જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરવામાં આવી, ત્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ચરમ પર પહોંચી ચૂકી છે.
ગુજરાતમાં પરિવર્તનની લહેર પૂરજોશમાં ચાલી રહી છે. હવે ચૂંટણીમાં માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે પૂરા જોર સાથે આ ચૂંટણીમાં ઉતરી ચૂકી છે. ગુજરાતના લોકો દ્વારા પહેલાથી જ આમ આદમી પાર્ટીને જબરદસ્ત સમર્થન મળી રહ્યું હતું, પરંતુ બે દિવસ પહેલા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરવામાં આવી, ત્યારથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ચરમ પર પહોંચી ચૂકી છે. હવે ગુજરાતની જનતા ઇસુદાન ગઢવીને જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. અને આજે સામાન્ય કાર્યકર્તાથી લઈને પાર્ટીના સર્વોચ્ચ નેતા, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી સુધી દરેક જણ ગુજરાતની ચૂંટણીમાં દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલજી ગુજરાતના વિવિધ શહેરોમાં રોડ શોનાં માધ્યમથી ગુજરાતની જનતા સુધી પહોંચી રહ્યા છે અને દરેક જગ્યાએ અરવિંદ કેજરીવાલજીનાં રોડ શોને જનતાનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
એક પછી એક બધી જ જગ્યાઓ પર હજારોની સંખ્યામાં લોકો રોડ શોમાં ભાગ લઈ રહ્યા છે.
ગઈકાલે અરવિંદ કેજરીવાલજીએ કચ્છ જિલ્લાના ગાંધીધામ અને અંજારમાં ઘણો વિશાળ રોડ શો કર્યો હતો. ગાંધીધામ અને અંજારના લોકો તરફથી અરવિંદ કેજરીવાલજીને જબરદસ્ત જન સમર્થન મળ્યું હતું. આજે અરવિંદ કેજરીવાલજીએ વાંકાનેર, ચોટીલા અને રાજકોટ શહેરમાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો. એક પછી એક બધી જ જગ્યાઓ પર હજારોની સંખ્યામાં લોકો રોડ શોમાં ભાગ લઈ રહ્યા છે. બધી જગ્યાએથી અરવિંદ કેજરીવાલજીને જબરદસ્ત જન સમર્થન મળી રહ્યું છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ રોડ શોમાં હાજર હજારો લોકોને સંબોધિત કરતા કહ્યું કે, અમને ગુજરાતમાં લોકોનો એટલો પ્રેમ મળી રહ્યો છે તમે લોકોએ મને તમારો ભાઈ માન્યો છે, તમારા પરિવારનો ભાગ માન્યો છે, તો હું તમને સૌને ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ. આજે લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો ગુજરાન નથી ચલાવી શકતા. હું તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્યા પછી 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ભરીશ. તમારું વીજળીનું બિલ ઝીરો આવવા લાગશે. દિલ્હીમાં લોકોને 24 કલાક વીજળી મળે છે, તો પણ બિલ ઝીરો આવે છે. પંજાબમાં પણ અમારી સરકાર છે, ત્યાં પણ 24 કલાક વીજળી મળે છે, તો પણ ત્યાંના લોકોનું બિલ ઝીરો આવે છે. ગુજરાતમાં પણ અમે 24 કલાક અને મફત વીજળી આપીશું.
તમારા બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરીશું. અત્યારે અહીં ઘણી બેરોજગારી છે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરી. અત્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે 20,000 લોકો માટે નવી સરકારી નોકરીઓ આપી. ગુજરાતમાં પણ અમે તમારા બાળકો માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી તમને રોજગાર નહીં મળે ત્યાં સુધી તમારા બાળકોને 3000 રૂપિયા માસિક બેરોજગારી ભથ્થું આપીશું. અમારી સરકાર આવનારા સમયમાં 1000000 સરકારી નોકરીની વ્યવસ્થા કરશે.
તમારી સારવાર માટે શાનદાર હોસ્પિટલ બનાવીશું. દિલ્હીમાં પણ અમે ઘણી સારી હોસ્પિટલો બનાવી, મોહલ્લા ક્લિનિક બનાવ્યા અને તમામ લોકો માટે તમામ સારવાર મફત કરી ગરીબ અને અમીર સૌની સારવાર મફત કરી દીધી.. ભગવાન ના કરે તમારા ઘરમાં કોઈ બીમાર પડે, પણ કોઈ બીમાર પડે તો તમારો ભાઈ તમારો દીકરો છે, હું બધો ખર્ચ ઉઠાવીશ. ગુજરાતમાં પણ દિલ્લીની જેમ શાનદાર મોહલ્લા ક્લિનિક બનાવીશ. જો ₹ 5 ની દવા હશે તે પણ મફત અને ₹ 10,00,000 નું ઓપરેશન હશે તો પણ મફત.
