મુંબઇઃ શુ તમે ઓછી રકમથી સોનામાં મૂડીરોકાણ કરવાનું વિચારો છો? તો મારી પાસે સોનામાં રોકાણ કરવાની એક ઉત્તર તક આવી રહી છે જેમાં તમે ઓછા નાણાથી રોકાણ કરી શકો છો. તમે સોવરિન ગોલ્ડ બોન્ડનું નામ તો સાંભળ્યુ જ હશે. સોવરિન ગોલ્ડ બોન્ડ એ નાના રોકાણકારો માટે સોનામાં રોકાણ કરવાનો ઉત્તમ વિકલ્પ છે. આ તારીખે ખૂલી રહ્યો છે ગોલ્ડ બોન્ડ ઇશ્યૂ અને ભાવની વિગત હાલ સોનાના ભાવ અતિશય વધી જતા દરેક વ્યક્તિ પાસે આટલા બધા રૂપિયા હોય તે જરૂરી નથી. આથી તમે ગોલ્ડ બોન્ડમાં માત્ર 5000 રૂપિયાથી મૂડીરોકાણ શરૂ કરી શકો છો. સોવરિન ગોલ્ડ બોન્ડનો નવો ઇશ્યૂ સોમવારથી ખૂલી રહ્યો છે.…
Author: Satya Day
અમદાવાદઃ ટેકનોલોજી જેટલી સારી છે તેટલી જ ખતરનાક પણ છે. કોરોના સંકટમાં હેકરો બેફામ થયા છે એવા સમયે સ્માર્ટયુઝર્સ અને ઓનલાઇન પેમેન્ટ કરનાર બહુ જ સાવધાન રહેવાની જરૂર છે. જો તમે WhatsApp યુઝર્સ છો અને તમને પણ કોઈ પણ મેસેજ પર તાત્કાલિક ક્લિક કરવાની આદત છે તો આ ખબર તમારા માટે ખુબ જરૂરી છે. એન્ડ્રોઇડ યુઝર્સને હેકર્સ હંમેશા નિશાના પર રાખે છે. ઘણી વખત હેકર્સ તમારા ફોનમાં કોઈ એપ દ્વારા તો કોઈ વખત મેસેજ દ્વારા પહોંચી જાય છે. હવે WhatsApp પે આ મેસેજ વાયરલ થઇ રહ્યો છે જે એક મેઈલવેર છે અને આ મેસેજ સાથે મળવા વળી લિંક પર ક્લિક…
નવી દિલ્હીઃ આગામી સોમવારે નાણાં પ્રધાન નિર્મલા સિતારમન નાણાંકીય વર્ષ 2021-22 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટમાં સામાન્ય વર્ગથી લઇને કંપનીઓ મોટી રાહતની અપેક્ષાઓ આપી રહી છે. આ બજેટમાં ઉંચા કરવેરાના બોજમાં થોડીક રાહત મળવાની ધારણા છે અને તેના સંકેટ આર્થિકસર્વેમાં મળી રહ્યા છે. દેશભરમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે આર્થિક મોરચામાં સુસ્તી જોવા મળી છે. સુસ્ત ઈકોનોમીને ગતિ આપવા માટે આ વખતે બજેટમાં ટેક્સમાં રાહત મળવાની આશા છે. જાણકારી અનુસાર, સરકારે પોતાના નાણાંકિય નુકસાનીની ચિંતા કર્યા વગર ખર્ચ વધારવા અને ટેક્સ છૂટ તરફ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ઈકોનોમિક સર્વે રજૂ કર્યો છે, જેમાં આશા લગાવી છે કે,…
ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે અને આ કોરોના સંકટકાળમા ચૂંટણી અંગે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. નવા ગાઇડલાઇનમાં ઉમેદવારો દ્વારા ઘરે-ઘરે જઇ ચૂંટણી પ્રસાર કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. ગુજરાતની છ મહાનગર પાલિકાઓ, 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની યોજવામાં આવનારી ચૂંટણી દરમિયાન ડોર ટુ ડોર પ્રચાર કરવા જતાં ઉમેદવારોએ વધુમાં વથુ પાંચ સમર્થકોથી વધુને લઈને પ્રચાર માટે જઈ શકશે નહિ. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અમલમાં હોય તેવા આદેશોને આધીન રહીને પાંચ પાંચ વાહનો પછી વચ્ચે થોડું અંતર રાખવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેમ જ બે કાફલા વચ્ચે અડધા કલાકનું અંતર…
કોરોનાકાળમાં ઘણા લોકો બેકાર થયા છે તેમણે હવે આત્મનિર્ભર બનવાનો પ્રયત્ન કરવો જોઇએ. આજે અમે તમને ઓછા મૂડીરોકાણની સાથે વધારે કમાણી કરતા એક સરળ બિઝનેસ અંગે માહિતી આપીશુ. જેમાં તમે માત્ર 50હજાર રૂપિયા સુધીનું મૂડીરોકાણ કરીને દર મહિને 40હજાર રૂપિયા સુધીની આવક મેળવી શકો છો. આ બિઝનેસ છે પ્રિન્ટેડ ટીશર્ટનો આજકાલ બજારમાં તેની ઘણી માંગ છે. તે નાના પાયે ટી-શર્ટ પ્રિન્ટ કરવાનો બિઝનેસ છે. બર્થડે કોઇ ખાસ પ્રસંગે લોકો પોતાના મિત્રો અને સગાસંબંધીઓને સ્પેશિયલ ગિફ્ટ આપવા ઇચ્છે છે.એવામાં લોકોની માટે આ સૌથી સારી ગિફ્ટ છે. આ સાથે જ સ્કૂલ, કંપનીઓ અને અન્ય ઘણી સંસ્થાઓ પણ આવા પ્રકારની ટી-શર્ટ પ્રિન્ટ કરાવતી…
