મોદી સરકારે દેશની સુરક્ષા અને એકતા પર ખતરો ગણાવીને 29 જૂને TikTok અને UC બ્રાઉઝર સહિત 59 ચાઈનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. મોદી સરકારે 59 ચાઈનીઝ એપ્સની કંપનીઓ વિરુદ્ધ કડક વલણ અપનાવી લીધુ છે. આ ચાઈનીઝ કંપનીઓને સરકારે સ્પષ્ટ જણાવી દીધુ છે કે, પ્રતિબંધનું કડકાઈથી પાલન કરો નહીંતર કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે કેન્દ્રીય ઈન્ફોર્મેશન એન્ટ ટેક્નોલૉજી મંત્રાલયે, તમામ ચાઈનીઝ એપ્સ કંપનીઓને પત્ર લખીને પ્રતિબંધનું સખ્તીથી પાલન કરવા જણાવ્યું છે. મંત્રાલયનું કહેવું છે કે, IT એક્ટની કલમ 69A અંતર્ગત ચાઈનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે, “આ પ્રતિબંધિત ચાઈનીઝ એપ્સનો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી ઓપરેશન…
Author: Satya-Day
સીલ કરાયેલા પાનના ગલ્લાંઓ ખોલવા માટેની ઉઠેલી માંગના પગલે આજથી કોર્પોરેશને સીલ મારેલા પાનના ગલ્લાંઓ ખોલવાનું શરૂ કર્યું હતું. .કોવિડ 19 અંતર્ગત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ટીમે અમદાવાદ શહેરમાં 500થી વધુ પાનના ગલ્લાંને સીલ મારીને સપાટો બોલાવી દીધો હતો. જેના પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યાં સુધી કે ડરના માર્યા પાનના ગલ્લાંવાળાઓએ સ્વયંભૂ ગલ્લાં બંધ કરી દેતાં ચોતરફ હાહાકાર મચી જવા પામ્યો હતો. પરિણામ સ્વરુપે કોર્પોરેશને સીલ મારવાની કામગીરી બંધ કરી દીધી હતી. પ્રત્યેક પાનના ગલ્લાના સીલ ખોલવા બદલ 5 હજાર રૂપિયા દંડ વસૂલવાનું નક્કી કર્યું હતું. પ્રથમ તબક્કામાં આજે 300 પાનના ગલ્લાંઓ ખોલીને 13,95,000ની રકમ રિકવરી કરવામાં આવી…
દેશમાં સામાન્ય દર્દીઓનો બે થી ત્રણ ટકા ટકા જેટલો મૃત્યુદર છે. પણ કોરોનાના દર્દીની સારવાર કરતા એવા ડોક્ટરમા આઠ ટકા મૃત્યુદર છે. દેશમાં કોરોના સંક્રમિત 1302 જેટલા ડોકટર્સમાંથી 99 ડોક્ટર મોતને ભેટયા છે. ઈન્ડિયન મેડીકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચના પ્રમુખ ડો.ચંદ્રેશભાઇ જરદોશે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 26 હજારથી વધુ થયો છે. જેમાં 1302 જેટલા ડોકટર્સ પણ કોરોના સંક્રમિત થયા છે. જે અંતર્ગત પ્રેકિટસીંગ ડોકટર 586, રેસીડન્ટ ડોકટર 566 અને હાઉસ સર્જન ડોકટર 150 ડોકટરનો સમાવેશ થાય છે. જેમાં 99 ડોક્ટર મોતને ભેટયા છે. એટલે સામાન્ય દર્દીઓમાં મૃત્યુઆંક બે થી ત્રણ…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવિડ-19 (Covid-19) બાદની દુનિયામાં પ્રમુખ ભાગીદાર તરીકે અમેરિકા અને ભારતને લઈને દુનિયાભરના પ્રતિનિધિઓને સંબોધન કરશે. . ભારતીય સમય મુજબ આજે રાતે 8.30 વાગે પીએમ મોદી ઈન્ડિયા