ભારતનો સ્ટાર બોક્સર વિજેન્દર સિંહ ૧૩મી જુલાઇઍ ન્યુજર્સીના નેવાર્કમાં સ્થાનિક દાવેદાર માઇક સ્નાઇડર સામેની બાઉટથી અમેરિકન પ્રોફેશનલ સર્કિટમાં પદાર્પણ કરશે. અત્યાર સુધી પોતાની 10 બાઉટમાં અજેય રહેલો ભારતીય બોક્સરની અમેરિકાની પ્રોફેશનલ સર્કિટમાં પ્રથમ બાઉટ લોસ ઍન્જેલસમાં 13 ઍપ્રિલે યોજાવાની હતી, જો કે તે ટ્રેનિંગ દરમિયાન ઘાયલ થતાં તેમાં વિલંબ થયો છે. વિજેન્દરના ભારતીય પ્રમોટર આઇઓઍસ બોક્સિંગ પ્રમોશન્સ દ્વારા કહેવાયું હતું કે વિજેન્દર અમેરિકાની સર્કિટમાં 13 જુલાઇઍ ન્યુજર્સીના નેવાર્કના પ્રુડેન્શિયલ સેન્ટરમાં પોતાનું પદાર્પણ કરશે. તે 8 રાઉન્ડનો મુકાબલો હશે. સ્નાઇડરનો રેકોર્ડ 13-5-3નો છે. અમેરિકામાં મુકાબલા માટે વિજેન્દરે હોલ ઓફ ફેમમાં સામેલ બાબ આરુમ અને ટોપ રેન્ક પ્રમોશન્સ સાથે કરાર કર્યા છે.…
કવિ: Sports Desk
ભારતીય ડેવિસ કપ ટીમ 55 વર્ષ પછી પાકિસ્તાનના પ્રવાસે જઇ શકે છે. ઓલ ઇન્ડિયા ટેનિસ ઍસોસિઍશન (ઍઆઇટીઍ)ઍ સંકેત આપ્યા છે કે કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં પાડોશી દેશમાં રમવા માટે ખેલાડીઓને મંજૂરી આપી શકે છે. ભારતીય ડેવિસ કપ ટીમ માર્ચ 1964 પછી પાકિસ્તાનના પ્રવાસે ગઇ નથી. તે સમયે ડેવિસ કપનો ઍ મુકાબલો ભારતે 4-0થી જીત્યો હતો. ઍઆઇટીઍના મહામંત્રી હિરણમય ચેટર્જીઍ કહ્યું હતું કે અમે સરકારને આ સંબંધે પત્ર લખ્યો છે અને આશા છે કે અમે પાકિસ્તાન રમવા જઇશું ઍવું અમને લાગે છે. તેમણે ક્હ્યું હતું કે આ દ્વિપક્ષિય સિરીઝ નથી, તે વર્લ્ડ કપ જેવું જ છે, તેથી સરકારે અમને મંજૂરી આપવી પડશે.…
વર્લ્ડ કપ 2019માં સૌથી પહેલા 500 રન પુરા કરનારા ડેવિડ વોર્નરે 1-1 રન લેવા માટે ખાસ્સી મહેનત કરી છે. આવું ઍટલા માટે કહેવું પડે છે કે ડેવિડ વોર્નરે રન બનાવવા માટે અતર સુધી 22 યાર્ડની પીચ પર કુલ મળીને 6 કિલોમીટરની દોડ લગાવી ચુક્યો છે. તેણે બનાવેલા 500 રનમાંથી 282 રન તેણે દોડીને બનાવ્યા છે. તેણે ૨૨ યાર્ડની પીચ પર ૧, ૨ અને ૩ રન દોડીને લીધા છે અને તેના માટે તે કુલ મળીને 6160 યાર્ડ દોડ્યો છે. મતલબ કે તેણે કુલ મળીને 5.63 કિલોમીટરની દોડ લગાવી છે. આ મામલે બીજા સ્થાને ઇંગ્લેન્ડનો જો રૂટ અને બાંગ્લાદેશનો શાકિબ અલ હસન…
વેસ્ટઇન્ડિઝ સામેની મેચમાં રોહિત શર્મા અંગત ૧૮ રને થર્ડ અમ્પાયર દ્વારા અપાયેલા ઍક વિવાદાસ્પદ નિર્ણયનો શિકાર બનીને આઉટ થયો હતો. કેમાર રોચનો બોલ રોહિતના બેટ અને પેડ વચ્ચેથી પેડને અડીને વિકેટકીપર શાઇ હોપના ગ્લવ્ઝમાં સમાયો હતો. રિપ્લેમાં બેટ અને બોલ વચ્ચે જગ્યા દેખાતી હતી પણ સ્નીકો મીટરમાં પેડને વાગવાની હરકત જણાતા અમ્પાયરે રોહિતને આઉટ જાહેર કર્યો હતો. #RohitSharma when a drunken empire gives decisions this will happen…… pic.twitter.com/rizdjdHBmt — chandra sekhar (@chandra85001999) June 27, 2019 રસપ્રદ વાત તો ઍ હતી કે થર્ડ અમ્પાયરે જ્યારે ઓન ફિલ્ડ અમ્પાયરને આઉટ આપવાનો નિર્ણય જણાવ્યો ત્યારે મેદાન પરના અમ્પાયરને પણ પહેલા નવાઇ લાગી હતી…
