રાજ્યમાં હવે ચોમાસાનું આગમન થઇ જવા આવ્યું છે. રાજ્યમાં પણ અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગનાં ડાયરેક્ટ ડૉકટર જ્યંત સરકારે જણાવ્યું હતું કે, ચોમાસાની પેટન ઉપર વાવાઝોડાની અસર નહીં થાય પરંતુ ચોમાસાનું આગમન ગુજરાતમાં સમયસર જ થઇ જશે. એટલે કે, ગુજરાતમાં ચોમાસાનું આગમન જૂનનાં બીજા કે ત્રીજા સપ્તાહ સુધીમાં થઇ જશે. હાલમાં ચોમાસું કર્ણાટકનાં દરિયાકિનારે પહોંચ્યું છે કે જે હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.’ આ ઉપરાંત વરસાદની આગાહી અનુસાર, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે રાજ્યનાં દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરુચ, સુરત અને તાપીમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી…
Author: Satya-Day
કોરોના કાળ વચ્ચે ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા લેવી કે નહીં એ વિશે વિચારણા કરવામા આવી રહી હતી. હવે ભારે ચર્ચા વિચારણા પછી યુનિવર્સિટીની પરીક્ષાને લઇને યુનિવર્સિટી વહીવટી તંત્રએ મોટો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીની પરીક્ષા હવે 2જી અને 13મી જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે. કોરોના કેર વચ્ચે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. યુનિવર્સિટી તંત્રએ પરીક્ષાની તારીખ જાહેર કરી છે. 2જી અને 13મી જુલાઈથી પરીક્ષાઓ શરૂ થશે. ઓછા વિદ્યાર્થી ધરાવતી વિદ્યાશાખાની 2 જુલાઈથી પરીક્ષા શરૂ કરવામાં આવશે તો વધુ વિદ્યાર્થી ધરાવતી વિદ્યાશાખાની 13મી જુલાઈથી પરીક્ષા લેવાશે. સાથે જ નિયમ કરવામા આવ્યો છે કે, એક બ્લોકમાં 30ના બદલે 15 વિદ્યાર્થી જ પરીક્ષા…
આસારામ સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં દોષિત આસારામ રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે. તેની સામે ગાંધીનગરની કોર્ટમાં પણ રેપ કેસની સુનાવણી ચાલી રહી છે. તેણે ચાર મહિનાના જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. પોતાની અરજીમાં 84 વર્ષના આસારામે રાજસ્થાનની જેલમાં કોરોનાના સંક્રમણમાં લાગી શકે છે તેનો ભય દર્શાવ્યો હતો. હાઈકોર્ટે આ પહેલા 30 માર્ચે પણ તેની જામીન અરજી નકારી હતી. જેમાં પણ તેણે કોરોનાના ડરનું કારણ દર્શાવ્યું હતું. કોરોના વાયરસના ભયના કારણે આસારામે કોર્ટમાં ફરી જામીન અરજી કરી હતી. પરતું ગુજરાત હાઈકોર્ટે તેની અરજી નકારી કાઢી હતી. આ અંગે હાઈકોર્ટે જણાવ્યું છે કે, આસારામની સમર્થકોની સંખ્યા ખુબ જ વધારે છે. એવામાં…
તાપી જીલ્લામાં લોકડાઉન હળવું થતાં સંખ્યાબંધ સ્થળોએ આ બાબતે દરોડા પાડવામાં આવ્યા પણ તાપી જીલ્લામાં આવી કોઇ દરોડાની કામગીરી હાથ ન ધરાતા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ જેવું કાંઇ છે કે કેમ ? એક મોટો સવાલ ઉઠ્યો છે. મોટા ભાગની મીઠાઇઓની દુકાનો, હોટલો સાથે રીત સરનું ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સેટીંગ હોય તેમ હલ્કી કક્ષાની ખાધનાં નામે અખાદ્ય સામગ્રીનાં વેચાણ સામે સેમ્પલો લેવાની પણ તસદ્દી લીધી નથી. મીઠાઇની દુકાનોમાં સડેલી મીઠાઇઓ ચાંદીની વરખમાં વિટાંળી પધરાવવાનું મોટુ કૌભાંડ ધમધમતું થયું, હોટલો- ફરસાણની દુકાનોમાં સેનેટાઇઝ કે સેફ્ટીને લઇ કોઇ કાળજી લેવાતી નથી. લોકડાઉન પછી વ્યારા સહિત સમગ્ર તાપી જીલ્લામાં ખુલેલા સુપર સ્ટોર્સમાં લોકોને…
જો ખાનગી સંસ્થાઓ કોવિડ -19 લોકડાઉન દરમિયાન કામદારોને સંપૂર્ણ વેતન ચૂકવવા અસમર્થ હોવાનો દાવો કરતી હોય તો તે તેમની ઓડિટ કરેલી બેલેન્સશીટ અને હિસાબો અદાલતમાં રજૂ કરે. ટોચની અદાલતે ગુરુવારે પોતાના 15 મેના આદેશને 12 જૂન સુધી લંબાવ્યો છે જેમાં સરકારને કહેવાયું હતું કે તેના માર્ચ 29ના પરિપત્રનો ભંગ કરનાર કંપનીઓ અને નિયોક્તાઓ વિરૂદ્ધ કોઈ સખત પગલાં ન લેવા. ઉલ્લેખનીય છે કે સરકારે લૉકડાઉન સમયગાળામાં કર્મચારીઓને પૂરો પગાર ચૂકવવાનું પરિપત્ર બહાર પાડયું હતું.ગૃહ મંત્રાલયે પોતાના પરિપત્રમાં સમસ્ત નિયોક્તાઓને કહ્યું હતું કે કોવિડ-19ને ફેલાતા અટકાવવા લગાવેલા લૉકડાઉન દરમિયાન તેમના સંસ્થાનો બંધ રહ્યા છે તે છતાં તેમણે તે સમયગાળા માટે તેમના કર્મચારીઓને…
