દેશમાં 14 સપ્ટેમ્બરના દિવસને દર વર્ષે “હિન્દી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. દરવર્ષે સપ્ટેમ્બરની 14મી તારીખે જ રાષ્ટ્રભાષાને સમર્પિત આ દિવસ કેમ મનાવવામાં આવે છે? એ તમે જાણો છો? જો તમારો જવાબ ના હોય તો આ આર્ટીકલમાં તમને તમારો જવાબ મળી જશે.વર્ષ 1947માં જ્યારે ભારત જ્યારે અંગ્રેજોની હુકુમતથી સ્વતંત્ર થયુ, ત્યારે વિવિધ ભાષા ધરાવતા આ દેશ માટે રાષ્ટ્રભાષાની પસંદગીને લઈને મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો. લાંબા વિચાર-વિમર્શ બાદ આખરે 14 સપ્ટેમ્બર, 1949ના રોજ બંધારણ સભાએ હિન્દીને રાષ્ટ્રની સત્તાવાર ભાષા તરીકે પસંદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ અવસરે સ્કૂલ, કૉલેજ, યુનિવર્સિટી સહિત અનેક ઓફિસોમાં અલગ-અલગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, પરંતુ…
Author: Satya-Day
કોરોનાના વધતા જતા સંક્રમણને જોતા શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દિવાળી સુધી રાજ્યની એક પણ શાળાઓ શરૂ થશે નહીં. દિવાળી બાદ નવું સત્ર શરૂ કરવામાં આવશે. શિક્ષણ મંત્રી દ્વારા હાલ ઓનલાઈન શિક્ષણ પર ભાર મુકવામાં આવ્યો છે. શાળાઓ શરૂ થશે કે નહીં તે અંગે વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને સંચાલકો પણ મુંઝવણમાં હતા. આ અંગે સરકાર દ્વારા આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દિવાળી સુધી એક પણ શીાળા શરૂ થશે નહીં. દિવાળી બાદ વિચારણા કરીને શાળાઓ શરૂ કરવામાં આવશે.
સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા જ રાહુલ ગાંધીએ ટવીટર પર વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે કોરોના(Corona)ના ચેપના આંકડા આ અઠવાડિયે કુલ 50 લાખ કેસની સાથે એક્ટિવ કેસ દસ લાખને પાર થઈ જશે. અનિયોજિત લોકડાઉન (Lock down)એક વ્યક્તિના અહંકારનું પરિણામ છે, જેના લીધે દેશભરમાં કોરોના ફેલાયો. આમ મોદી સરકારે કહ્યુ કે આત્મનિર્ભર બનો એટલે કે પોતાનો જીવ જાતે બચાવો, કેમકે પીએમ મોદી મોરની સાથે વ્યસ્ત છે. આ સાથે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધું કે સત્ર દરમિયાન તે આક્રમક વલણ દર્શાવવાના છે. રાહુલ ગાંધી મોદી સરકારની આર્થિક નીતિઓ અને કોરોનાને પહોંચી વળવામાં સરકારની નિષ્ફળતાને લઈને કેટલાય…
રાજ્યમાં વર્ષ ૨૦૨૦માં જુલાઇ માસ સુધીના સાત મહિનામાં કુલ ૭,૪૪૭ લોકોની ગમે તે પ્રકારે પ્રકારે ગુમ થયા હોવાની ફરિયાદ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાઇ છે. જેમાંથી અત્યાર સુધીમાં ૨,૫૬૫ લોકો મળી આવ્યા છે, શોધી કઢાયા છે કે ઘરે પરત આવી ગયા છે. જ્યારે બાકીના ૪,૮૮૨ લોકોનો આજદીન સુધી કોઇ અતોપતો ન હોવાનું જાણવા મળે છે. પોલીસના પ્રાથમિક તારણો મુજબ પ્રેમસંબંધમાં સૌથી વધુ લોકો ગુમ થયા હોવાનું નજરે ચઢ્યું છે. જોકે બાદમાં તેઓ પરત પણ આવી ગયા હોવાના કિસ્સાઓ છે. અપહરણના કિસ્સાઓ પણ વધુ છે જેમાં અદાવત, એકતરફા પ્રેમસંબંધ સહિતના કારણો મુખ્યરૂપે જવાબદાર ગમવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેર-ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ…
કોરોના મહામારી વચ્ચે સંસદમાં આજથી શરૂ થયેલા ચોમાસુ સત્રમાં સરકારે 23 જેટલા બિલની એક યાદી તૈયાર કરી છે. જેમાંથી 11 બિલ વટહુકમનું સ્થાન લેશે. સંસદનું આ સત્ર 18 દિવસ ચાલવવાનું છે. સરકાર જે બિલ લાવવાની તૈયારી કરી રહી છે. તેમાં એક અપ્રિલ, 2020થી એક વર્ષ સધી સાંસદોના પગારમાં 30 ટકા ઘટાડાનું બિલ સંસદમાં રજૂ કરાશે. સાંસદોના કપાયેલા પગારમાંથી 30 ટકા પગારનો ઉપયોગ કોરોના સામેની લડાઈમાં કરવામાં આવશે. સત્રમાં આરોગ્ય કર્મચારી વિરૂદ્ધ થતી હિંસા સામે રક્ષણનું પણ બિલ લાવવામાં આવશે. ફાર્મર્સ પ્રોડ્યુસર ટ્રેડ અન્ડ કોમર્સ બિલ – 2020, ડોક્યુમેન્ટ અનુસાર મલ્ટી કોઓપરેટિવ સોસાયટી બિલ – 2020, ફેકટોરિંગ રેગ્યુલેશન બિલ – 2020,…
