વિધાનસભામાં માત્ર ત્રણ વાર વર્ષ 2012, 2017 અને 1985માં 16 ધારાસભ્યો જોવા મળ્યા છે. આ સંખ્યા લોકસભા અને અન્ય રાજ્યોની વિધાનસભામાં 33 ટકા મહિલા અનામતની સરખામણીએ ઘણી ઓછી છે.વર્ષ 2014માં જ્યારે ગુજરાતનું સુકાન રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હાથમાં હતુ ત્યારે સરકારે ગુજરાત લોકલ ઑથોરિટીઝ લો કાયદામાં ફેરફાર કરીને શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સત્તાસ્થાને સ્ત્રીઓ માટે 50 ટકા અનામતની જાહેરાત કરી હતી. આ નિર્ણયને કારણે અનેક મ્યુનિસિપલ કોર્પોરેશન્સ, 125 મ્યુનિસિપાલિટી, 30 જિલ્લા પંચાયત અને 225થી વધુ તાલુકા પંચાયત અને ગામડાની હજારો ગ્રામ પંચાયતને અસર પડી હતી. જો કે વિધાનસભાની વાત કરીએ તો સ્ત્રી ધારાસભ્યોની સંખ્યા ક્યારેય 16થી વધી નથી,…
Author: Dipal
કલમ 35 A બંધારણીય રીતે યોગ્ય છે કે નહીં તે વિશે આ સુપ્રીમ કોર્ટે બે માસ સુધી સુનાવણી ટાળી હતી. જો કે બાદમાં સુપ્રીમ કોર્ટે નિર્ણય બદલતાં સુનાવણી 3 માસ પછી કરવામાં આવશે કલમ 35.A સાથે જોડાયેલા કેસ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી એક અરજી ‘વી ધ સિટીઝન્સ’ એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે. બીજી અરજી ચારુ વલી ખન્ના દ્વારા દાખલ કરવામાં આવી છે. ચારુવલી ખન્નાએ કલમ 35 A અને તેના સેક્શન-6ને પડકાર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કાશ્મીરના ન હોય તેવી વ્યક્તિ સાથે લગ્ન કરનાર છોકરી અને તેના બાળકોને કલમ 35 Aનો ફાયદો નથી મળતો. તેમનું…
દેશના પ્રથમ ગૃહપ્રધાન અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો આજે જન્મ દિવસ છે. આ દિનની રાષ્ટ્રીય એકતા દિવસની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને દિલ્હીના પટેલ ચોક ખાતે શ્રદ્ધાંજલિ અર્પી હતી.વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ, ગૃહપ્રધાન રાજનાથસિંહ સહિત તમામ નેતાઓ લોહ પુરુષને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે સરદાર પટેલની જન્મ જયતી છે. પટેલ ખરા અર્થમાં લોહ પુરુષ હતા. સરદાર પટેલે દેશ માટે આપેલા યોગદાન માટે આપણને ગર્વ છે. સરદાર પટેલના યોગદાનથી જ દેશને સ્વતંત્રતા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાના રજવાડાઓને ભેગા કરી અંખડ…
ગુજરાતમાં પાટીદાર આંદોલન પછી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 2015માં શરૂ થયેલા આંદોલને આનંદી બહેન પટેલની ખુરશીના પાયા હલાવી દીધા પછી પટેલ નેતાઓએ હવે રાજકારણને હથેળી પાર લઇ લીધું છે. આવા સંજોગોમાં સરદાર પટેલના ચાહક વર્ગે એક પાર્ટી શરૂ કરી છે. અમે સાચા અર્થમાં સરદાર પટેલના કાર્યોને લોકો સુધી લઇ જવાનું નક્કી કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ નામથી શરૂ થયેલી આ પાર્ટી દ્વારા 2017ની ચૂંટણીમાં 182 ઉમેદવારોને લડાવવાનું નક્કી કરવામાં આવ્યું આ પાર્ટી દ્વારા આવનારા દિવસોમાં 182 ઉમેદવારોનું લીસ્ટ તૈયાર કરાશે અને સરદાર પટેલની વિચારધારા પાર લ;લોકોને જાગૃત કરાશે આ નીતિને ધ્યાનમાં રાખી પાર્ટી પોતાને વ્હીસલ બ્લૉઅર ગણાવે છે અને…
એપલના લેટેસ્ટ ફ્લેગશિપ iPhone Xનું પ્રી-બુકિંગ શરુ થઈ ગયુ છે. ફેસ આઈડી ટેક્નોલોજી વાળો એપલનો આ સ્માર્ટફોન ભારતમાં 3જી નવેમ્બરથી ઉપલબ્ધ થશે. લગભગ 1 લાખની કિંમત ધરાવતા આ ફોનનો ક્રેઝ એટલો છે કે પ્રી-બુકિંગ શરુ થવાની થોડીક જ મિનિટોમાં તેના સ્ટોક ખાલી થઈ ગયા હતા. એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, iPhone Xનો મેઈન્ટનન્સ અને રિપેર કોસ્ટ ઘણો વધારે છે. જો તમે iPhone Xની તૂટેલી સ્ક્રીન બદલાવવા માંગતા હશો તો તમારે 41,600 રુપિયા ખર્ચ કરવા પડી શકે છે. તો આનો અર્થ એ છે કે રિપેરિંગનો ખર્ચ એક નવો આઈફોન 7 ખરીદવા બરાબર છે. જો કે…
