લોક ડાઉન માં પણ ગૃહ મંત્રાલયે રવિવારથી મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્ષ સિવાયની અન્ય દુકાનોને શરૂ કરવા શરતી છૂટછાટ આપી હતી. જેને પગલે રાજ્ય સરકારે પણ રવિવારથી કેટલીક જરૂરી ચીજોનું વેચાણ કરતા નાના-મોટા દુકાનધારકોને ધંધા રોજગાર શરૂ કરવા મંજૂરી આપી હતી. જો કે રવિવારે ગુજરાતના ચાર મહાનગરોમાં વેપારી આગેવાનોએ મ્યુનિ. કમિશનર અને જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી હતી અને 3જી મે એટલે કે લોકડાઉન સમાપ્ત થાય ત્યાં સુધી દુકાનો બંધ રાખવા સંમતિ વ્યક્ત કરી હતી. રાજ્ય સરકાર સાથે પણ વેપારી આગેવનોએ પરામર્શ કરી એકસૂર વ્યક્ત કર્યો હતો રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મ્યુનિસીપલ કમિશનરો અને જીલ્લા કલેકટરોએ સ્થાનિક…
Author: Satya-Day
ભારત વિશ્વના ટોચના 10 શેર બજારોના લિસ્ટમાંથી બહાર નીકળી ગયું છે કારણ કે કોરોનાના રોગચાળાને લીધે વૈશ્વિક ઇક્વિટીમાં વધારો થયો છે, જેણે આ વર્ષે મૂલ્યાંકનને નોંધપાત્ર રીતે તોડ્યું છે. ભારતના બેંચમાર્ક સૂચકાંકો બીયર માર્કેટમાં પ્રવેશ્યા અને ડોલર સામે રૂપિયો વિક્રમી સપાટીએ પહોંચી ગયો, જે નાજુક આર્થિક પ્રવૃત્તિ દર્શાવે છે. બ્લૂમબર્ગના ડેટામાં દર્શાવવામાં આવ્યું હતું કે વર્ષના પ્રારંભથી ડૉલરની દ્રષ્ટિએ તમામ શેરના વેપાર અથવા ભારતના કુલ બજાર મૂડીમાં 27.31% ઘટાડો થયો છે. ભારત હવે 2 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ ક્લબનો ભાગ નથી, જે 1.57 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે લીગ ટેબલમાં 11મા સ્થાને આવે છે. જાન્યુઆરીમાં, ભારત 2.16 ટ્રિલિયન ડોલરની માર્કેટ…
શહેરમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધતાં જાય છે. પોઝિટિવ કેસોની સંખ્યા વધવાની સાથે મૃતાંક પણ વધી રહ્યો છે. ત્યારે સુરતમાં હજી પણ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં કોરોનાએ પ્રવેશ કર્યો નથી. આવા વિસ્તારોને ગ્રીન ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે વિસ્તારોમાં વધુ કેસ છે તેને રેડ ઝોન અને ઓછા કેસ છે તેને ઓરેન્જ ઝોન જાહેર કરાયા છે. ત્યારે જાણો સુરતમાં કયા વિસ્તારોમાં હજી કોરોનાએ પ્રવેશ કર્યો નથી. સુરતમાં પોઝિટિવ કેસોની સંખ્યા 462થી વધુ છે જ્યારે 15 લોકોના મોત થયા છે. શહેરના નાનપુરા, સગરામપુરા, સલાબતપુરા, બેગમપુરા, મહિધરપુરા, સૈયદપુરા, ગોપીપુરા, સોની ફળિયા, નાણાવટ, શાહપોર વગેરે વિસ્તારોને રેડ ઝોન જાહેર કરાયા છે.…
એક તરફ કોરોનાના કોસ વધી રહ્યા છે તો બીજી તરફ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આવતીકાલ 26 એપ્રિલથી રાજ્યમાં આવેલી દુકાનો ખોલવાનો આદેશ આપ્યો છે. તેના એક દિવસ પહેલા ગુજરાતમાં કોરોના પોઝિટિવનો રેકોર્ડ બ્રેક આંકડો 3071ને પાર કરી ગયો છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોના પોઝિટિવના 256 નવા કેસ આવ્યા છે અને વધુ 6 લોકોના મોત સાથે મૃત્યુઆંક 133 પર પહોચી ગયો છે. આ ઉપરાંત કચ્છમાં 6 (1 મોત), મહેસાણા 7, ગીર સોમનાથ-પોરબંદરમાં 3- 3, પંચમહાલમાં 17 (2 મોત), પાટણમાં 16 (1 મોત), છોટા ઉદેપુર 13, જામનગર-મોરબીમાં 1( 1 મોત)-1, સાબરકાંઠામાં 3, આણંદમાં 41, દાહોદમાં 4, ભરૂચમાં 29 (2 મોત), બનાસકાંઠામાં…
