રાજધાની દિલ્હીમાં ફરી એક વખત હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. દિલ્હીના બવાના વિસ્તારમાં ચાર વર્ષની બાળકી સાથે બળાત્કારની ઘટના બની છે. 45 વર્ષના એક વ્યક્તિ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. બાળકીને મેડિકલ ટેસ્ટ કરાવવા માટે દિલ્હીની વાલ્મીકિ હોસ્ટપિટલમાં દાખલ કરવામાં આવી છે. આ દુર્ઘટનાના કારણે સ્થાનિક લોકોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલમાં તોડ-ફોડ પણ કરી હતી. જોકે, પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં કરી લીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બાળકી પોતાના ઘરથી થોડેક દૂર અન્ય બાળકો સાથે રમી રહી હતી ત્યારે એક વ્યક્તિ આ બાળકીને…
Author: Satya-Day
આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મદિવસ છે. રાહુલ ગાંધીનો આજે 49મો જન્મદિવસ છે. ત્યારે રાહુલ ગાંધી પાર્ટી કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરશે. રાહુલ ગાંધી પોતાના કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ કરશે અને જન્મદિવસની ઉજવણી કરશે. ગુજરાતમાં યોજાશે વિવિધ કાર્યક્રમ ગુજરાત સિહત દેશભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિવિધ રીતે રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી કરશે. તો રાહુલ ગાંધીના જન્મ દિવસને લઈને ગુજરાતમાં રક્તદાન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઠેર-ઠેરથી શુભેચ્છા વરસાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આજે 48મો જન્મદિવસ હોવાથી દેશભરના કોંગ્રેસી કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવ મળ્યો હતો, પાર્ટીના વડાના જન્મદિનને પગલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ સાથે જ…
સુરત જિલ્લામાં આગની ઘટના બંધ થવાનું નામ નથી લઈ રહી હજુ તક્ષશિલાની શાહી સુકાઈ નથી ત્યાં બીજી એક ઘટના સામે આવી છે. સુરતના કોસંબા પાસે આવેલી સિતારામ હોટેલમાં ચાર કામદારને વીજ કરંટ લાગવાની ઘટના બની છે. આ આગ લાગવાની ઘટનામાં બેના મોત થયા છે. જ્યારે બે વ્યક્તિને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ હોટલના સંચાલકો ફરાર થઇ ગયા છે. મૃતકના પરિજનોએ હોટેલ સંચાલકોની બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તપાસની કાર્યવાહી કરી જવાબદારોને સજા કરવા માંગ કરી છે.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સ્થિત પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા,જે પોલીસ સ્ટેશનની બહાર જ ફૂટતા ત્રણ નાગરિકો ગંભીર રીતે ઘવાયા હતા અન્ય કેટલાક નાગરિકોને સામાન્ય ઇજા પહોંચી હોવાના અહેવાલ છે. ગ્રેનેડ હુમલા પછી સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે માત્ર એક જ દિવસ પહેલા પુલવામાના અરિહલ ગામમાં સેના ટુકડી પર આતંકી હુમલો કરાયો હતો જેમાં બે જવાનો શહીદ થયા હતા. આ હુમલામાં આતંકીઓએ IEDનો ઉપયોગ કર્યો હતો. પુલવામાના અરિહલ ગામ પાસે સુરક્ષા દળની એક પેટ્રોલિંગ પાર્ટી IED હુમલાના ઝપેટમાં આવી હતી. આ પહેલા બુધવારે અનંતનાગ જિલ્લામાં આતંકીઓએ CRPFની…
ઉત્તર પ્રદેશના હઠરા જિલ્લામાં, એક પિતાએ તેમની ત્રણ પુત્રીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમના જીવનનો અંત લાવવાની પરવાનગી માંગી છે કારણ કે તેમની પાસે પૂરતી પીવાનું પાણી નથી. ઉત્તર પ્રદેશના હઠ્રાસના હાસ્યાન બ્લોકના ખેડૂત, ચંદ્રપાલ સિંહ, પ્રદેશમાં પાણી વિશેની ફરિયાદો વિશે સરકારી અધિકારીઓની મુલાકાત લઈ રહ્યા છે. અમે આ પાણી પીતા નથી. જ્યારેપણ મારી દીકરીઓ તેને પીવે છે, ત્યારે તેઓ ફેંકી દે છે. તેમાં વધારે પ્રમાણમાં મીઠું હોવાથી પાક પણ સુકાઈ જાય છે. હું કુટુંબ માટે બાટલીવાળા પાણીનો ખર્ચ કરી શકતો નથી. મારી કાર્યવાહી બહેરા કાન પર પડી છે અને મારી પાસે છે તેમણે પત્રકારોને જણાવ્યું હતું…
