નવસારી રેલવે અને આરપીએફ પોલીસે કચ્છ એક્સપ્રેસમાં વિદેશી દારૂ ની હેરાફેરી બાતમી મળતા પોલીસે નવસારી રેલવે સ્ટેશને સ્લીપર કોચના 7 અને 8માંથી મુસાફરોને ઉતાર્યા હતા. અને તેમના શરીર પર બાંધેલી અંદાજે 240 બોટલ વિદેશી દારૂ મળી આવતા ચાર લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમાં બે સગીર હોવાનું માલમ પડ્યું છે. વધુ તપાસ રેલવે પોલીસ કરી રહી છે. નવસારી રેલવે પોલીસને બાતમી મળી હતી કે, કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા સ્લીપર કોચ 7 અને 8ની વચ્ચે આવેલા બાથરૂમમાં કેટલાક મુસાફર બંધ કરી બેસેલા છે. જેથી મુસાફરોએ પોલીસને જાણ કરી હતી કે, આ લોકો બાથરૂમમાં જવા દેતા નથી. તેને આધારે પોલીસે આ બાબતે…
Author: Satya-Day
ક્રાઇસ્ટચર્ચના ઉદ્યોગપતિ, જેમણે ન્યૂ ઝિલેન્ડ મસ્જિદમાં કતલ કરનારા ઉપાસકોનો વિડયો શેર કર્યો હતો, તેને 21 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ફિલિપ આર્પ્સે પહેલા વિડીયો શેર કરવાના ગુનાાં તેને બે ગણો દોષી ગણાવ્યો હતો, આ વિડીયો 15 માર્ચના રોજ ગનમેન દ્વારા ફેસબુક પર લાઇવસ્ટ્રીમ કરવામાં આવ્યો હતો, કારણ કે તેણે બે મસ્જિદોમાં 51 લોકોની હત્યા કરવાનું શરૂ કર્યું હતું. ન્યાયાધીશ સ્ટીફન ઓ’ડિસ્કોલે કહ્યું કે જ્યારે વિડિઓ વિશે તેને પૂછવામાં આવ્યું ત્યારે, આર્સે તેણે “અદ્ભુત” રીતે તેનું વર્ણન કર્યું હતું, તેણે પિડીતો પ્રત્યે કોઈ સહાનુભૂતિ બતાવી નહોતી. ન્યાયાધીશે કહ્યું હતું કે મુસલમાનો સમુદાય વિશે આર્પ્સ પાસે મજબૂત અને અપમાનજનક વલણ હતું, …
સામાન્ય બજેટ બનાવવાની પ્રક્રિયામાં સહભાગી કરવા માટે નાણા મંત્રાલય છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના નાગરિકો પાસેથી સૂચનો મંગાવે છે. ચાલુ વર્ષે પણ નાણામંત્રાલયે બજેટ માટે થઇને નાગરિકો પાસથી નવા વિચારો તથા સૂચનો મંગાવ્યા છે. આપને જણાવી દઇએ કે, સામાન્ય બજેટ 5 જૂલાઇ 2019 સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, નાગરિકોને લોકશાહીની આ પ્રક્રીયાનો ભાગ બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, નાગરિકોને પોતાના સૂચનો mygov.in વેબસાઈટ પર સીધુ કોમેન્ટ બોક્સ અથવા PDF ડોક્યુમેન્ટ તરીકે અટેચ કરી મોકલી શકે છે. નાગરિકોને સૂચન મોકલવાની અંતિમ તારીખ 20 જૂન, 2019 છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો નાણા મંત્રી નિર્મલા સિતારમણે…
મુંબઇથી અમદાવાદ આવતી કેટલીક ટ્રેનોની અંદર દારૂની ખુલ્લેઆમ હેરાફેરી કરાઈ રહી છે. મુંબઇથી ભુજ આવતી કચ્છ એકસપ્રેસમાં પણ એ પરિવાર સાથે દારૂની બોટલોની હેરાફેરી કરી રહ્યો હોવાની વિગતો પોલીસને મળી હતી જેને પગલે રેલવે પોલીસે દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે આ ટ્રેનના એક કોચમાં જઇ પરિવારને ઝડપી પાડ્યો હતો. અસલી વાત એ છે કે આ પરિવારના નાના ભૂલકાઓના શરીર પર એક બેલ્ટ બંધાવ્યો હતો. આ બેલ્ટની આસપાસ રાઉન્ડમાં વિદેશી દારૂની બોટલો ગોઠવેલી હતી. દારૂની બોટલો સાથેનો આ પટ્ટો બાળકને પહેરાવી દીધા બાદ બાળકને ઉપર શર્ટ પહેરાવી દેવાયો હતો જેથી કોઈને પણ ખબર ન પડે. પરંતુ બાતમીને આધારે પોલીસે બાળકનો શર્ટ ઉતરાવ્યો…
મુંબઇની અરુંધતિએ શહેરની આસપાસના સેંકડો પક્ષીઓને આશ્રયસ્થાન આપ્યું છે અને તેણીના એપાર્ટમેન્ટ બાલ્કનીમાં ચાર વર્ષના સમયગાળા દરમિયાન આશરે 350 પતંગિયા પાળ્યા છે. તે ફક્ત ખોરાક અને પાણી જ નહીં પણ પરંતુ તે ચેર, પૅકેકેટ, રોબિન્સ અને પતંગિયાઓની વિવિધ જાતિઓ માટે સુરક્ષિત માળો પણ પૂરો પાડે છે. એક બાળક તરીકે પણ, અરુંધતિ હંમેશાં કુદરતમાં હોવાનું ઇચ્છે છે. તેણીની પ્રિય પ્રવૃત્તિઓમાં તેણીના ગૃહનગર, અલીબાગ, અને ડ્રેગન ટાઇલ્સ, પતંગિયા અને કરચલા સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે. ડોંબિવલીમાં સ્કૂલિંગ પૂરું કર્યા પછી, અરુંધતિ વેટરનરી સાયન્સ લેવા માંગતી હતી, પરંતુ મુંબઇ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર એન્જીનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી સાથે તેણે ભણતર પુરું કરી દીધું. સમય પસાર…