જમવા જવાથી અને શરાબના પીઠાઓમાં જવાથી પણ કોરોનાવાયરસનો ચેપ લાગવાનો ભય રહેલો છે એમ અમેરિકાની ૧૧ આઉટપેશન્ટ હેલ્થ કેર સવલતોમાં કરવામાં આવેલ અભ્યાસમાં (Research) જણાયું છે. આમાં જણાયું હતું કે રેસ્ટોરાંમાં જનાર, પીઠાઓમાં જનાર કે કોફી શોપમાં જનારાઓને ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. આ માટે આ સ્થળોની બંધ રચના અને હવાની યોગ્ય અવરજવરનો અભાવ અને વધુ પડતી ભીડ જેવા કારણો જવાબદાર હોય છે.રેસ્ટોરાંમાં જમવા ગયેલા પુખ્ત વયના લોકોમાં નેગેટિવ ટેસ્ટ (Negative Test) રિઝલ્ટ આવવાના પ્રમાણ કરતા પોઝિટિવ રિઝલ્ટ આવવાનું પ્રમાણ બેગણું જણાયું હતું. આ સંશોધન યુએસ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ અને પ્રિવેન્શન્સ મોર્બિડીટી એન્ડ મોર્ટાલિટી વીકલી રિપોર્ટ જનરલમાં પ્રકાશિત…
સુરત જિલ્લામાં (Surat District) કોરોના અટકવાનું નામ લઈ રહ્યો નથી. આજે સુરત શહેરમાં રવિવારે નવા 153 અને જિલ્લામાં 106 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. શહેરમાં કુલ કોરોનાના કેસોની (Cases) સંખ્યા 18,605 પર પહોંચી છે. જ્યારે જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 5765 પર પહોંચી છે. જ્યારે સિટીમાં 2 તથા જિલ્લામાં 2 મોત સાથે કુલ 4 મોત નોંધાયા છે. આ સાથે શહેરમાં કુલ મૃત્યુઆંક 648 પર પહોંચ્યો છે. સેન્ટ્રલ ઝોનમાં 9, વરાછા-એ માં 07, વરાછા-બી માં 10, રાંદેરમાં 29, કતારગામ ઝોનમાં 18, લિંબાયતમાં 9, ઉધનામાં 12 તેમજ અઠવા ઝોનમાં 59 કેસ નોંધાયા હતા. જ્યારે 163 લોકોને સાજા થતા રજા અપાઈ હતી. શહેરમાં…
દમણ પોલીસે દારૂનું સેવન કરી પ્રદેશના રસ્તાઓ પર બેફામ ગતિથી કાર બાઈક હંકારનારાઓ સામે શખ્ત કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. જેને લઈ પ્રદેશમાં હરવા ફરવા અર્થે આવતા પર્યટકોની સાથે આસપાસના વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અનલોક બાદ દમણની તમામ ચેકપોસ્ટને લોકોની અવર જવર માટે ખોલી દેવામાં આવ્યા બાદ દમણમાં અચાનક પર્યટકોનો ધસારો હાલના દિવસોમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરતીલાલાઓ માટે સ્વર્ગ સમાન બનેલા દમણને લઈ સુરત, નવસારી, બરોડા, વલસાડ તથા આસપાસના વિસ્તારોની સાથે મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં પર્યટકોનો ધસારો શનિ-રવિની રજા માણવા તથા દારૂ-બીયરની ચૂસ્કીની સાથે ખાણીપીણી કરવા અર્થે આવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહ…
છેલ્લાં કેટલાંક સમયથી ભરતીને લઇને વિવાદ શરૂ થયો છે. તેમાંય સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી જવાના મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. આ પરીક્ષાના પેપર્સ ફૂટવાનો પ્રશ્ન સુરતની વીર નર્મદ યુનિવર્સિટી દ્રારા લેવાયેલી TYBAના સેમેસ્ટર-6ના ગુજરાતી વિષયના પેપરમાં પૂછાતાં વિવાદ વણસ્યો છે. તેને લઇને આવતીકાલે એનએસયુઆઇ દ્રારા સુરતની વીર નર્મદ યુનિવર્સિટી સામે દેખાવો કરીને રજૂઆત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. નોંધનીય છે કે બેરોજગારી અને ભરતીના મામલે છેલ્લાં કેટલાંક સમયથી શિક્ષિત બેરોજગાર સમિતિ દ્રારા રિતસરની સરકાર સામે ચળવળ શરૂ કરીને સરકારને ભીંસમાં લેવાના પ્રયાસો થઇ રહ્યાં છે. આ મુદ્દે અન્ય રાજકીય પક્ષો પણ આ પ્રશ્નને સમર્થન…
પરણિત સ્ત્રીઓને એક આદત હોય છે કે તેઓ ઘણીવાર તેમની ચીજો અન્ય મહિલાઓ સાથે શેર કરે છે. કોઈ મિત્ર કે સંબંધીએ કહ્યું કે જો તમારી બિંદી ખૂબ સારી લાગે છે, તો તેણી તેના કપાળમંથી ઉતારીને ફટાફટ તેને લગાવી દેશે. પરંતુ સુહાગન મહિલાઓએ બધું શેર કરવું જોઈએ નહીં. આનાથી તમારા સંબંધોમાં અણબનાવ લાવી શકે છે, અને સુહાગ અને સૌભાગ્ય પર ખરાબ નજર લાગે છે. તો ચાલો જાણીએ કેટલીક એવી બાબતો વિશે કે જે પરિણીત મહિલાઓએ તેમના પરિવાર અથવા મિત્રો સાથે શેર ન કરવી જોઈએ માંગનું સિંદૂર: સિંદૂરએ સુહાગની નિશાની હોય છે, તેથી તેને કોઈની સાથે શેર કરવાની ભૂલ ન કરો. જો…