બીજેપી સાંસદ વરુણ ગાંધી પોતાની જ સરકાર સામે કડક વલણ અપનાવી રહ્યા છે. સમયાંતરે તેમણે સરકારની અનેક યોજનાઓની ટીકા પણ કરી છે. તાજેતરમાં તેમણે સરકારની અગ્નિપથ યોજના પર પણ સવાલો ઉઠાવ્યા હતા. આ ક્રમમાં બીજેપી સાંસદ વરુણ ગાંધીએ શુક્રવારે એક મોટી જાહેરાત કરી છે.
अल्पावधि की सेवा करने वाले अग्निवीर पेंशन के हकदार नही हैं तो जनप्रतिनिधियों को यह ‘सहूलियत’ क्यूँ?
राष्ट्ररक्षकों को पेन्शन का अधिकार नही है तो मैं भी खुद की पेन्शन छोड़ने को तैयार हूँ।
क्या हम विधायक/सांसद अपनी पेन्शन छोड़ यह नही सुनिश्चित कर सकते कि अग्निवीरों को पेंशन मिले?
— Varun Gandhi (@varungandhi80) June 24, 2022
જો અગ્નિવીર પેન્શનનો હકદાર નથી તો જનપ્રતિનિધિઓને આ સુવિધા શા માટે?
તેમણે કહ્યું કે જો રાષ્ટ્રીય રક્ષકોને પેન્શનનો અધિકાર નથી તો હું મારી પોતાની પેન્શન છોડવા પણ તૈયાર છું. ગાંધીએ પૂછ્યું કે શું આપણે ધારાસભ્યો અને સાંસદો તેમનું પેન્શન છોડીને અગ્નિવીરોને પેન્શન મળે તેની ખાતરી ન કરી શકીએ? ટૂંકા ગાળાની ફરજ બજાવનાર અગ્નિવીરને પેન્શન મળતું નથી, તો પછી જનપ્રતિનિધિઓને આ સુવિધા શા માટે?