અતીક અને અશરફની હત્યા કરનાર ત્રણેય આરોપીઓ જુદા જુદા જિલ્લાના છે. લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે જ્યારે અરુણ મૌર્ય હમીરપુરનો રહેવાસી છે. અને ત્રીજો આરોપી સની કાસગંજ જિલ્લાનો છે. દરમિયાન ત્રણેય આરોપીઓની પોલીસ તેમના નિવેદનો લઈ રહી છે. તપાસમાં ત્રણેય આરોપીઓ અતીક અને અશરફની હત્યા કરવાના ઈરાદે પ્રયાગરાજ આવ્યા હોવાનું કબૂલ્યું છે. અતીક અને અશરફની હત્યા કર્યા બાદ ત્રણેય હુમલાખોરોએ તરત જ આત્મસમર્પણ કર્યું હતું. સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તેની ધરપકડ કરી હતી. ઘટનાસ્થળેથી ત્રણ ગનના કારતૂસ મળી આવ્યા છે. આરોપીઓ પત્રકાર બનીને આવ્યા હતા તેઓ પાસેથી એક કેમેરા, માઈક આઈડી પણ મળી આવી છે. ઘટના બાદ યુપીમાં હાઈ એલર્ટ…
Author: mohammed shaikh
પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેમના નાના ભાઈ પૂર્વ ધારાસભ્ય અશરફની શનિવારે મોડી રાત્રે ગોળી મારીને પોલીસ અને મીડિયાની હાજરીમાં જાહેરમાં પોઉન્ટ બ્લેન્ક રેન્જથી હત્યા કરવામાં આવી અને આ સાથેજ પ્રયાગરાજમાં માફિયાના એક પ્રકરણનો અંત આવ્યો. જોકે, આ પહેલીવાર નથી જ્યારે માફિયા કરણ રાજનીતિથી શરૂ થયેલી સફર ગોળીઓના પાનામાં સમેટાઈ ગઈ હોય. આતંકની આવી ચાર વારદાત વાંચો. પ્રયાગરાજમાં આવી ઘટના પહેલીવાર નથી બની. એક-બે નહીં પરંતુ ચાર એવી ઘટનાઓ બની છે, જ્યારે અલ્હાબાદ એટલે કે આજનું પ્રયાગરાજ ગોળીબારના અવાજથી ધ્રૂજી ઊઠ્યું હતું. તેનો પડઘો દેશભરમાં સંભળાયો છે. તેની શરૂઆત આજથી 27 વર્ષ પહેલા થઈ હતી, જ્યારે શહેરના સૌથી પોશ વિસ્તાર…
માફિયા અતીક અહેમદ અને અશરફને પ્રયાગરાજની કેલ્વિન હોસ્પિટલમાં જ્યારે પોલીસ લઈ જઈ રહી હતી તે વખતે પત્રકાર બનીને આવેલા હુમલાખોરોએ ફિલ્મી સ્ટાઈલ માં ગોળી મારી બન્નેની હત્યા કરી દેતા ભારે સનસનાટી મચી છે. બંને આરોપીઓ પાંચ દિવસના રિમાન્ડ હતા અને પોલીસે તેની પૂછપરછ કરી રહી હતી. દરમિયાન મેડિકલ કોલેજ પાસે બંનેની હત્યા કરવામાં આવી હતી ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અહેવાલ છે કે અતીક અને અશરફની હત્યામાં પરિવાર તરફથી કેસ દાખલ કરવામાં આવશે. પોલીસ બંને ભાઈઓની હત્યા કરનાર આરોપીની પૂછપરછ કરી રહી છે. અશરફ અને અતીકની હત્યાની ન્યાયિક તપાસ થશે. દરમિયાન 17 પોલીસકર્મી…
પ્રયાગરાજમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારી હત્યા થતાં ભારે સનસનાટી મચી ગઇ છે,અતિક અહેમદને મેડિકલ માટે લઈ જઈ રહેલી પોલીસ અને મીડિયા ટીમની હાજરીમાં અતિક અને અશરફની ગોળી મારી હત્યા થઈ હતી. વિગતો મુજબ પ્રયાગરાજના કોલ્વિન હોસ્પિટલની પાસે જ્યારે પોલીસની ટીમ અતીક અને અહેમદને લઈને જઈ રહી હતી તે સમયે અચાનક ત્રણ-ચાર હુમલાખોરો થાય પહોંચ્યા હતા અને મીડિયામાં નિવેદન આપી રહેલા અહેમદ અને અશરફ ઉપર નજીકથી ફાયરિંગ કર્યું હતું. પોલીસે હુમલાખોરોને સ્થળ પર જ દબોચી લીધા હતા. આ આખા હુમલો પોલીસ અને મીડિયાની સામે કરવામાં આવ્યો છે. બન્ને આરોપીઓ પર જ્યારે ફાયરિંગ થયું, ત્યારે આખી ઘટના…
કપરાડાના માંડવા ગામે નિયમ વિરુદ્ધ ગેરકાયદે કવોરી પ્રોજેકટ ઊભો કરવામાં કોને રસ છે?અને કોણે કોણે આ પ્રોજેકટમાં પૈસા લીધા તે વાત તપાસનો વિષય બની છે ગ્રામજનો કોઈપણ હિસાબે પ્રોજેકટ ચાલુ નહિ થવા દેવા મક્કમ છે. વલસાડના કપરાડા તાલુકામાં આવેલ માંડવા ગામે કવોરીનો વિવાદ જોર પકડી રહ્યો છે અને નિયમ વિરુદ્ધ કવોરી બનાવવાની હિલચાલ પાછળ કોણ સક્રિય છે તે વાત તપાસનો વિષય છે તેમજ બીજી તરફ જો કવોરીને મંજૂરી મળશેતો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન થવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. માંડવા ગામે ખાતા નં :-૮૨૬ અને સરવે નં:-૧૫૪૭ વાળી બિનખેતીની જમીન ઉપર કવોરી બનાવવાની પેરવી પાછળ કોના આર્શીવાદ છે? તે અંગે…
ઉપલેટામાં પંચહાટડી ચોક વિસ્તારમાં આજે વહેલી સવારે બે જૂથો વચ્ચે ઘર્ષણ થતાં ભારે નાસભાગ મચી હતી આ ઘટનામાં આઠ રાઉન્ડ ફાયરિંગ થતા ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં જાવેદ સંઘવાણી મેમણ, અહમદ અલી સમા અને ઈરફાન લંબાને ગોળી વાગતાં ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પીઆઈ કે.કે. જાડેજા પોલીસકાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિ વણસે નહીં અને ખોટી અફવાઓ ફેલાય નહી તે વાતને ધ્યાનમાં લઈને તાત્કાલિક બજારો બંધ કરાવી દીધા હતા. પોલીસે આ ઘટનામાં તપાસ શરૂ કરી છે. જૂની અદાવત અને જમીનના ડખ્ખામાં આ ઘટના બની હોવાનું કહેવાય છે.