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ આજે અહીં વેસ્ટઇન્ડિઝ સામેની મેચમાં સૌથી ઝડપી 20 હજાર ઇન્ટરનેશનલ રન પુરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. કોહલીઍ આ મેચમાં જેવા પોતાની ઇનિંગના 37 રન પુરા કર્યા તેની સાથે જ તે 20 હજારી બન્યો હતો. વિરાટે આ સાથે સચિન તેંદુલકર અને બ્રાયન લારાનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. વિરાટ કોહલીઍ 20 હજાર રન પુરા કરવા માટે કુલ 417 ઇનિંગ લીધી છે, જ્યારે સચિન અને લારાઍ આ આંકડા પર પહોંચવા માટે 453 ઇનિંગ લીધી હતી. મતલબ કે વિરાટે આ બંને દિગ્ગજ કરતાં 36 ઇનિંગ ઓછી લીધી છે. અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા વિરાટના નામે 19896 રન હતા અને…
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી વર્લ્ડ કપની મેચના ત્રણ દિવસ પહેલા ભારતીય ટીમે આઇસીસી વનડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડને પહેલા સ્થાનેથી હડસેલીને ટોચનું સ્થાન મેળવી લીધું છે. આઇસીસી દ્વારા જારી નવા રેન્કિંગ અનુસાર ભારતીય ટીમ 123 પોઇન્ટ સાથે રેન્કિંગમાં પહેલા સ્થાને પહોંચી ગઇ છે. જ્યારે ઇંગ્લેન્ડ તેનાથી ઍક પોઇન્ટ ઓછા 122 પોઇન્ટ સાથે બીજા તો ન્યુઝીલેન્ડ 114પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યા છે. હાલના વર્લ્ડ કપમાં સૌથી પહેલા સેમી ફાઇનલમાં પહોંચી ગયેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 112 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. ભારતીય ટીમ જો વેસ્ટઇન્ડિઝ સામેની મેચ હારી ગઇ હોતતો તે ફરી નીચે સરકીને બીજા સ્થાને આવી જાત અને ઇંગ્લેન્ડ પહેલા સ્થાને આવી ગયુ…
ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી વર્લ્ડકપની 34મી મેચમાં ભારતીય ટીમે પ્રથમ દાવ લઇને વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીની અર્ધસદી ઉપરાંત રાહુલે 48 અને હાર્દિકે 46 રનની ઝડપી ઇનિંગની મદદથી 7 વિકેટે 268 રનનો સ્કોર કરીને 269 રનનો લક્ષ્યાંક મુકીને પછી મહંમદ શમીની આગેવાનીમાં ભારતીય બોલરોઍ વેસ્ટઇન્ડિઝને 143માં તંબુભેગું કરી ટીમને 125 રને જીતાડી હતી. આ વિજય સાથે ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં રનરેટના આધારે બીજા ક્રમે પહોંચી ગઇ છે અને તેનું સેમી ફાઇનલમાં સ્થાન લગભગ પાકું થઇ ગયું છે. વિરાટ કોહલીઍ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યા પછી ભારતીય ટીમને છઠ્ઠી ઓવરમાં પહેલો ફટકો પડ્યો હતો, સારી રિધમમા જણાતો રોહિત શર્મા…
