુ કોઠારી એ સુરતના બે પોલીસને પણ માર માર્યો હતો. પોરબંદર જેલમાં પણ તેણે આવું જ…
અમદાવાદ UDMSR Technology: ગુજરાતના વડોદરાના ઈજનેર દ્વારા એવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, UDMSR Technology: કે નાના ગામનું કે માનવ વસાહતોનું ગટરનું પાણી નાના પાયે શુદ્ધ કરીને તે ખેતરમાં ખેતી કરવા વાપરી શકાય તેમ છે. ઘરેલુ ગંદા પાણીને સ્વચ્છ કરતાં મલ્ટી-સ્ટેજ રિએક્ટર 13 માર્ચ 2024માં વડોદરાના પાદરા નજીકના લુણા ગામે શરૂ કરાયું છે. UDMSR ટેકનોલોજી પાણીની મોટી બચત કરી શકવા સક્ષમ છે. નાનો પ્લાંટ ગામની ગટરનું 30 હજાર લિટર પાણી શુદ્ધ કરી શકે છે. આ સિસ્ટમ દ્વારા સ્વચ્છ થયેલું પાણી ખેતરમાં સીધું વાપરી શકાય છે. બગીચામાં વાપરી શકાય છે. ખેડૂતો પોતે આવા પ્લાંટ ખરીદી શકે એટલી ઓછી કિંમતના રહેશે. ખેતીને આ…
Sajid Kothari:સુરતના ગેંગસ્ટર સામે 58 ગુના નોંધાયા હોવાથી અને સુરતની જેલમાં તે બેફામ બની રહ્યો હોવાથી તેને પોરબંદરની જેલમાં ખસેડવામાં આવ્યો હતો. તેના અનેક ગુના પોલીસ સામે આવ્યા હતા. Sajid Kothari: મુંબઇના બિલ્ડર સાથે રૂપિયા 1.60 કરોડની ઠગાઈ, સજ્જુ કોઠારી નામના શખ્સે વેપારી સાથે ઠગાઈ કરી હતી. સુરતના ઉમરા પોલીસમાં નોંધાઈ ફરિયાદ ખંડણી 31 ઓગસ્ટ 2022માં અઠવા પોલીસ મથકમાં ફારૂક મૌલાના, સજ્જુ કોઠારી અને ગુલામ હુસેન ભોજાણી એ રૂ. 3 કરોડ પચાવી પાડવા માટે રિવોલ્વર તાકી હતી. ખંડણી સજ્જુ એ બિલ્ડર આરીફ કુરેશી પાસેથી ખંડણી માટે 7.60 લાખ રોકડ પડાવવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બિલ્ડરે સજ્જુ પાસેથી વ્યાજેથી લીધેલા 60 લાખના…
અમદાવાદ Gujarat: 2017માં રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ ગોકુલ ગ્રામની કલ્પના પર ‘ગીર ગાય અભયારણ્ય’ને મંજૂરી આપવામાં આવી હતી. Gujarat કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન રાધા મોહન સિંહે જાહેરાત કરી હતી. પશુધન વીમા કવરેજ હેઠળ ધરમપુર, પોરબંદર ખાતે સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. દેશ દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં નંબર વન હોવાનો દાવો છે. ગીર ગાય દ્વારા દૂધનું ઉત્પાદન વધારવા, ગીર ઓદાલનું સંરક્ષણ અને જાત સુધીરવા તથા વિર્ય સુધારણા માટે કામ કરવાનું હતું. જ્યાં પશુ હોસ્પિટલ અને કોલેજ પણ બનાવવાની છે. ટાઈગર, સિંહ અને ચિતા બચાવો પ્રોજેક્ટની જેમ ગીર ગાય બચાવવા માટે આ પ્રોજેક્ટ બનાવાયો છે. કારણ અભયારણ્ય બનાવવાનું મુખ્ય કારણ ગીરની…
એક એવું ઘાસ કે જે ગુજરાતને ખેદાન મેદાન કરી રહ્યું છે તે અમૃત બનાવી દીધું અમદાવાદ Gujarat : ગાંધીનગરના જાખોર ગામના 78 વર્ષની ઊંમરના ખેડૂત અમૃતભાઈ હરગોવિંદ પટેલે જીવામૃત્તની જગ્યાએ એરોબીક ટ્યૂબમાં લીક્વીડ બનાવીને ખેતરમાં વાપરે છે. Gujarat: જેમાં ગોમૂત્ર, નિંદામણનું ઘાંસ, ગંધાતા હોય એવા છોડના પાન, રસોડાનો એઠવાડ, ખેતરનો લીલો પાક નાંખવાથી તેનું પ્રવાહી 30 દિવસે તૈયાર થઈ જાય છે. જેમાં બેક્ટેરિયા પેદા થાય છે. તેથી બેક્ટેરિયા મરી જાય એવા આંકડા જેવા બેક્ટેરિયા મારતાં હોય એવા અતી ઝેરી છોડના પાન નાંખવા નહીં. રસોડાનો કચરાનો સારામાં સારો ઉપયોગ થાય છે. જીવાણુઓ દ્વારા તૈયાર કરવામાં આવતું પ્રવાહી જૈવિક ખાતર છે. અમૃતભાઈએ…