અલાદ્દીન – નામ તો સુના હોગા તરીકે ઓળખાતા એક ભારતીય ટીવી શો પર એચબીઓની ગેમ ઓફ થ્રોન્સની અંતિમ સીઝને એક મુખ્ય દ્રશ્યની ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. આ દ્રશ્યમાં છેલ્લા ક્ષણે હાથ ફેરવીને એક હાડપિંજરને છીનવી લેનાર માણસનો સમાવેશ થાય છે. ગેમ ઓફ થ્રોનના ચાહકોએ તેના દ્રશ્યની સમાનતાને માન્યતા આપી હતી જેમાં આર્ય સ્ટાર્ક તેના જેવા જ એક્શન પગલાનો ઉપયોગ કરીને નાઇટ કિંગને મારી નાંખે છે અને રેડિટ પર વીડિયો પોસ્ટ કરે છે, આ કારણે તે ખુબ ચર્ચામાં છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા આજે સવારે મ્યુનિસિપલ તેમજ ખાનગી મિલકતો પર ગેરકાયદે જાહેરાતનાં બોર્ડ, બેનર કે પોસ્ટર લગાવવાના મામલે લગભગ એક મહિના બાદ ફરીથી સીલિંગ ઝુંબેશ હાથ ધરાઇ હતી, જે અંતર્ગત વધુ ૧૬ ઓફિસ અને ટ્યૂશન કલાસીસને તાળાં મરાયાં હતાં. શહેરના ઉત્તર પશ્ચિમ ઝોન અને દિક્ષણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ આજે સવારે સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એનિમેશન, ટીઆઇએમઇ, સાયબર ઓફટેક, યુવા જિમ, ન્યૂ ટચ સ્કિન કેર, ક્લિયર ઝોન પેસ્ટ કંટ્રોલ, શિવમ ઇન્સ્ટિટ્યૂૂટ તેમજ પરાેઠાં કાફે, નવરંગપુરામાં જે.કે. શાહ કલાસીસ, એસજી હાઇવેની વાયએમસીએ ક્લબ પાસેે સર્કલ ઓન, ભૂયંગદેવ પાસે પાસવર્ડ એજ્યુકેશન, મેથ્સ એન્ડ સાયન્સ કલાસીસ, ખ્યાતિ મિનોઝ પ્રી સ્કૂલ, ઘાટલોડિયામાં કર્મયોગી કલાસીસ,…
રાજ્યમંત્રી સામે આત્મહત્યા કરનાર ખેડૂતે 15 જૂનના રોજ કહ્યું હતું કે સતત પ્રયાસો છતાં વીજ જોડાણ મેળવાને કારણે તેમણે આ પગલું ભરવું પડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે “મારા દાદાએ 1980 માં વીજળી જોડાણ માટે અરજી કરી હતી, પરંતુ અમારા સતત પ્રયાસ હોવા છતાં, અમને વીજ જોડાણ મળ્યું નથી. “મેં જીલ્લા વહીવટને જાણ કરી હતી કે હું આત્મહત્યા કરીશ પણ તેમણે ધ્યાન આપ્યું નહીં આથી માટે આત્મહત્યા જેવું પહલું ભરવું પડ્યું હતું. પોલીસ ઓફીસરે જણાવ્યું હતું કે વડોદરાના મલકપુર ગામમાં એક કૃષિ પ્રદર્શન યોજાયું હતું, જેમાં રાજ્ય પ્રધાન રણજિત પાટિલ અને જીલ્લાના ગાર્ડિયન પ્રધાન મદન યરવાર હાજર રહ્યા હતા. કૃષિ પ્રદર્શનના…
ગઈ કાલે અઠવાલાઈન્સ ખાતે આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ફી વધારાનો વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે વાલીઓ દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે વાલીઓ સ્કૂલ બહાર એકઠાં થયા હતા. અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં ન જવા માટે હાથ જોડીને અપીલ કરી હતી. સેવન્થ ડે સ્કૂલમાં ફીમાં 5થી 8 હજાર જેટલો વધારો કરવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે. ગત રોજથી શરૂ થયેલો વિરોધ આજે પણ યથાવત રહ્યો છે. આજે મોટી સંખ્યામાં વાલીઓને જાગૃત કરવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં ન જવા માટે હાથ જોડી અપીલ કરવામાં આવી હતી. મોટાભાગના વાલીઓ આ અભિયાનમાં જોડાતા સ્કૂલ તંત્ર…
વાલક ગામ નજીક આવેલા ગ્રીન વેલી એપાર્ટમેન્ટની લિફ્ટ તૂટી પડી હતી. અને ત્રીજા માળેથી સીધી બેઝમેન્ટમાં પટકાઈ હતી. જેથી લિફ્ટમાં રહેલા પિતા-પુત્રને ઈજા પહોંચી હતી. અને ઈજાગ્રસ્ત પિતા-પુત્રને લિફ્ટમાંથી બહાર કાઢી સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રહિશોએ બિલ્ડર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બિલ્ડર મેન્ટેનન્સ ઉઘરાવે છે થતાં ખર્ચો કરતો નથી.