રૂપાણી સરકારને ફાળે વધુ એક સિધ્ધી નોંધાઈ છે. ગુજરાત સરકારે સતત બીજી વાર નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકેની સિદ્ધિ મેળવી છે. સમગ્ર દેશમાં સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિગમાં ગુજરાતનો નંબર 1 આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારનાં રોજ આ રેન્કિગ જાહેર કરાયું હતું. આ પરિણામ સરકાર દ્વારા માત્ર સ્ટાર્ટ અપને ટેકો નહીં પરંતુ નવા સ્ટાર્ટ અપ અને ઈનોવેશનના નિર્માણને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોનું પ્રતિબિંબ છે. સરકારે સ્ટાર્ટઅપ્સ, ઈનોવેશન અને ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા તેમજ યુવા પેઢીને પ્રોત્સાહિત કરવા અસંખ્ય પગલા લીધાં છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન પોલિસી સામેલ છે. ઉદ્યોગ સાહસિકતાની આગવી ઓળખ સાથે સ્ટાર્ટઅપ ક્ષેત્રે…
Author: Satya-Day
ટ્રમ્પે પરમાણુ હિથયારો બાબતે દાવો કર્યો હતો કે અમેરિકા પાસે એવાં એવાં હિથયારો છે, જેની દુનિયાને ખબર જ નથી. જિનપિંગ અને પુતિને તો કલ્પના પણ નહીં કરી હોય કે અમેરિકા પાસે કેવા હિથયારો છે! અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સિનિયર પત્રકાર બોબ વૂડવર્ડના પુસ્તક માટે આપેલા ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે અમેરિકા પાસે એવા પરમાણુ હિથયારો છે, જેની કલ્પના પણ દુનિયાએ કરી નહીં હોય. પુતિન-જિનપિંગે વિચાર્યું પણ નહીં હોય એવા અને એટલા હિથયારો અમેરિકન લશ્કર પાસે છે. ટ્રમ્પના દાવા પ્રમાણે અમેરિકાના એક પણ પ્રમુખે એટલું પરમાણુ હિથયારો બનાવવાનું કામ નથી કર્યું, જેટલું તેમના સાડા ત્રણ વર્ષના કાર્યકાળમાં થયું છે. દુનિયાએ ક્યારેય…
JEE Main Exam-2020નું પરિણામ શુક્રવારે રાત્રે 11 વાગ્યે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે. NTAએ જૉઈન્ટ એન્ટ્રેન્સ એક્ઝામ (JEE)નું રિઝલ્ટ પરીક્ષા લેવાના એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં જાહેર કરી દીધુ છે. JEE મેઈન એક્ઝામના શુક્રવારે જાહેર કરવામાં આવેલા પરિણામોમાં 24 વિદ્યાર્થીઓને પૂરા 100 અંક પ્રાપ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન માટે લેવાતી આ પરીક્ષા કોરોના મહામારીના કારણે અગાઉ 2 વખત ટાળવામાં આવી ચૂકી છે. આખરે ઉગ્ર વિરોધ વચ્ચે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. આ એક્ઝામમાં સૌથી વધુ તેલંગાણાના 8 વિદ્યાર્થીઓએ 100 ટકા પરસેન્ટાઈલ મળ્યાં છે. જ્યારે દિલ્હીના 5, રાજસ્થાનના 4,…
સુરત શહેરમાં કોરોનાવાયરસ (Corona Virus) ના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. હાલમાં શહેરમાં કેટલાક દિવસોથી કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં પણ ખાસ કરીને સુપર સ્પ્રેડરો જેવા કે કરિયાણાના દુકાનદાર, રિક્ષાચાલકો, સલૂન, વિવિધ ક્ષેત્રમાં એકાઉન્ટન્ટ વગેરેમાં સંક્રમણ વધુ જોવા મળતાં મનપા દ્વારા સુપર સ્પ્રેડરોને શોધી કોરોના કાબૂમાં કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે માટે મનપા દ્વારા ગુરુવારથી સુપર સ્પ્રેડરોમાં કોરોનાનું સંક્રમણ શોધવા માટે રેપિડ એન્ટિજેન ટેસ્ટ શરૂ કરાયું છે. જે અંતર્ગત ગુરુવારે રિક્ષાચાલકોના રેપિડ ટેસ્ટ કરાયા હતા. શહેરના વિવિધ રિક્ષા સ્ટેન્ડ પર રિક્ષાચાલકો-ટેક્સી ડ્રાઈવરોના રેપિડ એન્ટિજેન ટેસ્ટ અંતર્ગત…
રાજયમાં ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે રોડ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રોડ- રસ્તાઓમાં થયેલા ભારે નુકસાનન પલે રાજયભરમાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમજ વિપક્ષ કોંગ્રેસ દ્વ્રારા પણ રાજય સરકારની આકરી ટીકા કરવામા આવ્યા બાદ હવે રાજય સરકારે શહેરી વિસ્તારોમાં રોડ રસ્તાના રિ-સરફેસિંગ (road re-surfacing) માટે 160 કરોડની રકમ ફાળવી છે. જેના પગલે હવે આ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.રાજ્યની 155 નગરપાલિકાઓમાં ખાડા તેમજ માર્ગોના ધોવાણ બાદ રસ્તા-માર્ગોના રિપેરીંગ-રિસરફેસીંગ માટે રૂ. 160 કરોડ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે ફાળવ્યા છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં અતિ ભારે વરસાદને કારણે શહેરો-નગરોમાં ભારે નુકસાન થયેલા રસ્તાઓના મરામત કામો ઝડપથી હાથ ધરવામાં આ…