અમદાવાદ, 10 ઓગસ્ટ 2024 Gujarat: ગુજરાતની દવાખાનાની તાત્કાલિક સેવા 108માં હૃદયરોગની સમસ્યાના ફોન કોલમાં એક વર્ષમાં 15 ટકાનો વધારો થયો છે. Gujaratજાન્યુઆરીથી જુલાઈ 2024 સુધી રાજ્યમાં હૃદયની સમસ્યાના 47,180 કેસ આવ્યા હતા. 2023માં આ સમયગાળા દરમિયાન 40,258 કેસ નોંધાયા હતા. ગત વર્ષે જાન્યુઆરીથી જુલાઇની સરખામણીએ આ વખતે હૃદયની સમસ્યા ધરાવતા દર્દીમાં 6,922 કેસનો એટલે કે 14.67 ટકા વધારો થયો હતો. જુલાઇમાં રાજ્યમાં હૃદયની સમસ્યાના 7111 કેસ નોંધાયેલા હતા. કોરોના અને વેક્સીન પહેલાં કરતાં 100 ટકાનો વધારો હ્વદયની સમસ્યામાં થયો છે. કોરોના રસીના કારણે લોકોના હૃદય બંધ પડી જતાં ગુજરાતમાં 1 લાખ લોકોના મોતની આશંકા છે. કોરોનાથી જેટલા મોત થયા તેનાથી…
સેટેલાઈટના ઉપયોગથી અમદાવાદમાં મોતમાં ઘટાડો દિલીપ પટેલ અમદાવાદ, 9 ઓગસ્ટ 2024 Gujarat: ગુગલ અર્થની મદદથી ટ્રાફિક જંકશન પર ડિવાઈડર ઉભા કરીને અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં સફળતા મળી છે. જંકશન પર ડીવાઈડર ન હતા ત્યાં મૂકવાના કારણે જીવલેણ અકસ્માત 23.90% ઘટી ગયા છે. 8 ટકા અકસ્માત ઘટી ગયા હતા. Gujarat ગુજરાત સરકારની પોતાની બાયસેગ સંસ્થા કરોડો રૂપિયા ખર્ચીને બનાવી હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાં જ આ સંસ્થા કેન્દ્ર સરકારને સોંપી દીધી હતી. જો તેને આખા ગુજરાતના તમામ માર્ગોની ટ્રાફિક સમસ્યા હલ કરવાની જવાબદારી સોંપી હોત તો હજારો લોકોના જીવ બચાવી શકાય તેમ હતા. તેના બદલે બાયસેક સંસ્થાનો રાજકીય ઉપયોગ થઈ…
ધર્મેન્દ્ર શાહની અધર્મી શાહુકારી સુરેન્દ્ર પટેલને ખતમ કરવા દિલ્હીના નેતાઓ ધર્મેન્દ્ર શાહને લાવ્યા હતા શાહે મેયરની કચેરીને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો હતો અમદાવાદ, 9 ઓગસ્ટ 2024 Ahmedabad : અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપના પ્રભારી તથા પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહની બંને હોદ્દા પરથી હકાલપટ્ટી 20 જુલાઈ 2024માં કરી દેવામાં આવી હતી. Ahmedabad: ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે અચાનક હોદ્દા પરથી દૂર કરી દીધા હતા. અમદાવાદ મહાનગર પાલિકાના નવા પ્રભારી તરીકે પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અને પ્રદેશ મહામંત્રી રજની પટેલની નિમણૂંક કરી હતી. તેમને હોદ્દા પરથી કેમ દૂર કર્યા તેની ઘણી વિગતો બહાર આવી રહી છે. તેના રહસ્ય ખુલી રહ્યા છે. તેમાં…
નકલી કુલપતિ અમદાવાદ Gujarat: રાજ્યપાલ દાવો કરે છે કે ગુજરાતમાં 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ડાંગ જિલ્લો આખો પ્રાકૃતિક ખેતીનો જિલ્લો જાહેર કરેલો છે. ત્યારે સરકારની ખોખલી પ્રાકૃતિક ખેતીની પોલ ખુલી છે. Gujarat: ગુજરાત નેચરલ ફાર્મિગ સાયન્સીસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.સી.કે.ટીંબડીયાની નિમણૂક ગેરેબંધારણીય કરી દેવામાં આવી છે. રાજય સરકારશ્રીએ સેન્દ્રીય ખેતી નીતિ – 2015માં જાહેરાત કરાઈ હતી કે, ગુજરાત ઓર્ગેનિક એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીની સ્થાપના કરાશે. તે માટે વિધાનસભામાં અધિનિયમ પસાર કરાયો હતો. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસમાં હંગામી ધોરણે યુનિવર્સિટી શરૂ કરી હતી. તેના નિયમો તૈયાર કરવાના થતા હતા. યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે ડો.બી.આર.શાહ નિવૃત ખેતી નિયામકને જુન…