તમારા બાળક માટે શાનદાર સરકારી શાળા બનાવીશ. દિલ્હીમાં જજ અને મજૂરના બાળકો એક જ ડેસ્ક પર બેસીને અભ્યાસ કરે છે. તમારા બાળકો માટે પુસ્તકો મફત, યુનિફોર્મ મફત, અભ્યાસનો તમામ ખર્ચ મફત. દિલ્હીમાં રિક્ષાચાલકોનાં બાળકો એન્જિનિયર બની રહ્યાં છે, મજૂરોનાં બાળકો હવે ડૉક્ટર બની રહ્યાં છે. હું તમારા બાળકોને પણ સારું ભવિષ્ય આપીશ, હું તમારા બાળકો માટે સારી શાળાઓ બનાવીશ. ગુજરાતમાં પણ દિલ્લીની જેમ શાનદાર શાળા બનાવીશ. તમારા બાળકોને પણ સારું ભવિષ્ય આપીશ. આ મારું વચન છે.
મને રાજનીતિ કરતા નથી આવડતી, મને ગુંડાગીરી કરતા નથી આવડતી, મને અપશબ્દો બોલતા નથી આવડતા, હું એક શિક્ષિત માણસ છું, મને કામ કરતા આવડે છે. મને સ્કૂલ બનાવતા આવડે છે, હોસ્પિટલ બનાવતા આવડે છું, દિલ્હીમાં પણ બનાવ્યા છે, પંજાબમાં પણ બનાવી રહ્યા છીએ, જો તમે તક આપશો તો હું ગુજરાતમાં પણ બનાવીશ. હું તમને ખોટા વચનો આપતો નથી. હું તમને ક્યારેય નહીં કહું કે હું તમને ₹15,00,000 આપીશ, હું ખોટું નથી બોલતો. મેં દિલ્હીમાં જે કામ કર્યું છે, મેં જે કામ કરીને બતાવ્યું છે તે જ કામ કરવાની વાત કરી રહ્યો છું. હું ઈમાનદાર માણસ છું, ભ્રષ્ટાચાર નથી કરતો.
તમારો ભાઈ બનીને હું તમારી પાસે બસ એક મોકો માંગી રહ્યો છું, તમે આ લોકોને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપીને જુઓ: અરવિંદ કેજરીવાલ
27 વર્ષમાં તેઓએ તમારા બાળકો માટે કોઈ શાળાઓ બનાવી નથી, 27 વર્ષમાં તેઓએ તમારા માટે કોઈ હોસ્પિટલ નથી બનાવી, મેં 6 વર્ષમાં દિલ્હીમાં શાનદાર શાળાઓ અને હોસ્પિટલો બનાવી છે. જે પાર્ટીએ 27 વર્ષ તમારા માટે કંઈ કર્યું નથી તે આગામી 5 વર્ષમાં તમારા માટે કંઈ નહીં કરે. સમગ્ર દેશમાં આજે સૌથી મોંઘી વીજળી ગુજરાતની અંદર છે. આ બંને પક્ષો સાથે મળીને બધા પૈસા ખાય છે. એટલે કે કોંગ્રેસને મત આપવાનો કોઈ ફાયદો નથી. ચૂંટણી પછી કોંગ્રેસ તેમની સાથે જતી રહેશે. તમારા ભાઈ તરીકે હું તમારી પાસે માત્ર એક તક માગી રહ્યો છું. તમે આ લોકોને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપી જુઓ, જો તમને ના ગમે તો મને ધક્કા મારીને બહાર કાઢી મુકજો.
મોરબીમાં જે બન્યું તે ખૂબ જ દુઃખદ હતું. 150 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાંથી 55 નાના બાળકો હતા. જે દુર્ઘટના થઈ તે દુઃખની વાત તો છે જ અને તેનાથી પણ વધુ દુઃખની વાત એ છે કે આ દુર્ઘટના પાછળ જવાબદાર લોકોને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જે FIR નોંધવામાં આવી છે તેમાં મોરબી બ્રિજ બનાવનાર કંપનીના નામનો ઉલ્લેખ નથી. શા માટે તેઓને બચાવવામાં આવી રહ્યા છે? આ લોકોનો તેમની સાથે શું સંબંધ છે? સમગ્ર ગુજરાતમાં, હું જ્યાં પણ જાઉં છું ત્યાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. આ વખતે ડબલ એન્જિન સરકારની જરૂર નથી, નવા એન્જિન સરકારની જરૂર છે. નવું એન્જિન લઈને આવો, ડબલ એન્જિનને કાટ લાગી ગયો છે, જૂનું થઈ ગયું છે, બગડી ગયું છે. એટલા માટે જ એક તક આમ આદમી પાર્ટીને આપો, અમે જનતાની સેવા કરીશું.