સુરતની નવી સિવિલમાં (New Civil, Surat) આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં ઓક્સિજન પાઇપમાં (oxygen pipe) પ્રેશરના કારણે વાલ્વ છૂટી ગયો હતો અને એક કર્મચારીની આંખમાં વાગતા તેને ટ્રોમા સેન્ટરમાં (trauma center) સારવાર આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેરમાં કોરોના કાળ દરમિયાન જ્યારે કેસોની સંખ્યા બમણી થઇ ગઇ ત્યારે નવી કોવિડ-19 હોસ્પિટલમાં ઓક્સિજન ટેંક ફીટ કરવામાં આવી હતી. તમામ દર્દીઓને ઑક્સિજન સપ્લાયમળી રહે તે માટે નાની પાઇપ વડે ઑક્સિજન અપાઇ રહ્યો હતો. બીજી તરફ શુક્રવારે સાંજના સમયે ઓક્સિજન ટેંકનો કર્મચારી અસ્ફાક સલીમ શેખ કામ કરી રહ્યો હતો અને પાઇપલાઇન ચેક કરતો હતો ત્યારે જ એક પાઇપમાં પ્રેશર વધી ગયુ હતુ. અસ્ફાક…
કોરોનાની મહામારી અને વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવાની માંગને ધ્યાનમાં રાખીને નર્મદ યુનિ. ના હોમિયોપેથીક ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓના હીતને ધ્યાનમાં રાખીને ઓનલાઈન એંસીક્યૂ આધારીત પરીક્ષા લેવાનો સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે. પરુતું અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર ઓનલાઈન પરીક્ષા લેવાની માંગણી કરી હોવા છતા નર્મદ યુનિ. દ્વારા લો ફેકલ્ટી સહીત તમામ ફેકલ્ટી માટે ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે જો હોમિયોપેથી ફેકલ્ટીમાં ઓનલાઈન પરીક્ષા લઈ શકાતી હોય તો લો ફેકલ્ટી સહીત અન્ય ફેકલ્ટીમાં કેમ નહીં? હાલ કોલેજોનું નવું સત્ર શરુ થઈ ગયું છે ત્યારે હજી પરીક્ષા ક્યારે લેવાશે અને પરીણામ ક્યારે આવશે આ અંગે વિદ્યાર્થીઓ…
સરકારે રાજ્યમાં ખેડૂતો પાસેથી મગફળી રૂપિયા 1055 પ્રતિ મણના ટેકાના ભાવે ખરીદ કરવાનો નિર્ણય લીધો પણ આ ખરીદી અઢી મહિના પછી કરવાની હોય અને એટલા સમયમાં તો ખેડૂતોએ નાછૂટકે બજારમાં જે ભાવ મળે તે ભાવે વેચવી પડે તેવી સ્થિતિ છે. આ અન્વયે મોટાભાગના ખેડૂતોને સરકારની ખરીદીનો લાભ ન મળે તે મુદ્દે વિરોધ કરવા આજે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટ કલેક્ટર કચેરીએ ધસી જઇ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. કિસાન સંઘે ખેડૂતોની મગફળી વેચાય તે પહેલા ખરીદી કરવા ભાર પૂર્વક માગણી કરી છે. આ સાથે ખેડૂત આગેવાનોની પોલીસે અટકાયત કરતા તેની સામે પણ રોષની લાગણી ફેલાઇ હતી. ઉલ્લેખનીય છે કે ગત…
રાજ્યમાં કોરોનાના દર્દીઓની સારવારમાં સૌથી મોટી અડચણ ઉભી થઈ રહી છે. તેના ભાગરૂપે અમદાવાદની પણ કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની ઘટ સામે આવી રહી છે. જેથી આવનાર સમય અમદાવાદ સહિત મોટા શહેરોમાં સૌથી વિકટ સાબિત થાય તો નવાઈ નહીં. હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, મહારાષ્ટ્રમાંથી ઓક્સિજનની નિકાસ બંધ કરી દીધી છે. જેથી ગુજરાતની તમામ હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી ઉદ્દભવી શકે છે. કોરોનાના દર્દીની સારવારમાં સૌથી મોટી અડચણના અહેવાલના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ અમદાવાદની હોસ્પિટલોમાં ઓક્સિજનની ઘટ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલા કોરોના દર્દીઓને પાછા કાઢી રહ્યા છે. રાજ્યમાં કેટલીક ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી…
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ દેશભરના પ્રથમ તબક્કાના સીરો સર્વે (Sero Survey)નું પરિણામ જાહેર કરી દીધુ છે. આ પરિણામ ચોંકવાનારા છે. સર્વે પ્રમાણે, મે મહિના સુધી દેશમાં લગભગ 64 લાખ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા છે. પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરે આ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો છે. મેં મહિના સુધી 0.73 ટકા પુખ્ત એટલે કે 64 લાખ (64,68,388) લોકોના કોરોના વાઈરસના સંપર્કમાં આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સર્વેનું અનુમાન છે કે, RT-PCR ટેસ્ટથી કોરોનાના દરેક કેસની પુષ્ટિ માટે ભારતમાં 82-130 સંક્રમણ હતો. સેરો સર્વેથી જાણવા મળ્યું છે કે, ગામમાં અંદાજે 44 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં…