SATYA DAYSATYA DAY

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    ભારત અને શ્રીલંકા વચ્ચે ક્રુઝ સર્વિસની શરૂઆત, વિશેષતા જાણીને તમે પણ બુક કરાવશો!

    June 8, 2023

    RBI ગોલ્ડ રિઝર્વઃ રિઝર્વ બેન્કનો સોના પ્રત્યેનો પ્રેમ, 5 વર્ષમાં અનામતમાં 40 ટકાનો વધારો

    June 8, 2023

    કોલ્હાપુર હિંસા કેસમાં મોટી કાર્યવાહી, 3 FIR નોંધાઈ, કુલ 300 આરોપી, 36ની ધરપકડ

    June 8, 2023
    Facebook Twitter Instagram
    • Demos
    • Tech
    • Gadgets
    • Buy Now
    Facebook Twitter Instagram Pinterest WhatsApp Telegram
    SATYA DAYSATYA DAY
    • Gujarat
    • India
    • Business
    • World
    • Cricket
    • Technology
    • LIFE-STYLE
      • Cooking
      • Health
    • Entertainment
    • Corona
    SATYA DAYSATYA DAY
    Home»Nadiad»નડિયાદ શહેરમાં હત્યાના ગુનાઓ શોધવામાં પોલીસ વામણી પુરવાર થઇ રહી છે.
    Nadiad

    નડિયાદ શહેરમાં હત્યાના ગુનાઓ શોધવામાં પોલીસ વામણી પુરવાર થઇ રહી છે.

    SATYA DESKBy SATYA DESKNovember 30, 2016No Comments3 Mins Read
    Facebook Twitter WhatsApp Telegram
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    નડિયાદ શહેરમાં હત્યાના ગુનાઓ શોધવામાં પોલીસ વામણી પુરવાર થઇ રહી છે. છેલ્લા પાચ માસમાં શહેરમાં બે મહિલાઓની હત્યા થઇ ચૂકી છે, પરંતુ આ હત્યાઓ કોણે કરી? શા માટે હત્યાઓ કરવામાં આવી છે? આ બનાવોનું કારણ કોઇ પારિવારીક દુશ્મની હતી કે અન્ય કઇ? આ તમામે પ્રશ્નોના જવાબો મેળવવામાં પોલીસના લાંબા હાથ ક્યાંકને ક્યાંક ટૂંકા પડી રહ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જુલાઇ માસ દરમ્યાન અને પીજ ભાગોળ વિસ્તારમાં નવેમ્બર માસ દરમ્યાન બે મહિલાઓની હત્યાના બનાવો બન્યા છે.

    પોલીસના ચોપડે હત્યાના ગુનાને એક ગંભીર ઘટના તરીકે ગણવામાં આવતી હોય છે. જે વિસ્તારમાં આવી ઘટના બને ત્યાંની પોલીસ આ પ્રકારના ગુનાને અંજામ આપનાર ગુનેગારોને પકડવા માટે દિવસ રાત – આકાશ પાતાળ એક કરી દેતી હોય છે. પરંતુ નડિયાદ શહેરમાં કંઇક ઉલટી જ ગંગા વહેતી નજરે પડી રહી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વિતેલા પાચ માસ દરમ્યાન બે મહિલાઓની હત્યા થઇ ચૂકી છે. પરંતુ બંને ગુના હજુ સુધી વણઉકલ્યા છે. ત્યારે આવી ગંભીર ઘટનાઓને અંજામ આપનારા ગુનેગારો કેમ હજુ સુધી સમાજમાં આઝાદ ફરી રહ્યા છે તેવા પ્રશ્નો હવે લોકમુખે ચર્ચાઇ રહ્યા છે.