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 10 હજાર 753 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા હવે 53 હજાર 720 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતમાં કોરોનાથી વધુ 27 દર્દીઓના મોત થયા છે. આ સાથે દેશમાં આ વાયરસના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5,31,091 પર પહોંચી ગઈ છે. દિલ્હીમાં ચેપને કારણે છ, મહારાષ્ટ્રમાં ચાર, રાજસ્થાનમાં ત્રણ અને છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં એક-એકના મોત થયા છે, કેરળમાં જીવ ગુમાવનારા દર્દીઓની યાદીમાં વધુ છ…
હવે, દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને CBIનું તેડું આવ્યું છે અને કેન્દ્રીય એજન્સી દ્વારા નોટીશ આપી દારૂ કૌભાંડ મામલે પૂછતાછ કરવામાં આવનાર છે. દારૂ કૌભાંડ મામલે હવે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની CBIએ પૂછપરછ કરનાર છે. આ માટે તેઓને નોટિસ મોકલી આપવામાં આવી છે. કેન્દ્રીય એજન્સી CBIએ અરવિંદ કેજરીવાલને તા.16 એપ્રિલ રવિવાર નાં રોજ પૂછપરછ માટે બોલાવ્યાં છે. મહત્વનુ છે કે હાલમાં જ નવી લીકર પોલિસીનાં મામલામાં CBIએ દિલ્હીનાં પૂર્વ ડેપ્યૂટી CM મનીષ સિસોદિયાને 26 ફેબ્રુઆરીનાં રોજ કસ્ટડીમાં લીધા હતા. હવે CBI કેજરીવાલની દારુ કૌભાંડ મામલે પૂછપરછ કરશે.
સુરતમાં ગવિયર વિસ્તારમાં ત્રણ મહિના અગાઉ જ બનાવેલો નવો નક્કોર ડામર રોડ તોડી નાંખવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે. પાણીની લાઇન નાંખવા માટે આ રોડ તોડવામાં આવતા જવાબદાર તંત્ર વાહકો પ્રજાના પૈસા બરબાદ કરી રહયા છે. સ્થાનિકો લોકોના જણાવ્યા મુજબ ત્રણ માસ પહેલા જ રોડ બનાવવામાં આવ્યો હતો અને 15 દિવસ પહેલા જ રોડ તોડીને પાણીની લાઇન નાંખવામાં આવી રહી છે. સુરતના ગવિયરમાં દિલ્હી પબ્લીક સ્કૂલથી ડુમસગામ તરફ જતો આ રોડ જાન્યુઆરી મહિનામાં જ બનાવવામાં આવ્યો હતો. આ રોડની જમણી તરફ હાઇડ્રોલિક વિભાગ દ્વારા 1200 મીમી વ્યાસની પાણીની પાઇપ નાંખવામાં આવી રહી છે. પાણીની લાઇનનું નેટવર્ક નજીકમાં આવેલ ઓવરહેડ ટાંકી…
સુરત મનપામાં આમ આદમી પાર્ટીના એક સમયે 27 કોર્પોરેટર હતા અને ભાજપ સામે વિપક્ષની ભૂમિકામાં હતા તેઓ ટોપી પહેરીને બૂમ પડાવતા હતા પણ હવે ચિત્ર બદલાઈ ગયું છે અને માત્ર 17 રહ્યા છે,વાત એવી પણ ચર્ચામાં આવી છે કે આ 17માંથી બીજા 6 પણ ભાજપમાં જવાની તૈયારીમાં છે, બીજી તરફ એવી પણ ચર્ચા છે કે ભાજપ દિવાળી પહેલાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યને પણ ખેંચી શકે છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી 2021માં થઈ હતી. 26 વર્ષ પછી સુરત કોંગ્રેસમુક્ત બન્યું હતું. સુરતમાં 30 વોર્ડની 120 બેઠકમાં ભાજપે 93 બેઠક તો આપએ 27 બેઠક પર કબજો મેળવ્યો હતો. વરાછા વિસ્તારની 27 બેઠક…