મુંબઇઃ ભારતીય જીવન વીમા નિગમ પાસે એવા કરોડો રૂપિયા પડ્યા છે, જેની માટે કોઇયે ક્લેઇમ નથી કર્યુ અને પોલિસીધારકો ભૂલી ગયા છે. આ રકમ તેવી પોલીસીના છે, જેની પોલીસીને આગળ ચલાવવામાં નથી આવી અને પોલીસી હોલ્ડર તેને ભૂલી ચુક્યા છે. ઘણીવાર લોકો નવી પોલીસી ખરીદી તો લે છે, પરંતુ તેને આગળ ચલાવી નથી શકતાં. તેવામાં પોલીસી હોલ્ડર તે જ સમજે છે કે હવે તેના પૈસા પરત નહી આવે અને તે જપ્ત થઇ ગયા છે. તેવામાં LIC એવી સુવિધા આપી રહ્યું છે જેમાં તે પૈસા ઉપાડી શકાશે. આLICની સાથે સાથે દેશભરમાં એવી અનેક પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ છે જેના ખાતામા કરોડો રૂપિયા…
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. સતત પાંચ દિવસથી રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોનો આંકડો 400ની નીચે છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે 29મી જાન્યુઆરી, 2020, શુક્રવારના રોજ ગુજરાતમાં નવા 335 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 463 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,52,927 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 96.94 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન…
મુંબઇઃ શેરબજારમાં મંદી આવતા રોકાણકારો હવે બુલિયન માર્કેટ તરફ ફંટાયા છે અને આજે ભારતીય બજારોમાં સોનામાં સુધારો જોવા મળ્યો હતો તો ચાંદીના ભાવ નોંધપાત્ર ઉછળ્યા હતા. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટી તેજી આવી છે. જેમાં સોનાનો ભાવ 500 રૂપિયા ઉછળીને 51,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તો ચાંદીના ભાવમાં આજે 3500 રૂપિયાનો મોટો ઉછાળો નોંધાયો અને પ્રતિ એક કિગ્રા દીઠ ભાવ 70,500 રૂપિયા થયો હતો. જે ઓગસ્ટ 2020 પછીનો સૌથી ઉંચો ભાવ છે. ગત ગુરુવારે અમદાવાદમાં સોનાનો ભાવ 50,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 67,000 રૂપિયા પ્રતિ એક કિગ્રા હતો.…
દિલ્હીઃ શુક્રવારે દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસમાં આઈઈડી બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટના કારણે આસપાસના વિસ્તારમાં પાર્ક થયેલા અનેક વાહનોના કાચ તૂટી ગયા છે. દિલ્હી પોલીસની વિશેષ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હજી સુધી વિસ્ફોટના કારણો જાણવા મળ્યા નથી. દિલ્હીમાં ઈઝરાયેલના દૂતાવાસની પાસે બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં 4થી 5 ગાડીઓને નુકસાન પહોંચ્યું છે. ઘટનામાં કોઈ ઘાયલ થવાની હજુ સુધી કોઈ પુષ્ટિથઈ નથી. સ્પેશલ સેલની ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી ગઈ છે. દિલ્હીમાં પોલિસે બ્લાસ્ટની પુષ્ટિ કરી છે. પોલિસનું કહેવું છે કે વિસ્ફોટ ફૂટપાથની પાસે થયો છે. 4થી 5 ગાડીઓના કાચ તૂટી ગયા છે. દિલ્હીમાં ઇઝરાયેલના દૂતાવાસની બહાર થયેલા ધડાકાથી સરકાર અને…
નવીદિલ્હીઃ ભારતમાં 16મી જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે જે વિશ્વનુ સૌથી મોટુ રસીકરણ અભિયાન છે. જો કે અધિકારીઓની બેદરકારીને લીધે હાલના સમયમાં સંજીવની બુટી સમાન કોરોના વેક્સીનનો બગાડ થયાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. દેશમાં 5 રાજ્યોમાં કોરોના વેક્સીનના લગભગ 5,000 ડોઝનો બગાડ થયો છે. જે 5 રાજ્યોમાં કોરોના વેક્સીનનો બગાડ થયો છે તેમાં ત્રિપુરા, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ અને ઓડિશા છે, જેમાંથી સૌથી વધારે 11 ટકા ઘટના ત્રિપુરામાં બની છે. હિન્દુસ્તાન મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ રાજ્યોમાં કોરોના રસીનો બગાડ આ કારણસર થયો કે ઘણા લોકો રસી મુકાવવા ગયા જ નહી અને વેક્સીન લગાવનારે રસીની શીશીઓ ખોલી…