આઈડિયાઝ સમિટ (India Ideas Summit)ને સંબોધન કરશે. આ શિખર સંમેલન પર દુનિયાભરની નજર રહેશે. અમેરિકા-ભારત વેપાર પરિષદ (USIBC)એ આ સંમેલનનું આયોજન કર્યું છે. સંમેલનની થીમ સારા ભવિષ્યનું નિર્માણ છે. સંમેલનમાં બંને દેશો વચ્ચે વેપાર અને સહયોગ પર ચર્ચા થશે. તેમનું સંબોધન આજે સ્થાનિક સમય મુજબ રાતે સાડા આઠ વાગે થશે. અત્રે જણાવવાનું કે અમેરિકા અને ભારતની મુખ્ય ભાગીદારીવાળું આ બે દિવસનું શિખર સંમેલન છે, જેને ડિજિટલ માધ્યમથી આયોજિત કરાયું છે. યુએસઆઈબીસીએ…
કોરોનાએ પગપેસારો કર્યો ત્યારે ચાઇનાના ડો. વેનલિએંગે ડિસેમ્બર ૨૦૧૯માં દર્દીઓ પર રિસર્ચ કરી દર ૧૦૦૦માંથી ૮-૧૦ વ્યક્તિઓને આંખ મારફતે કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું શોધ્યું હતું..નાક અને મોઢા મારફતે ફેલાતા આ ચેપી રોગનો વાઇરસ આંખથી પણ શરીરમાં ઘૂસી રહ્યો છે. જોકે, ડો. વેનલિએંગનું પણ બાદમાં ફેબ્રુઆરી માસમાં કોરોનામાં જ મોત થઇ ગયું હતું. છ મહિના પહેલાં કોરોનામાં આંખના ચેપનો આ રેશિયો શોધી કઢાયો હતો. જોકે, ત્યારબાદ દેશ-દુનિયામાં કોરોનાના દર્દીઓમાં નોંધાયેલા ઉછાળા પરથી આ રેશિયો ચોક્કસપણે વધી ગયો હોવાનું નિષ્ણાંત તબીબોનું કહેવું છે. દરમિયાન સુરત શહેરના આઇ સ્પેશિયાલિસ્ટ તબીબોએ કોરાનાના આ કપરા કાળમાં નાક-મોઢાંની માફક આંખની પણ ખાસ કાળજી રાખવાનો લોકોને અનુરોધ…
એર ઈન્ડિયા દ્વારા 20 જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે કે કોરોનાથી સંક્રમિત થ.યેલા કર્મચારીઓના પરિવારજનોને લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીના કર્મી કોવિડથી સંક્રમિત થઈ ચુક્યાં છે. કેટલાક આ મહામારીના ચાલતા મોતને પણ ભેટી ચુક્યાં છે. તેના પરિવારોના હિતોને ધ્યાનમાં રાખીને કર્મચારીઓના પરિવાર કે તેના ઉત્તરાધિકારીને વળતર આપવાનો નિર્ણ કર્યો છે. આ પરિપત્રમાં જણાવાયું છે કે, કોવિડ-19ના ચાલતા જીવ ગુમાવનાર સ્થાયી કર્મચારીઓના પરિવારો કે તેના ઉત્તરાધિકારીઓને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવાનું તેમજ કામ કરનરાઓ માટે રૂપિયા 5-5 લાખ અને એક વર્ષ સુધી સતત કામ કરનારા અસ્થાયી કર્મચીઓના પરિવારજનોને 90 હજાર રૂપિયા દેવામાં આવશે.…
સુરત સહિત રાજ્યભરમાં પોઝિટિવ કેસો વધી રહ્યાં છે ત્યારે આગામી 29 અને 30 તારીખે રાજ્યભરમાં પ્રાથમિક અને માધ્ય. તેમજ ઉ.માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓની સામાયિક મૂલ્યાંકન અને એકમ કસોટી લેવામાં આવનારી છે. જો કે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પરીક્ષા રદ કરવાની માંગણી કરી છે. ગુજરાત રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 50465 પર પહોંચ્યો છે અને આ આંકડામાં સતત વધારો પણ થઈ રહ્યો છે ત્યારે લોકો ઘરમાં રહે તે જરૂરી છે. રાજ્યમાં શિક્ષણકાર્ય પણ ઓનલાઈન ચાલી રહ્યું છે, સ્કૂલો બંધ રાખવામાં આવી છે પરંતુ હાલમાં જ સરકારે સ્કૂલોમાં પરીક્ષાની લેવાની જાહેરાત કરી છે. જો કે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું કહેવું છે કે,…
