આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ફેસબુક લાઈવ દ્વારા ગુજરાતની જનતાને સંબોધતા કહ્યું કે, આજે ‘ફ્રી કી રેવડી’ શબ્દ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે, આ શબ્દનો ઉપયોગ સંસદ અને સુપ્રીમ કોર્ટમાં પણ થઈ રહ્યો છે. તો દેશની જનતાને એ જાણવાનો અધિકાર છે કે આ ‘ફ્રી કી રેવડી’એટલે શું છે?
ગોપલ ઇટાલિયાએ પોતાના સંબોધન જણાવ્યુ કે અરવિંદ કેજરીવાલે એ દેશમાં ઈમાનદાર રાજનીતિ ની શરૂ કરી છે અને આમ આદમી પાર્ટીના કામનો પડઘો આખા દેશમાં પહોંચવા લાગ્યો છે. આખા દેશના લોકો આમ આદમી પાર્ટીને અપનાવવા લાગ્યા, જેના કારણે જુના પરંપરાગત પક્ષો આમ આદમી પાર્ટીની ઈમાનદાર રાજનીતિથી નારાજ થઈ ગયા અને ‘ફ્રી ફ્રી ફ્રી’ ના નારા લગાવવા લાગ્યા. અને હદ તો ત્યારે થઈ જ્યારે સંસદમાં ભાજપના સાંસદો એ મફત ની સુવિધા સામે વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું. દેશના નાગરિકો માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે અત્યાર સુધી કોને કેવા પ્રકારની ફ્રી રેવડી મળી છે. તો આજે હું જણાવવા જઈ રહ્યો છું કે કોને કઈ રેવડી મળી રહી છે.
થોડા દિવસો પહેલા વડાપ્રધાને એક જાહેર સભામાં કહ્યું હતું કે કેટલીક પાર્ટી ઓ ફ્રી રેવડી નું વિતરણ કરી રહી છે, પરંતુ તેનાથી જનતાને મફતની આદત પડી જશે, દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થશે, દેશની જનતાને નુકસાન થશે. અને તેના પછી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ તમામ હદ વટાવી હતી અને કહ્યું હતું કે દેશમાં મફત સુવિધાઓ નું વિતરણ કરવામાં આવશે તો દેશની હાલત શ્રીલંકા જેવી થઈ જશે. તો આજે હું જણાવવા જઈ રહ્યો છું કે કોને કઈ રેવડી મળી રહી છે.
દેશના સાંસદો જેમાં સી.આર. પાટીલ પણ આવે છે. આ તમામ સાંસદોને દોઢ લાખ રૂપિયા પગાર તરીકે આપવામાં આવે છે. તેમણે દિલ્હીમાં 6 BHK બંગલો મળે છે. જેમાં એક બગીચો, સ્વિમિંગ પૂલ, 6 બેડરૂમ, મોટો હોલ અને કિચન છે. આ તમામ સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ છે. આ સિવાય જો કોઈ સાંસદ પોતાના ઘરમાં કોઈપણ પ્રકારનું ફર્નિચર અને સાધનસામગ્રી લગાવવા ઈચ્છે છે તો આ બધી વસ્તુઓ નો ખર્ચ સંસદ ભોગવે છે, એટલે કે આ બધી વસ્તુઓ જનતાના પૈસાથી વહન કરવામાં આવે છે. આ સિવાય ઘરની સફાઈ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ની સર્વિસ માટે દર 3 મહિને 75000 ચૂકવવામાં આવે છે. આ સિવાય સાંસદોને તેમના ઘર, તેમના દિલ્હીના ઘર અને તેમની ઓફિસમાં આવા ત્રણ સ્થળોએ લેન્ડલાઇન ફોન અને અનલિમિટેડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન આપવામાં આવે છે. આ બધું મફતમાં ઉપલબ્ધ છે.
વધુમાં, સી.આર. પાટીલ જેવા સાંસદ દેશની કોઈપણ રેલ્વેમાં ફર્સ્ટ ક્લાસ એસી માં મફત મુસાફરી કરી શકે છે. આ રેલ્વેની મુસાફરી માં તે તેની સાથે તેની પત્ની, બાળકો, તેના સેક્રેટરી કે અન્ય કોઈ પણ ફ્રીમાં મુસાફરી કરી શકે છે. આ તમામ મફત રેવડી સી.આર.પાટીલ જી ને મળે છે. તે ઉપરાંત સી.આર. પાટીલ જેવા સાંસદોને મફતમાં 170 વખત મુસાફરી કરવાની સ્વતંત્રતા છે. આ સિવાય તેમની પત્ની અને બાળકોને 40 વખત મફત હવાઈ મુસાફરી મળે છે. આ સિવાય તેમને 3 ફાસ્ટેગ સ્ટીકર્સ મળે છે. આ ઉપરાંત, તેઓ ઘરેથી એરપોર્ટ અથવા રેલવે સ્ટેશન સુધીની મુસાફરી માટે પ્રતિ કિલોમીટર ₹16 મેળવે છે.
જ્યારે સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે દરેક સાંસદ ને દરરોજ અલગથી ₹2000 મળે છે. આ સિવાય દરેક સાંસદના સમગ્ર પરિવારને અમર્યાદિત રકમની આરોગ્ય સેવાઓ મળે છે. આ સિવાય તેમને અનલિમિટેડ કોલ ઈન્ટરનેટ સિમ કાર્ડ મળે છે. આ સિવાય સાંસદોને તેમના વિસ્તારમાં ઓફિસ ખોલવા માટે 3 લાખ મળે છે. સાંસદો, કલેક્ટર્સ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં પણ એક રૂમ ઉપલબ્ધ છે, જેના રિનોવેશન માટે તેમને 10 લાખ રૂપિયા મળે છે. ફોન લેવા માટે તેમને 4 લાખ રૂપિયા પણ મળે છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે જે મફત વીજળીનો ભાજપના લોકો વિરોધ કરે છે, એ જ મફત વીજળીનો ઉપયોગ સાંસદો કરે છે. દેશના દરેક સાંસદ ને દર મહિને 4000 યુનિટ વીજળી મફતમાં મળે છે. આ સિવાય તેમને પાઈપ લાઈનમાંથી અમર્યાદિત ગેસ પણ મળે છે. સી.આર. પાટીલ હંમેશા મફત વીજળી નો વિરોધ કરે છે. આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતની જનતાને 300 યુનિટ મફત વીજળી આપવાની વાત કરે છે, ત્યારે સી.આર. પાટીલ તેનો સૌથી પહેલા વિરોધ કરે છે, પરંતુ તેઓ પોતે 300 યુનિટ નહીં પણ 4000 યુનિટ મફત વીજળી નો લાભ લઇ રહ્યા છે. તેમને માત્ર જનતાને આપવામાં આવતી સુવિધાઓ થી સમસ્યા છે, પરંતુ તેઓ પોતે તમામ સુવિધાઓ મફતમાં મેળવવા માટે મોખરે ઉભા છે.