કાલાવડ રોડ પર આત્મીય કોલેજની પાછળ સત્યસાઇ રોડ નજીક રામધામ સોસાયટીમાં ‘કમલ’ નામના ભાડાના મકાનમાં ચાલતા સેક્સ કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદથી આવેલા મુસ્લિમ ભાઇ-બહેને સાથે મળી કૂટણખાનુ ચાલુ કર્યું હતું. પોલીસે અહીં દરોડો પાડી બંને ભાઇ-બહેન તથા મજા કરવા આવેલા ત્રણ ગ્રાહકોને ઝડપી લીધા હતાં. મુંબઇની બે લલના રાખીને તેની પાસે લોહીનો વેપલો કરાવવામાં આવતો હતો. પોલીસે લલનાને સાહેદમાં લીધી છે. વીસેક દિવસથી અહિ ગોરખધંધા શરૂ થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં ડી. સ્ટાફની ટીમ રવિવારે સાંજે પેટ્રોલિંગમાં હતી. આ સમયે બાતમી મળતાં પીએસઆઇ એન. ડી. ડામોર સહિતનાએ રામધામ સોસાયટીના કમલ મકાનમાં દરોડો…
સુરતના ઉમરા વિસ્તારની મેટાસ એડવાન્ટિસ્ટ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. શાળા દ્વારા ફીમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો કરાતા આ હોબાળો થયો છે. ફી ઘટાડાની માંગ સાથે વાલીઓએ આક્રોશ સાથે હંગામો કર્યો હતો. વાલીઓ હાથમાં પોસ્ટર અને બેનરની સાથે વહેલી સવારથી શાળાના ગેટની બહાર વિરોધ કરતા જોવા મળ્યા હતા. શાળા દ્વારા દસથી પંદર હજાર રૂપિયા જેટલો વધારો કરાતા વાલીઓ આ બાબતે વિરોધ કરી રહ્યા હતા. વાલીઓએ જણાવ્યુ હતુ કે 25 હજાર રૂપિયા ફી હતી તેને વધારીને 42 હજાર કરી દેવામાં આવી છે. જુનિયરથી લઇ ધોરણ બારમાં સુધીના અભ્યાસમાં ફી વધારો કરવામાં આવ્યો છે.
ગઈ કાલે ક્રિકેટ વર્લ્ડ કપમાં યોજાયેલી ભારત-પાકિસ્તાનની મેચમાં ઈંગ્લેન્ડનું એક કપલ આર્કષર્ણું કેન્દ્ર બન્યું હતું. જેમાં તેમણે ભારત અને પાકિસ્તાન બંનેના ઝંડાવાળી પ્રિન્ટનું કપલ ટી-શર્ટ બનાવ્યું હતું. પતિ પાકિસ્તાનનું અને પત્ની ભારતનું નેતૃત્વ ધરાવે છે. આ કપલે એકસરખા બને દેશોની ઝંડાની પ્રિન્ટવાળા ટી-શર્ટ પહેર્યા હતા, જે કેમેરામાં સ્પોટ થયા હતા.
સૌરાષ્ટ્રના સાગરકાંઠામાં વાયુ વાવાઝોડાનો માર્ગ યુ-ટર્ન લેતા હવે કચ્છ તરફ આ વાવાઝોડુ ફંટાઇ રહ્યું છે અને તે સોમવારે ત્રાટકશે. ભૂજથી નૈઋત્ય ખૂણે પપ૦ કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં સ્થિર આ વાવાઝોડુ આગળ વધ્યા બાદ નબળુ પડી જશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે તેવું પણ જાણવા મળે છે. જો કે સરકાર અને તંત્ર દ્વારા સૌરાષ્ટ્રના સાગરકાંઠાની જેમ જ કચ્છમાં વાયુના સંકટને લઇને એનડીઆરએફની ટીમ સહિતની વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે. જયારે વાયુનું આગમન થાય તે પૂર્વે રવિવારથી જ ચોમાસુ માહોલ અને ભારે પવન પણ કચ્છમાં ફૂંકાઇ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ પહેલા દીવ અને વેરાવળ અને દ્વારકા અને વેરાવળને અસર કરનારું વાવાઝોડુ ઓમાન…
ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો ભલે ટળ્યો. પરંતુ રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ બારે વરસાદની આગાહી કરવામાં આવી. હવામાન વિભાગનું કહેવુ છે કે, 17 કે 18 જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયક્લોનિક સ્ટોર્મ તરીકે ઘટેલી તીવ્રતા સાથે કચ્છને મા ભારે વરસાદ પડશે. વાયુની અસર સોમવાર સાંજથી અસર વર્તાવાની શરૂઆત થશે. જેથી કેટલાક વિસ્તારમાં પાંચ ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. આ પહેલા કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલયે ચેતવણી આપી હતી કે વાયુ વાવાઝોડુ તેની ધરી બદલી કચ્છમાં ગમે ત્યારે ત્રાટકીને વિનાશ વેરી શકે છે. જોકે રાજ્ય સરકારની હવામાન…