24 કલાકમાં સુરત શહેર-જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 10,600ને પાર પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં નોંધાયેલા કોરોનાના કુલ 10,672 કેસ પૈકી 6613 દર્દી સાજા થઈ ચૂક્યાં છે. જેમાં શહેરના 5637 અને જિલ્લાના 976 દર્દીનો સમાવેશ થાય છે. રવિવારે શહેરમાં 191 અને જિલ્લામાં 31 મળી કુલ 222 દર્દી કોરોના મુક્ત થયા હતા. જોકે સુરતમાં હીરા ઉદ્યોગ માટે પણ કોરોના ઘાતક સાબિત થયો છે. ગત 20 દિવસમાં 3 વેપારી, 7 હીરા દલાલ કોરોના વાયરસના કારણે મોતને ભેટ્યા છે. આમ કુલ 12 ધંધાર્થીના કોરોનાથી મોત થયા છે. સુરતમાં કોરોનાના અત્યારે વધુ 97 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 89 અને ગ્રામ્યમાં 8 કેસ…
ગુજરાતમાં આજે કોરાનાનાં સૌથી વધુ 1026 કેસ નોંધાતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 50,465એ પહોંચી છે. વિતેલા 24 કલાકમાં અમદાવાદ-સુરત શહેર અને જિલ્લામાં જ 500થી વધુ કેસ મળ્યા છે. જ્યારે રાજ્ય વધુ 34 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2201એ પહોંચ્યો છે. જ્યારે 744 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી છે. અમદાવાદ અને સુરતમાં ફરી એકવાર ચેપનો ફેલાવો વધી રહ્યો છે. સુરત કોપોરેશન 225, અમદાવાદ કોપોરેશન 187, સુરત 73, વડોદરા કોપોરેશન 60, રાજકોટ કોપોરેશન 45, દાહોદ39, ભાવનગર કોપોરેશન 26, બનાસકાંઠા 25, સુરેન્દ્રનગર 21, પાટણ 20, ગાંધીનગર 19, નર્મદા 19, ગીર સોમનાથ 18, મહેસાણા 18, નવસારી 17, પંચમહાલ…
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે તમામ રાજ્યોને પત્ર લખી શાળાઓ શરૂ કરવા માટે વાલીઓ પાસેથી અભિપ્રાય લેવાનો આદેશ કર્યો છે. કોરોના સંદર્ભમાં શાળાઓ (School) ફરી ક્યારે શરૂ કરવી તે અંગે વાલીઓનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. ઉપરાંત, શાળાઓ શરૂ થયા બાદ વાલીઓની (Parents) શાળાઓ પાસે શું અપેક્ષા રહેશે તે અંગેની પણ વિગતો મગાવવામાં આવી છે. આ ઉપરાંત વાલીઓ શાળા શરૂ કરવાને લઈ અન્ય કોઈ સૂચના આપવા માગતા હોય તો તે પણ મોકલી આપવા જણાવાયું છે. સમગ્ર દેશમાં કોરોનાના પગલે શાળાઓ બંધ છે અને મોટા ભાગની શાળાઓ ઓનલાઈન એજ્યુકેશન (Online Education) આપી રહી છે. દેશમાં કોઈ એક તબક્કે શાળાઓ ફરી શરૂ કરવાની હોય…