કોરોના સંકટ વચ્ચે પડી ભાંગેલી અર્થવ્યવસ્થાને ફરી બેઠી કરવા માટે રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતના સૌથી મોટા આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરીને ગુજરાતીઓને ખુશ કરી દીધા છે. મુખ્યમંત્રી દ્વારા 14 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે વીજળી બિલ માફ કરવાનો પણ નિર્ણય લીધો છે. 100 યુનિટ વીજબિલ માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પેકેજ અનુસાર 92 લાખ ગ્રાહકોને ફાયદો થશે. “આત્મનિર્ભર ગુજરાત’ રાહત પેકેજની જાહેરાત 100 યુનિટ વીજબિલ માફ કરી દેવાયું 92 લાખ વીજ ગ્રાહકોને રૂ.650 કરોડની રાહત મળશે વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી અપાઈ નાના વેપારીઓને વીજબિલમાં 5…
રાજ્યસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે પૂર્વ પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલા મેદાનમાં ઉતર્યા છે. શંકરસિંહ વાઘેલા NCPથી નારાજ હોવાના કારણે પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપી દીધું છે. .ત્યારબાદ તેમને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપને લાવવાનો સિંહફાળો મારો છે. મને સત્તાની કોઈ લાલચ નથી. તો બીજી તરફ, એનસીપીના કાર્યકારી અધ્યક્ષ બબલદાસ પટેલે એનસીપીમાંથી રાજીનામુ આપ્યું છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ આજે મીડિયાની વચ્ચે આવીને અનેક મોટા ખુલાસાઓ કર્યા હતા. શંકરસિંહ વાઘેલાએ NCPના તમામ પદેથી રાજીનામું આપી દીધું હોવાની વાત કરતા જણાવ્યું કે, હું કાર્યકારી અધ્યક્ષ બબલદાસભાઈ અને કાર્યકરોનો આભાર માનું છું. મને તમામ લોકોએ ખુબ જ સારી રીતે ઘડ્યો…
શહેરમાં મોટી ગણાતી ત્રણ હોસ્પિટલ(Hospital), સિવિલ અને સ્મિમેર સહીતના કર્મચારીઓ કોરોના(Corona)ની ચપેટમાં આવી ચૂકયા છે, હજુ પણ તબીબ, નર્સ, લેબ ટેકનિશયન,ફાર્માસિસ્ટ વિગેરેમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે ચિંતા ઉપજાવનારૂં છે. કેમ કે લોકડાઉન વખતે કેસ સતત વધી રહ્યા હતા. તે જ આરોગ્યતંત્ર માટે મોટો પડકાર હતો પરંતુ હવે તો અનલોક સાથે જ શહેરમાં લોકોની ગતિવિધીઓ પુરબહારમાં ચાલુ થઇ ગઇ છે. જે રીતે કેસ વધી રહ્યા છે તે જોતા આગામી સમય કપરો હશે. તેમાં પણ જો તબીબી કર્મીઓ જ કોરોના(Corona)ની ચપેટમાં હશે તો ચિત્ર ભયાવહ બનશે. અગાઉથી લગભગ બમણા કેસ રોજે રોજ મળવા માંડયા છે. આગામી સમયમાં આ…
કેટલાક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, દેશમાં કોરોના વાયરસ નવેમ્બરથી ફેલાઈ રહ્યો હતો..\ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીના રોજ કેરળમાંથી સામે આવ્યો હતો. પરંતુ વૈજ્ઞાનિક ભાષામાં કહેવામાં આવે તો ઈન્ડિયન સ્ટ્રેનના MRCA (મોસ્ટ રિસેન્ટ કોમન એન્સેસ્ટર) નવેમ્બર 2019થી ફેલાઈ રહ્યો હતો. દેશના ટોચની રિચર્સના ટોપ વૈજ્ઞાનિકોએ અંદાજ વ્યક્ત કર્યો છે કે વુહાના નોવેલ કોરોના વાયરસ સ્ટ્રેનના પહેલાનો રૂપ 11 ડિસેમ્બર 2019 સુધી પ્રસાર થઈ રહ્યો હતો. ટાઈમ ટુ મોસ્ટ રિસન્ટ કોમન એન્સેસ્ટ (MRCA)નામની વૈજ્ઞાનિક ટેક્નિકનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ અંદાજ વ્યક્ત કર્યો છે કે, હાલ તેલંગાણા અને બીજા રાજ્યોમાં કોરોના વાયરસનો જે સ્ટ્રેન ફેલાઈ રહ્યો હતો તે 26 નવેમ્બર અને…
કોરોના વાઈરસના સંક્રમણને પગલે કરવામાં આવેલા લૉકડાઉનના કારણે છેલ્લા અઢી મહિનાથી રાજ્યની સ્કૂલો અને કૉલેજોમાં શિક્ષણ કાર્ય ઠપ્પ છે, ત્યારે હવે સ્કૂલો ક્યારથી ખુલશે? તેવો પ્રશ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવી રહ્યો છે. જો કે બુધવારે રાજ્યના શિક્ષણ વિભાગની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, જૂન મહિનામાં સ્કૂલો નહીં શરૂ કરવામાં આવે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શાળાઓ ક્યારે શરૂ કરવી? તેના પર ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે, રાજ્યમાં ધોરણ-1 થી 12 સુધીની સ્કૂલોને જૂન મહિનામાં શરૂ નહીં કરવામાં આવે. જો કે વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટે મોટો નિર્ણય લેવાયો…