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સરળતાથી સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લેશે પણ પાકિસ્તાનની ટીમને ફાંફા છે ત્યારે પાકિસ્તાનના માજી ક્રિકેટ બાસિત અલીની ડાગળી ચસકી ગઇ હોય તેવું નિવેદન કરતાં તેણે કહ્યું હતું કે પાકિસ્તાની ટીમ તો પોતાની મેચ જીતી જશે પણ તેને ખરું જાખમ તો ભારતીય ટીમથી છે જે બાંગ્લાદેશ અને શ્રીલંકા સામેની મેચ જાણી જાઇને હારી જશે. બાસિત અલીઍ આ વાત ઍક ન્યૂઝ ચેનલ પર કરી હતી અને તેની ઍ વાતને કારણે ત્યાં ઉપસ્થિત તમામને નવાઇ લાગી હતી. બાસિત અલીઍ ઇશારામાં ઍવું કહ્યું હતું કે અોસ્ટ્રેલિયાની ટીમ જાણી જાઇને ભારતીય ટીમ સામે હારી છે. તેણે તો ત્યાં સુધી…
વેસ્ટઇન્ડિઝના સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે વર્લ્ડ કપ ચાલુ જ છે ત્યારે નિવૃત્તિની જાહેરાત કરી છે, તે ભારત સામે પોતાની અંતિમ મેચ રમશે પણ તે અહી નહી પણ વેસ્ટઇન્ડિઝમાં રમશે. તે વર્લ્ડ કપમાં અધ વચ્ચેથી નિવૃત્ત નથી થવાનો પણ ભારતીય ટીમ જ્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વેસ્ટઇન્ડિઝના પ્રવાસે જશે ત્યારે ટેસ્ટ સિરીઝ પછી ક્રિસ ગેલ નિવૃત્ત થવાનો છે. છેલ્લા બે દશકાના ઉચ્ચ કક્ષાના ખેલાડીઅો સ્ટીવ વો અને જેક કાલિસના નકશે કદમ પર ચાલીને ક્રિસ ગેલ પણ ભારતીય ટીમ સામે રમીને નિવૃત્ત થવાનો છે. સ્ટીવ વોઍ 2004માં અને જેક કાલિસે 2013માં ભારત સામે રમીને પછી નિવૃત્તિ લીધી હતી. ઍવું માનવામાં આવે છે કે ક્રિસ ગેલ…
ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમ કેસરી રંગની ટી શર્ટ ધારણ કરીને મેદાનમાં ઉતરવાની છે ત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને તેની પાછળ મોદી સરકારનું ભગવાકરણ દેખાયું છે અને તેમને ઍવી શંકા છે કે મોદી સરકારે જ ભારતીય ટીમ માટે કેસરી રંગની ટી શર્ટ પર ભાર મુક્યો હશે. બંને પાર્ટી બીસીસીઆઇ પર ઍવો આરોપ મુક્યો છે કે મોદી સરકારને ખુશ કરવા માટે આ રંગ પસંદ કરાયો છે. ભાજપે જા કે આ આરોપ ફગાવતા તેમને ટુંકી દૃષ્ટિના ગણાવ્યા હતા. આ તરફ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ઍ ઍવો ખુલાસો કર્યો છે કે આ કલર કોમ્બિનેશન તેમના તરફથી બીસીસીઆઇને મોકલાયું હતું. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીઍ…