નવી દિલ્હીઃ ભારતમાં કોરોના રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે અને જીવલેણ કોરોના વાયર સામેની લડાઇમાં જીતનું નજીક પહોંચી ગયુ છે. વિશ્વની સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી દેશમાં લાખો લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે. કોરોના રસી માટેના નાણાં ક્યાંથી આવશે અને કેટલા ખર્ચાયા તે પ્રશ્ન થવો સ્વાભાવિક છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં કોરોના રસીકરણના પ્રથમ તબક્કા માટે પીએમ કેર ફંડમાંથી 2200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. કોરોના મહામારીની શરૂઆત થઇ ત્યારે પીએમ કેર ફંડની સ્થાપના કરાઇ હતી, જેમાં આવેલા દાનની રકમ હાલ રસીકરણ માટે પણ વાપરવામાં આવી રહી છે. બીજી તરફ દિલ્હીમાં રહેતા…
Author: Satya Day
નવી દિલ્હીઃ હવે રાંધણગેસના ઉંચા ભાવ ચૂકવવા તૈયાર રહેજો કારણ કે મોદી સરકાર સબસિડીનું સંપૂર્ણ ગણિત બદલવાની તૈયારી કરી રહી છે. બજેટમાં તેની સ્પષ્ટ ઝલક જોવા મળી છે. સબસિડી પર સરકારને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કુલ 5.96 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ ખર્ચ કરવી પડી છે, પરંતુ આ કોરોનાથી ઉભી થયેલી સ્થિતિના કારણે થયુ છે. જો બજેટીય જોગવાઇની વાત કરીએ તો 2020-21માં સબસિડી માટે 3,27,794 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી હતી, જેને આગામી નાણાકીય વર્ષ માટે 3,35,361 કરોડ રૂપિયા કરવામાં આવી છે, એટલે કે 7567 રૂપિયાનો વધારો. સ્પષ્ટ છે કે હવે જેને જરૂર હશે, સરકાર તેને સબસિડી આપશે. ક્યારેક રાજકીય…
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના પશ્ચિમી દરિયા કિનારાના શહેર પર્થની ઉત્તરપૂર્વમાં લાગેલી ભિષણ આગમાં આશરે 60 મકાન બળીને ખાક થઇ ગયા હતા અને સત્તાવાળાઓને ભય હતો કે આગમાં હજુ પણ વધુ મકાનો લપેટાઇ શકે છે. સ્થાનિકોએ કહ્યું હતું કે હવે ખુબ મોડું થઇ ગયું છે, આગ પર કાબુ મેળવવું મુશ્કેલ બનશે. લગભગ 7000 હેકટરની આગ 60 કિમી સુધી પ્રસરી ગઇ હતી. સોમવાર રાતથી આગની શરૂઆત થઇ હતી જે છેક વહેલી સવાર સુધી બુઝાવી શકાઇ ન હતી.આગ વુરૂલુથી શરૂ થઇને મુનડેરિંગ,ચિટરિંગ, નોર્હામ અને સ્વાન શહેર સુધી પ્રસરી જતા સત્તાવાળા ચિંતિત બન્યા હતા. સ્વાનના મેયર કેવિન બેઇલીએ કહ્યું હતું કે 30 કરતાં વધુ મકાનો આગમાં…
નવી દિલ્હીઃ બજેટ બાદ ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઉછાળો આવ્યો અને સેન્સેક્સ બીજીવાર 50,000ની ઉપર પહોંચ્યો હતો. જો કે ઉંચા સ્તરે નફા વસૂલી નીકળતા ઇન્ટ્રા-ડે ટોચથી માર્કેટ ગગડ્યુ હતુ. શું આજે પણ શેરબજાર માં તેજી રહેશે અને ક્યા-ક્યાં સ્ટોક કમાણી કરાવશે… આ સ્ટોકમાં દેખાશે તેજી મોમેન્ટમ ઇન્ડિકેટર MACDના મતે Tata Motors, SBI, Ashok Leyland, Federal Bank, Zee Entertainment, Axis Bank, NCC, HDFC Bank, L&T, Indian Bank, Ambuja Cements, Shriram Transport Finance, Havells India, Sanghi Industries, Bajaj Finance, City Union Bank, Voltas, Orient Cement, Minda Corporation, Jain Irrigation, UltraTech Cement, Century Textiles, Redington (India), The Ramco Cements, Siemens, Au Small…
નવી દિલ્હીઃ શું તમે ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુ. ફંડ્સની સ્કીમમાં મૂડીરોકાણ કર્યુ છે? જો જવાબ હા છે, તો તમારી માટે એક સારા સમાચાર છે. કારણ કે ફ્રેન્કલિન ટેમ્પલટનને બંધ કરેલી 6 સ્કીમના કરોડો રૂપિયા રોકાણકારોને માત્ર 20 જ દિવસમાં પરત ચૂકવવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટમાં થયેલ સુનાવણીમાં ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુ. ફંડ્સને આદેશ કર્યો છે. આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ્સને તેણે બંધ કરેલી 6 સ્કીમના રોકાણકારોને 9122 કરોડ રૂપિયા 20 દિવસની અંદર પરત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ દિવસની મુદ્દત આજથી એટલે કે મંગળવાર, 2જી ફેબ્રુઆરી, 2021થી ગણાશે. તમને જણાવી દઇયે કે, ફ્રેન્કલિન ટેમ્પલટન એ…