લાંબા સમય સુધી સ્માર્ટફોન બિઝનેસથી બહાર રહેલી ફિનલેંડની કંપની નોકિયાએ નોકિયા 3, નોકિયા 5, નોકિયા 6 અને હાલમાં જ આવેલા નોકિયા 8ને બજારમાં ઉતાર્યો છે. આ બધા ફોન બાદ નોકિયાનો એક નવો બજેટ ફોન આવવાના સમાચાર છે જેના સ્પેસિફિકેશન્સ લીક થઈ ચૂક્યા છે. ભારતમાં નોકિયા 31 ઓક્ટોબરના રોજ આ નવા સ્માર્ટફોન્સ ઉતારવા જઈ રહી છે. બેંચમાર્કિંગ વેબસાઈટ AnTuTu પર એક લીસ્ટ નજર આવી રહ્યું છે જેમાં નોકિયાના એક સસ્તા સ્માર્ટફોનના સ્પેસિફિકેશન લિસ્ટ કરવામાં આવ્યા છે. કહેવાઈ રહ્યું છે કે, આ ફોનનું નામ નોકિયા 2 હશે. લિસ્ટ પ્રમાણે, TA-1035નામ ના આ સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 212 ચિપસેટ હશે. આ પ્રોસેસર મોટાભાગે એન્ટ્રી…
નવાઝુદ્દીન પોતાના પુસ્તકને લઇને વિવાદોમાં ઘેરાયો છે. તાજેતરમાં જ આવેલી તેની બાયોગ્રાફી ‘અન ઓર્ડિનરી લાઇફ’માં એક્ટ્રેસ નિહારિકા સિંહ સાથે તેના અફેરની વાત સામે રાખ્યા પછી આ મામલો વધુ વકરતો જાય છે. બાયોગ્રાફીમાં અફેરના ખુલાસા પછી દિલ્હીના વકીલ ગૌતમ ગુલાટીએ નેશનલ કમિશન ફોર વુમનમાં મોડલ નિહારીકાના માનહાનીનો ઉલ્લેખ કરતાં નવાઝુદ્દીન સામે કેસ દાખલ કર્યો છે. વકીલ ગૌતમના જણાવ્યાનુસાર હવે લાગ્યું કે ફરિયાદ કરવી જ જોઇએ. આ વિશે તેનું કહેવું છે કે,”હું નિહારિકા સિંહને વ્યક્તિગત રીતે જાણતો નથી અને મારી તેમની સાથે કોઇ વાત પણ થઇ નથી. પરંતુ પરિણીત હોવા છતાં નવાઝુદ્દીને મોડલ સાથેના પોતાના રિલેશન પત્નીથી છુપાવ્યા હતાં. આથી એકવાર તેમને…
વિક્રમસંવત અનુસાર કાર્તિકમાસની સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી પાંચદિવસના કાર્તિકી મેળાનો પ્રારંભ થશે આ મેળાનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. હિન્દુધર્મની પ્રાચીન સમયથી બે પરંપરા છે. 1 શિવ પરંપરા અને બીજી વૈષ્ણવ પરંપરા પ્રભાસપાટણ આ બન્ને પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ રૂપે બિરાજે છે. તેમજ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની જીવનલીલા અહીં સમાપ્ત કરી ગોલોકધામ ગમન કર્યું હતું આથી અહીં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ખાસ મહત્વ ધરાવે છે. ભગવાન વિષ્ણુ કારતક સુદ એકાદશીએ જાગે છે. તમામ ભક્તો માટે તે દિવસ ઉસ્તવનો હોય છે. કારતક સુદ એકાદશીએ ભગવાન વિષ્ણુના તુલસીજી સાથે વિવાહ યોજાય છે. કાર્તિકેયપૂર્ણિમાના મેળામાં પ્રતિવર્ષ શ્રી…
રીના બ્રહ્મભટ્ટ સમગ્ર દેશમાં ભાજપનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. પરંતુ ભાજપની આ શાનદાર ઇંનિંગ્સની શરૂઆત મોદીના ગૃહરાહજય ગુજરાતથી થઇ હતી. અને પછી તો દેશમાં એક્સમય એવો આવ્યો કે, જેમાં લોકો મોદીના આશિક બની ચુક્યા. તો સામે છેડે વિપક્ષ માટે આ યુગ રકાશનો હતો. અને રાહુલ ગાંધીના નેજા હેઠળ કોંગ્રેસ સતત 27 જેટલી ચૂંટણીઓ હારતી રહી.. અને ભાજપ શાનદાર જીત મેળવી દેશની અવ્વલ નંબરની પાર્ટી બનતો રહ્યો. પરંતુ ભાજપને હાલ આ જ રાજ્યમાં કોઈની નજર લાગી હોય એમ તે એક ઇસ્યુ સુલજાવે કે બીજો પડકાર તેના માટે પેદા થઇ જાય છે. જો કે,તેમ છતાં ભાજપ માટે હજુ આશા અમર છે ની જેવા સર્વેના તારણો…
જો તમે ફિટ રહેવા માગતા હોવ તો દરરોજ કરો સ્વિમિંગ જેમ આપણે સૌ જણીએ જ છીએ કે સ્વિમિંગ એક ઉત્તમ કસરત પણ છે અને સુડોળ શરીર મેળવવા માટે તેમજ સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો ઉપાય પણ છે. શરીર પર જમા થયેલી વધારાની ચરબીને દૂર કરવા માટે પણ સ્વિમિંગ એક ઉત્તમ ઉપચાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે અડધા કલાક સુધી ધીરે-ધીરે સ્વિમિંગ કરવાથી પણ 200 કેલરી બર્ન થાય છે. કોઈપણ કાર્ડિયો એક્સરસાઈઝ કરતા વધારે સ્વિમિંગ તમારા શરીરના દરેક દરેક માંસપેશી માટે કસરતનું કામ કરે છે. સ્વિમિંગમાં તમારા પગ, શરીરનો ઉપરનો ભાગ,કમરનો ભાગ, ટ્રાઈસેપ્સ અને તમારા અપર આર્મ્સની બેકસાઈડ વગેરે…