    પોલીસ ચોપડે નોધાયેલા ગુનાઓની વાત કરીએ તો ગત તા.૨૦ જુલાઇના રોજ નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમા આવેલ દુર્ગાપાર્ક સોસાયટીમાં મહિલાની હત્યાનો બનાવ બન્યો હતો. લતાબેન હર્ષભાઇ પટેલ (ઉં.૫૩)નામની મહિલા ઘરે કામ કરી રહ્યા હતા તે દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સો તેમના ઘરમાં ઘુસી ગયા હતા. જે બાદ તેમના ગળાના ભાગે તી-ણ હથિયારના ઘા મારી તેમજ તેમની છાતી પર બોથડ પદાર્થથી માર મારી મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યાના ગુનાની તપાસ કરી રહેલી પોલીસને આજદિન સુધી કોઇ કડી હાથ લાગી હોય તેવું જાણવા મળી રહ્યું નથી. શહેર પશ્ચિમ પોલીસ પણ આ મામલે હાલ કઇ પણ બોલવા તૈયાર નથી. હત્યારાઓ કોઇ નજીકના વ્યક્તિ હોઇ શકે છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી હોવાનું પશ્ચિમ પી.આઇ. એસ.એસ. મલ્હી હાલ જણાવી રહ્યા છે. તો હત્યાની બીજી ઘટનાની વાત કરીએ તો ગત તા.૧૦ નવેમ્બર દરમ્યાન શહેરના અતિ ભીડભાડવાળા અને ચોવીસે કલાક ધમધમતા પીજ ભાગોળ વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા શાંતાબેન ભીખાભાઇ પ્યારેલાલ પંડિત (ઉંમર ૭૫)નામની વૃધ્ધાની હત્યાનો બનાવ બન્યો હતો. તા.૧૦ નવેમ્બરના રોજ સવારના ૧૦ વાગ્યા પહેલા કોઇ પણ સમયે કોઇ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશી વૃધ્ધાના હાથ અને પગ બાંધી દઇ ગુંગળાવી દઇ હત્યા કરી હતી. સવારે ૧૦ વાગ્યે તેમનો ભાણેજ અરવિંદ ગીરીરાજ કિશોર પંડિત તેમની ખબર પૂછવા ઘરે આવ્યો ત્યારે તેણે વૃધ્ધાને હત્યા થયેલી હાલતમાં જોતા પોલીસને ફોન કરી જાણ કરી હતી. વૃધ્ધાની હત્યાના આ બાદ શહેરમાં એકલવાયું જીવન જીવતી મહિલાઓની સલામતી પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે એક અઠવાડિયાનો સમય થવા છતા નડિયાદ ટાઉન પોલીસ પણ આ ગુનાને અંજામ આપનાર આરોપીઓને ઝડપી પાડવામાં નિષ્ફળ નિવડી છે. શરૂઆતમાં મિલકત માટે વૃધ્ધાની હત્યા થઇ હોવાનું અનુમાન રાખનારી પોલીસને હજુ સુધી હત્યાના ગુનામાં કોઇ કડી મળીશકી નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    SATYA DESK

    Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

    Related Posts

    ગુજરાતમાં NIAના દરોડા ચાલુ, ટેરર ​​ફંડિંગની પુષ્ટિ થતાં નડિયાદની કંપનીમાં તપાસ

    September 6, 2022

    નડિયાદ નજીકના ગામે 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર બે ઝડપાયા

    April 2, 2022

    નડિયાદ નજીકના ગામે 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર બે ઝડપાયા

    April 2, 2022

    નડિયાદ નજીકના ગામે 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર બે ઝડપાયા

    April 2, 2022
    Advertisement
    Latest Post
    Display

    ભારત અને શ્રીલંકા વચ્ચે ક્રુઝ સર્વિસની શરૂઆત, વિશેષતા જાણીને તમે પણ બુક કરાવશો!

    June 8, 2023
    Display

    RBI ગોલ્ડ રિઝર્વઃ રિઝર્વ બેન્કનો સોના પ્રત્યેનો પ્રેમ, 5 વર્ષમાં અનામતમાં 40 ટકાનો વધારો

    June 8, 2023
    Display

    કોલ્હાપુર હિંસા કેસમાં મોટી કાર્યવાહી, 3 FIR નોંધાઈ, કુલ 300 આરોપી, 36ની ધરપકડ

    June 8, 2023
    Cricket

    WTC ફાઈનલ 2023: ભારતે પહેલા દિવસે કઈ ભૂલ કરી, જે ‘ભૂલ’ આખી મેચને ઢાંકી શકે છે

    June 8, 2023
    Display

    મોદી સરકારના 9 વર્ષ: ચીનનું CPEC સફળ નથી થઈ રહ્યું, ભારતની મોટી સફળતા, જયશંકરે ગણ્યા મોદી સરકારના 9 વર્ષ

    June 8, 2023
    Advertisement
    SATYA DAY
    Facebook Twitter Instagram Pinterest Vimeo YouTube
    • Home
    • Tech
    • Gadgets
    • Mobiles
    • Buy Now
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version