મુંબઇઃ વર્ષ 2021-22નું કેન્દ્રીય બજેટ જાહેર થઇ ગયુ છે. કોઇ મોટી રાહત ન અપાતા ઉલટાનું કઠોળ-દાળ પર નવો કરવેરો વસૂલવાની જાહેરાત કરી છે. આ નવા ટેક્સથી કઠોળ-દાળ ફરી મોંઘા થશે અને સામાન્ય વર્ગ પર મોંઘવારીનો બોજ વધશે તેવી વાતો થઇ રહી છે. તો ચાલો જાણીયે કઠોળ-દાળ પર આ નવા ટેક્સની શું અસર થશે…. સરકારે વર્ષ 2021-22ના બજેટમાં સરકારે આયાતી કઠોળ પર 20 ટકાથી 50 ટકા સુધીનો એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેશ વસૂલવાની જાહેરાત કરી છે. આ એગ્રી સેશથી કઠોળના ભાવ વધી જશે એવું લોકો માની રહ્યા છે. જો કે ઇન્ડિયન પલ્સીસ એન્ડ ગ્રેઇન એસોસિએશન (IPGA)નું માનવુ છે કે, બજેટમાં આયાતી…
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસ કાબુમાં આવી રહ્યુ છે અને સતત નવા કેસોની સંખ્યા ઘટી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન પણ પુરજોશમાં ચાલી રહ્યુ છે અનો મોટી સંખ્યામાં કોરોના વોરિયર્સ- આરોગ્ય કર્મીઓને રસી મૂકવામાં આવી હતી. આજે રાજ્યમાં રેકોર્ડ બ્રેક લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે. બે દિવસ બાદ ગુજરાતમાં ફરી કોરોના વાયરસથી એક દર્દીનું મોત નિપજ્યુ છે. ગુજરાતમાં આજે 2 ફેબ્રુઆરીના રોજ 285 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,62,123 પહોંચી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં કોરોનાના નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તેની સાથે સાથે…
ગાંધીનગરઃ ભારતના ઇતિહાસમાં પ્રથમવાર સંસદમાં ગઇકાલ સોમવારે વર્ષ 2021-22નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ. એટલે કે આ બજેટની એક પણ કોપી છાપવામાં આવી ન હતી. કેન્દ્ર સરકારનું અનુકરણ કરતા હવે ગુજરાત સરકાર પણ પેપરલેશ બજેટ રજૂ કરશે. એટલે ગુજરાતના બજેટની પણ એક પેપર કોપીનું પ્રિન્ટિંગ કરવામાં આવશે નહીં. નોંધનિય છે કે, ગુજરાતનું નાણાંકીય વર્ષ 2021-22નું બજેટ 3જી માર્ચ, 2021ના રોજ રજૂ થશે. આગામી 3 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ થનારુ બજેટ પણ પેપરલેશ હશે. જેમાં તમામ ધારાસભ્યોને પેન ડ્રાઇવમાં આ બજેટની કોપી આપવામાં આવશે. ફક્ત ખાસ પ્રસ્તાવ માટે બજેટની બુકલેટ ગૃહમાં રજૂ કરાશે. ઉલ્લેખનિય છે કે, કોરોના સંકટમાં ખર્ચ…
મુંબઇઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ગોરેગાંવમાં એક સ્ટુડિયોમાં ભयंકર આગ લાગી. માહિતી પ્રમાણે, હાલમાં ઘટનાસ્થળ પર આઠ ફાયરબ્રીગેડની ગાડીઓ હાજર છે. અત્યાર સુધી જે સૂચના મળી રહી છે તે પ્રમાણે કોઈ જાનહાની થવાના સમાચાર નથી. આ આગ મંગળવારની સાંજે લગભગ 4:30 વાગ્યે લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાની કોશિશમાં લાગી ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સ્ટૂડિયો ઘણા દિવસોથી બંધ હતો. ઘટનાસ્થળ પર પહોંચેલી 8 થી 10 ફાયર બ્રિગેટની ગાડીઓની મદદથી આગ બૂઝાવવાનું કામ અત્યારે પણ ચાલુ છે. સ્ટૂડિયોમાં રાખવામાં આવેલ શૂટિંગનો સામાન, ખુરશીઓ અને બાકી સામાન બળીને ખાખ થઈ ગયો છે. હાલ તો આગ પર કાબૂ…
ભારતમાં રસીકરણ અભિયાન શરૂ થતા કોરોના વાયરસ કન્ટ્રોલમાં આવ્યો છે જ્યારે બ્રિટન સહિત ઘણા દેશોમાં હજીપણ લોકડાઉન છે. ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર છે. એક એવો દેશ છે જ્યાં લોકડાઉન હટાવી દેવાયું છે. અને લોકો આ વાતનો જશ્ન મનાવવા માટે પબ્સ, રેસ્ટોરાં, બાર અને દુકાનોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. અહીં લોકોને પાર્ટી કરતા જોવામાં આવી રહ્યા છે. આ દેશનું નામ છે, આઈલ ઓફ મૈન (Isle of Man) જ્યાં સોશ્યલ ડિસ્ટેન્સિંગ જેવા નિયમોને પણ ખતમ કરી દેવામાં આવ્યા છે. અને લોકો સામાન્ય જીંદગી જીવતા થયા છે. (Isle of Man) આઈલ ઓફ મૈન માં 31 જાન્યુઆરી મધ્યરાત્રિ બાદથી લોકડાઉન હટાવી દેવાયું…