કોરોના વાયરસના રોજ રોજ કોરોનાના નવા નવા રૂપ સામે આવી રહ્યા છે. જે ચિંતાની વાત છે. કોરોના વાયરસ પર શોધ કરી રહેવા વૈજ્ઞાનિક હવે આ વાયરસના નવા લક્ષણો વિષે જાણકારી મેળવી છે. ખાંસી, તાવ પછી પગની આંગળી જોઇને પણ કોરોના વિષે જાણકારી મેળવી શકાય છે. કોરોના વાયરસના દર્દીઓના પગના અંગૂઠામાં આ રીતના નવા લક્ષણો જોવા મળ્યા છે. કોરોના વાયરસ પર શોધ કરી રહેલા વૈજ્ઞાનિકોએ આ લક્ષણ સૌથી પહેલા ઇટલીના એક 13 વર્ષના બાળકમાં જોયા હતા. બાળકના પગમાં આવા નિશાન હતા. શરૂઆતમાં માનવામાં આવતું હતું કે આ કોઇ કીડી ચટકવાના કારણે થયું હશે. પણ જ્યારે થોડા સમય પછી આ બાળકની તબિયત…
કોરોના શહેર બાદ હવે જિલ્લાઓમાં પ્રવેશી રહ્યો છે. આજે નવસારીમાં ચોથો પોઝિટીવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. . 65 વર્ષના વૃદ્ધમાં Corona ના લક્ષણો દેખાતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે આજે તેમનો Corona રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના સંક્રમિત વૃદ્ધના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની ઓળખ કરવાના પ્રયાસો પણ શરૂ થયા છે.
દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં છે. . મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓએ કહ્યું હતું કે રાજ્યમાં કેસની સંખ્યામાં વધારો થવાથી ઓછામાં ઓછું જૂન સુધી લોકડાઉન લંબાઇ શકે છે. વધી રહેલા પોઝિટિવ કેસની સંખ્યા વચ્ચે, મુંબઈ અને પુણેમાં લોકડાઉન જૂન સુધી લંબાવાની શકયતાઓ છે,. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, શુક્રવારે અહીં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19ના વધુ 1,429 કેસ નોંધાયા છે, મંત્રાલય દ્વારા સવારના અપડેટ મુજબ મહારાષ્ટ્ર 6,817 કેસ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે, જેમાં 957 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 301 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. તેમણે કહ્યું કે હાલ મુંબઈ અને પુણેમાં લોકડાઉન હટાવવાનો કોઈ…
કોરોનાની સ્થિતિ જાણવા માટે દિલ્હીથી ટીમ સુરત ખાતે આવી છે. કેન્દ્રની ટીમે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. કોરોના ને લઈને હાલની સ્થિતિને લઈને સમીક્ષા કરી ફૂડ વિતરણ વ્યવસ્થા તેમજ કામદારોની કઈ પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યો હતો. પાલિકા દ્વારા 14 જેટલા કલસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં એક્ટિવ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.શહેરની સમીક્ષા કરવા માટે દિલ્હીથી એક ટીમ આવી છે. કેન્દ્ર માથી મોકલવામાં આવેલી ટીમ સુરતમાં આવી પહોંચી હતી. સિવિલ ની મુલાકાત બાદ અધિકારીઓ સાથે મીટીંગ કરાઈ હતી. મિટીંગમાં મનપા કમિશનર , નોડલ ઓફિસર , કલેકટર , પોલીસ કમિશનર…
સુરતમાં બે SRP જવાનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે જેને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા SRP જવાનોમાં ખળભળાટ મચ્યો છે, જોકે બીજા જવાન વિશે હાલ કોઈ જાણકાારી મળી નથી. સુરતમાં જે SRP જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે કતારગામ વિસ્તારમાં ફરજ બજાવતો હતો. તંત્ર દ્વારા સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ જવાન સાથે કામ કરતા તમામ લોકોના ટેસ્ટીંગનું કામ તંત્ર દ્વારા શરૂ કરી દેવાયું છે. અડાજણ ના માઉન્ટ એવેન્યુ માં કિરણ મોરે નામ ના યુવક નો કોરોના પોઝીટીવ આવ્યો છે. રાત્રે નોકરી થી પરત આવતા અકસ્માત થયો હતો. હોસ્પિટલમાં તપાસ કરતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની ચર્ચા.…